પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ સૌથી વધારે Jamnagarમાં કેમ? સૌરાષ્ટ્રની અનેક બેઠકોની મુલાકાત લીધા બાદ Devanshi Joshiએ આ મામલે શું કહ્યું સાંભળો?


  • Published By :
  • Published Date : 2024-04-27 16:19:35

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા એક નિવેદનને કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.. પરષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો.. ક્ષત્રિય સમાજ દ્વારા શરૂ કરવામાં આવેલા વિરોધ ધીરે ધીરે ભાજપના વિરોધમાં ફેરવાઈ ગયું. અનેક જગ્યાઓ પરથી વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે જામનગરમાં ફરી એક વખત પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડ્યો છે. નવાગામ, જામજોધપુર સહિતની જગ્યાઓ પર વિરોધ કરવામાં આવી રહ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા.. ભાજપના ઉમેદવાર તેમજ વર્તમાન સાંસદ પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.... 

વિરોધના દ્રશ્યો જામનગરથી વધારે આવી રહ્યા છે સામે 

ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક વખત પ્રયત્નો કરવામાં આવ્યા કે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિરોધ શાંત થાય... ભાજપના નેતાઓ વિવાદને ડામવા મેદાનમાં આવ્યા એ પછી સી.આર.પાટીલ હોય કે પછી હર્ષ સંઘવી.. ચૂંટણી પહેલા આ વિરોધ શાંત થઈ જાય તે માટેના પ્રયત્નો કરાયા પરંતુ વિવાદ છે કે શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યો છે... ભાજપના અનેક ઉમેદવારોને, નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.. જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને અનેક વખત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે...


પરષોત્તમ રૂપાલાને નથી કરવો પડ્યો વિરોધનો સામનો     

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ ગુજરાતની અનેક લોકસભા બેઠકો પર જોવા મળી રહ્યો છે... સૌરાષ્ટ્રની મોટા ભાગની બેઠકો પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.. સૌથી ઓછો વિરોધ જો ક્યાંક થઈ રહ્યો છે તે બેઠક છે રાજકોટ લોકસભા બેઠક.... પરષોત્તમ રૂપાલાની સભા હોય અને તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હોય તેવા દ્રશ્યો સામે નથી આવ્યા.. પરષોત્તમ રૂપાલાની સભામાં વિરોધ થયો હોય, તેમની સભાને રદ્દ કરવી પડી હોય તેવા સમાચાર સામાન્ય રીતે સામે નથી આવ્યા..

 

ભાજપનું ઈન્ટરલ પોલિટિક્સ સામે  આવ્યું? 

જામનગર લોકસભા બેઠક પરથી આવા વિરોધના દ્રશ્યો અવાર-નવાર સામે આવી રહ્યા છે.... જામનગરમાં થઈ રહેલો વિરોધ શું ભાજપને કોઈ ઈશારો આપવા માંગે છે? 2014થી જામનગરના સાંસદ પૂનમબેન માડમ છે અને આ વખતે પણ તેઓ ત્યાંથી ઉમેદવાર છે... જો દ્રશ્યો સામે આવી રહ્યા છે ભાજપના ઈન્ટરનલ પોલિટિક્સ પર કરી રહ્યા છે.. ભાજપમાં રહેલા ક્ષત્રિય સમાજના નેતાઓ દ્વારા આ વિવાદને શાંત કરવા માટે પ્રયત્નો કરવામાં નથી આવ્યા... ક્ષત્રિય નેતાઓ દ્વારા એવા પગલા નથી લેવાયા કે જે વિવાદને શાંત કરવામાં ઉપયોગી હોઈ શકે છે... 


પૂનમ માડમ છે જામનગર ભાજપના ઉમેદવાર 

કચ્છમાં ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે વિનોદ ચાવડાને, જામનગરમાં પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે... જમાવટની ટીમ જ્યારે ઈલેક્શન યાત્રા દરમિયાન અનેક બેઠકોના વિસ્તારોમાં ફરી ત્યારે ત્યાંના સ્થાનિકોએ જણાવ્યું કે ભાજપમાં રહેલા ક્ષત્રિય નેતાઓ તેમને સમજાવવા નથી આવ્યું કે વિરોધ ના કરો..  જામનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વધારે કરાઈ રહ્યો છે વિરોધ? 



શું ભાજપમાં રહેલા ક્ષત્રિય નેતાઓ ખુલીને બોલી રહ્યા છે ખરા?

પ્રશ્ન થાય કે નિવેદન આપ્યું પરષોત્તમ રૂપાલાએ તો આવા વિરોધના દ્રશ્યો શા માટે જામનગરથી સામે આવે છે તો તેનો જવાબ છે કારણ કે ભાજપમાં રહેલા ક્ષત્રિય સમાજના નેતા ગ્રાઉન્ડ પર જઈ લોકોને સમજાવાની કોશિશ નથી કરી રહ્યા કે વિરોધ ના કરવો જોઈએ.. ભાજપના ક્ષત્રિય નેતાઓએ ખુલ્લીને નિવેદન નથી આપ્યું આ વિવાદને લઈ... જ્યારે આને લઈ ક્ષત્રિય સમાજના વસતા લોકોના ગામડામાં ગયા ત્યારે તેઓએ કહ્યું કે તેઓ ખુલીને નથી બોલતા પણ અંદરખાને તેઓ પણ આંદોલનના સમર્થનમાં જ છે...!  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.