કેમ કાંતારાનો વીડિયો સોશિયલ મીડિયા પર મચાવી રહ્યો છે ધૂમ?


  • Published By :
  • Published Date : 2022-10-22 16:32:40

કર્ણાટકની ફિલ્મ કાંતારા ભારત સહિત દુનિયામાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ માત્ર 16 કરોડ રૂપિયામાં બની છે પરંતુ આ ફિલ્મે અત્યાર સુધીમાં 140 કરોડ રૂપિયાથી પણ વધારે રૂપિયાની કમાણી કરી લીધી છે. આમ તો કાંતારા ધૂમ કમાણી કરી રહી છે પણ તેમાં જે પરંપરા દેખાડવામાં આવી છે તેના કારણે આ ફિલ્મ વિવાદોમાં ફસાઈ ગઈ છે. પણ શું છે તે વિવાદ જેના કારણે કન્નડ અભિનેતા ચેતન પર ફરિયાદ કરવામાં આવી છે? શું છે વિવાદ? શું છે તે પરંપરા? શું છે ભૂતકોલા? ચાલો જમાવટ પર જાણીએ......


શા માટે વિવાદમાં ફસાઈ કાંતારા ફિલ્મ?

કન્નડ પોલીસનું કહેવું છે કે ઉડુપ્પી જિલ્લામાં કથિત રીતે હિંદુઓની ભાવના દુભાય તેવા દ્રશ્યો આ ફિલ્મની અંદર દેખાડવામાં આવ્યા છે. જેના કારણે ફરિયાદ નોંધાવાઈ છે. દક્ષિણમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે હિંદુ જાગરણ વેદિક નામનો એક સમૂહ જોડાયેલો છે. જેણે કાંતારા ફિલ્મમાં ભૂતકોલાની પરંપરા દેખાડવામાં આવી છે તેના પર અભિનેતા ચેતને જે નિવેદન આપ્યું છે તેની સામે વિરોધ નોંધાવ્યો છે. 


પણ એ ભૂતકોલા શું હોય છે?

કર્ણાટકના ગ્રામ્ય વિસ્તારના લોકો ભૂતકોલા નામની પ્રથા ઉજવે છે. ભૂતકોલા પ્રથામાં ગામના લોકો દેવની પૂજા કરે છે. પ્રથામાં પૂજા કરવામાં આવે છે અને ગામનો કોઈ વ્યક્તિ દેવની વેશભૂષા ધારણ કરે છે. માન્યતા મૂજબ આ વ્યક્તિ નૃત્ય કરે છે અને જ્યારે નૃત્ય કરે છે ત્યારે તે વ્યક્તિની અંદર આત્મા આવી જતી હોય છે. આ દરમિયાન તે વ્યક્તિ ગામના લોકોને આદેશ આપે છે અને જે આદેશ આ વ્યક્તિ આપે છે તે ભગવાનનો આદેશ માનવામાં આવે છે. કાંતારા ફિલ્મની સ્ટોરી લાઈન પણ આ પ્રથા પર જ આધારિત છે.   






ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.