Chhe ne Jordar Vaatમાં સમજો આ કારણથી વાદળ ઘેરાય ત્યારે જૂનો દુખાવો ફરી શરૂ થઈ જાય છે


  • Published By :
  • Published Date : 2023-05-30 15:18:02

Chhe ne Jordar Vaat 

Samir Parmar


તમે ઘણીવાર સાંભળ્યું હશે કે જ્યારે વાદળ ઘેરાય ત્યારે એક સમસ્યા જોવા મળે છે. લોકો કહેવા લાગે છે કે મને દુખાવો થઈ રહ્યો છે. કોઈને પગ દુખે છે, કોઈને એલર્જી થવા લાગે છે, હાથ-પગ દુખવા લાગે છે, કોઈને સાંધાનો દુખાવો ચાલુ થઈ જાય છે, કોઈને લાગેલી જગ્યા પર દુખવા લાગે છે. આ વાત એ સમયની થઈ રહી છે જ્યારે વરસાદ આવ્યો હોતો નથી અને આકાશ વાદળથી ઘેરાય જાય છે.


તમને આવું કંઈ થયું છે કે કેમ? ચાલો આજે જાણીએ આવું શા માટે થાય છે? 

For California, El Niño's Dark Clouds Could Mean Rain but Also Trouble -  The New York Times

તમે જો જૂની લડાઈની કોઈ ફિલ્મ જુઓ તો સાંભળ્યું હશે કે વરસાદ થાય તેના પહેલા યુદ્ધ કરવાની ના પાડી દેવાય છે. આ ના એટલા માટે પાડી દેવામાં આવતી હતી કારણ કે જેમને દુખાવો હોય તેમને વાદળ ઘેરાય તો દુખાવો વધી જાય છે. આપણે ત્યાં ટીટોળી ઈંડા મૂકે તેના પરથી વરસાદનો અંદાજો લગાવી લેવાય છે કે જો ચારથી વધુ ઈંડા મૂકે તો સારો વરસાદ થશે અને સમયસર વરસાદ થશે, જો ઊંચાઈ પર મૂકે તો ધોધમાર વરસાદ થાય છે, વૈશાખમાં ઈંડા મૂકે તો ચોમાસુ વહેલું બેસી જાય છે એવું બધું સાંભળ્યું છે પણ એવું નહીં સાંભળ્યું હોય કે હાથ પગના દુખાવાથી અંદાજો લગાવી લેવાતો હતો કે વરસાદ થવાનો છે. પહેલા એવું થતું કે જો હાથ પગ દુખે તો વરસાદ આવશે તેવું માની લેવાતું હતું. પણ હવામાં તો કોઈ વાત મનાય નહીં કારણ કે આ દુનિયામાં વિજ્ઞાન પણ છે. જે બધી ઘટનાઓ પર વાત કરીએ તો વરસાદ આવતા પહેલા વાતાવરણમાં ભેજ આવવા લાગે છે. જેના કારણે સ્નાયુઓ અકળાઈ જાય છે. સામાન્ય માણસને આ પ્રકારની ઘટનાથી કંઈ ફેર નથી પડતો પણ જેને જૂની બીમારીઓ હોય છે તેને આવું થાય છે. બીજી વસ્તુ કામ કરે છે તે છે ચુંબકીય ઘટના. વાદળા પોતાની અંદર પાણીને ભરી રાખે છે. વાતાવરણમાં આ ઘટનાના કારણે મેગનેટિક ઈફેક્ટ થાય છે. તો તેના કારણે ખેંચાણ થાય છે. તો તેની અસર માણસના શરીરમાં પણ થાય છે. જેને સમસ્યા હોય તેને અહીં અસર થાય છે. તેમના શરીરના પ્રવાહી પદાર્થો વહેવાનું શરૂ કરી દે છે. ટૂંકમાં બેરોમેટ્રિક દબાવ, તાપમાન, ભેજ આ બધી ઘટના પાછળ જવાબદાર છે. આ બધી  ઘટનાઓના કારણે શરીરમાં દુખાવો અને ગેસ બનવાનું શરૂ થઈ જાય છે. 

Rain-bearing clouds thinning over India

જો તમને સાંધાનો દુખાવો હોય અને વાદળ આવતા સમયે દુખાવોથવા લાગે તો દહીં, મિઠાઈ, ચાવલ, અચાર, ટમેટા, કેચપ, રિંગણા, ખાટા ઠંડા પીણા વગેરે ન ખાવા જોઈએ. તો આ બધુ ન ખાવાય તો ખવાય શું? ચાલો તેની પણ વાત કરી લઈએ. આદુ, મધનું પાણી લેવાથી સોજા કે દુખાવો ઓછો થાય છે. આદુને ખાંડી પાણીમાં ભેળવો તેને ગરમ કરો પછી મધ નાખો અને પછી થોડું હલકું ગરમ કરો અને પી જાવ જેનાથી ફરક પડે છે. લસણ પણ ખાઈ શકાય કારણ કે તે એન્ટી ઈન્ફ્લેમેટરી હોય છે. હળદળવાળું દૂધ પણ પી શકાય. આવું કરવાથી માંસપેશીમાં રાહત રહે છે. 










રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.