Kapil Sibalએ શા માટે લખ્યું કે 'BJP નફરતનું ઈનામ આપે છે', જે સાંસદે અભદ્ર ભાષાનો કર્યો હતો ઉપયોગ તે નિભાવશે આ ભૂમિકા, જાણો


  • Published By :
  • Published Date : 2023-09-28 12:27:24

સંસદમાં જ્યારે વિશેષ સત્રનું આયોજન થયું હતું ત્યારે અનેક બિલ પાસ થયા હતા. પરંતુ સંસદમાં બીજેપીના સાંસદ રમેશ બિધૂડીએ બીએસપી સાંસદ માટે અપમાનજનક શબ્દો સંસદમાં વાપર્યા હતા. ભાષણ આપતી વખતે સાંસદ પોતાની મર્યાદા ભૂલી ગયા હોય તેવું લાગ્યું હતું. સાંસદના ભાષણ  બાદ રાજનેતાઓએ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી હતી. સાંસદ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. ત્યારે ભાજપે સાંસદ રમેશ બિધૂડીને નવી જવાબદારી સોંપી છે.ચૂંટણી પ્રભારી તરીકેની જવાબદારી તેમને રાજસ્થાનમાં આપવામાં આવી છે. 

BJP MP Abuses: ભાજપના સાંસદ રમેશ બિધૂડીએ BSP સાંસદ દાનિશ અલીને કહ્યાં  અપશબ્દ, લોકસભા અધ્યક્ષની ચેતવણી- ફરી આવું થયું તો.. - BJP MP Ramesh Bidhudi  abuses BSP MP Danish ...

રમેશ બિધૂડીને સોંપવામાં આવી રાજસ્થાનની જવાબદારી 

ભાજપના સાંસદ સંસદમાં ભાષાની મર્યાદા ભૂલ્યા હોય તેવી રીતે વિશેષ સત્રમાં ભાષણ આપ્યું હતું. બીએસપી સાંસદ માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. સાંસદ વિરૂદ્ધ પગલા લેવામાં આવે તેવી માગ વિપક્ષ દ્વારા કરવામાં આવી. પત્ર પણ લખવામાં આવ્યો પરંતુ તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ભાજપ દ્વારા પણ કોઈ શિક્ષાત્મક પગલા લેવામાં આવ્યા ન હતા. અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. અલગ અલગ જગ્યાઓની જવાબદારી અલગ અલગ લોકોને આપવામાં આવી છે. ત્યારે રાજસ્થાનના ટોંકના ચૂંટણી પ્રભારી તરીકેની જવાબદારી રમેશ બિધૂડીને આપવામાં આવી છે.

ramesh bidhuri appointed as bjp election in charge of  tonk constituency rajasthan amid abusive remark row

 

ચૂંટણી પ્રભારી બનાવી દેવાતા વિપક્ષે કર્યા આકરા પ્રહાર 

રમેશ બિધૂડીને પ્રભારી તરીકેની જવાબદારી સોંપાતા વિપક્ષ દ્વારા નિશાન સાધવામાં આવી રહ્યું છે. લોકસભા સાંસદ મહુઆ મોઈત્રાએ સોશિયલ મીડિયા પર આ અંગે સરકારને ઘેરી છે. તેમણે લખ્યું કે બીજેપીએ બિધૂ઼ીને એક મુસ્લિમ સાંસદ વિરૂદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીનું તેમને ઈનામ આપવામાં આવ્યું છે. તો આ મુદ્દે જયરામ રમેશે પણ પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ આ બધું બકવાસ છે. તો કપિલ સિબ્બલે કહ્યું કે બીજેપીએ નફરતનું ઈનામ આપ્યું છે. 



 

શું હતો સમગ્ર મામલો?    

રમેશ બિધૂડીએ સંસદમાં ચંદ્રયાન-3ની સફળતા વિશે ચર્ચા ચાલી રહી હતી. ત્યારે તેમણે પોતાના ભાષણ કહ્યું કે પીએમને શ્રેય આપવો જોઈએ કારણ કે તેમણે કામ કર્યું છે. આ દરમિયાન સાંસદ દાનિશનો અવાજ સાંભળીને બિધૂડી ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે દાનિશને ઉગ્રવાદી કહ્યા હતા. આ બાદ ટ્વિટર પર રમેશ બિધૂડી જિંદાબાદ પણ ટ્રેન્ડ થયું હતું. 



IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .