ગુજરાતની જનતાની રક્ષા કરતી પોલીસ શા માટે નારાજ? શું છે માગ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 13:42:19



દિવસ રાત જોયા વગર 24 કલાક ખડેપગે સેવા આપતા ગુજરાત પોલીસના જવાનો અંદરખાને ગુજરાત સરકારથી નારાજ થઈ રહ્યા છે. વાત એમ છે કે, ગઈકાલે રાત્રે ગુજરાત સરકારે ગવર્નમેન્ટ રિઝોલ્યુશન(GR) બહાર પાડી પોલીસ જવાનોના ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી હતી. જ્યારે ગુજરાત પોલીસના જવાનો ભથ્થું અને ગ્રેડ-પે બંનેની માગ કરી રહ્યા હતા. ત્યારે ફક્થ ભથ્થામાં વધારો કરતા અને ગ્રેડ-પેમાં વધારો ન કરતા પોલીસ જવાનો નારાજ થઈ ગયા છે.  


ગુજરાત સરકારે ગવર્નમેન્ટ રિઝોલ્યુશનમાં શું કરી છે જાહેરાત?

ગુજરાત સરકારે પોલીસ જવાનના ભથ્થા વધારવાની જાહેરાત કરવાનો પરિપત્ર બહાર પાડ્યો છે. જ્યારે પોલીસ પરિવારની માગણી ગ્રેડ પે વધારવાની હતી. ભથ્થા વધવાથી ફિક્સ પગારમાં સેવા આપતા જવાનો પગાર 3500 રૂપિયા વધી જશે. પોલીસ કોન્સ્ટેબલનો 4000, હેડકોન્સ્ટેબલનો 4500 અને અને ASI જવાનનો 5000 રૂપિયાનું ભથ્થું વધશે. જ્યારે પોલીસ જવાનોમાં આ ગવર્નમેન્ટ રિઝોલ્યુનથ બાદ રોષ જોવા મળી રહ્યો છે કારણ કે પોલીસ જવાનોએ ગ્રેડ પેની માગણી કરી હતી. ગ્રેડ પે એટલે ભથ્થા સિવાય પોલીસ જવાનોને મળતું વધારાનો પગાર. 


શું છે ગ્રેડ પે અને શું હતી પોલીસ પરિવારની માગણી?

સાદી ભાષામાં સમજીએ તો ગ્રેડ પે એટલે પગારથી મળતી રકમ સિવાયનો અલગથી મળતો વિશેષ પગાર. પોલીસ પરિવારની માગણી છે કે કોન્સ્ટેબલનો 2800 રૂપિયા ગ્રેડ-પે, હેડ કોન્સ્ટેબલનો 3600 અને ASI જવાનનો 4200 રૂપિયાનો ગ્રેડ-પે મળે. જે માગણી માટે પોલીસ અને પોલીસ પરિવાર વર્ષોથી સરકાર સામે લડત લડી રહ્યા છે. 


કેવું હોય છે પોલીસ જવાનોનું પગારનું માળખું?

પોલીસ કોન્સ્ટેબલની જ્યારે નોકરી લાગે છે ત્યારે તેમનો પગાર ફિક્સ 19,950 રૂપિયા હોય છે. પાંચ વર્ષ બાદ પોલીસ કોન્સ્ટેબલ જવાન કાયમી થઈ જાય છે. કાયમી થયા બાદ પોલીસ કોન્સ્ટેબલનો 19,500 રૂપિયાનો પગાર ઘટીને 18,000 રૂપિયા થઈ જાય છે. ત્યારે પોલીસ પરિવારની માગણી છે કે, સરકાર કોન્સ્ટેબલ માટે 2800 રૂપિયા, હેડ કોન્સ્ટેબલ માટે 3600 અને ASI  જવાનનો 4200 રૂપિયાના ગ્રેડ-પે જાહેર કરે. 


જો સરકાર પોલીસની માગણી સ્વિકારે તો શું થશે?

જો ગુજરાત સરકાર પોલીસ માગણી સ્વિકારી લે તો 5 વર્ષના ફિક્સ પગાર બાદ પોલીસ કોન્સ્ટેબલનો પગાર 29,200, હેડ કોન્સ્ટેબલનો 35,400 અને ASI  જવાનનો પણ 35,400  રૂપિયા પગાર થઈ જશે. 


પોલીસ જવાન અને તેમનો પરિવાર વર્ષોથી ભથ્થા અને ગ્રેડ-પે બંને વધારવા માટે માગ કરી રહ્યા હતા જ્યારે હાલ સરકારે માત્ર ભથ્થામાં જ વધારો કર્યો છે. જેના કારણે પોલીસ જવાનો નારાજ છે. પોલીસ જવાનોની માગણી છે કે ભથ્થામાં વધારો કર્યો છે તેની સાથે ગ્રેડ-પેમાં પણ વધારો કરવામાં આવે. ગુજરાત પોલીસ સિવાય ગુજરાતના પુરુષ યુવાનો પણ એલઆરડીમાં મહિલા સમકક્ષ યોગ્યતા અને એસઆરપીએફ મુદ્દા મામલે લડાઈ લડી રહી છે. 

 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.