ભગવાન વિષ્ણુને કેમ કહેવાય છે ચતુર્ભુજ? જાણો ચાર હાથમાં શું કરે છે ભગવાન ધારણ


  • Published By :
  • Published Date : 2023-01-31 17:29:58

આપણે ત્યાં ત્રિ-દેવને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ભગવાન બ્રહ્માને સૃષ્ટિના રયૈતા માનવામાં આવે છે, ભગવાન વિષ્ણુને પાલનહાર માનવામાં આવે છે તો દેવાધિ દેવ મહાદેવને સંહારના દેવ માનવામાં આવે છે. મૂર્તિના રૂપમાં આપણે ભગવાન વિષ્ણુની પૂજા કરતા હોઈએ છીએ. ભગવાન વિષ્ણુને ચતુરભૂજ અવતારમાં બતાવામાં આવ્યા છે. મતલબ ભગવાન વિષ્ણુને ચાર હાથ હોય છે. 


અનેક અવતાર લઈ ધર્મની કરે છે રક્ષા  

ભગવાન વિષ્ણુ સંપૂર્ણ બ્રહ્માંડનું પાલન કરનાર દેવ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પણ અધર્મ વધી જાય છે ત્યારે ભગવાન વિષ્ણુ અવતાર લઈ ધર્મની સ્થાપના કરતા હોય છે. એવું માનવામાં આવે છે કે કળિયુગમાં જ્યારે પાપ વધી જશે ત્યારે ભગવાન નારાયણ કલકી અવતાર ધારણ કરશે. 


ચારભૂજાઓમાં સમાયેલી છે અનેક શક્તિ 

પુરાણો મુજબ ભગવાન વિષ્ણુ માનવના રૂપમાં અનેક અવતાર લે છે. અત્યારસુધી ભગવાને અનેક અવતાર લઈ લીધા છે. ક્ષીરસાગરમાં તેઓ વાસ કરે છે અને માતા લક્ષ્મી તેમના ચરણો દબાવતા હોય છે. તેમની નાભીમાંથી ઉત્પન્ન થયેલા કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ હતી. તેમની ચારભૂજામાં અનેક શક્તિઓ રહેલી છે. 


ચાર ભૂજાઓ ચાર આશ્રમનું પ્રતિક 

ડાબા હાથમાં પદ્ય એટલે કમળ ધારણ કરે છે, બીજા હાથમાં કૌમોદાકી એટલે ગદા ધારણ કર્યું છે, ઉપરવાળા ડાબા હાથમાં પાંચજન્ય શંખ છે જ્યારે ઉપરવાળા જમણા હાથમાં તેમણે સુદર્શનચક્ર ધારણ કર્યું છે. શ્રી હરીના આ ચારેય હાથ માનવ જીવન માટે ચાર ચરણો અને ચાર આશ્રમોનું પ્રતિકના રૂપમાં ઓળખવામાં આવે છે. પહેલા જ્ઞાનમાટે શોધ એટલે બ્રહ્મચર્ય, બીજું પારિવારીક જીવન, ત્રીજું વનમાં પાછા જવું અને ચોથું સન્યાસી જીવન દર્શાવે છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.