ગુજરાતની જનતાની રક્ષા કરતી પોલીસ શા માટે નારાજ? શું છે માગ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 13:42:19



દિવસ રાત જોયા વગર 24 કલાક ખડેપગે સેવા આપતા ગુજરાત પોલીસના જવાનો અંદરખાને ગુજરાત સરકારથી નારાજ થઈ રહ્યા છે. વાત એમ છે કે, ગઈકાલે રાત્રે ગુજરાત સરકારે ગવર્નમેન્ટ રિઝોલ્યુશન(GR) બહાર પાડી પોલીસ જવાનોના ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી હતી. જ્યારે ગુજરાત પોલીસના જવાનો ભથ્થું અને ગ્રેડ-પે બંનેની માગ કરી રહ્યા હતા. ત્યારે ફક્થ ભથ્થામાં વધારો કરતા અને ગ્રેડ-પેમાં વધારો ન કરતા પોલીસ જવાનો નારાજ થઈ ગયા છે.  


ગુજરાત સરકારે ગવર્નમેન્ટ રિઝોલ્યુશનમાં શું કરી છે જાહેરાત?

ગુજરાત સરકારે પોલીસ જવાનના ભથ્થા વધારવાની જાહેરાત કરવાનો પરિપત્ર બહાર પાડ્યો છે. જ્યારે પોલીસ પરિવારની માગણી ગ્રેડ પે વધારવાની હતી. ભથ્થા વધવાથી ફિક્સ પગારમાં સેવા આપતા જવાનો પગાર 3500 રૂપિયા વધી જશે. પોલીસ કોન્સ્ટેબલનો 4000, હેડકોન્સ્ટેબલનો 4500 અને અને ASI જવાનનો 5000 રૂપિયાનું ભથ્થું વધશે. જ્યારે પોલીસ જવાનોમાં આ ગવર્નમેન્ટ રિઝોલ્યુનથ બાદ રોષ જોવા મળી રહ્યો છે કારણ કે પોલીસ જવાનોએ ગ્રેડ પેની માગણી કરી હતી. ગ્રેડ પે એટલે ભથ્થા સિવાય પોલીસ જવાનોને મળતું વધારાનો પગાર. 


શું છે ગ્રેડ પે અને શું હતી પોલીસ પરિવારની માગણી?

સાદી ભાષામાં સમજીએ તો ગ્રેડ પે એટલે પગારથી મળતી રકમ સિવાયનો અલગથી મળતો વિશેષ પગાર. પોલીસ પરિવારની માગણી છે કે કોન્સ્ટેબલનો 2800 રૂપિયા ગ્રેડ-પે, હેડ કોન્સ્ટેબલનો 3600 અને ASI જવાનનો 4200 રૂપિયાનો ગ્રેડ-પે મળે. જે માગણી માટે પોલીસ અને પોલીસ પરિવાર વર્ષોથી સરકાર સામે લડત લડી રહ્યા છે. 


કેવું હોય છે પોલીસ જવાનોનું પગારનું માળખું?

પોલીસ કોન્સ્ટેબલની જ્યારે નોકરી લાગે છે ત્યારે તેમનો પગાર ફિક્સ 19,950 રૂપિયા હોય છે. પાંચ વર્ષ બાદ પોલીસ કોન્સ્ટેબલ જવાન કાયમી થઈ જાય છે. કાયમી થયા બાદ પોલીસ કોન્સ્ટેબલનો 19,500 રૂપિયાનો પગાર ઘટીને 18,000 રૂપિયા થઈ જાય છે. ત્યારે પોલીસ પરિવારની માગણી છે કે, સરકાર કોન્સ્ટેબલ માટે 2800 રૂપિયા, હેડ કોન્સ્ટેબલ માટે 3600 અને ASI  જવાનનો 4200 રૂપિયાના ગ્રેડ-પે જાહેર કરે. 


જો સરકાર પોલીસની માગણી સ્વિકારે તો શું થશે?

જો ગુજરાત સરકાર પોલીસ માગણી સ્વિકારી લે તો 5 વર્ષના ફિક્સ પગાર બાદ પોલીસ કોન્સ્ટેબલનો પગાર 29,200, હેડ કોન્સ્ટેબલનો 35,400 અને ASI  જવાનનો પણ 35,400  રૂપિયા પગાર થઈ જશે. 


પોલીસ જવાન અને તેમનો પરિવાર વર્ષોથી ભથ્થા અને ગ્રેડ-પે બંને વધારવા માટે માગ કરી રહ્યા હતા જ્યારે હાલ સરકારે માત્ર ભથ્થામાં જ વધારો કર્યો છે. જેના કારણે પોલીસ જવાનો નારાજ છે. પોલીસ જવાનોની માગણી છે કે ભથ્થામાં વધારો કર્યો છે તેની સાથે ગ્રેડ-પેમાં પણ વધારો કરવામાં આવે. ગુજરાત પોલીસ સિવાય ગુજરાતના પુરુષ યુવાનો પણ એલઆરડીમાં મહિલા સમકક્ષ યોગ્યતા અને એસઆરપીએફ મુદ્દા મામલે લડાઈ લડી રહી છે. 

 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.