પતિનું હાર્ટ એટેકથી મોત થતાં પત્નીએ પણ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું, અમરેલીના લીલીયા ગામની હ્રદયદ્રાવક ઘટના


  • Published By :
  • Published Date : 2023-05-14 18:01:02


અમરેલી જિલ્લાના લીલીયા ગામમાં એક હ્રદયદ્રાવક ઘટનાના કારણે શોકનો માહોલ છે.  હાર્ટ એટેકથી પતિના મોત બાદ પરિણીતાએ પણ મોતને વ્હાલું કરતા જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. પતિના મોતનો આઘાત સહન નહીં કરી શકનાર પત્નીએ પણ ગળેફાંસો ખાઈ જીવનનો અંત લાવી દીધાની ઘટના બની છે. પતિ-પત્નીની એક સાથે અંતિમ યાત્રા નીકળતા આખું ગામ શોકમગ્ન બન્યું હતું. 


યુવકનું હાર્ટ એટેકથી મોત


અમરેલી જિલ્લાના લીલીયા ગામમાં રહેતા ધવલ રાઠોડને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર બાદ તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જુવાનજોધ દીકરાનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થતા પરિવારજનો તો આઘાતમાં હતા જ પરંતુ આ આઘાત તેની પત્ની માટે અસહ્ય હતો. પતિના મોતના વિયોગમાં પત્ની પ્રિન્સીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. પરિવાર માટે એક તરફ ધવલનું મૃત્યુ અને બીજી તરફ તેની પત્ની પ્રિન્સીનો આપઘાત  બેવડા વજ્રઘાત સમાન હતો. અત્રે ઉલ્લેખનિય છે કે ધવલ રાઠોડે છ મહિના પહેલા જ પ્રિંસી રાઠોડ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.  




ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે