રાજ્યના પોલીસ વડાએ કેમ વરઘોડો કાઢવા પર મનાઈ ફરમાવી?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-05-13 20:51:41

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.  નજીક ભૂતકાળમાં આપણે ઘણાએવા ઉદાહરણો જોયા હશે જેમાં , ગુજરાતની પોલીસ આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢે છે. આ પછી આરોપીઓની જાહેરમાં સર્વિસ થાય છે , તેમને જાહેરમાં બે હાથ જોડીને માફી મંગાવડાવામાં આવે છે. આ માટે નાયબમુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતે જાહેર મંચ પરથી પોલીસની પીઠ થપથપાવી ચુક્યા છે. 

KLN Rao appointed new in-charge DGP of Gujarat Police | Ahmedabad News -  The Indian Express

તો હવે , રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે  4 પાના ભરીને વિસ્તૃત પત્ર લખીને રાજ્યના પોલીસના અધિકારીઓને ચેતવણી આપી છે. રાજ્યના પોલીસ વડા કે.એલ.એન. રાવે ગુજરાત હાઇકોર્ટના એક કેસને ટાંકીને ચેતવણી આપી છે. આરોપીની જાહેરમાં પરેડ નહીં કરાવવી, આરોપીને હિંસાત્મક ટોળાથી બચાવવો, આરોપી સાથે ગેરવર્તણૂક કરવી નહીં તેમજ આરોપીનું આત્મ સન્માન જળવાય તેવો વ્યવહાર કરવો વિગેરે વિગેરે સૂચના ડૉ. રાવે પોલીસ અધિકારીને આપી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, આરોપીના વરઘોડા અને જાહેરમાં માર મારવાની ઘટનાઓને લઈને ગુજરાત પોલીસની છબી ખરડાઈ છે અને પોલીસની સારી કામગીરી ઢંકાઈ જાય છે. પ્રજામાં પોલીસની છાપ ખરાબ ઉભી થાય છે.  આરોપીઓના માનવ અધિકારનું હનન કરનારા અધિકારી/કર્મચારી વિરૂદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની રહેશે. આ ઉપરાંત આવી ઘટનાઓમાં સિનિયર અધિકારીઓ જવાબદાર ગણાશે.ઘણાબધા હાઈપ્રોફાઈલ કેસોમાં પોલીસ આરોપીઓને ઘટના સ્થળે લઇ જઈ પંચનામું હાથ ધરે છે , તેમનો વરઘોડો કાઢે છે. આ ઉપરાંત હજારો લોકો પણ સ્થળ પર ઉમટી પડતા હોય છે. 

જેમ કે, થોડાક સમય અગાઉ , ચિરાગ ગોટીનું સુરતમાં સરઘસ કઢાયું હતું , આ પછી પાટણમાં જે ઈસમોએ પોલીસ પર હુમલો કર્યો હતો તેમનું ચાણસ્માની બજારમાં સરઘસ નીકળ્યું હતું. આ પછી સુરતમાં પાટીદાર યુવતીના કેસમાં પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું હતું. હવે , જયારે જયારે આવી કોઈક ગંભીર ગુનાની દુર્ઘટના બને કે તરત જ પીડિત પરિવાર વરઘોડો કાઢવાની વાત કરતુ હોય છે.  પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે , આ વરઘોડો માત્ર રીલમાં અટેંશન મેળવવાનું એક માધ્યમ બની ચુક્યો છે. છેલ્લે પીડિતો ન્યાય માટે વર્ષો સુધી વલખા મારતા હોય છે.




ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.