શા માટે હિંદુ ધર્મમાં આસોપાલવને અપાયું છે વિશેષ સ્થાન?


  • Published By :
  • Published Date : 2022-12-04 13:28:26

આપણા ઘરે જ્યારે પણ કોઈ શુભ કાર્ય અથવા તો પૂજા હોય તે દરમિયાન આપણે આપણા ઘરના આંગણામાં અથવા તો ઘરની બહાર તોરણ બાંધવામાં આવે છે. દરવાજા બહાર ફૂલનું તોરણ અથવા તો આસોપાલવ લગાડવામાં આવે છે. જેમ પીપળો, તુલસી, વડ, બિલિને શુભ અને પવિત્ર માનવામાં આવે તે આસોપાલવને પણ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરના દ્વાર પર તોરણ લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ નથી કરતી.  

7 ઓક્ટોબરથી શરૂ થશે નવરાત્રી, જાણો ક્યારે છે કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત

ઘરમાં જ્યારે શુભ પ્રસંગ હોય છે અથવા કોઈ પણ ધાર્મિક ક્રિયા હોય તે સમય દરમિયાન ઘરના આંગણામાં આસોપાલવનું તોરણ બાંધવામાં આવે છે. આંબાના પાન ઘરના મુખ્ય દરવાજા પર લગાવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે ઘરમાં આવતી નકારાત્મકતા દૂર રહે છે. ઉપરાંત આર્થિક મુશ્કેલીઓ પણ દૂર થાય છે. માતા લક્ષ્મીની અને ભગવાન નારાયણની કૃપા મળે છે.આસોપાલવના પાનને પૂજા દરમિયાન પણ ઉપયોગ કરવામાં આવે છે. પૂજામાં પણ વિશેષ સ્થાન મળેલું છે. પૂજામાં આવતી પુણ્યાવાચનમાં વિધીમાં કળશમાં આસોપાલવને મૂકવામાં આવે છે.

ઘરના મુખ્ય દરવાજા પર તોરણ લગાવવું કેમ જરૂરી છે, કયા ઝાડના પાનના તોરણથી  આર્થિક સમૃદ્ધિ આવે છે, જાણો | Dharmik Topic

તોરણ બાંધવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલું છે. એવું માનવામાં આવે છે કે આસોપાલવ ચોવીસ કલાક ઓક્સિજન આપે છે. ઘરમાં જ્યારે શુભ પ્રસંગ હોય ત્યારે અનેક લોકો ઘરમાં હોય છે. તે દરમિયાન ઓક્સિજનની કમી ન થાય અને ઓક્સિજનનું સ્તર જળવાઈ રહે તે માટે ઘરના આંગણાની બહાર તોરણ લગાવામાં આવે છે.         



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .