Kapil Sibalએ શા માટે લખ્યું કે 'BJP નફરતનું ઈનામ આપે છે', જે સાંસદે અભદ્ર ભાષાનો કર્યો હતો ઉપયોગ તે નિભાવશે આ ભૂમિકા, જાણો


  • Published By :
  • Published Date : 2023-09-28 12:27:24

સંસદમાં જ્યારે વિશેષ સત્રનું આયોજન થયું હતું ત્યારે અનેક બિલ પાસ થયા હતા. પરંતુ સંસદમાં બીજેપીના સાંસદ રમેશ બિધૂડીએ બીએસપી સાંસદ માટે અપમાનજનક શબ્દો સંસદમાં વાપર્યા હતા. ભાષણ આપતી વખતે સાંસદ પોતાની મર્યાદા ભૂલી ગયા હોય તેવું લાગ્યું હતું. સાંસદના ભાષણ  બાદ રાજનેતાઓએ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી હતી. સાંસદ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. ત્યારે ભાજપે સાંસદ રમેશ બિધૂડીને નવી જવાબદારી સોંપી છે.ચૂંટણી પ્રભારી તરીકેની જવાબદારી તેમને રાજસ્થાનમાં આપવામાં આવી છે. 

BJP MP Abuses: ભાજપના સાંસદ રમેશ બિધૂડીએ BSP સાંસદ દાનિશ અલીને કહ્યાં  અપશબ્દ, લોકસભા અધ્યક્ષની ચેતવણી- ફરી આવું થયું તો.. - BJP MP Ramesh Bidhudi  abuses BSP MP Danish ...

રમેશ બિધૂડીને સોંપવામાં આવી રાજસ્થાનની જવાબદારી 

ભાજપના સાંસદ સંસદમાં ભાષાની મર્યાદા ભૂલ્યા હોય તેવી રીતે વિશેષ સત્રમાં ભાષણ આપ્યું હતું. બીએસપી સાંસદ માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. સાંસદ વિરૂદ્ધ પગલા લેવામાં આવે તેવી માગ વિપક્ષ દ્વારા કરવામાં આવી. પત્ર પણ લખવામાં આવ્યો પરંતુ તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ભાજપ દ્વારા પણ કોઈ શિક્ષાત્મક પગલા લેવામાં આવ્યા ન હતા. અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. અલગ અલગ જગ્યાઓની જવાબદારી અલગ અલગ લોકોને આપવામાં આવી છે. ત્યારે રાજસ્થાનના ટોંકના ચૂંટણી પ્રભારી તરીકેની જવાબદારી રમેશ બિધૂડીને આપવામાં આવી છે.

ramesh bidhuri appointed as bjp election in charge of  tonk constituency rajasthan amid abusive remark row

 

ચૂંટણી પ્રભારી બનાવી દેવાતા વિપક્ષે કર્યા આકરા પ્રહાર 

રમેશ બિધૂડીને પ્રભારી તરીકેની જવાબદારી સોંપાતા વિપક્ષ દ્વારા નિશાન સાધવામાં આવી રહ્યું છે. લોકસભા સાંસદ મહુઆ મોઈત્રાએ સોશિયલ મીડિયા પર આ અંગે સરકારને ઘેરી છે. તેમણે લખ્યું કે બીજેપીએ બિધૂ઼ીને એક મુસ્લિમ સાંસદ વિરૂદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીનું તેમને ઈનામ આપવામાં આવ્યું છે. તો આ મુદ્દે જયરામ રમેશે પણ પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ આ બધું બકવાસ છે. તો કપિલ સિબ્બલે કહ્યું કે બીજેપીએ નફરતનું ઈનામ આપ્યું છે. 



 

શું હતો સમગ્ર મામલો?    

રમેશ બિધૂડીએ સંસદમાં ચંદ્રયાન-3ની સફળતા વિશે ચર્ચા ચાલી રહી હતી. ત્યારે તેમણે પોતાના ભાષણ કહ્યું કે પીએમને શ્રેય આપવો જોઈએ કારણ કે તેમણે કામ કર્યું છે. આ દરમિયાન સાંસદ દાનિશનો અવાજ સાંભળીને બિધૂડી ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે દાનિશને ઉગ્રવાદી કહ્યા હતા. આ બાદ ટ્વિટર પર રમેશ બિધૂડી જિંદાબાદ પણ ટ્રેન્ડ થયું હતું. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .