ચૂંટણીમાં મતદાન કરવા વિશ્વ હિન્દુ પરિષદનું પત્રક કેમ થઈ વાયરલ?


  • Published By :
  • Published Date : 2022-11-26 15:31:21

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, હમણા તો પ્રચાર પડઘમ પણ શાંત થઈ જશે. રાજકીય પક્ષો પોતાના પક્ષમાં મતદાન કરવા અપીલ કરી રહ્યું છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુઓના હિતમાં મતદાન કરવા પ્રચાર કરી રહ્યું છે. જે પત્રના મારફતે તેઓ પ્રચાર કરી રહ્યા છે તે વાયરલ થઈ રહ્યું છે. 


હિન્દુ હિત કી બાત કરેગા વહી દેશ મેં રાજ કરેગા- VHP 

આ પત્રકની અંદર લખવામાં આવ્યું છે કે, "આઓ સૌ મળીને હિન્દુ હિતમાં મતદાન કરીએ." આક્રાંતાઓના ઈતિહાસથી આ પત્રની શરૂઆત થાય છે ત્યાર બાદ આજની પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિનો તફાવત દર્શાવવામાં આવ્યો છે. અત્યારના કેન્દ્ર સરકારના કામોની આ પત્રની અંદર વાતો કરવામાં આવી છે. પત્રમાં લખવામાં આવ્યું કે "હિન્દુ વિરોધી એક થયા હોય ત્યારે હિન્દુઓ આપણી સામૂહિક જવાબદારી પણ બતાવવી પડશે." 


VHP: विश्व हिंदू परिषद ने कई प्रांतों के अध्यक्ष बदले - Vishwa Hindu  Parishad changed presidents of many provinces

ઈતિહાસમાં ભારતને સોને કી ચીડિયા કહેવામાં આવ્યું હતું, ત્યારબાદ જે ઘટનાઓ થઈ તેનાથી સૌ પરિચિત છે. વિશ્વ હિન્દુ તે ઘટનાઓના ડર બનાવી તેના જોરે વિશ્વ હિન્દુ પરિષદ અત્યારે હિન્દુઓને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. માનવ જીવનમાં પાયાની જરૂરીયાતો અતિ આવશ્યક હોય છે. લોકોમાં શિક્ષણ આવતા તેઓ પોતાના અધિકાર અને જરૂર વિશે સમજવા લાગ્યા છે. માણસ પાસેથી ભય નામના વિકારથી ગમે તે કરાવી શકાય છે, અત્યારે આ પત્રક મારફતે તેવું કરવામાં આવી રહ્યું છે તેવું દેખાઈ રહ્યું છે. ચૂંટણી આવે ત્યારે ધર્મના નામે ઘણી વસ્તુઓ થાય છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ ધર્મના નામે આ પત્ર મારફતે જે પ્રચાર કરી રહ્યા છે તેનાથી કેટલા લોકો તેમના તરફ વળશે કે કેટલા લોકો પાયાની જરૂરિયાતો જોઈ તરફ વળશે તે જોવાનું રહેશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.