શા માટે મહાદેવજીને નથી ચઢાવવામાં આવતું કેવડાનું ફૂલ? જાણો તેની સાથે જોડાયેલી કથા


  • Published By :
  • Published Date : 2023-01-01 17:00:58

દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા અનેક પ્રકારના યજ્ઞ, પૂજા, સ્તુતિ કરવામાં આવે છે. ઉપરાંત જુદા-જુદા પ્રકારની સામગ્રીઓ ચડાવવામાં આવે છે. કોઈ પણ દેવતાની પૂજા ફૂલોનું વિશેષ મહત્વ રહેલું છે. શિવજીને બિલીપત્ર વધારે પ્રિય હોય છે. એવું માનવામાં આવે છે કે પૂજા દરમિયાન ભગવાનને પ્રિય વસ્તુ અર્પણ કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. જેમ ભગવાન ગણપતિને ક્યારે પણ તુલસી અર્પણ કરવામાં નથી આવતી તેવી જ રાીતે શિવજીને ક્યારે પણ કેવડો ચઢાવવામાં આવતો નથી. 


સોમવાર ભગવાન શંકરને સમર્પિત હોય છે. સોમવારે ભગવાન શંકરની પૂજા કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. પૂજા દરમિયાન જુદા જુદા પ્રકારની સામગ્રીઓ ચડાવીને ભગવાનના આશીર્વાદ મેળવી શકાય છે. ભોલેનાથને પ્રસન્ન કરવા બિલીપત્ર અર્પણ કરવામાં આવે છે. પરંતુ મહાદેવજીની પૂજામાં ક્યારે પણ કેવડાનો ઉપયોગ કરવામાં આવતો નથી. પ્રચલિત કથા અનુસાર ભગવાન શંકરે કેવડાને શ્રાપ આપ્યો હતો જેને કારણે મહાદેવજીની પૂજા દરમિયાન કેવડાનો ઉપયોગ કરવો નિષેદ છે.


ઘરમાં શિવલિંગ હોય તો ભૂલથી પણ ન કરો આ કામ, નહી તો.... - GSTV


પ્રચલિત કથા અનુસાર સૃષ્ટિના પ્રારંભ વખતે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુજી વચ્ચે વિવાદ સર્જાયો હતો. બંને દેવતાઓ વચ્ચે વિવાદ છેડાયો કે બંનેમાંથી શ્રેષ્ઠ કોણ? બ્રહ્માજીએ કહ્યું કે આ સૃષ્ટિનું નિર્માણ મેં ક્યું છે જેને કારણે હું મહાન છું. આ વાત પર ભગવાન વિષ્ણુએ કહ્યું કે આ સૃષ્ટિનું સંચાલન હું કરું છું જેથી હું શ્રેષ્ઠ છું. 


Saawan Katha: Origin of Brahma and Vishnu controversy of rights - सावन कथा  5: ब्रह्मा और विष्णु जी की उत्पत्ति, अधिकारों का विवाद


વિવાદ ચાલી રહ્યો હતો કે તે સમયે બંનેની સામે એક મોટું શિવલિંગ પ્રગટ થયું. અને આકાશવાણી થઈ કે આ શિવલિંગનો છેડો જેને મળશે તે સર્વશ્રેષ્ઠ હશે. અનેક પ્રયત્નો કરવા છતાંય વિષ્ણુ ભગવાનને શિવલિંગનો છેડો ન મળ્યો. બ્રહ્માજીને પણ શિવલિંગનો છેડો ન મળ્યો. પરંતુ બ્રહ્માજીએ છલ કર્યું અને કહ્યું કે મને શિવલિંગનો છેડો મળી ગયો છે. આ ઘટનાનો સાક્ષી કેતકી એટલે કે કેવડો બન્યો. ધતૂરાએ બ્રહ્માજીની વાતને સમર્થન આપ્યું. 


Heath Tips: પુરુષો માટે વરદાન છે શિવજીનો પ્રિય ધતૂરો, ઔષધિના રૂપમાં પ્રયોગ  કરશો તો વધારશે તાકાત | Health News in Gujarati


બંનેની વાત સાંભળી મહાદેવજી સ્વયં પ્રગટ થયા. મહાદેવજીએ બ્રહ્માજીને ઠપકો આપ્યો. બંને દેવોએ મળીને મહાદેવની આરાધના કરી હતી. મહાદેવજીએ કહ્યું કે હું જ આ સૃષ્ટિનો કરતા ધરતા છું. મારી જ પ્રેરણાથી તમે સંચાલન કરો છો. બ્રહ્માજીના જૂઠ્ઠમાં કેવડાએ સાથ આપ્યો હતો. જેને કારણે મહાદેવજીએ કેવડાને શ્રાપ આપ્યો હતો. અને કહ્યું કે આજથી મારી પૂજામાં ક્યારે પણ તેનો ઉપયોગ નહીં કરવામાં આવે. અને આ કારણથી જ શિવજીને કેવડાના ફૂલ અર્પણ કરવામાં આવતો નથી. 




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.