Suratના Deputy Mayor Narendra Patilના આ ફોટાઓ કેમ વાયરલ થઈ રહ્યા છે? જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-07-29 12:44:07

સુરતમાં વરસાદને કારણે જન જીવન અસ્ત વ્યસ્ત બની ગયું છે.. અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે. સુરતથી એક ખુબ ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. સુરતમાં અમુક વિસ્તારોમાં પૂર જોવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે સુરતના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ સમીક્ષા કરવા માટે પર્વત પાટિયા વિસ્તારમાં ગયા હતા. મળતી માહિતી અનુસાર પર્વત પાટિયા પાસે ડૂબી ગયેલા યુવકનો મૃતદેહ ચાર દિવસ પહેલા મળી આવ્યો હતો. મૃતદેહને બહાર કાઢ્યા બાદ ડેપ્યુટી મેયર ત્યાં આવી પહોંચ્યા હતા. રસ્તા પર પડેલા કાદવને ના ઓળંગવો પડે, તેમના કપડા ગંદા ના થાય તે માટે તે માટે તે ફાયર ઓફિસરના ખભે બેસીને તેમણે કાદવ ઓળંગ્યું હતું. ફોટો સોશિયલ મીડિયા પર થયો વાયરલ.

હસતા હસતા ફાયર ઓફિસરના ખભા પર ડે. મેયર ચઢી ગયા! 

ડેપ્યુટી મેયર સહીત મહાનગર પાલિકાના અધિકારીઓ સુરતના વિવિધ વિસ્તારોની મુલાકાતે નીકળ્યા હતા. જોકે પર્વત પાટિયા વિસ્તારમાં એક જગ્યાએ તેમને રસ્તો ઓળંગવો હતો . પણ ત્યાં કાદવ હોવાના લીધે આ રોડને પોતે પાર કરવા ના માગતા હતા. તેમણે ફાયર ઓફિસરના ખભાનો સહારો લીધો. તે ઓફિસરના ખભા પર હસતા હસતા ચઢી ગયા. સવાલ એ થાય કે ડેપ્યુટી મેયર તો ફાયર ઓફિસરના ખભે ચઢી ગયા પરંતુ સામાન્ય માણસોનું શું? 



ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં સર્જાઈ હતી પુર જેવી સ્થિતિ   

આ ફોટો વાયરલ થયા બાદ ફાયર ઓફિસરની સ્પષ્ટતા સામે આવી છે જેમાં તેમણે કહ્યું કે ડેપ્યુટી મેયરના પગમાં ઈન્ફેક્શન થયું હતું જેને કારણે  ખભા પર બેસી નિરીક્ષણ કરવા માટે ગયા હતા. ઉલ્લેખનિય છે કે પુરને કારણે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. પાણી તો ઓસરી ગયા છે પરંતુ કાદવથી પરિસ્થિતિ બગડી છે. ત્યારે આ ફોટા વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.