ટોપ-50 ડિફોલ્ટર્સે બેંકોને રૂ. 87,295 કરોડનો ચુનો લગાવ્યો, મેહુલ ચોક્સી સૌથી મોટો ડિફોલ્ટર


  • Published By :
  • Published Date : 2023-08-04 19:31:32

દેશના 50થી વધુ વિલફુલ ડિફોલ્ટરે ટોચની સરકારી બેંકોને રૂ.87,295નો ચુનો લગાવ્યો છે.જેમાં ફરાર જાહેર ખયેલા મેહુલ ચોક્સીની ગીતાંજલિ જેમ્સ, એરા એન્જિનિયરિંગ, આરઈઆઈ એગ્રો, અને એબીજી શિપયાર્ડ જેવી કંપનીનો સમાવેશ થાય છે. વિલફુલ ડિફોલ્ટર તેને કહેવાય છે જે દેવું ચૂકવવા માટે પૂરતા સંસાધનો ધરાવતો હોવા છતાં પણ લોન ભરપાઈ કરતો નથી. 


નાણામંત્રીએ રાજ્ય સભામાં આપ્યો જવાબ


નાણા રાજ્ય મંત્રી ભાગવત કરાડે એક લેખિત જવાબમાં જાણકારી આપતા કહ્યું કે રિઝર્વ બેંકે 31 માર્ચ 2023 સુધી એસબીસીમાં ટોચના 50 વિસફુલ ડિફોલ્ટર્સ પર 87,295 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી હોવાનું જણાવ્યું હતું. કરાડે જણાવ્યું હતું કે,  તેમાંથી, ટોચની 10 શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો (SCBs) પાસે રૂ. 40,825 કરોડ બાકી છે, છેલ્લા પાંચ નાણાકીય વર્ષ દરમિયાન 2022-23 ના નાણાકીય વર્ષ માટે ભારતીય રિઝર્વ બેંક પાસે ઉપલબ્ધ આંકડા મુજબ, SCB એ કુલ 10,57,326 કરોડની રકમ માફી કરી દીધી છે. 


કઈ કંપનીએ બેંકોનું કરી નાખ્યું?


ભાગેડુ મેહુલ ચોક્સીની ગીતાંજલિ જેમ્સ બેંકોના રૂ. 8,738 કરોડના દેવા સાથે સૌથી મોટી વિલફુલ ડિફોલ્ટર છે. તે પછી એરા ઇન્ફ્રા એન્જિનિયરિંગ લિમિટેડ રૂ. 5,750 કરોડ, REI એગ્રો લિમિટેડ રૂ. 5,148 કરોડ, એબીજી શિપયાર્ડ લિમિટેડ રૂ. 4,774 કરોડ અને કોન્કાસ્ટ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ રૂ. 3,911 કરોડ લે છે. અન્ય વિલફુલ ડિફોલ્ટ્સમાં રોટોમેક ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ રૂ. 2,894 કરોડ, વિન્સમ ડાયમંડ એન્ડ જ્વેલરી લિમિટેડ રૂ. 2,846 કરોડ, ફ્રોસ્ટ ઇન્ટરનેશનલ લિમિટેડ રૂ. 2,518 કરોડ, શ્રી લક્ષ્મી કોટસિન લિમિટેડ રૂ. 2,180 કરોડ અને ઝૂમ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ રૂ. 26 કરોડ, છે.


2022-23માં છેતરપિંડીના 66,069 કેસ


એક અલગ જવાબમાં કરાડે જણાવ્યું હતું કે 2022-23માં છેતરપિંડીના 66,069 કેસ નોંધાયા હતા. જેના કારણે 85.25 કરોડનું નુકસાન થયું હતું. ગયા વર્ષે છેતરપિંડીના 65,893 કેસ નોંધાયા હતા. જેના કારણે 115.36 કરોડનું નુકસાન થયું હતું. તેમણે કહ્યું કે RBI ફ્રોડ ટ્રાન્ઝેક્શોને રોકવા માટે સમય સમય પર સૂચનાઓ જારી કરતી રહે છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .