Chhe ne Jordar Vaatમાં સમજો આ કારણથી વાદળ ઘેરાય ત્યારે જૂનો દુખાવો ફરી શરૂ થઈ જાય છે


  • Published By :
  • Published Date : 2023-05-30 15:18:02

Chhe ne Jordar Vaat 

Samir Parmar


તમે ઘણીવાર સાંભળ્યું હશે કે જ્યારે વાદળ ઘેરાય ત્યારે એક સમસ્યા જોવા મળે છે. લોકો કહેવા લાગે છે કે મને દુખાવો થઈ રહ્યો છે. કોઈને પગ દુખે છે, કોઈને એલર્જી થવા લાગે છે, હાથ-પગ દુખવા લાગે છે, કોઈને સાંધાનો દુખાવો ચાલુ થઈ જાય છે, કોઈને લાગેલી જગ્યા પર દુખવા લાગે છે. આ વાત એ સમયની થઈ રહી છે જ્યારે વરસાદ આવ્યો હોતો નથી અને આકાશ વાદળથી ઘેરાય જાય છે.


તમને આવું કંઈ થયું છે કે કેમ? ચાલો આજે જાણીએ આવું શા માટે થાય છે? 

For California, El Niño's Dark Clouds Could Mean Rain but Also Trouble -  The New York Times

તમે જો જૂની લડાઈની કોઈ ફિલ્મ જુઓ તો સાંભળ્યું હશે કે વરસાદ થાય તેના પહેલા યુદ્ધ કરવાની ના પાડી દેવાય છે. આ ના એટલા માટે પાડી દેવામાં આવતી હતી કારણ કે જેમને દુખાવો હોય તેમને વાદળ ઘેરાય તો દુખાવો વધી જાય છે. આપણે ત્યાં ટીટોળી ઈંડા મૂકે તેના પરથી વરસાદનો અંદાજો લગાવી લેવાય છે કે જો ચારથી વધુ ઈંડા મૂકે તો સારો વરસાદ થશે અને સમયસર વરસાદ થશે, જો ઊંચાઈ પર મૂકે તો ધોધમાર વરસાદ થાય છે, વૈશાખમાં ઈંડા મૂકે તો ચોમાસુ વહેલું બેસી જાય છે એવું બધું સાંભળ્યું છે પણ એવું નહીં સાંભળ્યું હોય કે હાથ પગના દુખાવાથી અંદાજો લગાવી લેવાતો હતો કે વરસાદ થવાનો છે. પહેલા એવું થતું કે જો હાથ પગ દુખે તો વરસાદ આવશે તેવું માની લેવાતું હતું. પણ હવામાં તો કોઈ વાત મનાય નહીં કારણ કે આ દુનિયામાં વિજ્ઞાન પણ છે. જે બધી ઘટનાઓ પર વાત કરીએ તો વરસાદ આવતા પહેલા વાતાવરણમાં ભેજ આવવા લાગે છે. જેના કારણે સ્નાયુઓ અકળાઈ જાય છે. સામાન્ય માણસને આ પ્રકારની ઘટનાથી કંઈ ફેર નથી પડતો પણ જેને જૂની બીમારીઓ હોય છે તેને આવું થાય છે. બીજી વસ્તુ કામ કરે છે તે છે ચુંબકીય ઘટના. વાદળા પોતાની અંદર પાણીને ભરી રાખે છે. વાતાવરણમાં આ ઘટનાના કારણે મેગનેટિક ઈફેક્ટ થાય છે. તો તેના કારણે ખેંચાણ થાય છે. તો તેની અસર માણસના શરીરમાં પણ થાય છે. જેને સમસ્યા હોય તેને અહીં અસર થાય છે. તેમના શરીરના પ્રવાહી પદાર્થો વહેવાનું શરૂ કરી દે છે. ટૂંકમાં બેરોમેટ્રિક દબાવ, તાપમાન, ભેજ આ બધી ઘટના પાછળ જવાબદાર છે. આ બધી  ઘટનાઓના કારણે શરીરમાં દુખાવો અને ગેસ બનવાનું શરૂ થઈ જાય છે. 

Rain-bearing clouds thinning over India

જો તમને સાંધાનો દુખાવો હોય અને વાદળ આવતા સમયે દુખાવોથવા લાગે તો દહીં, મિઠાઈ, ચાવલ, અચાર, ટમેટા, કેચપ, રિંગણા, ખાટા ઠંડા પીણા વગેરે ન ખાવા જોઈએ. તો આ બધુ ન ખાવાય તો ખવાય શું? ચાલો તેની પણ વાત કરી લઈએ. આદુ, મધનું પાણી લેવાથી સોજા કે દુખાવો ઓછો થાય છે. આદુને ખાંડી પાણીમાં ભેળવો તેને ગરમ કરો પછી મધ નાખો અને પછી થોડું હલકું ગરમ કરો અને પી જાવ જેનાથી ફરક પડે છે. લસણ પણ ખાઈ શકાય કારણ કે તે એન્ટી ઈન્ફ્લેમેટરી હોય છે. હળદળવાળું દૂધ પણ પી શકાય. આવું કરવાથી માંસપેશીમાં રાહત રહે છે. 










એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.