દિવાળીના દિવસો દરમિયાન શા માટે કરવામાં આવે છે ઘરમાં દીવા અને રંગોળી , જાણો આ અહેવાલમાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 14:17:02

દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે. દિવાળીના દિવસો દરમિયાન ઘરના ઉંબરે તેમજ ઘરના આંગણામાં દિવાઓ તેમજ રંગોળી કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો શા માટે દિપ અને રંગોળી કરવામાં આવે છે. ત્યારે આવો જાણીએ શા માટે દિવાળી દરમિયાન પ્રગટાવવામાં આવે છે દિવા અને કેમ કરવામાં આવે છે રંગોળી.    

શા માટે દિવાળીને કહેવામાં આવે છે દિપાવલી? 

દિવાળીના તહેવારના થોડા દિવસો પહેલાથી ઘરના આંગળામાં દિવડા પ્રગટાવવામાં આવતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે દિવાળીને દિપાવલી તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવાળી અને દિવડાઓ વચ્ચે વિશેષ નાતો હોય છે. સામાન્ય રીતે પણ ઘરમાં દિવો પ્રગટાવવામાં આવે છે પરંતુ દિવાળીના તહેવારો દરમિયાન તેનું મહત્વ વધી જતું હોય છે. દિપોત્સવ દરમિયાન ઘર આંગણે દીવા ભૂલ્યા વગર કરવામાં આવે છે.

Diwali Diya: Vastu Tips for Lighting Diyas

શું છે દીવા કરવા પાછળનું કારણ?  

એવું માનવામાં આવે છે કે ચૌદ વર્ષનો વનવાસ સમાપ્ત કરીને ભગવાન રામ જ્યારે અયોધ્યા પાછા ફર્યા હતા ત્યારે તે ખુશીમાં અયોધ્યાવાસીઓ એ ઘરમાં દિવા પ્રગટાવી તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારથી દિવાળીના દિવસો દરમિયાન દિવડાઓ પ્રગટાવવામાં આવે છે. અયોધ્યા ખાતે પણ આ વખતે ભવ્ય દિપોત્સવ કરવામાં આવવાનો છે. દિવાળીના તહેવારમાં દિવડાની સાથે સાથે રંગોળી પણ ઉત્સાહ વધારવાનું કામ કરે છે.   

Shri Ram Mandir, Ayodhya - जय जय श्री राम | Facebook

શું છે રંગોળીનું મહત્વ?

તહેવાર હોય કે જીવન રંગોનું વિશેષ મહત્વ રહેલું છે. હોળીના રંગ અને રંગોળીના રંગ બંને રંગ આપણા તહેવારને રંગીન તેમજ જીવંત બનાવી દેતા હોય છે. કોઈ પણ શુભ પ્રસંગે સમયે રંગોળી બનાવવામાં આવતી હોય છે. ઘરના ચોકમાં, પ્રવેશ દ્વાર પર તેમજ મંદિરમાં લોકો રંગોળી કરતા હોય છે. ત્યારે દિવાળી સમયે રંગોળીનું મહત્વ ખૂબ વધી જતું હોય છે. એવું માનવામાં આવે છે કે ઘર આંગણે રંગોળી કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ તેમજ લક્ષ્મીનો વાસ થાય છે. રંગોળીને રંગાવલી તરીકે પણ ઓળખવામાં આવે છે. દેશના વિવિધ રાજ્યોમાં આ અલગ અલગ નામોથી ઓળખાય છે.

Top 10 Simple and Small Rangoli Designs

how to make peacock rangoli designs for diwali 2022 - Peacock Rangoli  Design: दिवाली की रंगोली में खूबसूरत लगता है मोर, देखें पीकॉक रंगोली के  लेटेस्ट डिजाइन

સમયની સાથે બદલાતી રહી છે રંગોળીની ડિઝાઈન  

રંગોના ઉપયોગથી પોતાના કલાની અભિવ્યકિત કરવી એ છે રંગોળી. રંગોળીમાં વપરાતા રંગોનું વિશેષ મહત્વ રહેલું હોય છે. રંગો ભલે સામાન્ય લાગતા હોય પરંતુ તેના દ્વારા થતા ફાયદા અનેક છે. કહેવામાં આવે છે કે દરેક રંગનું પોતાનું વિશેષ મહત્વ રહેલું હોય છે. દરેક રંગના પોતાના વાયબ્રેશન હોય છે. રંગોના તરંગોથી પોઝિટિવ એનર્જીનો ઘરમાં પ્રવેશ થતો હોય છે. રંગોળીમાં સ્વસ્તિક, દેવી દેવતાની પ્રતિમા તેમજ અવનવી ડિઝાન કરી પોતાની કલા પ્રસ્તૃત કરતા હોય છે. ઘણા લોકો ફૂલની રંગોળી પણ કરતા હોય છે. રંગોળી કરવાથી સકારાત્મક એનર્જીનો સંચાર થાય છે. સમયમાં પરિવર્તન આવતા રંગોળીની ડિઝાઈનનોમાં પરિવર્તન આવ્યું છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે