શા માટે હિંદુ ધર્મમાં આસોપાલવને અપાયું છે વિશેષ સ્થાન?


  • Published By :
  • Published Date : 2022-12-04 13:28:26

આપણા ઘરે જ્યારે પણ કોઈ શુભ કાર્ય અથવા તો પૂજા હોય તે દરમિયાન આપણે આપણા ઘરના આંગણામાં અથવા તો ઘરની બહાર તોરણ બાંધવામાં આવે છે. દરવાજા બહાર ફૂલનું તોરણ અથવા તો આસોપાલવ લગાડવામાં આવે છે. જેમ પીપળો, તુલસી, વડ, બિલિને શુભ અને પવિત્ર માનવામાં આવે તે આસોપાલવને પણ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરના દ્વાર પર તોરણ લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ નથી કરતી.  

7 ઓક્ટોબરથી શરૂ થશે નવરાત્રી, જાણો ક્યારે છે કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત

ઘરમાં જ્યારે શુભ પ્રસંગ હોય છે અથવા કોઈ પણ ધાર્મિક ક્રિયા હોય તે સમય દરમિયાન ઘરના આંગણામાં આસોપાલવનું તોરણ બાંધવામાં આવે છે. આંબાના પાન ઘરના મુખ્ય દરવાજા પર લગાવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે ઘરમાં આવતી નકારાત્મકતા દૂર રહે છે. ઉપરાંત આર્થિક મુશ્કેલીઓ પણ દૂર થાય છે. માતા લક્ષ્મીની અને ભગવાન નારાયણની કૃપા મળે છે.આસોપાલવના પાનને પૂજા દરમિયાન પણ ઉપયોગ કરવામાં આવે છે. પૂજામાં પણ વિશેષ સ્થાન મળેલું છે. પૂજામાં આવતી પુણ્યાવાચનમાં વિધીમાં કળશમાં આસોપાલવને મૂકવામાં આવે છે.

ઘરના મુખ્ય દરવાજા પર તોરણ લગાવવું કેમ જરૂરી છે, કયા ઝાડના પાનના તોરણથી  આર્થિક સમૃદ્ધિ આવે છે, જાણો | Dharmik Topic

તોરણ બાંધવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલું છે. એવું માનવામાં આવે છે કે આસોપાલવ ચોવીસ કલાક ઓક્સિજન આપે છે. ઘરમાં જ્યારે શુભ પ્રસંગ હોય ત્યારે અનેક લોકો ઘરમાં હોય છે. તે દરમિયાન ઓક્સિજનની કમી ન થાય અને ઓક્સિજનનું સ્તર જળવાઈ રહે તે માટે ઘરના આંગણાની બહાર તોરણ લગાવામાં આવે છે.         



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.