Vijaya Dussehraના રોજ શા માટે કરવામાં આવે છે શસ્ત્ર પૂજા? જાણો તેની સાથે કઈ પૌરાણિક કથા જોડાયેલી છે?


  • Published By :
  • Published Date : 2023-10-24 15:20:07

નવરાત્રી પર્વની ઉજવણી ધામધૂમથી કવરામાં આવી. આજે દશેરાની ઉજવણી સમગ્ર દેશમાં કરાઈ રહી છે. હિંદુ ધર્મમાં દશેરાનું સ્થાન મહત્વપૂર્ણ છે. દશેરા અર્થાત વિજયાદશમીનું ખૂબ જ મહત્વ છે. દશેરાના દિવસે રાવણ દહન તો અનેક જગ્યાઓ પર કરવામાં તો આવે છે પરંતુ તે દિવસે શસ્ત્ર પૂજાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સાધનો અને શસ્ત્રોની પૂજા કરવાથી વિજયનું વરદાન મળે છે. આપણે ત્યાં આ પરંપરા વધારે પ્રચલિત નથી પરંતુ દક્ષિણ ભારતમાં આ પરંપરા આપણને જોવા મળે છે.

The Good Qualities Of Ravana, The Great King Of Lanka | రావణుడిలోని ఈ మంచి  గుణాలు మీకు తెలుసా? మరి చెడ్డవాడిగా ఎలా మారాడు?

વિજયાદશમીના દિવસે સાધનોની કરાય છે પૂજા  

આજે વિજયાદશમી... સત્યનો અસત્ય પર વિજય... ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો જેથી આ દિવસ વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. આપણે ત્યાં આ દિવસે રાવણનું દહન કરવામાં આવે છે, રાવણના પુતળાને બાળવામાં આવે છે. પરંતુ અનેક જગ્યાઓ પર આજે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. શસ્ત્ર પૂજન એટલે પોતાના શસ્ત્રોની પૂજા કરવી. આ દિવસે તમામ સાધનોને સાફ કરી તેમની પૂજા કરવામાં આવે છે.  આ દિવસે ક્ષત્રિયો તેમના શસ્ત્રોની પૂજા કરે છે, કારીગરો તેમના સાધનોની પૂજા કરે છે, કલા સાથે સંકળાયેલા લોકો તેમના સાધનોની પૂજા કરે છે. લોકો જે કાર્ય સાથે જોડાયેલા હોય છે તેની પૂજા કરવામાં આવે છે. પહેલાના સમયમાં ક્ષત્રિય લોકો યુદ્ધમાં જવા આજનો દિવસ પસંદ કરતા હતા જેથી તેમને વિજયનું વરદાન મળે. 

Mahishasura Mardini Stotram Meaning


વિજયાદશમી સાથે જોડાયેલી છે આ પૌરાણીક કથા!

શસ્ત્ર પૂજા સાથે પૌરાણીક કથા પણ જોડાયેલી છે.. પૌરાણીક કથા અનુસાર મહીષાસુરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો હતો અને તેનો અત્યાચાર પણ વધી રહ્યો હતો. દેવતાઓ ત્રસ્ત થઈ ગયા હતા. ત્યારે મહિષાસુરનો વધ કરવા માટે અલગ અલગ દેવતાઓએ પોતાની શક્તિ ભેગી કરી. તેમના તેજથી માતાજીની ઉત્પત્તિ થઈ. માતાજીને દેવતાઓએ તેમના દિવ્ય શસ્ત્રો તેમજ આયુધો પ્રદાન કર્યા. તે શસ્ત્રોના મદદથી દેવીએ મહિષાસુરનો વધ કર્યો હતો. શસ્ત્રોની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ - 


आश्विनस्य सिते पक्षे दशम्यां तारकोदये.

स कालो विजयो ज्ञेयः सर्वकार्यार्थसिद्धये

રાજનાથસિંહ તેમજ હર્ષ સંઘવીએ કરી શસ્ત્ર પૂજા

ભારતીય સેના દ્વારા પણ શસ્ત્ર પૂજા કરવામાં આવે છે. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્વારા શસ્ત્રની પૂજા કરવામાં આવી છે. અરૂણાચલ પ્રદેશમાં રાજનાથ સિંહે આર્મી જવાનો સાથે શસ્ત્ર પૂજામાં ભાગ લીધો હતો. ઉપરાંત ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ  સુરત ખાતે શસ્ત્ર પૂજા કરી પરંપરા નિભાવી હતી.




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.