લોકો કેમ રસ્તા પર રહે છે, અમે આ લોકો સાથે વાત કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-26 18:04:58

Story By Saddam Shaikh


આપણું અમદાવાદ કે જેને આપણે બધા મેટ્રો શહેર તરીકે ઓળખીયે છીએ. અમદાવાદમાં રિવરફ્રન્ટ,શહેરમાં ફરતી મેટ્રો ટ્રેન,કરોડોના બંગલાઓ બધું જ છે, મજા પડી જાય અમદાવાદમાં ફરવાની...પણ દુઃખ એ વાતનું લાગે કે જયારે આપણે રસ્તા પર ફૂટપાથ પર રહેતા લોકોનું જીવન જોઈએ

એ અમદાવાદના ચમકતા ફૂટપાથો પર કલર ઉડેલા કપડાં સાથે રસ્તા પર જમતા બાળકો અમે જોયા છે...આપણે ઘરે ચૂલો સળગતો હશે, અમે એમના ચૂલા રસ્તા પર સળગતા જોયા છે... હશે આપણે બેસતું વર્ષ રંગીલું પણ એ તો રંગ વગરના કપડાંમાં જ છે….એ બાળકોની આંખમાં આશાઓ હતી એમના માટી વાળા હાથ આગળ કરી અમારી પાસે પણ કંઈક માંગતા હતા...આજે નવા કપડાં પહેરીને આપણે હરખાતા હોઈશું પણ આપણે એમની સામે ઉભા રહી શકતા નથી...

 

આવું કેમ થાય છે ?

આ લોકો માંથી ઘણા લોકો એવા હોય છે જેમને કોઈ મજબૂરી નથી હોતી છતાં ભીખ પણ માંગતા હોય છે સરકાર અને ખાનગી સંસ્થાઓ રહેવા જમવાની વ્યવસ્થા કરી આપે છે છતાં ઘણા લોકો આ બધું છોડીને ફરી વાર ભીખ માંગે છે અને રસ્તા પર રહે છે. આપણા દેશમાં ભિક્ષાવૃતિ એક ગુનો છે, આ ગુનો અમદાવાદના દરેક ચાર રસ્તા પર થઇ રહ્યો છે આમને પકડી ભિક્ષુક ગૃહમાં લઇ જવાનું કામ પોલીસનું છે.. પણ આ પ્રોસેસ એટલી લાંબી હોય છે કે પોલીસ આમાં ધ્યાન નથી આપતી પરંતુ ખરેખર ભીખ માગવી એ કાનૂની અપરાધ ના બદલે માનવ સમાજ વિપરીત પરિસ્થિતિના કારણે ઉભી થયેલો અભિશાપ ગણી શકાય

સમાજમાં ગમતું ન હોય છતાં હજારો નહીં પરંતુ લાખો લોકો ભીખના વ્યવસાય સાથે સંકળાયેલા છે સરકાર અને સંસ્થાઓ દ્વારા ભીખમાં જોતરાયેલા બાળકોને પુનર્વસન અને બાળકો માટે સામાજિક વિકાસની યોજનાઓ ચલાવી રહી છે. સરકારે અને ખાનગી સંસ્થાઓએ આ લોકો વિષે ઘણી સારી વ્યવસ્થા કરી છે..સરકારી આવાસ બનાવ્યા છે...ભિક્ષુક ગૃહ બનાવ્યા છે.પણ ઘણા લોકો એ ઘરો છોડીને આવી જાય છે અને ફરી ભીખ માંગવાનું શરૂ કરી દે છે.તો બીજી બાજુ જેમને ઘર મળ્યા છે એ લોકો પોતાના સરકારી મકાનો ભાડે આપી ફરી રસ્તાઓ પર આવી જાય છે. આ ભિક્ષાવૃતિ વર્ષોથી ચાલતી આવી છે પહેલાની સરકારોમાં પણ અને આ સરકારમાં પણ...માનવ માનવ ને દયાપાત્ર મદદરૂપ થવું એ માનવ સંવેદના ગણવામાં આવે છે માણસ માણસને કામ આવવાની માનવતા સમાજ માટે આશીર્વાદ રૂપ ગણવામાં આવે છે પરંતુ માણસાઈના આ ગુણના અવળા પરિણામો રૂપે માનવતા માટે કલંકરૂપ એવા ભીખ માંગવાનું દૂષણ માનવ સમાજ માટે અભિશાપ બનીને સામે આવ્યું છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.