ભગવાન વિષ્ણુને કેમ કહેવાય છે ચતુર્ભુજ? જાણો ચાર હાથમાં શું કરે છે ભગવાન ધારણ


  • Published By :
  • Published Date : 2023-01-31 17:29:58

આપણે ત્યાં ત્રિ-દેવને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ભગવાન બ્રહ્માને સૃષ્ટિના રયૈતા માનવામાં આવે છે, ભગવાન વિષ્ણુને પાલનહાર માનવામાં આવે છે તો દેવાધિ દેવ મહાદેવને સંહારના દેવ માનવામાં આવે છે. મૂર્તિના રૂપમાં આપણે ભગવાન વિષ્ણુની પૂજા કરતા હોઈએ છીએ. ભગવાન વિષ્ણુને ચતુરભૂજ અવતારમાં બતાવામાં આવ્યા છે. મતલબ ભગવાન વિષ્ણુને ચાર હાથ હોય છે. 


અનેક અવતાર લઈ ધર્મની કરે છે રક્ષા  

ભગવાન વિષ્ણુ સંપૂર્ણ બ્રહ્માંડનું પાલન કરનાર દેવ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પણ અધર્મ વધી જાય છે ત્યારે ભગવાન વિષ્ણુ અવતાર લઈ ધર્મની સ્થાપના કરતા હોય છે. એવું માનવામાં આવે છે કે કળિયુગમાં જ્યારે પાપ વધી જશે ત્યારે ભગવાન નારાયણ કલકી અવતાર ધારણ કરશે. 


ચારભૂજાઓમાં સમાયેલી છે અનેક શક્તિ 

પુરાણો મુજબ ભગવાન વિષ્ણુ માનવના રૂપમાં અનેક અવતાર લે છે. અત્યારસુધી ભગવાને અનેક અવતાર લઈ લીધા છે. ક્ષીરસાગરમાં તેઓ વાસ કરે છે અને માતા લક્ષ્મી તેમના ચરણો દબાવતા હોય છે. તેમની નાભીમાંથી ઉત્પન્ન થયેલા કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ હતી. તેમની ચારભૂજામાં અનેક શક્તિઓ રહેલી છે. 


ચાર ભૂજાઓ ચાર આશ્રમનું પ્રતિક 

ડાબા હાથમાં પદ્ય એટલે કમળ ધારણ કરે છે, બીજા હાથમાં કૌમોદાકી એટલે ગદા ધારણ કર્યું છે, ઉપરવાળા ડાબા હાથમાં પાંચજન્ય શંખ છે જ્યારે ઉપરવાળા જમણા હાથમાં તેમણે સુદર્શનચક્ર ધારણ કર્યું છે. શ્રી હરીના આ ચારેય હાથ માનવ જીવન માટે ચાર ચરણો અને ચાર આશ્રમોનું પ્રતિકના રૂપમાં ઓળખવામાં આવે છે. પહેલા જ્ઞાનમાટે શોધ એટલે બ્રહ્મચર્ય, બીજું પારિવારીક જીવન, ત્રીજું વનમાં પાછા જવું અને ચોથું સન્યાસી જીવન દર્શાવે છે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી