કેમ કાંતારાનો વીડિયો સોશિયલ મીડિયા પર મચાવી રહ્યો છે ધૂમ?


  • Published By :
  • Published Date : 2022-10-22 16:32:40

કર્ણાટકની ફિલ્મ કાંતારા ભારત સહિત દુનિયામાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ માત્ર 16 કરોડ રૂપિયામાં બની છે પરંતુ આ ફિલ્મે અત્યાર સુધીમાં 140 કરોડ રૂપિયાથી પણ વધારે રૂપિયાની કમાણી કરી લીધી છે. આમ તો કાંતારા ધૂમ કમાણી કરી રહી છે પણ તેમાં જે પરંપરા દેખાડવામાં આવી છે તેના કારણે આ ફિલ્મ વિવાદોમાં ફસાઈ ગઈ છે. પણ શું છે તે વિવાદ જેના કારણે કન્નડ અભિનેતા ચેતન પર ફરિયાદ કરવામાં આવી છે? શું છે વિવાદ? શું છે તે પરંપરા? શું છે ભૂતકોલા? ચાલો જમાવટ પર જાણીએ......


શા માટે વિવાદમાં ફસાઈ કાંતારા ફિલ્મ?

કન્નડ પોલીસનું કહેવું છે કે ઉડુપ્પી જિલ્લામાં કથિત રીતે હિંદુઓની ભાવના દુભાય તેવા દ્રશ્યો આ ફિલ્મની અંદર દેખાડવામાં આવ્યા છે. જેના કારણે ફરિયાદ નોંધાવાઈ છે. દક્ષિણમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે હિંદુ જાગરણ વેદિક નામનો એક સમૂહ જોડાયેલો છે. જેણે કાંતારા ફિલ્મમાં ભૂતકોલાની પરંપરા દેખાડવામાં આવી છે તેના પર અભિનેતા ચેતને જે નિવેદન આપ્યું છે તેની સામે વિરોધ નોંધાવ્યો છે. 


પણ એ ભૂતકોલા શું હોય છે?

કર્ણાટકના ગ્રામ્ય વિસ્તારના લોકો ભૂતકોલા નામની પ્રથા ઉજવે છે. ભૂતકોલા પ્રથામાં ગામના લોકો દેવની પૂજા કરે છે. પ્રથામાં પૂજા કરવામાં આવે છે અને ગામનો કોઈ વ્યક્તિ દેવની વેશભૂષા ધારણ કરે છે. માન્યતા મૂજબ આ વ્યક્તિ નૃત્ય કરે છે અને જ્યારે નૃત્ય કરે છે ત્યારે તે વ્યક્તિની અંદર આત્મા આવી જતી હોય છે. આ દરમિયાન તે વ્યક્તિ ગામના લોકોને આદેશ આપે છે અને જે આદેશ આ વ્યક્તિ આપે છે તે ભગવાનનો આદેશ માનવામાં આવે છે. કાંતારા ફિલ્મની સ્ટોરી લાઈન પણ આ પ્રથા પર જ આધારિત છે.   






ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે