લોકો કેમ રસ્તા પર રહે છે, અમે આ લોકો સાથે વાત કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-26 18:04:58

Story By Saddam Shaikh


આપણું અમદાવાદ કે જેને આપણે બધા મેટ્રો શહેર તરીકે ઓળખીયે છીએ. અમદાવાદમાં રિવરફ્રન્ટ,શહેરમાં ફરતી મેટ્રો ટ્રેન,કરોડોના બંગલાઓ બધું જ છે, મજા પડી જાય અમદાવાદમાં ફરવાની...પણ દુઃખ એ વાતનું લાગે કે જયારે આપણે રસ્તા પર ફૂટપાથ પર રહેતા લોકોનું જીવન જોઈએ

એ અમદાવાદના ચમકતા ફૂટપાથો પર કલર ઉડેલા કપડાં સાથે રસ્તા પર જમતા બાળકો અમે જોયા છે...આપણે ઘરે ચૂલો સળગતો હશે, અમે એમના ચૂલા રસ્તા પર સળગતા જોયા છે... હશે આપણે બેસતું વર્ષ રંગીલું પણ એ તો રંગ વગરના કપડાંમાં જ છે….એ બાળકોની આંખમાં આશાઓ હતી એમના માટી વાળા હાથ આગળ કરી અમારી પાસે પણ કંઈક માંગતા હતા...આજે નવા કપડાં પહેરીને આપણે હરખાતા હોઈશું પણ આપણે એમની સામે ઉભા રહી શકતા નથી...

 

આવું કેમ થાય છે ?

આ લોકો માંથી ઘણા લોકો એવા હોય છે જેમને કોઈ મજબૂરી નથી હોતી છતાં ભીખ પણ માંગતા હોય છે સરકાર અને ખાનગી સંસ્થાઓ રહેવા જમવાની વ્યવસ્થા કરી આપે છે છતાં ઘણા લોકો આ બધું છોડીને ફરી વાર ભીખ માંગે છે અને રસ્તા પર રહે છે. આપણા દેશમાં ભિક્ષાવૃતિ એક ગુનો છે, આ ગુનો અમદાવાદના દરેક ચાર રસ્તા પર થઇ રહ્યો છે આમને પકડી ભિક્ષુક ગૃહમાં લઇ જવાનું કામ પોલીસનું છે.. પણ આ પ્રોસેસ એટલી લાંબી હોય છે કે પોલીસ આમાં ધ્યાન નથી આપતી પરંતુ ખરેખર ભીખ માગવી એ કાનૂની અપરાધ ના બદલે માનવ સમાજ વિપરીત પરિસ્થિતિના કારણે ઉભી થયેલો અભિશાપ ગણી શકાય

સમાજમાં ગમતું ન હોય છતાં હજારો નહીં પરંતુ લાખો લોકો ભીખના વ્યવસાય સાથે સંકળાયેલા છે સરકાર અને સંસ્થાઓ દ્વારા ભીખમાં જોતરાયેલા બાળકોને પુનર્વસન અને બાળકો માટે સામાજિક વિકાસની યોજનાઓ ચલાવી રહી છે. સરકારે અને ખાનગી સંસ્થાઓએ આ લોકો વિષે ઘણી સારી વ્યવસ્થા કરી છે..સરકારી આવાસ બનાવ્યા છે...ભિક્ષુક ગૃહ બનાવ્યા છે.પણ ઘણા લોકો એ ઘરો છોડીને આવી જાય છે અને ફરી ભીખ માંગવાનું શરૂ કરી દે છે.તો બીજી બાજુ જેમને ઘર મળ્યા છે એ લોકો પોતાના સરકારી મકાનો ભાડે આપી ફરી રસ્તાઓ પર આવી જાય છે. આ ભિક્ષાવૃતિ વર્ષોથી ચાલતી આવી છે પહેલાની સરકારોમાં પણ અને આ સરકારમાં પણ...માનવ માનવ ને દયાપાત્ર મદદરૂપ થવું એ માનવ સંવેદના ગણવામાં આવે છે માણસ માણસને કામ આવવાની માનવતા સમાજ માટે આશીર્વાદ રૂપ ગણવામાં આવે છે પરંતુ માણસાઈના આ ગુણના અવળા પરિણામો રૂપે માનવતા માટે કલંકરૂપ એવા ભીખ માંગવાનું દૂષણ માનવ સમાજ માટે અભિશાપ બનીને સામે આવ્યું છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .