ટોપ-50 ડિફોલ્ટર્સે બેંકોને રૂ. 87,295 કરોડનો ચુનો લગાવ્યો, મેહુલ ચોક્સી સૌથી મોટો ડિફોલ્ટર


  • Published By :
  • Published Date : 2023-08-04 19:31:32

દેશના 50થી વધુ વિલફુલ ડિફોલ્ટરે ટોચની સરકારી બેંકોને રૂ.87,295નો ચુનો લગાવ્યો છે.જેમાં ફરાર જાહેર ખયેલા મેહુલ ચોક્સીની ગીતાંજલિ જેમ્સ, એરા એન્જિનિયરિંગ, આરઈઆઈ એગ્રો, અને એબીજી શિપયાર્ડ જેવી કંપનીનો સમાવેશ થાય છે. વિલફુલ ડિફોલ્ટર તેને કહેવાય છે જે દેવું ચૂકવવા માટે પૂરતા સંસાધનો ધરાવતો હોવા છતાં પણ લોન ભરપાઈ કરતો નથી. 


નાણામંત્રીએ રાજ્ય સભામાં આપ્યો જવાબ


નાણા રાજ્ય મંત્રી ભાગવત કરાડે એક લેખિત જવાબમાં જાણકારી આપતા કહ્યું કે રિઝર્વ બેંકે 31 માર્ચ 2023 સુધી એસબીસીમાં ટોચના 50 વિસફુલ ડિફોલ્ટર્સ પર 87,295 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી હોવાનું જણાવ્યું હતું. કરાડે જણાવ્યું હતું કે,  તેમાંથી, ટોચની 10 શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો (SCBs) પાસે રૂ. 40,825 કરોડ બાકી છે, છેલ્લા પાંચ નાણાકીય વર્ષ દરમિયાન 2022-23 ના નાણાકીય વર્ષ માટે ભારતીય રિઝર્વ બેંક પાસે ઉપલબ્ધ આંકડા મુજબ, SCB એ કુલ 10,57,326 કરોડની રકમ માફી કરી દીધી છે. 


કઈ કંપનીએ બેંકોનું કરી નાખ્યું?


ભાગેડુ મેહુલ ચોક્સીની ગીતાંજલિ જેમ્સ બેંકોના રૂ. 8,738 કરોડના દેવા સાથે સૌથી મોટી વિલફુલ ડિફોલ્ટર છે. તે પછી એરા ઇન્ફ્રા એન્જિનિયરિંગ લિમિટેડ રૂ. 5,750 કરોડ, REI એગ્રો લિમિટેડ રૂ. 5,148 કરોડ, એબીજી શિપયાર્ડ લિમિટેડ રૂ. 4,774 કરોડ અને કોન્કાસ્ટ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ રૂ. 3,911 કરોડ લે છે. અન્ય વિલફુલ ડિફોલ્ટ્સમાં રોટોમેક ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ રૂ. 2,894 કરોડ, વિન્સમ ડાયમંડ એન્ડ જ્વેલરી લિમિટેડ રૂ. 2,846 કરોડ, ફ્રોસ્ટ ઇન્ટરનેશનલ લિમિટેડ રૂ. 2,518 કરોડ, શ્રી લક્ષ્મી કોટસિન લિમિટેડ રૂ. 2,180 કરોડ અને ઝૂમ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ રૂ. 26 કરોડ, છે.


2022-23માં છેતરપિંડીના 66,069 કેસ


એક અલગ જવાબમાં કરાડે જણાવ્યું હતું કે 2022-23માં છેતરપિંડીના 66,069 કેસ નોંધાયા હતા. જેના કારણે 85.25 કરોડનું નુકસાન થયું હતું. ગયા વર્ષે છેતરપિંડીના 65,893 કેસ નોંધાયા હતા. જેના કારણે 115.36 કરોડનું નુકસાન થયું હતું. તેમણે કહ્યું કે RBI ફ્રોડ ટ્રાન્ઝેક્શોને રોકવા માટે સમય સમય પર સૂચનાઓ જારી કરતી રહે છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.