સૂર્યનારાયણ ભગવાન કેમ કરે છે સાત ઘોડાના રથની સવારી! કોણ છે રથના સારથી, જાણો


  • Published By :
  • Published Date : 2023-01-26 17:28:52

હિંદુ ધર્મમાં ભગવાન સૂર્યનારાયણને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. હિંદુ ધર્મમાં સૂર્ય ભગવાનને પૂજનીય માનવામાં આવે છે. શાસ્ત્રોમાં અલગ અલગ નામોથી ભગવાન સૂર્યનારાયણને વર્ણવામાં આવ્યા છે. ભગવાન સૂર્યને રવિ, ભાસ્કર, ખગાય તરીકે પણ સંબોધવામાં આવે છે. શાસ્ત્રોમાં રવિ ભગવાન વિશે ઘણું બધું સમજાવવામાં આવ્યું છે. આપણે જ્યારે પણ ભગવાન સૂર્યનારાયણના ફોટાને અથવા તો મૂર્તિને જોઈએ તો આપણને ભગવાન સૂર્યનારાયણને સાત રથ પર સવાર જોવા મળે છે. ભગવાન સૂર્યના સાત ઘોડા વિશે વાત કરીઓ તો શાસ્ત્રોમાં સાતેય ઘોડાના નામોનો ઉલ્લેખ મળી આવે છે.

For immpressive personality do suryanarayan pooja on sunday | प्रभावशाली  व्यक्तित्व पाने के लिए रविवार को करें सूर्यनारायण की पूजा, इस मंत्र का भी  करें जाप | Patrika News

શું છે સૂર્યનારાયણના સાત ઘોડાના નામ 

સાત ઘોડાના નામની વાત કરીઓ તો આ પ્રમાણે છે – ગાયત્રી, ભારતી, ઉસ્નિક, જગતિ, ત્રિસ્તપ, અનુસ્તપ અને પંક્તિ છે. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે સૂર્યના સાત ઘોડા અઠવાડિયાના સાત દિવસોનું પ્રતિનિધિત્વ કરે છે. સાત ઘોડાને મેઘધનુષના સાત રંગો સાથે પણ જોડવામાં આવે છે. સૂર્યના કિરણોમાં સાત પ્રકારના પ્રકાશ જોવા મળે છે. સાત ઘોડાથી નિકળતા રંગોનો પણ આપણા જીવનમાં વિશેષ મહત્વન ધરાવે છે. આ ઘોડાનું વર્ણન શાસ્ત્રોમાં ખૂબ જ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. 7 ઘોડા વિશાળ અને મજબૂત છે. આ ઘોડાની લગામ અરૂણ દેવે પોતાના હાથમાં રાખી છે. અરૂણ દેવ સૂર્યદેવનો રથ ચલાવે છે. 


એક પૈયાના રથ પર સવારી કરે છે ભગવાન સૂર્યનારાયણ!

આપણને દેખાતી મૂર્તિમાં ભગવાન સૂર્યનારાયણના રથને બે પૈડા બતાવામાં આવ્યા છે. પરંતુ શાસ્ત્રાના મત અનુસાર ભગવાન સૂર્યનારાયણ એક પૈડાવાળા રથ પર સવારી કરે છે. આ એક પૈડાને એક વર્ષનું પ્રતિક માનવામાં આવે છે. પૈડામાં 12 ચક્રો છે જે વર્ષના મહિનાઓને દર્શાવે છે. અનેક લોકો પોતાના ઘરમાં સાત ઘોડાની તસ્વીર રાખતા હોય છે. અને એવું માને છે કે આ ફોટો રાખવાથી વ્યક્તિમાં હિંમત, ધીરજ, પ્રેમ, જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે અને જીવનના દરેક ક્ષેત્રમાં માણસની પ્રગતિ થાય છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.