Chhe ne Jordar Vaatમાં સમજો આ કારણથી વાદળ ઘેરાય ત્યારે જૂનો દુખાવો ફરી શરૂ થઈ જાય છે


  • Published By :
  • Published Date : 2023-05-30 15:18:02

Chhe ne Jordar Vaat 

Samir Parmar


તમે ઘણીવાર સાંભળ્યું હશે કે જ્યારે વાદળ ઘેરાય ત્યારે એક સમસ્યા જોવા મળે છે. લોકો કહેવા લાગે છે કે મને દુખાવો થઈ રહ્યો છે. કોઈને પગ દુખે છે, કોઈને એલર્જી થવા લાગે છે, હાથ-પગ દુખવા લાગે છે, કોઈને સાંધાનો દુખાવો ચાલુ થઈ જાય છે, કોઈને લાગેલી જગ્યા પર દુખવા લાગે છે. આ વાત એ સમયની થઈ રહી છે જ્યારે વરસાદ આવ્યો હોતો નથી અને આકાશ વાદળથી ઘેરાય જાય છે.


તમને આવું કંઈ થયું છે કે કેમ? ચાલો આજે જાણીએ આવું શા માટે થાય છે? 

For California, El Niño's Dark Clouds Could Mean Rain but Also Trouble -  The New York Times

તમે જો જૂની લડાઈની કોઈ ફિલ્મ જુઓ તો સાંભળ્યું હશે કે વરસાદ થાય તેના પહેલા યુદ્ધ કરવાની ના પાડી દેવાય છે. આ ના એટલા માટે પાડી દેવામાં આવતી હતી કારણ કે જેમને દુખાવો હોય તેમને વાદળ ઘેરાય તો દુખાવો વધી જાય છે. આપણે ત્યાં ટીટોળી ઈંડા મૂકે તેના પરથી વરસાદનો અંદાજો લગાવી લેવાય છે કે જો ચારથી વધુ ઈંડા મૂકે તો સારો વરસાદ થશે અને સમયસર વરસાદ થશે, જો ઊંચાઈ પર મૂકે તો ધોધમાર વરસાદ થાય છે, વૈશાખમાં ઈંડા મૂકે તો ચોમાસુ વહેલું બેસી જાય છે એવું બધું સાંભળ્યું છે પણ એવું નહીં સાંભળ્યું હોય કે હાથ પગના દુખાવાથી અંદાજો લગાવી લેવાતો હતો કે વરસાદ થવાનો છે. પહેલા એવું થતું કે જો હાથ પગ દુખે તો વરસાદ આવશે તેવું માની લેવાતું હતું. પણ હવામાં તો કોઈ વાત મનાય નહીં કારણ કે આ દુનિયામાં વિજ્ઞાન પણ છે. જે બધી ઘટનાઓ પર વાત કરીએ તો વરસાદ આવતા પહેલા વાતાવરણમાં ભેજ આવવા લાગે છે. જેના કારણે સ્નાયુઓ અકળાઈ જાય છે. સામાન્ય માણસને આ પ્રકારની ઘટનાથી કંઈ ફેર નથી પડતો પણ જેને જૂની બીમારીઓ હોય છે તેને આવું થાય છે. બીજી વસ્તુ કામ કરે છે તે છે ચુંબકીય ઘટના. વાદળા પોતાની અંદર પાણીને ભરી રાખે છે. વાતાવરણમાં આ ઘટનાના કારણે મેગનેટિક ઈફેક્ટ થાય છે. તો તેના કારણે ખેંચાણ થાય છે. તો તેની અસર માણસના શરીરમાં પણ થાય છે. જેને સમસ્યા હોય તેને અહીં અસર થાય છે. તેમના શરીરના પ્રવાહી પદાર્થો વહેવાનું શરૂ કરી દે છે. ટૂંકમાં બેરોમેટ્રિક દબાવ, તાપમાન, ભેજ આ બધી ઘટના પાછળ જવાબદાર છે. આ બધી  ઘટનાઓના કારણે શરીરમાં દુખાવો અને ગેસ બનવાનું શરૂ થઈ જાય છે. 

Rain-bearing clouds thinning over India

જો તમને સાંધાનો દુખાવો હોય અને વાદળ આવતા સમયે દુખાવોથવા લાગે તો દહીં, મિઠાઈ, ચાવલ, અચાર, ટમેટા, કેચપ, રિંગણા, ખાટા ઠંડા પીણા વગેરે ન ખાવા જોઈએ. તો આ બધુ ન ખાવાય તો ખવાય શું? ચાલો તેની પણ વાત કરી લઈએ. આદુ, મધનું પાણી લેવાથી સોજા કે દુખાવો ઓછો થાય છે. આદુને ખાંડી પાણીમાં ભેળવો તેને ગરમ કરો પછી મધ નાખો અને પછી થોડું હલકું ગરમ કરો અને પી જાવ જેનાથી ફરક પડે છે. લસણ પણ ખાઈ શકાય કારણ કે તે એન્ટી ઈન્ફ્લેમેટરી હોય છે. હળદળવાળું દૂધ પણ પી શકાય. આવું કરવાથી માંસપેશીમાં રાહત રહે છે. 










અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.