2018-19ના TAT પાસ ઉમેદવારો ઉગ્ર આંદોલનના માર્ગે, સરકાર કહે છે "ભણશે ગુજરાત પણ ભણાવશે કોણ?"


  • Published By : Payal rathod
  • Published Date : 2023-05-29 18:20:24


ગાંધીનગરમાં ફરી આંદોલન શરૂ થઈ ગયા છે . ગુજરાતભરમાંથી TAT પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે પહોંચ્યા છે. 2018-19ના TAT પાસ ઉમેદવારો દ્વારા ગાંધીનગર ખાતે વિરોધ કરવામાં આવવી રહ્યો છે, તેઓ પોતાની પડતર માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે.


કયા કારણોથી ઉમેદવારોને આંદોલન કરવું પડ્યું?

ગાંધીનગર સ્વર્ણિમ સંકૂલ પાસે 2018-19ના TAT પાસ ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. TAT પાસ ઉમેદવારોને વેલેડિટી પ્રમાણે બાકી રહેલું એક વર્ષ આપવા રજૂઆત કરી છે. ઉમેદવારોને વધુ એક ભરતીમાં તક આપવાની રજૂઆત કરવામાં આવી છે. રાજ્યભરમાંથી 2018-19ના TAT પાસ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા છે અને સ્વર્ણિમ સંકૂલ ખાતે વિરોધ કરી રહ્યા છે. આજે ઉમેદવારો દ્વારા ઉગ્ર નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે   



"ભણશે ગુજરાત પણ ભણાવશે કોણ?"


ત્યાં આવેલા ઉમેદવારો પૈકી એક ઉમેદવારે કહ્યું કે " અમે અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છીએ કે એકવાર અમારી TAT પાસની ધોરણ 9થી 12 સુધીની ભરતી બહાર પાડો અને અમને એકવાર ચાન્સ આપો. અમે છેલ્લા દોઢ વર્ષથી ભરતીની રજૂઆત કરી રહ્યા છીએ. જીતુભાઈ વાઘાણી જ્યારે શિક્ષણ મંત્રી હતા, ત્યારે અમે ઘણીવાર રજૂઆત કરી હતી કે ધોરણ 9થી 12ની ભરતી બહાર પાડો. જે બાદ જીતુ વાઘાણીએ અમને આશ્વાસન આપ્યું હતું કે જૂન મહિનામાં તમારી ભરતી અમે બહાર પાડશું.પણ એ બધી વાતો હતી હજુ ભરતી કરી નથી અમે ઓછામાં ઓછા 52 વખત અરજીઓ કરી છે પણ કઈ જવાબ નથી અત્યારે શાળામાં પ્રવાસી શિક્ષકની ભરતી કરવામાં આવે છે તો અમારી કેમ નઇ ગુજરાત સરકાર કહે છે કે ભણશે ગુજરાત પણ ભણાવશે કોણ?




અમે શિક્ષક બનવાના છીએ અમને આવો આંદોલનનો માર્ગના શોભે!

ઉમેદવારોએ કહ્યું કે" અમે અનેક વાર રજૂઆત કરી અમને જવાબ નથી મળતો અમે શિક્ષક બનવાના છીએ અમને આવો આંદોલનનો માર્ગના શોભે અમારે બાળકને ભણાવવાનું છે. છતાં પણ અમારે અમારા હક માટે આવું કરવું પડી રહ્યું છે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમને એક ચાન્સ આપો.








રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .