અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ સક્રીય રીતે રાજકારણમાં જોડાશે કે બિઝનેસ જ સંભાળશે? વિસ્તૃત અહેવાલ


  • Published By :
  • Published Date : 2023-06-07 17:37:05

Story by Samir Parmar


કોંગ્રેસના એક સમયના સંકટ મોચક કહેવાતા અહમદ પટેલ પોતાના પક્ષ અને તેની વિચારધારા સાથે જોડાયેલા રહ્યા. આજે કોંગ્રેસમાં તેમનો વારસો કોણ સંભાળશે તેનો કોંગ્રેસમાં ગણગણાટ થઈ રહ્યો છે. કેન્દ્રની વાત કરીએ તો ત્યાંની ખબર નથી કે કોણ તેમનું સ્થાન લેશે પણ ગુજરાતમાં ચર્ચા ચાલુ થઈ ગઈ છે કારણ કે તેમના પુત્રએ સીઆર પાટીલ સાથેનો ફોટો મૂકીને સોશીયલ મીડિયામાં મોટો મેસેજ આપી દીધો છે. શું છે ફોટોની હકીકત અને આની પાછળનું રાજકારણ શું હોય શકે બધુ સમજીએ આ રિપોર્ટમાં.

Ahmed Patel: Age, Wife, Children, Net worth, Family, Biography & More

ફૈઝલ પટેલ સાથે પાટીલ પાટીલ કેમ દેખાયા?

અહમદ પટેલનો વારસો તેમના સુપુત્રી મુમતાઝ પટેલ અને પુત્ર ફૈઝલ પટેલ સંભાળશે તેવી ચર્ચા કેટલા સમયથી ચાલી રહી છે. મુમતાઝ પટેલે તો અહમદ પટેલના ગયા બાદ ઓનલાઈન અને ગ્રાઉન્ડ પર સક્રિય થઈને કામગીરી શરૂ કરી દીધી છે. ભાજપની કોઈ પણ કામગીરી પર પ્રહાર કરવાનું મુમતાઝ પટેલ ચૂકતા નથી. લોકસભાની ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાતના રાજકારણમાં ઘણા બદલાવો આવી રહ્યા છે. અને કોંગ્રેસના નેતા ભાજપમાં જશે તેવા સમાચાર આવી રહ્યા છે. મહીસાગરના જેપી પટેલ ભાજપમાં જોડાઈ ગયા છે. સુખરામ રાઠવાની પણ ભાજપમાં આવવાની ચર્ચા ચાલી રહી છે પણ તેમણે સામે ચાલીને ના પાડી દીધી છે કે હું ભાજપમાં નહીં જોડાઉં. લોક સભા પહેલાની આ કામગીરી ચાલી જ રહી છે હજુ પણ અનેક ધડાકા થશે પણ એક સમચારની આજ ચર્ચા થઈ રહી છે તે અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટર પર ટ્વીટ કરી જેમાં બે ફોટો હતા. બંને ફોટોમાં ફૈઝલ પટેલ હતા પણ સાથે હતા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટીલ. આ ખૂબ મોટો સંદેશ આપી જાય છે. ગઈ વખતે ભાજપે લોકસભાની 26માંથી 26 સીટ જીતી હતી અને 2022ની વિધાનસભા ચૂંટણી પછી તરત લોકસભાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ફૈઝલ પટેલના બેન મુમતાઝ પટેલે તો કહી દીધું છે કે આ ફોટોમાં કોઈ ધ્યાન દેવાની જરૂર નથી. પણ સવાલ અહીં એ ઉભો થાય કે જો ધ્યાન દેવા જેવું કંઈ છે નહીં તો એ ફોટો ફૈઝલ પટેલના સોશિયલ મીડિયામાં કરી શું રહ્યો છે? મુમતાઝ પટેલ પટેલ ખાલી ભરૂચમાં જ સક્રિય નથી. તે ગુજરાત અને ભારતમાં પણ પોતાનું સ્થાન બનાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ફૈઝલ પટેલની વાત કરીએ તો તે રાજકારણની જગ્યાએ બિઝનેસમાં વધારે ધ્યાન આપી રહ્યા છે. પણ ફૈઝલ રાજકારણમાં પણ આવી શકે છે. જો તે રાજકારણમાં સક્રિય થાય તો બંને એક જગ્યા પરથી ચૂંટણી નહીં લડે તેવા સંકેતો બંને ભાઈ બહેન પહેલા જ આપી ચૂક્યા છે. 

Ahmed Patel: Age, Wife, Children, Net worth, Family, Biography & More

આ ફોટો મામલે ફૈઝલ પટેલે તો કોઈ સ્પષ્ટતા નથી કરી પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે ફોટો સીઆર પાટીલની કામચલાઉ ઓફિસનો છે, જે હાલ જ બનાવામાં આવી છે. ટૂંકમાં લગભગ ફોટો જૂનો છે પણ મૂકવામાં હાલ આવ્યો છે. લોકસભા ચૂંટણીની વાત કરીએ તો 1977થી 1984 સુધી અહમદ પટેલ અહીં જીતતા આવ્યા છે. ત્યારબાદ ચંદુભાઈ દેશમુખ અને 1998 બાદ ભાજપ સમર્થિત મનસુખ વસાવા સાંસદ તરીકે આવ્યા છે. ભરૂચ લોકસભામાં સાત વિધાનસભા આવે છે. હવે શું નવા જૂની થશે એ જોવાનું રહેશે કારણ કે લોકસભાની ચૂંટણી પહેલા ઘણી નવા-જૂની થવાની છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.