કેમ કાંતારાનો વીડિયો સોશિયલ મીડિયા પર મચાવી રહ્યો છે ધૂમ?


  • Published By :
  • Published Date : 2022-10-22 16:32:40

કર્ણાટકની ફિલ્મ કાંતારા ભારત સહિત દુનિયામાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ માત્ર 16 કરોડ રૂપિયામાં બની છે પરંતુ આ ફિલ્મે અત્યાર સુધીમાં 140 કરોડ રૂપિયાથી પણ વધારે રૂપિયાની કમાણી કરી લીધી છે. આમ તો કાંતારા ધૂમ કમાણી કરી રહી છે પણ તેમાં જે પરંપરા દેખાડવામાં આવી છે તેના કારણે આ ફિલ્મ વિવાદોમાં ફસાઈ ગઈ છે. પણ શું છે તે વિવાદ જેના કારણે કન્નડ અભિનેતા ચેતન પર ફરિયાદ કરવામાં આવી છે? શું છે વિવાદ? શું છે તે પરંપરા? શું છે ભૂતકોલા? ચાલો જમાવટ પર જાણીએ......


શા માટે વિવાદમાં ફસાઈ કાંતારા ફિલ્મ?

કન્નડ પોલીસનું કહેવું છે કે ઉડુપ્પી જિલ્લામાં કથિત રીતે હિંદુઓની ભાવના દુભાય તેવા દ્રશ્યો આ ફિલ્મની અંદર દેખાડવામાં આવ્યા છે. જેના કારણે ફરિયાદ નોંધાવાઈ છે. દક્ષિણમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે હિંદુ જાગરણ વેદિક નામનો એક સમૂહ જોડાયેલો છે. જેણે કાંતારા ફિલ્મમાં ભૂતકોલાની પરંપરા દેખાડવામાં આવી છે તેના પર અભિનેતા ચેતને જે નિવેદન આપ્યું છે તેની સામે વિરોધ નોંધાવ્યો છે. 


પણ એ ભૂતકોલા શું હોય છે?

કર્ણાટકના ગ્રામ્ય વિસ્તારના લોકો ભૂતકોલા નામની પ્રથા ઉજવે છે. ભૂતકોલા પ્રથામાં ગામના લોકો દેવની પૂજા કરે છે. પ્રથામાં પૂજા કરવામાં આવે છે અને ગામનો કોઈ વ્યક્તિ દેવની વેશભૂષા ધારણ કરે છે. માન્યતા મૂજબ આ વ્યક્તિ નૃત્ય કરે છે અને જ્યારે નૃત્ય કરે છે ત્યારે તે વ્યક્તિની અંદર આત્મા આવી જતી હોય છે. આ દરમિયાન તે વ્યક્તિ ગામના લોકોને આદેશ આપે છે અને જે આદેશ આ વ્યક્તિ આપે છે તે ભગવાનનો આદેશ માનવામાં આવે છે. કાંતારા ફિલ્મની સ્ટોરી લાઈન પણ આ પ્રથા પર જ આધારિત છે.   






રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .