પૂજામાં કપૂરનો શા માટે થાય છે ઉપયોગ?


  • Published By :
  • Published Date : 2022-11-21 17:16:03

કોઈ પણ શુભ પ્રસંગ હોય અથવા તો પૂજા હોય દરેકમાં શુભ કાર્યમાં કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો શા માટે પૂજા દરમિયાન કપૂર પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં છે કે કપૂર પ્રગટાવવાથી નકારાત્મકા ઉર્જા દૂર થાય છે સકારાત્મક ઉર્જાનું આગમન થાય છે. 

પૂજા દરમિયાન કપૂર પ્રગટાવવું ગણાય છે શુભ, જાણો તેનું કારણ

વાતાવરણ થાય છે શુદ્ધ

દરેક પૂજા દરમિયાન કપૂરને વિશેષ મહત્વ આપવામાં આવે છે. કોઈ પણ હોમ હવન હોય કે પૂજા વિધી હોય કે કોઈ અનુષ્ઠાન હોય દરેક પૂજામાં કપૂર પ્રગટાવવામાં આવે છે. કપૂરને પ્રગટાવાથી ઘરમાં શાંતિ રહે છે તેમજ કપૂરના ધૂમાડાથી ઘરમાંથી નકારાત્મતા દૂર થાય છે. એવું પણ માનવામાં આવે છે કે કપૂર પ્રગટાવવાથી દેવતાઓ પ્રસન્ન થાય છે. કપૂર પ્રગટાવવાથી વાતાવરણ પણ શુદ્ધ બને છે. ઉપરાંત એવું પણ માનવામાં કે આ પ્રયોગ કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે. ઉપરાંત ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ રહે છે. ઉપરાંત કોઈ પૂજા અથવા તો આરતી કપૂર વગર પૂર્ણ નથી થતી.

Pooja Kapoor Camphor Tablets- A Small Dose of Positivity – Singal's

કપૂર પ્રગટાવવા પાછળનું વૈજ્ઞાનિક કારણ 

આપણા ધર્મમાં કરવામાં આવતા પ્રયોગોમાં વૈજ્ઞાનિક કારણ છૂપાયેલું હોય છે. ત્યારે કપૂરના પ્રયોગ પાછળ પણ વૈજ્ઞાનિક કારણ રહેલું છે. એવું માનવામાં આવે છે કે જ્યારે આપણે કપૂરને પ્રગટાવીએ છીએ ત્યારે તેમાંથી નીકળતો ધૂમાડો આપણા શરીર માટે સારો ગણવામાં આવે છે. આ પ્રયોગ કરવાથી અનેક બીમારીઓથી બચી શકાય છે.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.