પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ સૌથી વધારે Jamnagarમાં કેમ? સૌરાષ્ટ્રની અનેક બેઠકોની મુલાકાત લીધા બાદ Devanshi Joshiએ આ મામલે શું કહ્યું સાંભળો?


  • Published By :
  • Published Date : 2024-04-27 16:19:35

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા એક નિવેદનને કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.. પરષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો.. ક્ષત્રિય સમાજ દ્વારા શરૂ કરવામાં આવેલા વિરોધ ધીરે ધીરે ભાજપના વિરોધમાં ફેરવાઈ ગયું. અનેક જગ્યાઓ પરથી વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે જામનગરમાં ફરી એક વખત પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડ્યો છે. નવાગામ, જામજોધપુર સહિતની જગ્યાઓ પર વિરોધ કરવામાં આવી રહ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા.. ભાજપના ઉમેદવાર તેમજ વર્તમાન સાંસદ પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.... 

વિરોધના દ્રશ્યો જામનગરથી વધારે આવી રહ્યા છે સામે 

ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક વખત પ્રયત્નો કરવામાં આવ્યા કે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિરોધ શાંત થાય... ભાજપના નેતાઓ વિવાદને ડામવા મેદાનમાં આવ્યા એ પછી સી.આર.પાટીલ હોય કે પછી હર્ષ સંઘવી.. ચૂંટણી પહેલા આ વિરોધ શાંત થઈ જાય તે માટેના પ્રયત્નો કરાયા પરંતુ વિવાદ છે કે શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યો છે... ભાજપના અનેક ઉમેદવારોને, નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.. જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને અનેક વખત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે...


પરષોત્તમ રૂપાલાને નથી કરવો પડ્યો વિરોધનો સામનો     

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ ગુજરાતની અનેક લોકસભા બેઠકો પર જોવા મળી રહ્યો છે... સૌરાષ્ટ્રની મોટા ભાગની બેઠકો પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.. સૌથી ઓછો વિરોધ જો ક્યાંક થઈ રહ્યો છે તે બેઠક છે રાજકોટ લોકસભા બેઠક.... પરષોત્તમ રૂપાલાની સભા હોય અને તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હોય તેવા દ્રશ્યો સામે નથી આવ્યા.. પરષોત્તમ રૂપાલાની સભામાં વિરોધ થયો હોય, તેમની સભાને રદ્દ કરવી પડી હોય તેવા સમાચાર સામાન્ય રીતે સામે નથી આવ્યા..

 

ભાજપનું ઈન્ટરલ પોલિટિક્સ સામે  આવ્યું? 

જામનગર લોકસભા બેઠક પરથી આવા વિરોધના દ્રશ્યો અવાર-નવાર સામે આવી રહ્યા છે.... જામનગરમાં થઈ રહેલો વિરોધ શું ભાજપને કોઈ ઈશારો આપવા માંગે છે? 2014થી જામનગરના સાંસદ પૂનમબેન માડમ છે અને આ વખતે પણ તેઓ ત્યાંથી ઉમેદવાર છે... જો દ્રશ્યો સામે આવી રહ્યા છે ભાજપના ઈન્ટરનલ પોલિટિક્સ પર કરી રહ્યા છે.. ભાજપમાં રહેલા ક્ષત્રિય સમાજના નેતાઓ દ્વારા આ વિવાદને શાંત કરવા માટે પ્રયત્નો કરવામાં નથી આવ્યા... ક્ષત્રિય નેતાઓ દ્વારા એવા પગલા નથી લેવાયા કે જે વિવાદને શાંત કરવામાં ઉપયોગી હોઈ શકે છે... 


પૂનમ માડમ છે જામનગર ભાજપના ઉમેદવાર 

કચ્છમાં ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે વિનોદ ચાવડાને, જામનગરમાં પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે... જમાવટની ટીમ જ્યારે ઈલેક્શન યાત્રા દરમિયાન અનેક બેઠકોના વિસ્તારોમાં ફરી ત્યારે ત્યાંના સ્થાનિકોએ જણાવ્યું કે ભાજપમાં રહેલા ક્ષત્રિય નેતાઓ તેમને સમજાવવા નથી આવ્યું કે વિરોધ ના કરો..  જામનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વધારે કરાઈ રહ્યો છે વિરોધ? 



શું ભાજપમાં રહેલા ક્ષત્રિય નેતાઓ ખુલીને બોલી રહ્યા છે ખરા?

પ્રશ્ન થાય કે નિવેદન આપ્યું પરષોત્તમ રૂપાલાએ તો આવા વિરોધના દ્રશ્યો શા માટે જામનગરથી સામે આવે છે તો તેનો જવાબ છે કારણ કે ભાજપમાં રહેલા ક્ષત્રિય સમાજના નેતા ગ્રાઉન્ડ પર જઈ લોકોને સમજાવાની કોશિશ નથી કરી રહ્યા કે વિરોધ ના કરવો જોઈએ.. ભાજપના ક્ષત્રિય નેતાઓએ ખુલ્લીને નિવેદન નથી આપ્યું આ વિવાદને લઈ... જ્યારે આને લઈ ક્ષત્રિય સમાજના વસતા લોકોના ગામડામાં ગયા ત્યારે તેઓએ કહ્યું કે તેઓ ખુલીને નથી બોલતા પણ અંદરખાને તેઓ પણ આંદોલનના સમર્થનમાં જ છે...!  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.