લોકો કેમ રસ્તા પર રહે છે, અમે આ લોકો સાથે વાત કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-26 18:04:58

Story By Saddam Shaikh


આપણું અમદાવાદ કે જેને આપણે બધા મેટ્રો શહેર તરીકે ઓળખીયે છીએ. અમદાવાદમાં રિવરફ્રન્ટ,શહેરમાં ફરતી મેટ્રો ટ્રેન,કરોડોના બંગલાઓ બધું જ છે, મજા પડી જાય અમદાવાદમાં ફરવાની...પણ દુઃખ એ વાતનું લાગે કે જયારે આપણે રસ્તા પર ફૂટપાથ પર રહેતા લોકોનું જીવન જોઈએ

એ અમદાવાદના ચમકતા ફૂટપાથો પર કલર ઉડેલા કપડાં સાથે રસ્તા પર જમતા બાળકો અમે જોયા છે...આપણે ઘરે ચૂલો સળગતો હશે, અમે એમના ચૂલા રસ્તા પર સળગતા જોયા છે... હશે આપણે બેસતું વર્ષ રંગીલું પણ એ તો રંગ વગરના કપડાંમાં જ છે….એ બાળકોની આંખમાં આશાઓ હતી એમના માટી વાળા હાથ આગળ કરી અમારી પાસે પણ કંઈક માંગતા હતા...આજે નવા કપડાં પહેરીને આપણે હરખાતા હોઈશું પણ આપણે એમની સામે ઉભા રહી શકતા નથી...

 

આવું કેમ થાય છે ?

આ લોકો માંથી ઘણા લોકો એવા હોય છે જેમને કોઈ મજબૂરી નથી હોતી છતાં ભીખ પણ માંગતા હોય છે સરકાર અને ખાનગી સંસ્થાઓ રહેવા જમવાની વ્યવસ્થા કરી આપે છે છતાં ઘણા લોકો આ બધું છોડીને ફરી વાર ભીખ માંગે છે અને રસ્તા પર રહે છે. આપણા દેશમાં ભિક્ષાવૃતિ એક ગુનો છે, આ ગુનો અમદાવાદના દરેક ચાર રસ્તા પર થઇ રહ્યો છે આમને પકડી ભિક્ષુક ગૃહમાં લઇ જવાનું કામ પોલીસનું છે.. પણ આ પ્રોસેસ એટલી લાંબી હોય છે કે પોલીસ આમાં ધ્યાન નથી આપતી પરંતુ ખરેખર ભીખ માગવી એ કાનૂની અપરાધ ના બદલે માનવ સમાજ વિપરીત પરિસ્થિતિના કારણે ઉભી થયેલો અભિશાપ ગણી શકાય

સમાજમાં ગમતું ન હોય છતાં હજારો નહીં પરંતુ લાખો લોકો ભીખના વ્યવસાય સાથે સંકળાયેલા છે સરકાર અને સંસ્થાઓ દ્વારા ભીખમાં જોતરાયેલા બાળકોને પુનર્વસન અને બાળકો માટે સામાજિક વિકાસની યોજનાઓ ચલાવી રહી છે. સરકારે અને ખાનગી સંસ્થાઓએ આ લોકો વિષે ઘણી સારી વ્યવસ્થા કરી છે..સરકારી આવાસ બનાવ્યા છે...ભિક્ષુક ગૃહ બનાવ્યા છે.પણ ઘણા લોકો એ ઘરો છોડીને આવી જાય છે અને ફરી ભીખ માંગવાનું શરૂ કરી દે છે.તો બીજી બાજુ જેમને ઘર મળ્યા છે એ લોકો પોતાના સરકારી મકાનો ભાડે આપી ફરી રસ્તાઓ પર આવી જાય છે. આ ભિક્ષાવૃતિ વર્ષોથી ચાલતી આવી છે પહેલાની સરકારોમાં પણ અને આ સરકારમાં પણ...માનવ માનવ ને દયાપાત્ર મદદરૂપ થવું એ માનવ સંવેદના ગણવામાં આવે છે માણસ માણસને કામ આવવાની માનવતા સમાજ માટે આશીર્વાદ રૂપ ગણવામાં આવે છે પરંતુ માણસાઈના આ ગુણના અવળા પરિણામો રૂપે માનવતા માટે કલંકરૂપ એવા ભીખ માંગવાનું દૂષણ માનવ સમાજ માટે અભિશાપ બનીને સામે આવ્યું છે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.