કેમ કરવામાં આવે છે તિલક અને શા માટે લગાડવામાં આવે છે અક્ષત?


  • Published By :
  • Published Date : 2022-12-15 16:34:49

આપણે ત્યાં જ્યારે પણ કોઈ પૂજા અથવા ધાર્મિક પ્રસંગો દરમિયાન તિલક કરવામાં આવે છે. સામાન્ય રીતે લોકો કંકુ, ચંદન તેમજ હળદરનું તિલક કરતા હોય છે. ત્યારે બંને આઈબ્રો વચ્ચે ચાંદલો કરાયા પછી અક્ષત લગાડવામાં આવે છે એ શું તમે જાણો છો?

આપણે કોઈ પણ મંદિરે જઈએ છીએ ત્યારે ચાંદલો અવશ્ય કરતા હોઈએ છીએ. ઘરની બહાર જતા પહેલા પણ તિલક કરવામાં આવે છે. ધાર્મિકની સાથે સાથે તિલક કરવા પાછળ પણ વૈજ્ઞાનિક કારણ છૂપાયેલું છે. એવું માનવામાં આવે છે કે કપાળ પર તિલક કરવાથી એકાગ્રતા વધે છે. ઉપરાંત મનને શાંતિ પણ મળે છે. ચાંદલો કર્યા પછી અક્ષત લગાડવામાં આવે છે. અક્ષતને શ્રીનું સ્વરૂપ માનવામાં આવે છે. અક્ષતને ચોખા પણ કહેવામાં આવે છે.  

ભાઈબીજની તિથિ પર ભાઈને તિલક કરવાનું શુભ મુહૂર્ત અને તેનું મહત્વ જાણો

શાસ્ત્રો અનુસાર ચોખાને શુદ્ધ અનાજ માનવામાં આવે છે. દેવી-દેવતાઓને પણ અક્ષત અર્પણ કરવામાં આવે છે. ચોખાને શુદ્ધતાનું પ્રતિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ચોખા લગાડવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે માનવને પરમાત્મા સુધી પહોંચાડનાર શ્રેષ્ઠ સાધન માનવામાં આવે છે. તિલકને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. 

ચંદનનું તિલક કરવાથી શાંતિ મળે છે. કેસર-ચંદનનું તિલક કરવાથી વિચક્ષણ બુદ્ધિ પ્રાપ્ત થાય છે. તેમજ હળદરનું તિલક કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. ઉપરાંત અનેક લોકો ભસ્મનું તિલક પણ કરે છે. ભસ્મ તિલક કરવાથી નિર્મોહીપણું આવે છે જ્યારે કંકુનું તિલક કરવાથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે.

તિલક નું શું મહત્વ છે કેમ કરવામાં આવે છે તિલક The importance of tilak is  why tilak is done - YouTube

ચાંદલાનું તો મહત્વ રહેલું છે પરંતુ કંઈ આંગળીથી કરવામાં આવે છે તેનું પણ વિશેષ મહત્વ રહેલું છે. અનામિકા આંગળીથી તિલક કરવાથી મનને શાંતિ મળે છે. મધ્યમા આંગળીથી તિલક કરવાથી આયુષ્ય વધે છે. અંગુઠાથી તિલક પુષ્ટિ દાયક હોય છે. તર્જની આંગળીથી તિલક કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.