ભગવાન વિષ્ણુને કેમ કહેવાય છે ચતુર્ભુજ? જાણો ચાર હાથમાં શું કરે છે ભગવાન ધારણ


  • Published By :
  • Published Date : 2023-01-31 17:29:58

આપણે ત્યાં ત્રિ-દેવને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ભગવાન બ્રહ્માને સૃષ્ટિના રયૈતા માનવામાં આવે છે, ભગવાન વિષ્ણુને પાલનહાર માનવામાં આવે છે તો દેવાધિ દેવ મહાદેવને સંહારના દેવ માનવામાં આવે છે. મૂર્તિના રૂપમાં આપણે ભગવાન વિષ્ણુની પૂજા કરતા હોઈએ છીએ. ભગવાન વિષ્ણુને ચતુરભૂજ અવતારમાં બતાવામાં આવ્યા છે. મતલબ ભગવાન વિષ્ણુને ચાર હાથ હોય છે. 


અનેક અવતાર લઈ ધર્મની કરે છે રક્ષા  

ભગવાન વિષ્ણુ સંપૂર્ણ બ્રહ્માંડનું પાલન કરનાર દેવ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પણ અધર્મ વધી જાય છે ત્યારે ભગવાન વિષ્ણુ અવતાર લઈ ધર્મની સ્થાપના કરતા હોય છે. એવું માનવામાં આવે છે કે કળિયુગમાં જ્યારે પાપ વધી જશે ત્યારે ભગવાન નારાયણ કલકી અવતાર ધારણ કરશે. 


ચારભૂજાઓમાં સમાયેલી છે અનેક શક્તિ 

પુરાણો મુજબ ભગવાન વિષ્ણુ માનવના રૂપમાં અનેક અવતાર લે છે. અત્યારસુધી ભગવાને અનેક અવતાર લઈ લીધા છે. ક્ષીરસાગરમાં તેઓ વાસ કરે છે અને માતા લક્ષ્મી તેમના ચરણો દબાવતા હોય છે. તેમની નાભીમાંથી ઉત્પન્ન થયેલા કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ હતી. તેમની ચારભૂજામાં અનેક શક્તિઓ રહેલી છે. 


ચાર ભૂજાઓ ચાર આશ્રમનું પ્રતિક 

ડાબા હાથમાં પદ્ય એટલે કમળ ધારણ કરે છે, બીજા હાથમાં કૌમોદાકી એટલે ગદા ધારણ કર્યું છે, ઉપરવાળા ડાબા હાથમાં પાંચજન્ય શંખ છે જ્યારે ઉપરવાળા જમણા હાથમાં તેમણે સુદર્શનચક્ર ધારણ કર્યું છે. શ્રી હરીના આ ચારેય હાથ માનવ જીવન માટે ચાર ચરણો અને ચાર આશ્રમોનું પ્રતિકના રૂપમાં ઓળખવામાં આવે છે. પહેલા જ્ઞાનમાટે શોધ એટલે બ્રહ્મચર્ય, બીજું પારિવારીક જીવન, ત્રીજું વનમાં પાછા જવું અને ચોથું સન્યાસી જીવન દર્શાવે છે.  



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.