Chhe ne Jordar Vaatમાં સમજો આ કારણથી વાદળ ઘેરાય ત્યારે જૂનો દુખાવો ફરી શરૂ થઈ જાય છે


  • Published By :
  • Published Date : 2023-05-30 15:18:02

Chhe ne Jordar Vaat 

Samir Parmar


તમે ઘણીવાર સાંભળ્યું હશે કે જ્યારે વાદળ ઘેરાય ત્યારે એક સમસ્યા જોવા મળે છે. લોકો કહેવા લાગે છે કે મને દુખાવો થઈ રહ્યો છે. કોઈને પગ દુખે છે, કોઈને એલર્જી થવા લાગે છે, હાથ-પગ દુખવા લાગે છે, કોઈને સાંધાનો દુખાવો ચાલુ થઈ જાય છે, કોઈને લાગેલી જગ્યા પર દુખવા લાગે છે. આ વાત એ સમયની થઈ રહી છે જ્યારે વરસાદ આવ્યો હોતો નથી અને આકાશ વાદળથી ઘેરાય જાય છે.


તમને આવું કંઈ થયું છે કે કેમ? ચાલો આજે જાણીએ આવું શા માટે થાય છે? 

For California, El Niño's Dark Clouds Could Mean Rain but Also Trouble -  The New York Times

તમે જો જૂની લડાઈની કોઈ ફિલ્મ જુઓ તો સાંભળ્યું હશે કે વરસાદ થાય તેના પહેલા યુદ્ધ કરવાની ના પાડી દેવાય છે. આ ના એટલા માટે પાડી દેવામાં આવતી હતી કારણ કે જેમને દુખાવો હોય તેમને વાદળ ઘેરાય તો દુખાવો વધી જાય છે. આપણે ત્યાં ટીટોળી ઈંડા મૂકે તેના પરથી વરસાદનો અંદાજો લગાવી લેવાય છે કે જો ચારથી વધુ ઈંડા મૂકે તો સારો વરસાદ થશે અને સમયસર વરસાદ થશે, જો ઊંચાઈ પર મૂકે તો ધોધમાર વરસાદ થાય છે, વૈશાખમાં ઈંડા મૂકે તો ચોમાસુ વહેલું બેસી જાય છે એવું બધું સાંભળ્યું છે પણ એવું નહીં સાંભળ્યું હોય કે હાથ પગના દુખાવાથી અંદાજો લગાવી લેવાતો હતો કે વરસાદ થવાનો છે. પહેલા એવું થતું કે જો હાથ પગ દુખે તો વરસાદ આવશે તેવું માની લેવાતું હતું. પણ હવામાં તો કોઈ વાત મનાય નહીં કારણ કે આ દુનિયામાં વિજ્ઞાન પણ છે. જે બધી ઘટનાઓ પર વાત કરીએ તો વરસાદ આવતા પહેલા વાતાવરણમાં ભેજ આવવા લાગે છે. જેના કારણે સ્નાયુઓ અકળાઈ જાય છે. સામાન્ય માણસને આ પ્રકારની ઘટનાથી કંઈ ફેર નથી પડતો પણ જેને જૂની બીમારીઓ હોય છે તેને આવું થાય છે. બીજી વસ્તુ કામ કરે છે તે છે ચુંબકીય ઘટના. વાદળા પોતાની અંદર પાણીને ભરી રાખે છે. વાતાવરણમાં આ ઘટનાના કારણે મેગનેટિક ઈફેક્ટ થાય છે. તો તેના કારણે ખેંચાણ થાય છે. તો તેની અસર માણસના શરીરમાં પણ થાય છે. જેને સમસ્યા હોય તેને અહીં અસર થાય છે. તેમના શરીરના પ્રવાહી પદાર્થો વહેવાનું શરૂ કરી દે છે. ટૂંકમાં બેરોમેટ્રિક દબાવ, તાપમાન, ભેજ આ બધી ઘટના પાછળ જવાબદાર છે. આ બધી  ઘટનાઓના કારણે શરીરમાં દુખાવો અને ગેસ બનવાનું શરૂ થઈ જાય છે. 

Rain-bearing clouds thinning over India

જો તમને સાંધાનો દુખાવો હોય અને વાદળ આવતા સમયે દુખાવોથવા લાગે તો દહીં, મિઠાઈ, ચાવલ, અચાર, ટમેટા, કેચપ, રિંગણા, ખાટા ઠંડા પીણા વગેરે ન ખાવા જોઈએ. તો આ બધુ ન ખાવાય તો ખવાય શું? ચાલો તેની પણ વાત કરી લઈએ. આદુ, મધનું પાણી લેવાથી સોજા કે દુખાવો ઓછો થાય છે. આદુને ખાંડી પાણીમાં ભેળવો તેને ગરમ કરો પછી મધ નાખો અને પછી થોડું હલકું ગરમ કરો અને પી જાવ જેનાથી ફરક પડે છે. લસણ પણ ખાઈ શકાય કારણ કે તે એન્ટી ઈન્ફ્લેમેટરી હોય છે. હળદળવાળું દૂધ પણ પી શકાય. આવું કરવાથી માંસપેશીમાં રાહત રહે છે. 










બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..

અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.