અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ સક્રીય રીતે રાજકારણમાં જોડાશે કે બિઝનેસ જ સંભાળશે? વિસ્તૃત અહેવાલ


  • Published By :
  • Published Date : 2023-06-07 17:37:05

Story by Samir Parmar


કોંગ્રેસના એક સમયના સંકટ મોચક કહેવાતા અહમદ પટેલ પોતાના પક્ષ અને તેની વિચારધારા સાથે જોડાયેલા રહ્યા. આજે કોંગ્રેસમાં તેમનો વારસો કોણ સંભાળશે તેનો કોંગ્રેસમાં ગણગણાટ થઈ રહ્યો છે. કેન્દ્રની વાત કરીએ તો ત્યાંની ખબર નથી કે કોણ તેમનું સ્થાન લેશે પણ ગુજરાતમાં ચર્ચા ચાલુ થઈ ગઈ છે કારણ કે તેમના પુત્રએ સીઆર પાટીલ સાથેનો ફોટો મૂકીને સોશીયલ મીડિયામાં મોટો મેસેજ આપી દીધો છે. શું છે ફોટોની હકીકત અને આની પાછળનું રાજકારણ શું હોય શકે બધુ સમજીએ આ રિપોર્ટમાં.

Ahmed Patel: Age, Wife, Children, Net worth, Family, Biography & More

ફૈઝલ પટેલ સાથે પાટીલ પાટીલ કેમ દેખાયા?

અહમદ પટેલનો વારસો તેમના સુપુત્રી મુમતાઝ પટેલ અને પુત્ર ફૈઝલ પટેલ સંભાળશે તેવી ચર્ચા કેટલા સમયથી ચાલી રહી છે. મુમતાઝ પટેલે તો અહમદ પટેલના ગયા બાદ ઓનલાઈન અને ગ્રાઉન્ડ પર સક્રિય થઈને કામગીરી શરૂ કરી દીધી છે. ભાજપની કોઈ પણ કામગીરી પર પ્રહાર કરવાનું મુમતાઝ પટેલ ચૂકતા નથી. લોકસભાની ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાતના રાજકારણમાં ઘણા બદલાવો આવી રહ્યા છે. અને કોંગ્રેસના નેતા ભાજપમાં જશે તેવા સમાચાર આવી રહ્યા છે. મહીસાગરના જેપી પટેલ ભાજપમાં જોડાઈ ગયા છે. સુખરામ રાઠવાની પણ ભાજપમાં આવવાની ચર્ચા ચાલી રહી છે પણ તેમણે સામે ચાલીને ના પાડી દીધી છે કે હું ભાજપમાં નહીં જોડાઉં. લોક સભા પહેલાની આ કામગીરી ચાલી જ રહી છે હજુ પણ અનેક ધડાકા થશે પણ એક સમચારની આજ ચર્ચા થઈ રહી છે તે અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટર પર ટ્વીટ કરી જેમાં બે ફોટો હતા. બંને ફોટોમાં ફૈઝલ પટેલ હતા પણ સાથે હતા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટીલ. આ ખૂબ મોટો સંદેશ આપી જાય છે. ગઈ વખતે ભાજપે લોકસભાની 26માંથી 26 સીટ જીતી હતી અને 2022ની વિધાનસભા ચૂંટણી પછી તરત લોકસભાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ફૈઝલ પટેલના બેન મુમતાઝ પટેલે તો કહી દીધું છે કે આ ફોટોમાં કોઈ ધ્યાન દેવાની જરૂર નથી. પણ સવાલ અહીં એ ઉભો થાય કે જો ધ્યાન દેવા જેવું કંઈ છે નહીં તો એ ફોટો ફૈઝલ પટેલના સોશિયલ મીડિયામાં કરી શું રહ્યો છે? મુમતાઝ પટેલ પટેલ ખાલી ભરૂચમાં જ સક્રિય નથી. તે ગુજરાત અને ભારતમાં પણ પોતાનું સ્થાન બનાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ફૈઝલ પટેલની વાત કરીએ તો તે રાજકારણની જગ્યાએ બિઝનેસમાં વધારે ધ્યાન આપી રહ્યા છે. પણ ફૈઝલ રાજકારણમાં પણ આવી શકે છે. જો તે રાજકારણમાં સક્રિય થાય તો બંને એક જગ્યા પરથી ચૂંટણી નહીં લડે તેવા સંકેતો બંને ભાઈ બહેન પહેલા જ આપી ચૂક્યા છે. 

Ahmed Patel: Age, Wife, Children, Net worth, Family, Biography & More

આ ફોટો મામલે ફૈઝલ પટેલે તો કોઈ સ્પષ્ટતા નથી કરી પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે ફોટો સીઆર પાટીલની કામચલાઉ ઓફિસનો છે, જે હાલ જ બનાવામાં આવી છે. ટૂંકમાં લગભગ ફોટો જૂનો છે પણ મૂકવામાં હાલ આવ્યો છે. લોકસભા ચૂંટણીની વાત કરીએ તો 1977થી 1984 સુધી અહમદ પટેલ અહીં જીતતા આવ્યા છે. ત્યારબાદ ચંદુભાઈ દેશમુખ અને 1998 બાદ ભાજપ સમર્થિત મનસુખ વસાવા સાંસદ તરીકે આવ્યા છે. ભરૂચ લોકસભામાં સાત વિધાનસભા આવે છે. હવે શું નવા જૂની થશે એ જોવાનું રહેશે કારણ કે લોકસભાની ચૂંટણી પહેલા ઘણી નવા-જૂની થવાની છે. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.