ટોપ-50 ડિફોલ્ટર્સે બેંકોને રૂ. 87,295 કરોડનો ચુનો લગાવ્યો, મેહુલ ચોક્સી સૌથી મોટો ડિફોલ્ટર


  • Published By :
  • Published Date : 2023-08-04 19:31:32

દેશના 50થી વધુ વિલફુલ ડિફોલ્ટરે ટોચની સરકારી બેંકોને રૂ.87,295નો ચુનો લગાવ્યો છે.જેમાં ફરાર જાહેર ખયેલા મેહુલ ચોક્સીની ગીતાંજલિ જેમ્સ, એરા એન્જિનિયરિંગ, આરઈઆઈ એગ્રો, અને એબીજી શિપયાર્ડ જેવી કંપનીનો સમાવેશ થાય છે. વિલફુલ ડિફોલ્ટર તેને કહેવાય છે જે દેવું ચૂકવવા માટે પૂરતા સંસાધનો ધરાવતો હોવા છતાં પણ લોન ભરપાઈ કરતો નથી. 


નાણામંત્રીએ રાજ્ય સભામાં આપ્યો જવાબ


નાણા રાજ્ય મંત્રી ભાગવત કરાડે એક લેખિત જવાબમાં જાણકારી આપતા કહ્યું કે રિઝર્વ બેંકે 31 માર્ચ 2023 સુધી એસબીસીમાં ટોચના 50 વિસફુલ ડિફોલ્ટર્સ પર 87,295 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી હોવાનું જણાવ્યું હતું. કરાડે જણાવ્યું હતું કે,  તેમાંથી, ટોચની 10 શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો (SCBs) પાસે રૂ. 40,825 કરોડ બાકી છે, છેલ્લા પાંચ નાણાકીય વર્ષ દરમિયાન 2022-23 ના નાણાકીય વર્ષ માટે ભારતીય રિઝર્વ બેંક પાસે ઉપલબ્ધ આંકડા મુજબ, SCB એ કુલ 10,57,326 કરોડની રકમ માફી કરી દીધી છે. 


કઈ કંપનીએ બેંકોનું કરી નાખ્યું?


ભાગેડુ મેહુલ ચોક્સીની ગીતાંજલિ જેમ્સ બેંકોના રૂ. 8,738 કરોડના દેવા સાથે સૌથી મોટી વિલફુલ ડિફોલ્ટર છે. તે પછી એરા ઇન્ફ્રા એન્જિનિયરિંગ લિમિટેડ રૂ. 5,750 કરોડ, REI એગ્રો લિમિટેડ રૂ. 5,148 કરોડ, એબીજી શિપયાર્ડ લિમિટેડ રૂ. 4,774 કરોડ અને કોન્કાસ્ટ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ રૂ. 3,911 કરોડ લે છે. અન્ય વિલફુલ ડિફોલ્ટ્સમાં રોટોમેક ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ રૂ. 2,894 કરોડ, વિન્સમ ડાયમંડ એન્ડ જ્વેલરી લિમિટેડ રૂ. 2,846 કરોડ, ફ્રોસ્ટ ઇન્ટરનેશનલ લિમિટેડ રૂ. 2,518 કરોડ, શ્રી લક્ષ્મી કોટસિન લિમિટેડ રૂ. 2,180 કરોડ અને ઝૂમ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ રૂ. 26 કરોડ, છે.


2022-23માં છેતરપિંડીના 66,069 કેસ


એક અલગ જવાબમાં કરાડે જણાવ્યું હતું કે 2022-23માં છેતરપિંડીના 66,069 કેસ નોંધાયા હતા. જેના કારણે 85.25 કરોડનું નુકસાન થયું હતું. ગયા વર્ષે છેતરપિંડીના 65,893 કેસ નોંધાયા હતા. જેના કારણે 115.36 કરોડનું નુકસાન થયું હતું. તેમણે કહ્યું કે RBI ફ્રોડ ટ્રાન્ઝેક્શોને રોકવા માટે સમય સમય પર સૂચનાઓ જારી કરતી રહે છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.