Vijaya Dussehraના રોજ શા માટે કરવામાં આવે છે શસ્ત્ર પૂજા? જાણો તેની સાથે કઈ પૌરાણિક કથા જોડાયેલી છે?


  • Published By :
  • Published Date : 2023-10-24 15:20:07

નવરાત્રી પર્વની ઉજવણી ધામધૂમથી કવરામાં આવી. આજે દશેરાની ઉજવણી સમગ્ર દેશમાં કરાઈ રહી છે. હિંદુ ધર્મમાં દશેરાનું સ્થાન મહત્વપૂર્ણ છે. દશેરા અર્થાત વિજયાદશમીનું ખૂબ જ મહત્વ છે. દશેરાના દિવસે રાવણ દહન તો અનેક જગ્યાઓ પર કરવામાં તો આવે છે પરંતુ તે દિવસે શસ્ત્ર પૂજાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સાધનો અને શસ્ત્રોની પૂજા કરવાથી વિજયનું વરદાન મળે છે. આપણે ત્યાં આ પરંપરા વધારે પ્રચલિત નથી પરંતુ દક્ષિણ ભારતમાં આ પરંપરા આપણને જોવા મળે છે.

The Good Qualities Of Ravana, The Great King Of Lanka | రావణుడిలోని ఈ మంచి  గుణాలు మీకు తెలుసా? మరి చెడ్డవాడిగా ఎలా మారాడు?

વિજયાદશમીના દિવસે સાધનોની કરાય છે પૂજા  

આજે વિજયાદશમી... સત્યનો અસત્ય પર વિજય... ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો જેથી આ દિવસ વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. આપણે ત્યાં આ દિવસે રાવણનું દહન કરવામાં આવે છે, રાવણના પુતળાને બાળવામાં આવે છે. પરંતુ અનેક જગ્યાઓ પર આજે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. શસ્ત્ર પૂજન એટલે પોતાના શસ્ત્રોની પૂજા કરવી. આ દિવસે તમામ સાધનોને સાફ કરી તેમની પૂજા કરવામાં આવે છે.  આ દિવસે ક્ષત્રિયો તેમના શસ્ત્રોની પૂજા કરે છે, કારીગરો તેમના સાધનોની પૂજા કરે છે, કલા સાથે સંકળાયેલા લોકો તેમના સાધનોની પૂજા કરે છે. લોકો જે કાર્ય સાથે જોડાયેલા હોય છે તેની પૂજા કરવામાં આવે છે. પહેલાના સમયમાં ક્ષત્રિય લોકો યુદ્ધમાં જવા આજનો દિવસ પસંદ કરતા હતા જેથી તેમને વિજયનું વરદાન મળે. 

Mahishasura Mardini Stotram Meaning


વિજયાદશમી સાથે જોડાયેલી છે આ પૌરાણીક કથા!

શસ્ત્ર પૂજા સાથે પૌરાણીક કથા પણ જોડાયેલી છે.. પૌરાણીક કથા અનુસાર મહીષાસુરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો હતો અને તેનો અત્યાચાર પણ વધી રહ્યો હતો. દેવતાઓ ત્રસ્ત થઈ ગયા હતા. ત્યારે મહિષાસુરનો વધ કરવા માટે અલગ અલગ દેવતાઓએ પોતાની શક્તિ ભેગી કરી. તેમના તેજથી માતાજીની ઉત્પત્તિ થઈ. માતાજીને દેવતાઓએ તેમના દિવ્ય શસ્ત્રો તેમજ આયુધો પ્રદાન કર્યા. તે શસ્ત્રોના મદદથી દેવીએ મહિષાસુરનો વધ કર્યો હતો. શસ્ત્રોની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ - 


आश्विनस्य सिते पक्षे दशम्यां तारकोदये.

स कालो विजयो ज्ञेयः सर्वकार्यार्थसिद्धये

રાજનાથસિંહ તેમજ હર્ષ સંઘવીએ કરી શસ્ત્ર પૂજા

ભારતીય સેના દ્વારા પણ શસ્ત્ર પૂજા કરવામાં આવે છે. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્વારા શસ્ત્રની પૂજા કરવામાં આવી છે. અરૂણાચલ પ્રદેશમાં રાજનાથ સિંહે આર્મી જવાનો સાથે શસ્ત્ર પૂજામાં ભાગ લીધો હતો. ઉપરાંત ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ  સુરત ખાતે શસ્ત્ર પૂજા કરી પરંપરા નિભાવી હતી.




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.