ચૂંટણીમાં મતદાન કરવા વિશ્વ હિન્દુ પરિષદનું પત્રક કેમ થઈ વાયરલ?


  • Published By :
  • Published Date : 2022-11-26 15:31:21

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, હમણા તો પ્રચાર પડઘમ પણ શાંત થઈ જશે. રાજકીય પક્ષો પોતાના પક્ષમાં મતદાન કરવા અપીલ કરી રહ્યું છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુઓના હિતમાં મતદાન કરવા પ્રચાર કરી રહ્યું છે. જે પત્રના મારફતે તેઓ પ્રચાર કરી રહ્યા છે તે વાયરલ થઈ રહ્યું છે. 


હિન્દુ હિત કી બાત કરેગા વહી દેશ મેં રાજ કરેગા- VHP 

આ પત્રકની અંદર લખવામાં આવ્યું છે કે, "આઓ સૌ મળીને હિન્દુ હિતમાં મતદાન કરીએ." આક્રાંતાઓના ઈતિહાસથી આ પત્રની શરૂઆત થાય છે ત્યાર બાદ આજની પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિનો તફાવત દર્શાવવામાં આવ્યો છે. અત્યારના કેન્દ્ર સરકારના કામોની આ પત્રની અંદર વાતો કરવામાં આવી છે. પત્રમાં લખવામાં આવ્યું કે "હિન્દુ વિરોધી એક થયા હોય ત્યારે હિન્દુઓ આપણી સામૂહિક જવાબદારી પણ બતાવવી પડશે." 


VHP: विश्व हिंदू परिषद ने कई प्रांतों के अध्यक्ष बदले - Vishwa Hindu  Parishad changed presidents of many provinces

ઈતિહાસમાં ભારતને સોને કી ચીડિયા કહેવામાં આવ્યું હતું, ત્યારબાદ જે ઘટનાઓ થઈ તેનાથી સૌ પરિચિત છે. વિશ્વ હિન્દુ તે ઘટનાઓના ડર બનાવી તેના જોરે વિશ્વ હિન્દુ પરિષદ અત્યારે હિન્દુઓને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. માનવ જીવનમાં પાયાની જરૂરીયાતો અતિ આવશ્યક હોય છે. લોકોમાં શિક્ષણ આવતા તેઓ પોતાના અધિકાર અને જરૂર વિશે સમજવા લાગ્યા છે. માણસ પાસેથી ભય નામના વિકારથી ગમે તે કરાવી શકાય છે, અત્યારે આ પત્રક મારફતે તેવું કરવામાં આવી રહ્યું છે તેવું દેખાઈ રહ્યું છે. ચૂંટણી આવે ત્યારે ધર્મના નામે ઘણી વસ્તુઓ થાય છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ ધર્મના નામે આ પત્ર મારફતે જે પ્રચાર કરી રહ્યા છે તેનાથી કેટલા લોકો તેમના તરફ વળશે કે કેટલા લોકો પાયાની જરૂરિયાતો જોઈ તરફ વળશે તે જોવાનું રહેશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.