પૂજામાં કપૂરનો શા માટે થાય છે ઉપયોગ?


  • Published By :
  • Published Date : 2022-11-21 17:16:03

કોઈ પણ શુભ પ્રસંગ હોય અથવા તો પૂજા હોય દરેકમાં શુભ કાર્યમાં કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો શા માટે પૂજા દરમિયાન કપૂર પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં છે કે કપૂર પ્રગટાવવાથી નકારાત્મકા ઉર્જા દૂર થાય છે સકારાત્મક ઉર્જાનું આગમન થાય છે. 

પૂજા દરમિયાન કપૂર પ્રગટાવવું ગણાય છે શુભ, જાણો તેનું કારણ

વાતાવરણ થાય છે શુદ્ધ

દરેક પૂજા દરમિયાન કપૂરને વિશેષ મહત્વ આપવામાં આવે છે. કોઈ પણ હોમ હવન હોય કે પૂજા વિધી હોય કે કોઈ અનુષ્ઠાન હોય દરેક પૂજામાં કપૂર પ્રગટાવવામાં આવે છે. કપૂરને પ્રગટાવાથી ઘરમાં શાંતિ રહે છે તેમજ કપૂરના ધૂમાડાથી ઘરમાંથી નકારાત્મતા દૂર થાય છે. એવું પણ માનવામાં આવે છે કે કપૂર પ્રગટાવવાથી દેવતાઓ પ્રસન્ન થાય છે. કપૂર પ્રગટાવવાથી વાતાવરણ પણ શુદ્ધ બને છે. ઉપરાંત એવું પણ માનવામાં કે આ પ્રયોગ કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે. ઉપરાંત ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ રહે છે. ઉપરાંત કોઈ પૂજા અથવા તો આરતી કપૂર વગર પૂર્ણ નથી થતી.

Pooja Kapoor Camphor Tablets- A Small Dose of Positivity – Singal's

કપૂર પ્રગટાવવા પાછળનું વૈજ્ઞાનિક કારણ 

આપણા ધર્મમાં કરવામાં આવતા પ્રયોગોમાં વૈજ્ઞાનિક કારણ છૂપાયેલું હોય છે. ત્યારે કપૂરના પ્રયોગ પાછળ પણ વૈજ્ઞાનિક કારણ રહેલું છે. એવું માનવામાં આવે છે કે જ્યારે આપણે કપૂરને પ્રગટાવીએ છીએ ત્યારે તેમાંથી નીકળતો ધૂમાડો આપણા શરીર માટે સારો ગણવામાં આવે છે. આ પ્રયોગ કરવાથી અનેક બીમારીઓથી બચી શકાય છે.  




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.