2018-19ના TAT પાસ ઉમેદવારો ઉગ્ર આંદોલનના માર્ગે, સરકાર કહે છે "ભણશે ગુજરાત પણ ભણાવશે કોણ?"


  • Published By : Payal rathod
  • Published Date : 2023-05-29 18:20:24


ગાંધીનગરમાં ફરી આંદોલન શરૂ થઈ ગયા છે . ગુજરાતભરમાંથી TAT પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે પહોંચ્યા છે. 2018-19ના TAT પાસ ઉમેદવારો દ્વારા ગાંધીનગર ખાતે વિરોધ કરવામાં આવવી રહ્યો છે, તેઓ પોતાની પડતર માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે.


કયા કારણોથી ઉમેદવારોને આંદોલન કરવું પડ્યું?

ગાંધીનગર સ્વર્ણિમ સંકૂલ પાસે 2018-19ના TAT પાસ ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. TAT પાસ ઉમેદવારોને વેલેડિટી પ્રમાણે બાકી રહેલું એક વર્ષ આપવા રજૂઆત કરી છે. ઉમેદવારોને વધુ એક ભરતીમાં તક આપવાની રજૂઆત કરવામાં આવી છે. રાજ્યભરમાંથી 2018-19ના TAT પાસ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા છે અને સ્વર્ણિમ સંકૂલ ખાતે વિરોધ કરી રહ્યા છે. આજે ઉમેદવારો દ્વારા ઉગ્ર નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે   



"ભણશે ગુજરાત પણ ભણાવશે કોણ?"


ત્યાં આવેલા ઉમેદવારો પૈકી એક ઉમેદવારે કહ્યું કે " અમે અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છીએ કે એકવાર અમારી TAT પાસની ધોરણ 9થી 12 સુધીની ભરતી બહાર પાડો અને અમને એકવાર ચાન્સ આપો. અમે છેલ્લા દોઢ વર્ષથી ભરતીની રજૂઆત કરી રહ્યા છીએ. જીતુભાઈ વાઘાણી જ્યારે શિક્ષણ મંત્રી હતા, ત્યારે અમે ઘણીવાર રજૂઆત કરી હતી કે ધોરણ 9થી 12ની ભરતી બહાર પાડો. જે બાદ જીતુ વાઘાણીએ અમને આશ્વાસન આપ્યું હતું કે જૂન મહિનામાં તમારી ભરતી અમે બહાર પાડશું.પણ એ બધી વાતો હતી હજુ ભરતી કરી નથી અમે ઓછામાં ઓછા 52 વખત અરજીઓ કરી છે પણ કઈ જવાબ નથી અત્યારે શાળામાં પ્રવાસી શિક્ષકની ભરતી કરવામાં આવે છે તો અમારી કેમ નઇ ગુજરાત સરકાર કહે છે કે ભણશે ગુજરાત પણ ભણાવશે કોણ?




અમે શિક્ષક બનવાના છીએ અમને આવો આંદોલનનો માર્ગના શોભે!

ઉમેદવારોએ કહ્યું કે" અમે અનેક વાર રજૂઆત કરી અમને જવાબ નથી મળતો અમે શિક્ષક બનવાના છીએ અમને આવો આંદોલનનો માર્ગના શોભે અમારે બાળકને ભણાવવાનું છે. છતાં પણ અમારે અમારા હક માટે આવું કરવું પડી રહ્યું છે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમને એક ચાન્સ આપો.








ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.