ભગવાન વિષ્ણુને કેમ કહેવાય છે ચતુર્ભુજ? જાણો ચાર હાથમાં શું કરે છે ભગવાન ધારણ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-31 17:29:58

આપણે ત્યાં ત્રિ-દેવને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ભગવાન બ્રહ્માને સૃષ્ટિના રયૈતા માનવામાં આવે છે, ભગવાન વિષ્ણુને પાલનહાર માનવામાં આવે છે તો દેવાધિ દેવ મહાદેવને સંહારના દેવ માનવામાં આવે છે. મૂર્તિના રૂપમાં આપણે ભગવાન વિષ્ણુની પૂજા કરતા હોઈએ છીએ. ભગવાન વિષ્ણુને ચતુરભૂજ અવતારમાં બતાવામાં આવ્યા છે. મતલબ ભગવાન વિષ્ણુને ચાર હાથ હોય છે. 


અનેક અવતાર લઈ ધર્મની કરે છે રક્ષા  

ભગવાન વિષ્ણુ સંપૂર્ણ બ્રહ્માંડનું પાલન કરનાર દેવ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પણ અધર્મ વધી જાય છે ત્યારે ભગવાન વિષ્ણુ અવતાર લઈ ધર્મની સ્થાપના કરતા હોય છે. એવું માનવામાં આવે છે કે કળિયુગમાં જ્યારે પાપ વધી જશે ત્યારે ભગવાન નારાયણ કલકી અવતાર ધારણ કરશે. 


ચારભૂજાઓમાં સમાયેલી છે અનેક શક્તિ 

પુરાણો મુજબ ભગવાન વિષ્ણુ માનવના રૂપમાં અનેક અવતાર લે છે. અત્યારસુધી ભગવાને અનેક અવતાર લઈ લીધા છે. ક્ષીરસાગરમાં તેઓ વાસ કરે છે અને માતા લક્ષ્મી તેમના ચરણો દબાવતા હોય છે. તેમની નાભીમાંથી ઉત્પન્ન થયેલા કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ હતી. તેમની ચારભૂજામાં અનેક શક્તિઓ રહેલી છે. 


ચાર ભૂજાઓ ચાર આશ્રમનું પ્રતિક 

ડાબા હાથમાં પદ્ય એટલે કમળ ધારણ કરે છે, બીજા હાથમાં કૌમોદાકી એટલે ગદા ધારણ કર્યું છે, ઉપરવાળા ડાબા હાથમાં પાંચજન્ય શંખ છે જ્યારે ઉપરવાળા જમણા હાથમાં તેમણે સુદર્શનચક્ર ધારણ કર્યું છે. શ્રી હરીના આ ચારેય હાથ માનવ જીવન માટે ચાર ચરણો અને ચાર આશ્રમોનું પ્રતિકના રૂપમાં ઓળખવામાં આવે છે. પહેલા જ્ઞાનમાટે શોધ એટલે બ્રહ્મચર્ય, બીજું પારિવારીક જીવન, ત્રીજું વનમાં પાછા જવું અને ચોથું સન્યાસી જીવન દર્શાવે છે.  



ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.