લોકો કેમ રસ્તા પર રહે છે, અમે આ લોકો સાથે વાત કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-26 18:04:58

Story By Saddam Shaikh


આપણું અમદાવાદ કે જેને આપણે બધા મેટ્રો શહેર તરીકે ઓળખીયે છીએ. અમદાવાદમાં રિવરફ્રન્ટ,શહેરમાં ફરતી મેટ્રો ટ્રેન,કરોડોના બંગલાઓ બધું જ છે, મજા પડી જાય અમદાવાદમાં ફરવાની...પણ દુઃખ એ વાતનું લાગે કે જયારે આપણે રસ્તા પર ફૂટપાથ પર રહેતા લોકોનું જીવન જોઈએ

એ અમદાવાદના ચમકતા ફૂટપાથો પર કલર ઉડેલા કપડાં સાથે રસ્તા પર જમતા બાળકો અમે જોયા છે...આપણે ઘરે ચૂલો સળગતો હશે, અમે એમના ચૂલા રસ્તા પર સળગતા જોયા છે... હશે આપણે બેસતું વર્ષ રંગીલું પણ એ તો રંગ વગરના કપડાંમાં જ છે….એ બાળકોની આંખમાં આશાઓ હતી એમના માટી વાળા હાથ આગળ કરી અમારી પાસે પણ કંઈક માંગતા હતા...આજે નવા કપડાં પહેરીને આપણે હરખાતા હોઈશું પણ આપણે એમની સામે ઉભા રહી શકતા નથી...

 

આવું કેમ થાય છે ?

આ લોકો માંથી ઘણા લોકો એવા હોય છે જેમને કોઈ મજબૂરી નથી હોતી છતાં ભીખ પણ માંગતા હોય છે સરકાર અને ખાનગી સંસ્થાઓ રહેવા જમવાની વ્યવસ્થા કરી આપે છે છતાં ઘણા લોકો આ બધું છોડીને ફરી વાર ભીખ માંગે છે અને રસ્તા પર રહે છે. આપણા દેશમાં ભિક્ષાવૃતિ એક ગુનો છે, આ ગુનો અમદાવાદના દરેક ચાર રસ્તા પર થઇ રહ્યો છે આમને પકડી ભિક્ષુક ગૃહમાં લઇ જવાનું કામ પોલીસનું છે.. પણ આ પ્રોસેસ એટલી લાંબી હોય છે કે પોલીસ આમાં ધ્યાન નથી આપતી પરંતુ ખરેખર ભીખ માગવી એ કાનૂની અપરાધ ના બદલે માનવ સમાજ વિપરીત પરિસ્થિતિના કારણે ઉભી થયેલો અભિશાપ ગણી શકાય

સમાજમાં ગમતું ન હોય છતાં હજારો નહીં પરંતુ લાખો લોકો ભીખના વ્યવસાય સાથે સંકળાયેલા છે સરકાર અને સંસ્થાઓ દ્વારા ભીખમાં જોતરાયેલા બાળકોને પુનર્વસન અને બાળકો માટે સામાજિક વિકાસની યોજનાઓ ચલાવી રહી છે. સરકારે અને ખાનગી સંસ્થાઓએ આ લોકો વિષે ઘણી સારી વ્યવસ્થા કરી છે..સરકારી આવાસ બનાવ્યા છે...ભિક્ષુક ગૃહ બનાવ્યા છે.પણ ઘણા લોકો એ ઘરો છોડીને આવી જાય છે અને ફરી ભીખ માંગવાનું શરૂ કરી દે છે.તો બીજી બાજુ જેમને ઘર મળ્યા છે એ લોકો પોતાના સરકારી મકાનો ભાડે આપી ફરી રસ્તાઓ પર આવી જાય છે. આ ભિક્ષાવૃતિ વર્ષોથી ચાલતી આવી છે પહેલાની સરકારોમાં પણ અને આ સરકારમાં પણ...માનવ માનવ ને દયાપાત્ર મદદરૂપ થવું એ માનવ સંવેદના ગણવામાં આવે છે માણસ માણસને કામ આવવાની માનવતા સમાજ માટે આશીર્વાદ રૂપ ગણવામાં આવે છે પરંતુ માણસાઈના આ ગુણના અવળા પરિણામો રૂપે માનવતા માટે કલંકરૂપ એવા ભીખ માંગવાનું દૂષણ માનવ સમાજ માટે અભિશાપ બનીને સામે આવ્યું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.