શા માટે હિંદુ ધર્મમાં આસોપાલવને અપાયું છે વિશેષ સ્થાન?


  • Published By :
  • Published Date : 2022-12-04 13:28:26

આપણા ઘરે જ્યારે પણ કોઈ શુભ કાર્ય અથવા તો પૂજા હોય તે દરમિયાન આપણે આપણા ઘરના આંગણામાં અથવા તો ઘરની બહાર તોરણ બાંધવામાં આવે છે. દરવાજા બહાર ફૂલનું તોરણ અથવા તો આસોપાલવ લગાડવામાં આવે છે. જેમ પીપળો, તુલસી, વડ, બિલિને શુભ અને પવિત્ર માનવામાં આવે તે આસોપાલવને પણ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરના દ્વાર પર તોરણ લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ નથી કરતી.  

7 ઓક્ટોબરથી શરૂ થશે નવરાત્રી, જાણો ક્યારે છે કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત

ઘરમાં જ્યારે શુભ પ્રસંગ હોય છે અથવા કોઈ પણ ધાર્મિક ક્રિયા હોય તે સમય દરમિયાન ઘરના આંગણામાં આસોપાલવનું તોરણ બાંધવામાં આવે છે. આંબાના પાન ઘરના મુખ્ય દરવાજા પર લગાવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે ઘરમાં આવતી નકારાત્મકતા દૂર રહે છે. ઉપરાંત આર્થિક મુશ્કેલીઓ પણ દૂર થાય છે. માતા લક્ષ્મીની અને ભગવાન નારાયણની કૃપા મળે છે.આસોપાલવના પાનને પૂજા દરમિયાન પણ ઉપયોગ કરવામાં આવે છે. પૂજામાં પણ વિશેષ સ્થાન મળેલું છે. પૂજામાં આવતી પુણ્યાવાચનમાં વિધીમાં કળશમાં આસોપાલવને મૂકવામાં આવે છે.

ઘરના મુખ્ય દરવાજા પર તોરણ લગાવવું કેમ જરૂરી છે, કયા ઝાડના પાનના તોરણથી  આર્થિક સમૃદ્ધિ આવે છે, જાણો | Dharmik Topic

તોરણ બાંધવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલું છે. એવું માનવામાં આવે છે કે આસોપાલવ ચોવીસ કલાક ઓક્સિજન આપે છે. ઘરમાં જ્યારે શુભ પ્રસંગ હોય ત્યારે અનેક લોકો ઘરમાં હોય છે. તે દરમિયાન ઓક્સિજનની કમી ન થાય અને ઓક્સિજનનું સ્તર જળવાઈ રહે તે માટે ઘરના આંગણાની બહાર તોરણ લગાવામાં આવે છે.         



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.