Suratના Deputy Mayor Narendra Patilના આ ફોટાઓ કેમ વાયરલ થઈ રહ્યા છે? જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-07-29 12:44:07

સુરતમાં વરસાદને કારણે જન જીવન અસ્ત વ્યસ્ત બની ગયું છે.. અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે. સુરતથી એક ખુબ ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. સુરતમાં અમુક વિસ્તારોમાં પૂર જોવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે સુરતના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ સમીક્ષા કરવા માટે પર્વત પાટિયા વિસ્તારમાં ગયા હતા. મળતી માહિતી અનુસાર પર્વત પાટિયા પાસે ડૂબી ગયેલા યુવકનો મૃતદેહ ચાર દિવસ પહેલા મળી આવ્યો હતો. મૃતદેહને બહાર કાઢ્યા બાદ ડેપ્યુટી મેયર ત્યાં આવી પહોંચ્યા હતા. રસ્તા પર પડેલા કાદવને ના ઓળંગવો પડે, તેમના કપડા ગંદા ના થાય તે માટે તે માટે તે ફાયર ઓફિસરના ખભે બેસીને તેમણે કાદવ ઓળંગ્યું હતું. ફોટો સોશિયલ મીડિયા પર થયો વાયરલ.

હસતા હસતા ફાયર ઓફિસરના ખભા પર ડે. મેયર ચઢી ગયા! 

ડેપ્યુટી મેયર સહીત મહાનગર પાલિકાના અધિકારીઓ સુરતના વિવિધ વિસ્તારોની મુલાકાતે નીકળ્યા હતા. જોકે પર્વત પાટિયા વિસ્તારમાં એક જગ્યાએ તેમને રસ્તો ઓળંગવો હતો . પણ ત્યાં કાદવ હોવાના લીધે આ રોડને પોતે પાર કરવા ના માગતા હતા. તેમણે ફાયર ઓફિસરના ખભાનો સહારો લીધો. તે ઓફિસરના ખભા પર હસતા હસતા ચઢી ગયા. સવાલ એ થાય કે ડેપ્યુટી મેયર તો ફાયર ઓફિસરના ખભે ચઢી ગયા પરંતુ સામાન્ય માણસોનું શું? 



ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં સર્જાઈ હતી પુર જેવી સ્થિતિ   

આ ફોટો વાયરલ થયા બાદ ફાયર ઓફિસરની સ્પષ્ટતા સામે આવી છે જેમાં તેમણે કહ્યું કે ડેપ્યુટી મેયરના પગમાં ઈન્ફેક્શન થયું હતું જેને કારણે  ખભા પર બેસી નિરીક્ષણ કરવા માટે ગયા હતા. ઉલ્લેખનિય છે કે પુરને કારણે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. પાણી તો ઓસરી ગયા છે પરંતુ કાદવથી પરિસ્થિતિ બગડી છે. ત્યારે આ ફોટા વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.