Suratના Deputy Mayor Narendra Patilના આ ફોટાઓ કેમ વાયરલ થઈ રહ્યા છે? જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-07-29 12:44:07

સુરતમાં વરસાદને કારણે જન જીવન અસ્ત વ્યસ્ત બની ગયું છે.. અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે. સુરતથી એક ખુબ ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. સુરતમાં અમુક વિસ્તારોમાં પૂર જોવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે સુરતના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ સમીક્ષા કરવા માટે પર્વત પાટિયા વિસ્તારમાં ગયા હતા. મળતી માહિતી અનુસાર પર્વત પાટિયા પાસે ડૂબી ગયેલા યુવકનો મૃતદેહ ચાર દિવસ પહેલા મળી આવ્યો હતો. મૃતદેહને બહાર કાઢ્યા બાદ ડેપ્યુટી મેયર ત્યાં આવી પહોંચ્યા હતા. રસ્તા પર પડેલા કાદવને ના ઓળંગવો પડે, તેમના કપડા ગંદા ના થાય તે માટે તે માટે તે ફાયર ઓફિસરના ખભે બેસીને તેમણે કાદવ ઓળંગ્યું હતું. ફોટો સોશિયલ મીડિયા પર થયો વાયરલ.

હસતા હસતા ફાયર ઓફિસરના ખભા પર ડે. મેયર ચઢી ગયા! 

ડેપ્યુટી મેયર સહીત મહાનગર પાલિકાના અધિકારીઓ સુરતના વિવિધ વિસ્તારોની મુલાકાતે નીકળ્યા હતા. જોકે પર્વત પાટિયા વિસ્તારમાં એક જગ્યાએ તેમને રસ્તો ઓળંગવો હતો . પણ ત્યાં કાદવ હોવાના લીધે આ રોડને પોતે પાર કરવા ના માગતા હતા. તેમણે ફાયર ઓફિસરના ખભાનો સહારો લીધો. તે ઓફિસરના ખભા પર હસતા હસતા ચઢી ગયા. સવાલ એ થાય કે ડેપ્યુટી મેયર તો ફાયર ઓફિસરના ખભે ચઢી ગયા પરંતુ સામાન્ય માણસોનું શું? 



ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં સર્જાઈ હતી પુર જેવી સ્થિતિ   

આ ફોટો વાયરલ થયા બાદ ફાયર ઓફિસરની સ્પષ્ટતા સામે આવી છે જેમાં તેમણે કહ્યું કે ડેપ્યુટી મેયરના પગમાં ઈન્ફેક્શન થયું હતું જેને કારણે  ખભા પર બેસી નિરીક્ષણ કરવા માટે ગયા હતા. ઉલ્લેખનિય છે કે પુરને કારણે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. પાણી તો ઓસરી ગયા છે પરંતુ કાદવથી પરિસ્થિતિ બગડી છે. ત્યારે આ ફોટા વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.