2018-19ના TAT પાસ ઉમેદવારો ઉગ્ર આંદોલનના માર્ગે, સરકાર કહે છે "ભણશે ગુજરાત પણ ભણાવશે કોણ?"


  • Published By : Payal rathod
  • Published Date : 2023-05-29 18:20:24


ગાંધીનગરમાં ફરી આંદોલન શરૂ થઈ ગયા છે . ગુજરાતભરમાંથી TAT પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે પહોંચ્યા છે. 2018-19ના TAT પાસ ઉમેદવારો દ્વારા ગાંધીનગર ખાતે વિરોધ કરવામાં આવવી રહ્યો છે, તેઓ પોતાની પડતર માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે.


કયા કારણોથી ઉમેદવારોને આંદોલન કરવું પડ્યું?

ગાંધીનગર સ્વર્ણિમ સંકૂલ પાસે 2018-19ના TAT પાસ ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. TAT પાસ ઉમેદવારોને વેલેડિટી પ્રમાણે બાકી રહેલું એક વર્ષ આપવા રજૂઆત કરી છે. ઉમેદવારોને વધુ એક ભરતીમાં તક આપવાની રજૂઆત કરવામાં આવી છે. રાજ્યભરમાંથી 2018-19ના TAT પાસ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા છે અને સ્વર્ણિમ સંકૂલ ખાતે વિરોધ કરી રહ્યા છે. આજે ઉમેદવારો દ્વારા ઉગ્ર નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે   



"ભણશે ગુજરાત પણ ભણાવશે કોણ?"


ત્યાં આવેલા ઉમેદવારો પૈકી એક ઉમેદવારે કહ્યું કે " અમે અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છીએ કે એકવાર અમારી TAT પાસની ધોરણ 9થી 12 સુધીની ભરતી બહાર પાડો અને અમને એકવાર ચાન્સ આપો. અમે છેલ્લા દોઢ વર્ષથી ભરતીની રજૂઆત કરી રહ્યા છીએ. જીતુભાઈ વાઘાણી જ્યારે શિક્ષણ મંત્રી હતા, ત્યારે અમે ઘણીવાર રજૂઆત કરી હતી કે ધોરણ 9થી 12ની ભરતી બહાર પાડો. જે બાદ જીતુ વાઘાણીએ અમને આશ્વાસન આપ્યું હતું કે જૂન મહિનામાં તમારી ભરતી અમે બહાર પાડશું.પણ એ બધી વાતો હતી હજુ ભરતી કરી નથી અમે ઓછામાં ઓછા 52 વખત અરજીઓ કરી છે પણ કઈ જવાબ નથી અત્યારે શાળામાં પ્રવાસી શિક્ષકની ભરતી કરવામાં આવે છે તો અમારી કેમ નઇ ગુજરાત સરકાર કહે છે કે ભણશે ગુજરાત પણ ભણાવશે કોણ?




અમે શિક્ષક બનવાના છીએ અમને આવો આંદોલનનો માર્ગના શોભે!

ઉમેદવારોએ કહ્યું કે" અમે અનેક વાર રજૂઆત કરી અમને જવાબ નથી મળતો અમે શિક્ષક બનવાના છીએ અમને આવો આંદોલનનો માર્ગના શોભે અમારે બાળકને ભણાવવાનું છે. છતાં પણ અમારે અમારા હક માટે આવું કરવું પડી રહ્યું છે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમને એક ચાન્સ આપો.








એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાના કાર્યક્રમમાં એક યુવાન સ્ટેજ પર ચઢી જાય છે અને સાંસદને સવાલો કરે છે.. કામ અંગે તેમને સવાલ કરે છે. મનસુખ વસાવાએ પ્રશ્નોના જવાબ તો ના આપ્યા પરંતુ તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા.

રાજકોટમાં 14 વર્ષના બાળકનું મોત અચાનક થઈ ગયું છે. શેરીમાં બાળક ક્રિકેટ રમી રહ્યો હતો, અચાનક તે ઢળી પડ્યો અને મોત થઈ ગયું છે. મોત કયા કારણોસર થયું તેની ખર પોસ્ટ મોર્ટમ બાદ થશે. પરંતુ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે તેનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પોતાની માગ સાથે અડગ છે તો ભાજપ પણ પોતાની વાત મક્કમ દેખાઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી ત્યાં મોટી સંખ્યામાં ક્ષત્રાણીઓ આવ્યા હતા.. આ મીટિંગ દરમિયાન ક્ષત્રિયાણી દ્વારા એવા નિવેદન આપવામાં આવ્યા જે સ્વીકાર્ય ના હોય.!

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અનેક જિલ્લાઓમાં તાપમાન 40ને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બે ત્રણ દિવસો દરમિયાન ગરમી નહીં વધે પરંતુ તે બાદ ગરમીનો પારો સતત વધશે. હવામાન નિષ્ણાત દ્વારા પણ આવી આગાહી કરવામાં આવી છે.