ગુજરાતની જનતાની રક્ષા કરતી પોલીસ શા માટે નારાજ? શું છે માગ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 13:42:19



દિવસ રાત જોયા વગર 24 કલાક ખડેપગે સેવા આપતા ગુજરાત પોલીસના જવાનો અંદરખાને ગુજરાત સરકારથી નારાજ થઈ રહ્યા છે. વાત એમ છે કે, ગઈકાલે રાત્રે ગુજરાત સરકારે ગવર્નમેન્ટ રિઝોલ્યુશન(GR) બહાર પાડી પોલીસ જવાનોના ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી હતી. જ્યારે ગુજરાત પોલીસના જવાનો ભથ્થું અને ગ્રેડ-પે બંનેની માગ કરી રહ્યા હતા. ત્યારે ફક્થ ભથ્થામાં વધારો કરતા અને ગ્રેડ-પેમાં વધારો ન કરતા પોલીસ જવાનો નારાજ થઈ ગયા છે.  


ગુજરાત સરકારે ગવર્નમેન્ટ રિઝોલ્યુશનમાં શું કરી છે જાહેરાત?

ગુજરાત સરકારે પોલીસ જવાનના ભથ્થા વધારવાની જાહેરાત કરવાનો પરિપત્ર બહાર પાડ્યો છે. જ્યારે પોલીસ પરિવારની માગણી ગ્રેડ પે વધારવાની હતી. ભથ્થા વધવાથી ફિક્સ પગારમાં સેવા આપતા જવાનો પગાર 3500 રૂપિયા વધી જશે. પોલીસ કોન્સ્ટેબલનો 4000, હેડકોન્સ્ટેબલનો 4500 અને અને ASI જવાનનો 5000 રૂપિયાનું ભથ્થું વધશે. જ્યારે પોલીસ જવાનોમાં આ ગવર્નમેન્ટ રિઝોલ્યુનથ બાદ રોષ જોવા મળી રહ્યો છે કારણ કે પોલીસ જવાનોએ ગ્રેડ પેની માગણી કરી હતી. ગ્રેડ પે એટલે ભથ્થા સિવાય પોલીસ જવાનોને મળતું વધારાનો પગાર. 


શું છે ગ્રેડ પે અને શું હતી પોલીસ પરિવારની માગણી?

સાદી ભાષામાં સમજીએ તો ગ્રેડ પે એટલે પગારથી મળતી રકમ સિવાયનો અલગથી મળતો વિશેષ પગાર. પોલીસ પરિવારની માગણી છે કે કોન્સ્ટેબલનો 2800 રૂપિયા ગ્રેડ-પે, હેડ કોન્સ્ટેબલનો 3600 અને ASI જવાનનો 4200 રૂપિયાનો ગ્રેડ-પે મળે. જે માગણી માટે પોલીસ અને પોલીસ પરિવાર વર્ષોથી સરકાર સામે લડત લડી રહ્યા છે. 


કેવું હોય છે પોલીસ જવાનોનું પગારનું માળખું?

પોલીસ કોન્સ્ટેબલની જ્યારે નોકરી લાગે છે ત્યારે તેમનો પગાર ફિક્સ 19,950 રૂપિયા હોય છે. પાંચ વર્ષ બાદ પોલીસ કોન્સ્ટેબલ જવાન કાયમી થઈ જાય છે. કાયમી થયા બાદ પોલીસ કોન્સ્ટેબલનો 19,500 રૂપિયાનો પગાર ઘટીને 18,000 રૂપિયા થઈ જાય છે. ત્યારે પોલીસ પરિવારની માગણી છે કે, સરકાર કોન્સ્ટેબલ માટે 2800 રૂપિયા, હેડ કોન્સ્ટેબલ માટે 3600 અને ASI  જવાનનો 4200 રૂપિયાના ગ્રેડ-પે જાહેર કરે. 


જો સરકાર પોલીસની માગણી સ્વિકારે તો શું થશે?

જો ગુજરાત સરકાર પોલીસ માગણી સ્વિકારી લે તો 5 વર્ષના ફિક્સ પગાર બાદ પોલીસ કોન્સ્ટેબલનો પગાર 29,200, હેડ કોન્સ્ટેબલનો 35,400 અને ASI  જવાનનો પણ 35,400  રૂપિયા પગાર થઈ જશે. 


પોલીસ જવાન અને તેમનો પરિવાર વર્ષોથી ભથ્થા અને ગ્રેડ-પે બંને વધારવા માટે માગ કરી રહ્યા હતા જ્યારે હાલ સરકારે માત્ર ભથ્થામાં જ વધારો કર્યો છે. જેના કારણે પોલીસ જવાનો નારાજ છે. પોલીસ જવાનોની માગણી છે કે ભથ્થામાં વધારો કર્યો છે તેની સાથે ગ્રેડ-પેમાં પણ વધારો કરવામાં આવે. ગુજરાત પોલીસ સિવાય ગુજરાતના પુરુષ યુવાનો પણ એલઆરડીમાં મહિલા સમકક્ષ યોગ્યતા અને એસઆરપીએફ મુદ્દા મામલે લડાઈ લડી રહી છે. 

 




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"