રાજ્યના પોલીસ વડાએ કેમ વરઘોડો કાઢવા પર મનાઈ ફરમાવી?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-05-13 20:51:41

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.  નજીક ભૂતકાળમાં આપણે ઘણાએવા ઉદાહરણો જોયા હશે જેમાં , ગુજરાતની પોલીસ આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢે છે. આ પછી આરોપીઓની જાહેરમાં સર્વિસ થાય છે , તેમને જાહેરમાં બે હાથ જોડીને માફી મંગાવડાવામાં આવે છે. આ માટે નાયબમુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતે જાહેર મંચ પરથી પોલીસની પીઠ થપથપાવી ચુક્યા છે. 

KLN Rao appointed new in-charge DGP of Gujarat Police | Ahmedabad News -  The Indian Express

તો હવે , રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે  4 પાના ભરીને વિસ્તૃત પત્ર લખીને રાજ્યના પોલીસના અધિકારીઓને ચેતવણી આપી છે. રાજ્યના પોલીસ વડા કે.એલ.એન. રાવે ગુજરાત હાઇકોર્ટના એક કેસને ટાંકીને ચેતવણી આપી છે. આરોપીની જાહેરમાં પરેડ નહીં કરાવવી, આરોપીને હિંસાત્મક ટોળાથી બચાવવો, આરોપી સાથે ગેરવર્તણૂક કરવી નહીં તેમજ આરોપીનું આત્મ સન્માન જળવાય તેવો વ્યવહાર કરવો વિગેરે વિગેરે સૂચના ડૉ. રાવે પોલીસ અધિકારીને આપી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, આરોપીના વરઘોડા અને જાહેરમાં માર મારવાની ઘટનાઓને લઈને ગુજરાત પોલીસની છબી ખરડાઈ છે અને પોલીસની સારી કામગીરી ઢંકાઈ જાય છે. પ્રજામાં પોલીસની છાપ ખરાબ ઉભી થાય છે.  આરોપીઓના માનવ અધિકારનું હનન કરનારા અધિકારી/કર્મચારી વિરૂદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની રહેશે. આ ઉપરાંત આવી ઘટનાઓમાં સિનિયર અધિકારીઓ જવાબદાર ગણાશે.ઘણાબધા હાઈપ્રોફાઈલ કેસોમાં પોલીસ આરોપીઓને ઘટના સ્થળે લઇ જઈ પંચનામું હાથ ધરે છે , તેમનો વરઘોડો કાઢે છે. આ ઉપરાંત હજારો લોકો પણ સ્થળ પર ઉમટી પડતા હોય છે. 

જેમ કે, થોડાક સમય અગાઉ , ચિરાગ ગોટીનું સુરતમાં સરઘસ કઢાયું હતું , આ પછી પાટણમાં જે ઈસમોએ પોલીસ પર હુમલો કર્યો હતો તેમનું ચાણસ્માની બજારમાં સરઘસ નીકળ્યું હતું. આ પછી સુરતમાં પાટીદાર યુવતીના કેસમાં પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું હતું. હવે , જયારે જયારે આવી કોઈક ગંભીર ગુનાની દુર્ઘટના બને કે તરત જ પીડિત પરિવાર વરઘોડો કાઢવાની વાત કરતુ હોય છે.  પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે , આ વરઘોડો માત્ર રીલમાં અટેંશન મેળવવાનું એક માધ્યમ બની ચુક્યો છે. છેલ્લે પીડિતો ન્યાય માટે વર્ષો સુધી વલખા મારતા હોય છે.




એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.