શા માટે હિંદુ ધર્મમાં આસોપાલવને અપાયું છે વિશેષ સ્થાન?


  • Published By :
  • Published Date : 2022-12-04 13:28:26

આપણા ઘરે જ્યારે પણ કોઈ શુભ કાર્ય અથવા તો પૂજા હોય તે દરમિયાન આપણે આપણા ઘરના આંગણામાં અથવા તો ઘરની બહાર તોરણ બાંધવામાં આવે છે. દરવાજા બહાર ફૂલનું તોરણ અથવા તો આસોપાલવ લગાડવામાં આવે છે. જેમ પીપળો, તુલસી, વડ, બિલિને શુભ અને પવિત્ર માનવામાં આવે તે આસોપાલવને પણ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરના દ્વાર પર તોરણ લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ નથી કરતી.  

7 ઓક્ટોબરથી શરૂ થશે નવરાત્રી, જાણો ક્યારે છે કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત

ઘરમાં જ્યારે શુભ પ્રસંગ હોય છે અથવા કોઈ પણ ધાર્મિક ક્રિયા હોય તે સમય દરમિયાન ઘરના આંગણામાં આસોપાલવનું તોરણ બાંધવામાં આવે છે. આંબાના પાન ઘરના મુખ્ય દરવાજા પર લગાવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે ઘરમાં આવતી નકારાત્મકતા દૂર રહે છે. ઉપરાંત આર્થિક મુશ્કેલીઓ પણ દૂર થાય છે. માતા લક્ષ્મીની અને ભગવાન નારાયણની કૃપા મળે છે.આસોપાલવના પાનને પૂજા દરમિયાન પણ ઉપયોગ કરવામાં આવે છે. પૂજામાં પણ વિશેષ સ્થાન મળેલું છે. પૂજામાં આવતી પુણ્યાવાચનમાં વિધીમાં કળશમાં આસોપાલવને મૂકવામાં આવે છે.

ઘરના મુખ્ય દરવાજા પર તોરણ લગાવવું કેમ જરૂરી છે, કયા ઝાડના પાનના તોરણથી  આર્થિક સમૃદ્ધિ આવે છે, જાણો | Dharmik Topic

તોરણ બાંધવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલું છે. એવું માનવામાં આવે છે કે આસોપાલવ ચોવીસ કલાક ઓક્સિજન આપે છે. ઘરમાં જ્યારે શુભ પ્રસંગ હોય ત્યારે અનેક લોકો ઘરમાં હોય છે. તે દરમિયાન ઓક્સિજનની કમી ન થાય અને ઓક્સિજનનું સ્તર જળવાઈ રહે તે માટે ઘરના આંગણાની બહાર તોરણ લગાવામાં આવે છે.         



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.