અભિનેતા વિક્રમ ઠાકોર શું આમ આદમી પાર્ટીમાં જોડાશે, દિલ્હી મળવા માટે કોણે બોલાવ્યા?


  • Published By : Admin
  • Published Date : 2025-03-29 16:14:55

ગુજરાતી અભિનેતા વિક્રમ ઠાકોર છેલ્લા ઘણા સમયથી ખુબ ચર્ચામાં છે... ગુજરાતી ફિલ્મઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર શું હવે રાજનીતિમાં એન્ટ્રી કરશે. આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે નેતાઓની ચાલ પર ચાલી રહ્યાં છે વિક્રમભાઈ. સમાજ કહેશે તેમ કરીશ તેવી વાતો સતત એમના તરફથી કરવામાં આવી. હવે તેમને દિલ્હીથી ફોન પણ આવ્યો છે. અને મળવા બોલાવ્યા છે. 

ઉત્તર ગુજરાત આખામાં કોઈપણ ગલીમાં પુછી લો વિક્રમ ઠાકોર એટલે કોણ . તો સૌ કોઈ ઓળખે એટલી ખ્યાતી અભિનેતા વિક્રમ ઠાકોર ધરાવે છે. વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કર્યા અને વિક્રમભાઈને આમંત્રણ ન મળ્યું એટલે સમાજનું નામ લઈ સમાજના કોઈપણ કલાકારને ન બોલાવ્યો એવી વાત કરી પોતાની નારાજગી વ્યક્તિ કરી. પત્રકારોએ સવાલ કર્યો કે હવે સરકાર બોલાવશે તો જશો. એટલે હા કે ના પાડવાને બદલે વિક્રમભાઈએ રાજનેતાની જેમ જવાબ આપ્યો સમાજ કહેશે તેમ કરીશ. આ અણસાર એટલી ખાતરી તો ચોક્કસથી આપી રહ્યાં હતા કે આજે નહીં તો કાલે વિક્રમભાઈ રાજનીતિમાં જવાના મૂડમાં તો જરુર છે. સરકારે સ્વીકાર કર્યો કે અચાનક કાર્યક્રમ નક્કી થયો તેમા રહી ગયુંહશે. ફરી સરકારે કાર્યક્રમ ગોઠવ્યો વિશ્વ રંગભૂમિ દિવસ પર કલાકારો, ફિલ્મી હસ્તીઓ અને સંગીતવિદોને બોલાવીને સન્માનિત કરવાનો. વિક્રમ ઠાકોરે સામાજિક પ્રસંગમાં હોવાની વાત કહીને ન ગયા. આ બધાની વચ્ચે તેઓ આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીને મળતા પણ દેખાયા, શુભેચ્છા મેળવતા દેખાયા. સરકારમાં જોડાયેલા અભિનેતા હિતુ કનોડિયાએ કહ્યું, સૌથી પહેલું આમંત્રણ સરકારે વિક્રમભાઈને આપ્યું પણ એમનું કન્ફોર્મેશન આવ્યું નથી. 

વિક્રમભાઈએ તો કહ્યું નહીં કે આમંત્રણ આવ્યુ જ નથી પણ નવઘણજી ઠાકોર મેદાને આવ્યા ને બોલ્યા કે વિક્રમભાઈને તો સરકારે આમંત્રણ આપ્યું જ નથી. હવે દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ અરવિંદ કેજરીવાલની વાતચીત વિક્રમ ઠાકોર સાથે કરાવી છે. હવે જોવાનું રહેશે કે વિક્રમ ઠાકોર અરવિંદ કેજરીવાલને મળવા માટે દિલ્હી જાય છે કે નહીં એ જોવાનું રહેશે. 

વિક્રમ ઠાકોરની રાજનીતિમાં એન્ટ્રીને લઈને અટકળો શરૂ થઈ છે. ત્યારે આ વચ્ચે અરવિંદ કેજરીવાલ સાથે વિક્રમ ઠાકોરે વાતચીત કરી. ઈસુદાન ગઢવીના મારફતે કેજરીવાલ સાથે વાત થઈ હોવાનું વિક્રમ ઠાકોરે કબૂલ્યુ. તેમણે કહ્યું કે, રાજકારણમાં એન્ટ્રી હાલ નહિ કરું. સમય આવે મારો નિર્ણય કરીશું. દરેક પક્ષમાંથી મને રાજનીતિમાં આવવા માટેની ઓફર આવે છે. કેજરીવાલ સાહેબનો મારા પર ફોન આવ્યો હતો. ઈસુદાનભાઈ પણ મળવા આવ્યા હતા. ઘણીવાર ગાંધીનગર આવે ત્યારે મને મળે છે. તેમણે કેજરીવાલને મારા વિશે વાત કરી હતી. કેજરીવાલ સાહેબે મને આવો ત્યારે મળવા બોલાવ્યા હતા. 

પહેલા પણ મને રાજકારણમાં જોડાવાની ઓફર આવી જ હતી. હાલ તો કંઈ ન કહી શકું. જ્યારે કરીશ ત્યારે મીડિયા સામે જાહેર કરીશ. મોદીસાહેબ હતા ત્યારે ઓફર આવી હતી. દરેક પક્ષમાંથી ઓફર આવી હતી. કેજરીવાલ સાહેબે પણ જોડાવા માટે ફોન નહોતો કર્યો, માત્ર આવો ત્યારે મળવા માટેની વાત કરી હતી. દરેક પાર્ટી સારા લોકોને પોતાના પક્ષમાં જોડાવા ઈચ્છતી હોય છે.

ઉત્તર ગુજરાતમાં વિક્રમ ઠાકોર બહુ જ લોકપ્રિય છે. ઠાકોર સમાજમાં પણ ખુબ મોટુ નામ છે. સવાલ એ છે કે શું વિક્રમ ઠાકોરની નારાજગીનો ફાયદો આમ આદમી પાર્ટી ઉઠાવી ઉત્તર ગુજરાતમાં મજબુત થવા માંગે છે.  વિક્રમ ઠાકોરને ઈસુદાન ગઢવી મળ્યા, આપનું નેતૃત્વ મળ્યુ અને હવે અરવિંદ કેજરીવાલે ફોન પણકર્યો અને મળવા માટે પણ બોલાવ્યા. સામાન્ય સંજોગોમાં આ બહુ જ સ્વાભાવિક બનતી ઘટના છે. પણ નારાજગી હોય અને એમના કહેવાથી જ્યારે આખો ઠાકોર સમાજ ભેગો થતો હોય તેમના માટે ત્યારે આમ આદમી પાર્ટીનું એક્ટિવ થવું બહુ જ મોટી વાત છે. 2022માં સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્યો જીતી ગયા. ગારિયાધારથી સુધીર વાઘાણી, બોટાદથી ઉમેશ મકવાણા, જામજોધપુરથી હેમંત ખવા અને વિસાવદરથી ભૂપત ભાયાણ જોકે ભાયાણી તો રાજીનામુ આપીને ભાજપમાં જોડાય ગયા..પણ ત્રણ અકબંધ છે. દક્ષિણ ગુજરાતમાં ચૈતર વસાવા દેડીયાપાડાથી ધારાસભ્ય છે. ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાને મજબૂત કરવા માટે પ્રયાસ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.. આ રાજનીતિ છે અને અહીંયા બધુ જ શક્ય છે.



યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .

થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .