Kapil Sibalએ શા માટે લખ્યું કે 'BJP નફરતનું ઈનામ આપે છે', જે સાંસદે અભદ્ર ભાષાનો કર્યો હતો ઉપયોગ તે નિભાવશે આ ભૂમિકા, જાણો


  • Published By :
  • Published Date : 2023-09-28 12:27:24

સંસદમાં જ્યારે વિશેષ સત્રનું આયોજન થયું હતું ત્યારે અનેક બિલ પાસ થયા હતા. પરંતુ સંસદમાં બીજેપીના સાંસદ રમેશ બિધૂડીએ બીએસપી સાંસદ માટે અપમાનજનક શબ્દો સંસદમાં વાપર્યા હતા. ભાષણ આપતી વખતે સાંસદ પોતાની મર્યાદા ભૂલી ગયા હોય તેવું લાગ્યું હતું. સાંસદના ભાષણ  બાદ રાજનેતાઓએ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી હતી. સાંસદ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. ત્યારે ભાજપે સાંસદ રમેશ બિધૂડીને નવી જવાબદારી સોંપી છે.ચૂંટણી પ્રભારી તરીકેની જવાબદારી તેમને રાજસ્થાનમાં આપવામાં આવી છે. 

BJP MP Abuses: ભાજપના સાંસદ રમેશ બિધૂડીએ BSP સાંસદ દાનિશ અલીને કહ્યાં  અપશબ્દ, લોકસભા અધ્યક્ષની ચેતવણી- ફરી આવું થયું તો.. - BJP MP Ramesh Bidhudi  abuses BSP MP Danish ...

રમેશ બિધૂડીને સોંપવામાં આવી રાજસ્થાનની જવાબદારી 

ભાજપના સાંસદ સંસદમાં ભાષાની મર્યાદા ભૂલ્યા હોય તેવી રીતે વિશેષ સત્રમાં ભાષણ આપ્યું હતું. બીએસપી સાંસદ માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. સાંસદ વિરૂદ્ધ પગલા લેવામાં આવે તેવી માગ વિપક્ષ દ્વારા કરવામાં આવી. પત્ર પણ લખવામાં આવ્યો પરંતુ તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ભાજપ દ્વારા પણ કોઈ શિક્ષાત્મક પગલા લેવામાં આવ્યા ન હતા. અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. અલગ અલગ જગ્યાઓની જવાબદારી અલગ અલગ લોકોને આપવામાં આવી છે. ત્યારે રાજસ્થાનના ટોંકના ચૂંટણી પ્રભારી તરીકેની જવાબદારી રમેશ બિધૂડીને આપવામાં આવી છે.

ramesh bidhuri appointed as bjp election in charge of  tonk constituency rajasthan amid abusive remark row

 

ચૂંટણી પ્રભારી બનાવી દેવાતા વિપક્ષે કર્યા આકરા પ્રહાર 

રમેશ બિધૂડીને પ્રભારી તરીકેની જવાબદારી સોંપાતા વિપક્ષ દ્વારા નિશાન સાધવામાં આવી રહ્યું છે. લોકસભા સાંસદ મહુઆ મોઈત્રાએ સોશિયલ મીડિયા પર આ અંગે સરકારને ઘેરી છે. તેમણે લખ્યું કે બીજેપીએ બિધૂ઼ીને એક મુસ્લિમ સાંસદ વિરૂદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીનું તેમને ઈનામ આપવામાં આવ્યું છે. તો આ મુદ્દે જયરામ રમેશે પણ પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ આ બધું બકવાસ છે. તો કપિલ સિબ્બલે કહ્યું કે બીજેપીએ નફરતનું ઈનામ આપ્યું છે. 



 

શું હતો સમગ્ર મામલો?    

રમેશ બિધૂડીએ સંસદમાં ચંદ્રયાન-3ની સફળતા વિશે ચર્ચા ચાલી રહી હતી. ત્યારે તેમણે પોતાના ભાષણ કહ્યું કે પીએમને શ્રેય આપવો જોઈએ કારણ કે તેમણે કામ કર્યું છે. આ દરમિયાન સાંસદ દાનિશનો અવાજ સાંભળીને બિધૂડી ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે દાનિશને ઉગ્રવાદી કહ્યા હતા. આ બાદ ટ્વિટર પર રમેશ બિધૂડી જિંદાબાદ પણ ટ્રેન્ડ થયું હતું. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.