ગુજરાતની જનતાની રક્ષા કરતી પોલીસ શા માટે નારાજ? શું છે માગ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 13:42:19



દિવસ રાત જોયા વગર 24 કલાક ખડેપગે સેવા આપતા ગુજરાત પોલીસના જવાનો અંદરખાને ગુજરાત સરકારથી નારાજ થઈ રહ્યા છે. વાત એમ છે કે, ગઈકાલે રાત્રે ગુજરાત સરકારે ગવર્નમેન્ટ રિઝોલ્યુશન(GR) બહાર પાડી પોલીસ જવાનોના ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી હતી. જ્યારે ગુજરાત પોલીસના જવાનો ભથ્થું અને ગ્રેડ-પે બંનેની માગ કરી રહ્યા હતા. ત્યારે ફક્થ ભથ્થામાં વધારો કરતા અને ગ્રેડ-પેમાં વધારો ન કરતા પોલીસ જવાનો નારાજ થઈ ગયા છે.  


ગુજરાત સરકારે ગવર્નમેન્ટ રિઝોલ્યુશનમાં શું કરી છે જાહેરાત?

ગુજરાત સરકારે પોલીસ જવાનના ભથ્થા વધારવાની જાહેરાત કરવાનો પરિપત્ર બહાર પાડ્યો છે. જ્યારે પોલીસ પરિવારની માગણી ગ્રેડ પે વધારવાની હતી. ભથ્થા વધવાથી ફિક્સ પગારમાં સેવા આપતા જવાનો પગાર 3500 રૂપિયા વધી જશે. પોલીસ કોન્સ્ટેબલનો 4000, હેડકોન્સ્ટેબલનો 4500 અને અને ASI જવાનનો 5000 રૂપિયાનું ભથ્થું વધશે. જ્યારે પોલીસ જવાનોમાં આ ગવર્નમેન્ટ રિઝોલ્યુનથ બાદ રોષ જોવા મળી રહ્યો છે કારણ કે પોલીસ જવાનોએ ગ્રેડ પેની માગણી કરી હતી. ગ્રેડ પે એટલે ભથ્થા સિવાય પોલીસ જવાનોને મળતું વધારાનો પગાર. 


શું છે ગ્રેડ પે અને શું હતી પોલીસ પરિવારની માગણી?

સાદી ભાષામાં સમજીએ તો ગ્રેડ પે એટલે પગારથી મળતી રકમ સિવાયનો અલગથી મળતો વિશેષ પગાર. પોલીસ પરિવારની માગણી છે કે કોન્સ્ટેબલનો 2800 રૂપિયા ગ્રેડ-પે, હેડ કોન્સ્ટેબલનો 3600 અને ASI જવાનનો 4200 રૂપિયાનો ગ્રેડ-પે મળે. જે માગણી માટે પોલીસ અને પોલીસ પરિવાર વર્ષોથી સરકાર સામે લડત લડી રહ્યા છે. 


કેવું હોય છે પોલીસ જવાનોનું પગારનું માળખું?

પોલીસ કોન્સ્ટેબલની જ્યારે નોકરી લાગે છે ત્યારે તેમનો પગાર ફિક્સ 19,950 રૂપિયા હોય છે. પાંચ વર્ષ બાદ પોલીસ કોન્સ્ટેબલ જવાન કાયમી થઈ જાય છે. કાયમી થયા બાદ પોલીસ કોન્સ્ટેબલનો 19,500 રૂપિયાનો પગાર ઘટીને 18,000 રૂપિયા થઈ જાય છે. ત્યારે પોલીસ પરિવારની માગણી છે કે, સરકાર કોન્સ્ટેબલ માટે 2800 રૂપિયા, હેડ કોન્સ્ટેબલ માટે 3600 અને ASI  જવાનનો 4200 રૂપિયાના ગ્રેડ-પે જાહેર કરે. 


જો સરકાર પોલીસની માગણી સ્વિકારે તો શું થશે?

જો ગુજરાત સરકાર પોલીસ માગણી સ્વિકારી લે તો 5 વર્ષના ફિક્સ પગાર બાદ પોલીસ કોન્સ્ટેબલનો પગાર 29,200, હેડ કોન્સ્ટેબલનો 35,400 અને ASI  જવાનનો પણ 35,400  રૂપિયા પગાર થઈ જશે. 


પોલીસ જવાન અને તેમનો પરિવાર વર્ષોથી ભથ્થા અને ગ્રેડ-પે બંને વધારવા માટે માગ કરી રહ્યા હતા જ્યારે હાલ સરકારે માત્ર ભથ્થામાં જ વધારો કર્યો છે. જેના કારણે પોલીસ જવાનો નારાજ છે. પોલીસ જવાનોની માગણી છે કે ભથ્થામાં વધારો કર્યો છે તેની સાથે ગ્રેડ-પેમાં પણ વધારો કરવામાં આવે. ગુજરાત પોલીસ સિવાય ગુજરાતના પુરુષ યુવાનો પણ એલઆરડીમાં મહિલા સમકક્ષ યોગ્યતા અને એસઆરપીએફ મુદ્દા મામલે લડાઈ લડી રહી છે. 

 




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી