અભિનેતા વિક્રમ ઠાકોર શું આમ આદમી પાર્ટીમાં જોડાશે, દિલ્હી મળવા માટે કોણે બોલાવ્યા?


  • Published By : Admin
  • Published Date : 2025-03-29 16:14:55

ગુજરાતી અભિનેતા વિક્રમ ઠાકોર છેલ્લા ઘણા સમયથી ખુબ ચર્ચામાં છે... ગુજરાતી ફિલ્મઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર શું હવે રાજનીતિમાં એન્ટ્રી કરશે. આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે નેતાઓની ચાલ પર ચાલી રહ્યાં છે વિક્રમભાઈ. સમાજ કહેશે તેમ કરીશ તેવી વાતો સતત એમના તરફથી કરવામાં આવી. હવે તેમને દિલ્હીથી ફોન પણ આવ્યો છે. અને મળવા બોલાવ્યા છે. 

ઉત્તર ગુજરાત આખામાં કોઈપણ ગલીમાં પુછી લો વિક્રમ ઠાકોર એટલે કોણ . તો સૌ કોઈ ઓળખે એટલી ખ્યાતી અભિનેતા વિક્રમ ઠાકોર ધરાવે છે. વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કર્યા અને વિક્રમભાઈને આમંત્રણ ન મળ્યું એટલે સમાજનું નામ લઈ સમાજના કોઈપણ કલાકારને ન બોલાવ્યો એવી વાત કરી પોતાની નારાજગી વ્યક્તિ કરી. પત્રકારોએ સવાલ કર્યો કે હવે સરકાર બોલાવશે તો જશો. એટલે હા કે ના પાડવાને બદલે વિક્રમભાઈએ રાજનેતાની જેમ જવાબ આપ્યો સમાજ કહેશે તેમ કરીશ. આ અણસાર એટલી ખાતરી તો ચોક્કસથી આપી રહ્યાં હતા કે આજે નહીં તો કાલે વિક્રમભાઈ રાજનીતિમાં જવાના મૂડમાં તો જરુર છે. સરકારે સ્વીકાર કર્યો કે અચાનક કાર્યક્રમ નક્કી થયો તેમા રહી ગયુંહશે. ફરી સરકારે કાર્યક્રમ ગોઠવ્યો વિશ્વ રંગભૂમિ દિવસ પર કલાકારો, ફિલ્મી હસ્તીઓ અને સંગીતવિદોને બોલાવીને સન્માનિત કરવાનો. વિક્રમ ઠાકોરે સામાજિક પ્રસંગમાં હોવાની વાત કહીને ન ગયા. આ બધાની વચ્ચે તેઓ આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીને મળતા પણ દેખાયા, શુભેચ્છા મેળવતા દેખાયા. સરકારમાં જોડાયેલા અભિનેતા હિતુ કનોડિયાએ કહ્યું, સૌથી પહેલું આમંત્રણ સરકારે વિક્રમભાઈને આપ્યું પણ એમનું કન્ફોર્મેશન આવ્યું નથી. 

વિક્રમભાઈએ તો કહ્યું નહીં કે આમંત્રણ આવ્યુ જ નથી પણ નવઘણજી ઠાકોર મેદાને આવ્યા ને બોલ્યા કે વિક્રમભાઈને તો સરકારે આમંત્રણ આપ્યું જ નથી. હવે દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ અરવિંદ કેજરીવાલની વાતચીત વિક્રમ ઠાકોર સાથે કરાવી છે. હવે જોવાનું રહેશે કે વિક્રમ ઠાકોર અરવિંદ કેજરીવાલને મળવા માટે દિલ્હી જાય છે કે નહીં એ જોવાનું રહેશે. 

વિક્રમ ઠાકોરની રાજનીતિમાં એન્ટ્રીને લઈને અટકળો શરૂ થઈ છે. ત્યારે આ વચ્ચે અરવિંદ કેજરીવાલ સાથે વિક્રમ ઠાકોરે વાતચીત કરી. ઈસુદાન ગઢવીના મારફતે કેજરીવાલ સાથે વાત થઈ હોવાનું વિક્રમ ઠાકોરે કબૂલ્યુ. તેમણે કહ્યું કે, રાજકારણમાં એન્ટ્રી હાલ નહિ કરું. સમય આવે મારો નિર્ણય કરીશું. દરેક પક્ષમાંથી મને રાજનીતિમાં આવવા માટેની ઓફર આવે છે. કેજરીવાલ સાહેબનો મારા પર ફોન આવ્યો હતો. ઈસુદાનભાઈ પણ મળવા આવ્યા હતા. ઘણીવાર ગાંધીનગર આવે ત્યારે મને મળે છે. તેમણે કેજરીવાલને મારા વિશે વાત કરી હતી. કેજરીવાલ સાહેબે મને આવો ત્યારે મળવા બોલાવ્યા હતા. 

પહેલા પણ મને રાજકારણમાં જોડાવાની ઓફર આવી જ હતી. હાલ તો કંઈ ન કહી શકું. જ્યારે કરીશ ત્યારે મીડિયા સામે જાહેર કરીશ. મોદીસાહેબ હતા ત્યારે ઓફર આવી હતી. દરેક પક્ષમાંથી ઓફર આવી હતી. કેજરીવાલ સાહેબે પણ જોડાવા માટે ફોન નહોતો કર્યો, માત્ર આવો ત્યારે મળવા માટેની વાત કરી હતી. દરેક પાર્ટી સારા લોકોને પોતાના પક્ષમાં જોડાવા ઈચ્છતી હોય છે.

ઉત્તર ગુજરાતમાં વિક્રમ ઠાકોર બહુ જ લોકપ્રિય છે. ઠાકોર સમાજમાં પણ ખુબ મોટુ નામ છે. સવાલ એ છે કે શું વિક્રમ ઠાકોરની નારાજગીનો ફાયદો આમ આદમી પાર્ટી ઉઠાવી ઉત્તર ગુજરાતમાં મજબુત થવા માંગે છે.  વિક્રમ ઠાકોરને ઈસુદાન ગઢવી મળ્યા, આપનું નેતૃત્વ મળ્યુ અને હવે અરવિંદ કેજરીવાલે ફોન પણકર્યો અને મળવા માટે પણ બોલાવ્યા. સામાન્ય સંજોગોમાં આ બહુ જ સ્વાભાવિક બનતી ઘટના છે. પણ નારાજગી હોય અને એમના કહેવાથી જ્યારે આખો ઠાકોર સમાજ ભેગો થતો હોય તેમના માટે ત્યારે આમ આદમી પાર્ટીનું એક્ટિવ થવું બહુ જ મોટી વાત છે. 2022માં સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્યો જીતી ગયા. ગારિયાધારથી સુધીર વાઘાણી, બોટાદથી ઉમેશ મકવાણા, જામજોધપુરથી હેમંત ખવા અને વિસાવદરથી ભૂપત ભાયાણ જોકે ભાયાણી તો રાજીનામુ આપીને ભાજપમાં જોડાય ગયા..પણ ત્રણ અકબંધ છે. દક્ષિણ ગુજરાતમાં ચૈતર વસાવા દેડીયાપાડાથી ધારાસભ્ય છે. ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાને મજબૂત કરવા માટે પ્રયાસ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.. આ રાજનીતિ છે અને અહીંયા બધુ જ શક્ય છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.