પૂજામાં કપૂરનો શા માટે થાય છે ઉપયોગ?


  • Published By :
  • Published Date : 2022-11-21 17:16:03

કોઈ પણ શુભ પ્રસંગ હોય અથવા તો પૂજા હોય દરેકમાં શુભ કાર્યમાં કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો શા માટે પૂજા દરમિયાન કપૂર પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં છે કે કપૂર પ્રગટાવવાથી નકારાત્મકા ઉર્જા દૂર થાય છે સકારાત્મક ઉર્જાનું આગમન થાય છે. 

પૂજા દરમિયાન કપૂર પ્રગટાવવું ગણાય છે શુભ, જાણો તેનું કારણ

વાતાવરણ થાય છે શુદ્ધ

દરેક પૂજા દરમિયાન કપૂરને વિશેષ મહત્વ આપવામાં આવે છે. કોઈ પણ હોમ હવન હોય કે પૂજા વિધી હોય કે કોઈ અનુષ્ઠાન હોય દરેક પૂજામાં કપૂર પ્રગટાવવામાં આવે છે. કપૂરને પ્રગટાવાથી ઘરમાં શાંતિ રહે છે તેમજ કપૂરના ધૂમાડાથી ઘરમાંથી નકારાત્મતા દૂર થાય છે. એવું પણ માનવામાં આવે છે કે કપૂર પ્રગટાવવાથી દેવતાઓ પ્રસન્ન થાય છે. કપૂર પ્રગટાવવાથી વાતાવરણ પણ શુદ્ધ બને છે. ઉપરાંત એવું પણ માનવામાં કે આ પ્રયોગ કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે. ઉપરાંત ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ રહે છે. ઉપરાંત કોઈ પૂજા અથવા તો આરતી કપૂર વગર પૂર્ણ નથી થતી.

Pooja Kapoor Camphor Tablets- A Small Dose of Positivity – Singal's

કપૂર પ્રગટાવવા પાછળનું વૈજ્ઞાનિક કારણ 

આપણા ધર્મમાં કરવામાં આવતા પ્રયોગોમાં વૈજ્ઞાનિક કારણ છૂપાયેલું હોય છે. ત્યારે કપૂરના પ્રયોગ પાછળ પણ વૈજ્ઞાનિક કારણ રહેલું છે. એવું માનવામાં આવે છે કે જ્યારે આપણે કપૂરને પ્રગટાવીએ છીએ ત્યારે તેમાંથી નીકળતો ધૂમાડો આપણા શરીર માટે સારો ગણવામાં આવે છે. આ પ્રયોગ કરવાથી અનેક બીમારીઓથી બચી શકાય છે.  




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.