પ્રધાનમંત્રી મોદીએ સુરતમાં CM અને CRની વાહવાહી કેમ કરી?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 13:23:56

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. આજે તેમનો ગુજરાત મુલાકાતનો પ્રથમ દિવસ છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતની મુલાકાત લીધી હતી. સુરતમાં તેમણે કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ ગોડાદરાથી લિંબાયત સુધી રોડ શોનું આયોજન કર્યું હતું અને સંબોધન કર્યું હતું.


પ્રધાનમંત્રીએ સીએમ અને સીઆરની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સભા સંબોધન કર્યું હતું જેમાં તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના ભરપેટ વખાણ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સુરતના વિકાસ માટે મુખ્યમંત્રી અને સીઆર પાટીલને અભિનંદન. પ્રધાનમંત્રી મોદીએ સીએમ અને સીઆરને સુરતની જનભાગીદારીનું ઉદાહણ જણાવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે ભારતના સ્વચ્છ શહેરોમાં સુરતનું નામ આવે છે. 


સુરત વિધાનસભા ચૂંટણીનું કેન્દ્ર રહેશે?

ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સુરતમાં ફાવી ગઈ હતી. તેમને સારી સીટ મળી હતી. ત્યાર બાદથી ભાજપ સુરત પર નજર રાખીને બેઠી છે. આમ આદમી પાર્ટી અને પાટીદારોની સુરતમાં સારી પકડ છે. સુરત પશ્ચિમની બેઠક વર્ષોથી ભાજપનો ગઢ રહી છે. અરવિંદ કેજરીવાલ અને મનીષ સીસોદિયા બાદ હવે નરેન્દ્ર મોદીને પણ સુરતની મુલાકાત લેવી પડી છે. કોંગ્રેસની કામગીરી સુરત મામલે સુસ્ત લાગી રહી છે પરંતુ તે પણ પોતાની રીતે વિધાનસભા ચૂંટણી જીતવા માટે બેઠકો પર બેઠકો કરી રહી છે. સુરતમાં સૌરાષ્ટ્રના વેપારીઓ અને પાટીદાર લોકોનો દબદબો છે. 2017 વિધાનસભા ચૂંટણી સમયે પાટીદાર આંદોલનની અસર પણ સુરતમાં જોવા મળી હતી. આ સમયે પણ સુરત પર સૌની નજર રહેશે. 


આ વખતે પ્રધાનમંત્રી ખુશ નજર આવ્યા 

પ્રધાનમંત્રીની આ વખતની ગુજરાત મુલાકાત કંઈક ખાસ નજર આવી રહી છે. જ્યારે ગત મુલાકાતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉદ્ઘાટન દરમિયાન દાદરા ચડતા પડી ગયા હતા ત્યારે પ્રધાનમંત્રીના હાવભાવ એકદમ ગંભીર હતા. થોડું પાછળ જઈએ તો આ ઘટના પહેલા બોટાદ અને અમદાવાદ વિસ્તારમાં લઠ્ઠા કાંડ થયો હતો. 45થી વધુ લોકો આ લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામ્યા હતા. ત્યાર બાદની પ્રધાનમંત્રીની ગુજરાત મુલાકાત હતી ત્યારનો તેમનો અંદાજ અને અત્યારની હળવાશમાં જમીન આસમાનનો ફેર છે. એરપોર્ટ પરથી ઉતરતાની સાથે જ તેઓ એકદમ ગંભીર મુદ્રામાં નજર આવી રહ્યા હતા. આ મુલાકાતમાં તેઓ મુખ્યમંત્રી અને સીઆર સાથે સ્મિત કરતા નજરે પડે છે. 


સુરતમાં પ્રધાનમંત્રી મોદીનું ભાષણ 

પ્રધાનમંત્રીએ સુરતમાં વિવિધ પ્રજાલક્ષી લોકાર્પણ કાર્યક્રમમાં સંબોધન કર્યુ હતું. મહાઋષિ આસ્તિક સ્કૂલથી નીલગીરી સર્કલ સુધી રોડશો કર્યા બાદ સંબોધન કર્યું હતું. તેમણે સંબોધનમાં કહ્યું હતું કે સુરત આવો તો સુરતમાં જમણવાર કરવો જ પડે. સુરતનું જમણ અને કાશીનું મરણ જરૂરી છે. સુરતથી કાશીની નવી ટ્રેન શરૂ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. આ ટ્રેનથી વેપારીઓ અને ઉદ્યોગકારોને મોટો લાભ થશે તેવું તેમનું માનવું છે. સુરતના કાપડ બજારનું કાશી સાથે કનેક્શન છે. ચૂંટણીનો માહોલ હોય છે ત્યારે પ્રધાનમંત્રી ક્યારેય પોતાને સ્થળો સાથે જોડવાનું ભૂલતા નથી. આ વખતે સુરત મુલાકાતમાં તેમણે સુરતને મિનિ હિન્દુસ્તાન કહીને સંબોધિત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે સુરત શહેર શ્રમને સન્માન કરતું શહેર છે. 


સુરત બાદ આ જગ્યાઓની મુલાકાત કરશે પ્રધાનમંત્રી 

આજે બપોરે 2 કલાકે ભાવનગર ખાતે 5200 કરોડથી વધુના વિકાસકાર્યોનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. સાંજે 7 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ રાત્રે 9 વાગ્યે અમદાવાદના GMDC ખાતે નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપશે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.