ચૂંટણીમાં મતદાન કરવા વિશ્વ હિન્દુ પરિષદનું પત્રક કેમ થઈ વાયરલ?


  • Published By :
  • Published Date : 2022-11-26 15:31:21

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, હમણા તો પ્રચાર પડઘમ પણ શાંત થઈ જશે. રાજકીય પક્ષો પોતાના પક્ષમાં મતદાન કરવા અપીલ કરી રહ્યું છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુઓના હિતમાં મતદાન કરવા પ્રચાર કરી રહ્યું છે. જે પત્રના મારફતે તેઓ પ્રચાર કરી રહ્યા છે તે વાયરલ થઈ રહ્યું છે. 


હિન્દુ હિત કી બાત કરેગા વહી દેશ મેં રાજ કરેગા- VHP 

આ પત્રકની અંદર લખવામાં આવ્યું છે કે, "આઓ સૌ મળીને હિન્દુ હિતમાં મતદાન કરીએ." આક્રાંતાઓના ઈતિહાસથી આ પત્રની શરૂઆત થાય છે ત્યાર બાદ આજની પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિનો તફાવત દર્શાવવામાં આવ્યો છે. અત્યારના કેન્દ્ર સરકારના કામોની આ પત્રની અંદર વાતો કરવામાં આવી છે. પત્રમાં લખવામાં આવ્યું કે "હિન્દુ વિરોધી એક થયા હોય ત્યારે હિન્દુઓ આપણી સામૂહિક જવાબદારી પણ બતાવવી પડશે." 


VHP: विश्व हिंदू परिषद ने कई प्रांतों के अध्यक्ष बदले - Vishwa Hindu  Parishad changed presidents of many provinces

ઈતિહાસમાં ભારતને સોને કી ચીડિયા કહેવામાં આવ્યું હતું, ત્યારબાદ જે ઘટનાઓ થઈ તેનાથી સૌ પરિચિત છે. વિશ્વ હિન્દુ તે ઘટનાઓના ડર બનાવી તેના જોરે વિશ્વ હિન્દુ પરિષદ અત્યારે હિન્દુઓને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. માનવ જીવનમાં પાયાની જરૂરીયાતો અતિ આવશ્યક હોય છે. લોકોમાં શિક્ષણ આવતા તેઓ પોતાના અધિકાર અને જરૂર વિશે સમજવા લાગ્યા છે. માણસ પાસેથી ભય નામના વિકારથી ગમે તે કરાવી શકાય છે, અત્યારે આ પત્રક મારફતે તેવું કરવામાં આવી રહ્યું છે તેવું દેખાઈ રહ્યું છે. ચૂંટણી આવે ત્યારે ધર્મના નામે ઘણી વસ્તુઓ થાય છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ ધર્મના નામે આ પત્ર મારફતે જે પ્રચાર કરી રહ્યા છે તેનાથી કેટલા લોકો તેમના તરફ વળશે કે કેટલા લોકો પાયાની જરૂરિયાતો જોઈ તરફ વળશે તે જોવાનું રહેશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.