ટોપ-50 ડિફોલ્ટર્સે બેંકોને રૂ. 87,295 કરોડનો ચુનો લગાવ્યો, મેહુલ ચોક્સી સૌથી મોટો ડિફોલ્ટર


  • Published By :
  • Published Date : 2023-08-04 19:31:32

દેશના 50થી વધુ વિલફુલ ડિફોલ્ટરે ટોચની સરકારી બેંકોને રૂ.87,295નો ચુનો લગાવ્યો છે.જેમાં ફરાર જાહેર ખયેલા મેહુલ ચોક્સીની ગીતાંજલિ જેમ્સ, એરા એન્જિનિયરિંગ, આરઈઆઈ એગ્રો, અને એબીજી શિપયાર્ડ જેવી કંપનીનો સમાવેશ થાય છે. વિલફુલ ડિફોલ્ટર તેને કહેવાય છે જે દેવું ચૂકવવા માટે પૂરતા સંસાધનો ધરાવતો હોવા છતાં પણ લોન ભરપાઈ કરતો નથી. 


નાણામંત્રીએ રાજ્ય સભામાં આપ્યો જવાબ


નાણા રાજ્ય મંત્રી ભાગવત કરાડે એક લેખિત જવાબમાં જાણકારી આપતા કહ્યું કે રિઝર્વ બેંકે 31 માર્ચ 2023 સુધી એસબીસીમાં ટોચના 50 વિસફુલ ડિફોલ્ટર્સ પર 87,295 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી હોવાનું જણાવ્યું હતું. કરાડે જણાવ્યું હતું કે,  તેમાંથી, ટોચની 10 શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો (SCBs) પાસે રૂ. 40,825 કરોડ બાકી છે, છેલ્લા પાંચ નાણાકીય વર્ષ દરમિયાન 2022-23 ના નાણાકીય વર્ષ માટે ભારતીય રિઝર્વ બેંક પાસે ઉપલબ્ધ આંકડા મુજબ, SCB એ કુલ 10,57,326 કરોડની રકમ માફી કરી દીધી છે. 


કઈ કંપનીએ બેંકોનું કરી નાખ્યું?


ભાગેડુ મેહુલ ચોક્સીની ગીતાંજલિ જેમ્સ બેંકોના રૂ. 8,738 કરોડના દેવા સાથે સૌથી મોટી વિલફુલ ડિફોલ્ટર છે. તે પછી એરા ઇન્ફ્રા એન્જિનિયરિંગ લિમિટેડ રૂ. 5,750 કરોડ, REI એગ્રો લિમિટેડ રૂ. 5,148 કરોડ, એબીજી શિપયાર્ડ લિમિટેડ રૂ. 4,774 કરોડ અને કોન્કાસ્ટ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ રૂ. 3,911 કરોડ લે છે. અન્ય વિલફુલ ડિફોલ્ટ્સમાં રોટોમેક ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ રૂ. 2,894 કરોડ, વિન્સમ ડાયમંડ એન્ડ જ્વેલરી લિમિટેડ રૂ. 2,846 કરોડ, ફ્રોસ્ટ ઇન્ટરનેશનલ લિમિટેડ રૂ. 2,518 કરોડ, શ્રી લક્ષ્મી કોટસિન લિમિટેડ રૂ. 2,180 કરોડ અને ઝૂમ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ રૂ. 26 કરોડ, છે.


2022-23માં છેતરપિંડીના 66,069 કેસ


એક અલગ જવાબમાં કરાડે જણાવ્યું હતું કે 2022-23માં છેતરપિંડીના 66,069 કેસ નોંધાયા હતા. જેના કારણે 85.25 કરોડનું નુકસાન થયું હતું. ગયા વર્ષે છેતરપિંડીના 65,893 કેસ નોંધાયા હતા. જેના કારણે 115.36 કરોડનું નુકસાન થયું હતું. તેમણે કહ્યું કે RBI ફ્રોડ ટ્રાન્ઝેક્શોને રોકવા માટે સમય સમય પર સૂચનાઓ જારી કરતી રહે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.