અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ સક્રીય રીતે રાજકારણમાં જોડાશે કે બિઝનેસ જ સંભાળશે? વિસ્તૃત અહેવાલ


  • Published By :
  • Published Date : 2023-06-07 17:37:05

Story by Samir Parmar


કોંગ્રેસના એક સમયના સંકટ મોચક કહેવાતા અહમદ પટેલ પોતાના પક્ષ અને તેની વિચારધારા સાથે જોડાયેલા રહ્યા. આજે કોંગ્રેસમાં તેમનો વારસો કોણ સંભાળશે તેનો કોંગ્રેસમાં ગણગણાટ થઈ રહ્યો છે. કેન્દ્રની વાત કરીએ તો ત્યાંની ખબર નથી કે કોણ તેમનું સ્થાન લેશે પણ ગુજરાતમાં ચર્ચા ચાલુ થઈ ગઈ છે કારણ કે તેમના પુત્રએ સીઆર પાટીલ સાથેનો ફોટો મૂકીને સોશીયલ મીડિયામાં મોટો મેસેજ આપી દીધો છે. શું છે ફોટોની હકીકત અને આની પાછળનું રાજકારણ શું હોય શકે બધુ સમજીએ આ રિપોર્ટમાં.

Ahmed Patel: Age, Wife, Children, Net worth, Family, Biography & More

ફૈઝલ પટેલ સાથે પાટીલ પાટીલ કેમ દેખાયા?

અહમદ પટેલનો વારસો તેમના સુપુત્રી મુમતાઝ પટેલ અને પુત્ર ફૈઝલ પટેલ સંભાળશે તેવી ચર્ચા કેટલા સમયથી ચાલી રહી છે. મુમતાઝ પટેલે તો અહમદ પટેલના ગયા બાદ ઓનલાઈન અને ગ્રાઉન્ડ પર સક્રિય થઈને કામગીરી શરૂ કરી દીધી છે. ભાજપની કોઈ પણ કામગીરી પર પ્રહાર કરવાનું મુમતાઝ પટેલ ચૂકતા નથી. લોકસભાની ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાતના રાજકારણમાં ઘણા બદલાવો આવી રહ્યા છે. અને કોંગ્રેસના નેતા ભાજપમાં જશે તેવા સમાચાર આવી રહ્યા છે. મહીસાગરના જેપી પટેલ ભાજપમાં જોડાઈ ગયા છે. સુખરામ રાઠવાની પણ ભાજપમાં આવવાની ચર્ચા ચાલી રહી છે પણ તેમણે સામે ચાલીને ના પાડી દીધી છે કે હું ભાજપમાં નહીં જોડાઉં. લોક સભા પહેલાની આ કામગીરી ચાલી જ રહી છે હજુ પણ અનેક ધડાકા થશે પણ એક સમચારની આજ ચર્ચા થઈ રહી છે તે અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટર પર ટ્વીટ કરી જેમાં બે ફોટો હતા. બંને ફોટોમાં ફૈઝલ પટેલ હતા પણ સાથે હતા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટીલ. આ ખૂબ મોટો સંદેશ આપી જાય છે. ગઈ વખતે ભાજપે લોકસભાની 26માંથી 26 સીટ જીતી હતી અને 2022ની વિધાનસભા ચૂંટણી પછી તરત લોકસભાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ફૈઝલ પટેલના બેન મુમતાઝ પટેલે તો કહી દીધું છે કે આ ફોટોમાં કોઈ ધ્યાન દેવાની જરૂર નથી. પણ સવાલ અહીં એ ઉભો થાય કે જો ધ્યાન દેવા જેવું કંઈ છે નહીં તો એ ફોટો ફૈઝલ પટેલના સોશિયલ મીડિયામાં કરી શું રહ્યો છે? મુમતાઝ પટેલ પટેલ ખાલી ભરૂચમાં જ સક્રિય નથી. તે ગુજરાત અને ભારતમાં પણ પોતાનું સ્થાન બનાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ફૈઝલ પટેલની વાત કરીએ તો તે રાજકારણની જગ્યાએ બિઝનેસમાં વધારે ધ્યાન આપી રહ્યા છે. પણ ફૈઝલ રાજકારણમાં પણ આવી શકે છે. જો તે રાજકારણમાં સક્રિય થાય તો બંને એક જગ્યા પરથી ચૂંટણી નહીં લડે તેવા સંકેતો બંને ભાઈ બહેન પહેલા જ આપી ચૂક્યા છે. 

Ahmed Patel: Age, Wife, Children, Net worth, Family, Biography & More

આ ફોટો મામલે ફૈઝલ પટેલે તો કોઈ સ્પષ્ટતા નથી કરી પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે ફોટો સીઆર પાટીલની કામચલાઉ ઓફિસનો છે, જે હાલ જ બનાવામાં આવી છે. ટૂંકમાં લગભગ ફોટો જૂનો છે પણ મૂકવામાં હાલ આવ્યો છે. લોકસભા ચૂંટણીની વાત કરીએ તો 1977થી 1984 સુધી અહમદ પટેલ અહીં જીતતા આવ્યા છે. ત્યારબાદ ચંદુભાઈ દેશમુખ અને 1998 બાદ ભાજપ સમર્થિત મનસુખ વસાવા સાંસદ તરીકે આવ્યા છે. ભરૂચ લોકસભામાં સાત વિધાનસભા આવે છે. હવે શું નવા જૂની થશે એ જોવાનું રહેશે કારણ કે લોકસભાની ચૂંટણી પહેલા ઘણી નવા-જૂની થવાની છે. 



બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.