સૂર્યનારાયણ ભગવાન કેમ કરે છે સાત ઘોડાના રથની સવારી! કોણ છે રથના સારથી, જાણો


  • Published By :
  • Published Date : 2023-01-26 17:28:52

હિંદુ ધર્મમાં ભગવાન સૂર્યનારાયણને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. હિંદુ ધર્મમાં સૂર્ય ભગવાનને પૂજનીય માનવામાં આવે છે. શાસ્ત્રોમાં અલગ અલગ નામોથી ભગવાન સૂર્યનારાયણને વર્ણવામાં આવ્યા છે. ભગવાન સૂર્યને રવિ, ભાસ્કર, ખગાય તરીકે પણ સંબોધવામાં આવે છે. શાસ્ત્રોમાં રવિ ભગવાન વિશે ઘણું બધું સમજાવવામાં આવ્યું છે. આપણે જ્યારે પણ ભગવાન સૂર્યનારાયણના ફોટાને અથવા તો મૂર્તિને જોઈએ તો આપણને ભગવાન સૂર્યનારાયણને સાત રથ પર સવાર જોવા મળે છે. ભગવાન સૂર્યના સાત ઘોડા વિશે વાત કરીઓ તો શાસ્ત્રોમાં સાતેય ઘોડાના નામોનો ઉલ્લેખ મળી આવે છે.

For immpressive personality do suryanarayan pooja on sunday | प्रभावशाली  व्यक्तित्व पाने के लिए रविवार को करें सूर्यनारायण की पूजा, इस मंत्र का भी  करें जाप | Patrika News

શું છે સૂર્યનારાયણના સાત ઘોડાના નામ 

સાત ઘોડાના નામની વાત કરીઓ તો આ પ્રમાણે છે – ગાયત્રી, ભારતી, ઉસ્નિક, જગતિ, ત્રિસ્તપ, અનુસ્તપ અને પંક્તિ છે. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે સૂર્યના સાત ઘોડા અઠવાડિયાના સાત દિવસોનું પ્રતિનિધિત્વ કરે છે. સાત ઘોડાને મેઘધનુષના સાત રંગો સાથે પણ જોડવામાં આવે છે. સૂર્યના કિરણોમાં સાત પ્રકારના પ્રકાશ જોવા મળે છે. સાત ઘોડાથી નિકળતા રંગોનો પણ આપણા જીવનમાં વિશેષ મહત્વન ધરાવે છે. આ ઘોડાનું વર્ણન શાસ્ત્રોમાં ખૂબ જ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. 7 ઘોડા વિશાળ અને મજબૂત છે. આ ઘોડાની લગામ અરૂણ દેવે પોતાના હાથમાં રાખી છે. અરૂણ દેવ સૂર્યદેવનો રથ ચલાવે છે. 


એક પૈયાના રથ પર સવારી કરે છે ભગવાન સૂર્યનારાયણ!

આપણને દેખાતી મૂર્તિમાં ભગવાન સૂર્યનારાયણના રથને બે પૈડા બતાવામાં આવ્યા છે. પરંતુ શાસ્ત્રાના મત અનુસાર ભગવાન સૂર્યનારાયણ એક પૈડાવાળા રથ પર સવારી કરે છે. આ એક પૈડાને એક વર્ષનું પ્રતિક માનવામાં આવે છે. પૈડામાં 12 ચક્રો છે જે વર્ષના મહિનાઓને દર્શાવે છે. અનેક લોકો પોતાના ઘરમાં સાત ઘોડાની તસ્વીર રાખતા હોય છે. અને એવું માને છે કે આ ફોટો રાખવાથી વ્યક્તિમાં હિંમત, ધીરજ, પ્રેમ, જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે અને જીવનના દરેક ક્ષેત્રમાં માણસની પ્રગતિ થાય છે.



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.