કાર્યક્રમ દરમિયાન Nitin Gadkariએ શા માટે કહ્યું - વોટ આપવો હોય તો આપો, પરંતુ... જાણો ચૂંટણી પ્રચારને લઈ શું કહ્યું તેમણે?


  • Published By :
  • Published Date : 2023-09-30 16:26:07

2024માં લોકસભાની ચૂંટણી આવવાની છે. લોકસભાની ચૂંટણી પહેલા અનેક રાજ્યોમાં વિધાનસભની ચૂંટણી આવી રહી છે. નેતાઓ, કેન્દ્રીય મંત્રી સહિત પીએમ મોદી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. એક તરફ ચૂંટણીના ભણકારા ટૂંક સમયમાં વાગવાના છે. ચૂંટણી પ્રચારનો દોર પોતાના અંતિમ ચરણ પર પહોંચી જશે. આ બધા વચ્ચે કેન્દ્રીય રોડ મંત્રી નિતીન ગડકરીએ એક નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન નિતીન ગડકરીએ કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીમાં પોતાના સંસદીય ક્ષેત્રમાં તે ના તો પોસ્ટર લગાવશે ન તો બેનર લગાવશે. જેને વોટ આપવો હશે તે એમ-નેમ આપી દેશે.

પ્રચાર દરમિયાન નહીં કરે પોસ્ટર તેમજ બેનરનો ઉપયોગ

29 સપ્ટેમ્બરના રોજ નીતિન ગડકરી મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં પહોંચ્યા હતા. ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ શરૂ કરવા. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 3695 કરોડ છે. આ કાર્યક્રમમાં હાજરી આપતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, 'મેં આ લોકસભા ચૂંટણીમાં બેનરો અને પોસ્ટર નહીં લગાવવાનો નિર્ણય કર્યો છે. ચા-પાણી પણ નહીં આપે, વોટ આપવો હોય તો આપો... નહીં તો વોટ ન આપો. તમને સામાન અને પાણી પણ નહીં મળે. લક્ષ્મીના દર્શન થશે નહીં. ન તો સ્થાનિક કે વિદેશી મળી આવશે. હું તને પૈસા ખાઈશ નહીં અને ખાવા દઈશ નહીં, પણ ઈમાનદારીથી તમારી સેવા કરીશ. મહત્વનું છે કે નાગપુર સીટથી નીતિન ગડકરી સાંસદ છે. આ સીટ પર પહેલા કોંગ્રેસનો દબદબો હતો પરંતુ હવે આ સીટ ભાજપ પાસે છે. 


મતદારો સમજદાર થઈ ગયા છે - નીતિન ગડકરી 

વધુમાં તેમણે કહ્યું કે આજકાલ મતદારો ખૂબ જ સમજદાર બની ગયા છે. તે તમામ ઉમેદવારોને ટેકો આપે છે પરંતુ તે જેને યોગ્ય ઉમેદવાર માને છે તેને મત આપે છે. લોકો વિચારે છે કે તેઓ પોસ્ટર લગાવીને અને કેટલાક પ્રલોભનો આપીને ચૂંટણી જીતે છે પરંતુ હું આ વ્યૂહરચના પર વિશ્વાસ કરતો નથી.એકવાર મેં પણ આ વ્યૂહરચના અપનાવી અને મતદારોને એક કિલો મટન વહેંચ્યું પણ હું ચૂંટણી હારી ગયો. 





રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .