શા માટે મહાદેવજીને નથી ચઢાવવામાં આવતું કેવડાનું ફૂલ? જાણો તેની સાથે જોડાયેલી કથા


  • Published By :
  • Published Date : 2023-01-01 17:00:58

દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા અનેક પ્રકારના યજ્ઞ, પૂજા, સ્તુતિ કરવામાં આવે છે. ઉપરાંત જુદા-જુદા પ્રકારની સામગ્રીઓ ચડાવવામાં આવે છે. કોઈ પણ દેવતાની પૂજા ફૂલોનું વિશેષ મહત્વ રહેલું છે. શિવજીને બિલીપત્ર વધારે પ્રિય હોય છે. એવું માનવામાં આવે છે કે પૂજા દરમિયાન ભગવાનને પ્રિય વસ્તુ અર્પણ કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. જેમ ભગવાન ગણપતિને ક્યારે પણ તુલસી અર્પણ કરવામાં નથી આવતી તેવી જ રાીતે શિવજીને ક્યારે પણ કેવડો ચઢાવવામાં આવતો નથી. 


સોમવાર ભગવાન શંકરને સમર્પિત હોય છે. સોમવારે ભગવાન શંકરની પૂજા કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. પૂજા દરમિયાન જુદા જુદા પ્રકારની સામગ્રીઓ ચડાવીને ભગવાનના આશીર્વાદ મેળવી શકાય છે. ભોલેનાથને પ્રસન્ન કરવા બિલીપત્ર અર્પણ કરવામાં આવે છે. પરંતુ મહાદેવજીની પૂજામાં ક્યારે પણ કેવડાનો ઉપયોગ કરવામાં આવતો નથી. પ્રચલિત કથા અનુસાર ભગવાન શંકરે કેવડાને શ્રાપ આપ્યો હતો જેને કારણે મહાદેવજીની પૂજા દરમિયાન કેવડાનો ઉપયોગ કરવો નિષેદ છે.


ઘરમાં શિવલિંગ હોય તો ભૂલથી પણ ન કરો આ કામ, નહી તો.... - GSTV


પ્રચલિત કથા અનુસાર સૃષ્ટિના પ્રારંભ વખતે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુજી વચ્ચે વિવાદ સર્જાયો હતો. બંને દેવતાઓ વચ્ચે વિવાદ છેડાયો કે બંનેમાંથી શ્રેષ્ઠ કોણ? બ્રહ્માજીએ કહ્યું કે આ સૃષ્ટિનું નિર્માણ મેં ક્યું છે જેને કારણે હું મહાન છું. આ વાત પર ભગવાન વિષ્ણુએ કહ્યું કે આ સૃષ્ટિનું સંચાલન હું કરું છું જેથી હું શ્રેષ્ઠ છું. 


Saawan Katha: Origin of Brahma and Vishnu controversy of rights - सावन कथा  5: ब्रह्मा और विष्णु जी की उत्पत्ति, अधिकारों का विवाद


વિવાદ ચાલી રહ્યો હતો કે તે સમયે બંનેની સામે એક મોટું શિવલિંગ પ્રગટ થયું. અને આકાશવાણી થઈ કે આ શિવલિંગનો છેડો જેને મળશે તે સર્વશ્રેષ્ઠ હશે. અનેક પ્રયત્નો કરવા છતાંય વિષ્ણુ ભગવાનને શિવલિંગનો છેડો ન મળ્યો. બ્રહ્માજીને પણ શિવલિંગનો છેડો ન મળ્યો. પરંતુ બ્રહ્માજીએ છલ કર્યું અને કહ્યું કે મને શિવલિંગનો છેડો મળી ગયો છે. આ ઘટનાનો સાક્ષી કેતકી એટલે કે કેવડો બન્યો. ધતૂરાએ બ્રહ્માજીની વાતને સમર્થન આપ્યું. 


Heath Tips: પુરુષો માટે વરદાન છે શિવજીનો પ્રિય ધતૂરો, ઔષધિના રૂપમાં પ્રયોગ  કરશો તો વધારશે તાકાત | Health News in Gujarati


બંનેની વાત સાંભળી મહાદેવજી સ્વયં પ્રગટ થયા. મહાદેવજીએ બ્રહ્માજીને ઠપકો આપ્યો. બંને દેવોએ મળીને મહાદેવની આરાધના કરી હતી. મહાદેવજીએ કહ્યું કે હું જ આ સૃષ્ટિનો કરતા ધરતા છું. મારી જ પ્રેરણાથી તમે સંચાલન કરો છો. બ્રહ્માજીના જૂઠ્ઠમાં કેવડાએ સાથ આપ્યો હતો. જેને કારણે મહાદેવજીએ કેવડાને શ્રાપ આપ્યો હતો. અને કહ્યું કે આજથી મારી પૂજામાં ક્યારે પણ તેનો ઉપયોગ નહીં કરવામાં આવે. અને આ કારણથી જ શિવજીને કેવડાના ફૂલ અર્પણ કરવામાં આવતો નથી. 




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .