દિવાળીના દિવસો દરમિયાન શા માટે કરવામાં આવે છે ઘરમાં દીવા અને રંગોળી , જાણો આ અહેવાલમાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 14:17:02

દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે. દિવાળીના દિવસો દરમિયાન ઘરના ઉંબરે તેમજ ઘરના આંગણામાં દિવાઓ તેમજ રંગોળી કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો શા માટે દિપ અને રંગોળી કરવામાં આવે છે. ત્યારે આવો જાણીએ શા માટે દિવાળી દરમિયાન પ્રગટાવવામાં આવે છે દિવા અને કેમ કરવામાં આવે છે રંગોળી.    

શા માટે દિવાળીને કહેવામાં આવે છે દિપાવલી? 

દિવાળીના તહેવારના થોડા દિવસો પહેલાથી ઘરના આંગળામાં દિવડા પ્રગટાવવામાં આવતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે દિવાળીને દિપાવલી તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવાળી અને દિવડાઓ વચ્ચે વિશેષ નાતો હોય છે. સામાન્ય રીતે પણ ઘરમાં દિવો પ્રગટાવવામાં આવે છે પરંતુ દિવાળીના તહેવારો દરમિયાન તેનું મહત્વ વધી જતું હોય છે. દિપોત્સવ દરમિયાન ઘર આંગણે દીવા ભૂલ્યા વગર કરવામાં આવે છે.

Diwali Diya: Vastu Tips for Lighting Diyas

શું છે દીવા કરવા પાછળનું કારણ?  

એવું માનવામાં આવે છે કે ચૌદ વર્ષનો વનવાસ સમાપ્ત કરીને ભગવાન રામ જ્યારે અયોધ્યા પાછા ફર્યા હતા ત્યારે તે ખુશીમાં અયોધ્યાવાસીઓ એ ઘરમાં દિવા પ્રગટાવી તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારથી દિવાળીના દિવસો દરમિયાન દિવડાઓ પ્રગટાવવામાં આવે છે. અયોધ્યા ખાતે પણ આ વખતે ભવ્ય દિપોત્સવ કરવામાં આવવાનો છે. દિવાળીના તહેવારમાં દિવડાની સાથે સાથે રંગોળી પણ ઉત્સાહ વધારવાનું કામ કરે છે.   

Shri Ram Mandir, Ayodhya - जय जय श्री राम | Facebook

શું છે રંગોળીનું મહત્વ?

તહેવાર હોય કે જીવન રંગોનું વિશેષ મહત્વ રહેલું છે. હોળીના રંગ અને રંગોળીના રંગ બંને રંગ આપણા તહેવારને રંગીન તેમજ જીવંત બનાવી દેતા હોય છે. કોઈ પણ શુભ પ્રસંગે સમયે રંગોળી બનાવવામાં આવતી હોય છે. ઘરના ચોકમાં, પ્રવેશ દ્વાર પર તેમજ મંદિરમાં લોકો રંગોળી કરતા હોય છે. ત્યારે દિવાળી સમયે રંગોળીનું મહત્વ ખૂબ વધી જતું હોય છે. એવું માનવામાં આવે છે કે ઘર આંગણે રંગોળી કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ તેમજ લક્ષ્મીનો વાસ થાય છે. રંગોળીને રંગાવલી તરીકે પણ ઓળખવામાં આવે છે. દેશના વિવિધ રાજ્યોમાં આ અલગ અલગ નામોથી ઓળખાય છે.

Top 10 Simple and Small Rangoli Designs

how to make peacock rangoli designs for diwali 2022 - Peacock Rangoli  Design: दिवाली की रंगोली में खूबसूरत लगता है मोर, देखें पीकॉक रंगोली के  लेटेस्ट डिजाइन

સમયની સાથે બદલાતી રહી છે રંગોળીની ડિઝાઈન  

રંગોના ઉપયોગથી પોતાના કલાની અભિવ્યકિત કરવી એ છે રંગોળી. રંગોળીમાં વપરાતા રંગોનું વિશેષ મહત્વ રહેલું હોય છે. રંગો ભલે સામાન્ય લાગતા હોય પરંતુ તેના દ્વારા થતા ફાયદા અનેક છે. કહેવામાં આવે છે કે દરેક રંગનું પોતાનું વિશેષ મહત્વ રહેલું હોય છે. દરેક રંગના પોતાના વાયબ્રેશન હોય છે. રંગોના તરંગોથી પોઝિટિવ એનર્જીનો ઘરમાં પ્રવેશ થતો હોય છે. રંગોળીમાં સ્વસ્તિક, દેવી દેવતાની પ્રતિમા તેમજ અવનવી ડિઝાન કરી પોતાની કલા પ્રસ્તૃત કરતા હોય છે. ઘણા લોકો ફૂલની રંગોળી પણ કરતા હોય છે. રંગોળી કરવાથી સકારાત્મક એનર્જીનો સંચાર થાય છે. સમયમાં પરિવર્તન આવતા રંગોળીની ડિઝાઈનનોમાં પરિવર્તન આવ્યું છે. 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.