શું BJP Valsad Loksabha Seat પર બદલશે ઉમેદવાર? Valsad Loksabhaના Candidate Dhaval Patelનો Letter હવે થયો Viral!


  • Published By :
  • Published Date : 2024-03-25 16:18:58

ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે, વિચારધારા આધારિત પાર્ટી છે, શિષ્ટાચારનું જ્યાં ખુબ મહત્વ છે તેવું સામાન્ય રીતે ભાજપ માટે માનવામાં આવે છે અને પાર્ટી પોતે પોતાને કહેવડાવે પણ છે.  પણ હવે ભાજપમાં ચાલતા આંતરિક ડખા, જુથવાદની ખબરો અવારનવાર સામે આવી રહી છે. પહેલા વડોદરામાં રંજનબેન ભટ્ટ , સાબરકાંઠા પરથી ભીખાજી ઠાકોરે શનિવાર સવારે ઉમેદવારી પછી ખેંચી લીધી છે અને હવે BJPમાં ચાલતો જુથવાદનો ભમરડો ફરતો ફરતો વલસાડ લોકસભામાં પહોંચ્યો છે. વલસાડ લોકસભા સીટ માટે ભાજપે ધવલ પટેલને ટિકિટ આપી છે.   

કોંગ્રેસે અનંત પટેલને તો ભાજપે ધવલ પટેલને ટિકીટ આપી છે.. 

ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. મહત્વનું છે કે પહેલા 22 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ પરંતુ શનિવારે અચાનક બે ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી. રંજનબેન ભટ્ટ તેમજ ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી જેને કારણે એવી ચર્ચાઓ થવા લાગી કે આવનાર સમયમાં બીજા અનેક ઉમેદવારો આ પ્રકારની જાહેરાત કરી શકે છે. વાત આખી એમ છે કે ,વલસાડ બીજેપીમાં પત્રિકા વાયરલ થયા બાદ , હવે લેટર વાયરલ થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા જ BJPએ કે.સી.પટેલને કાપી ધવલ પટેલને ટિકિટ આપી છે. આ વલસાડ લોકસભા ST અનામત બેઠક છે. સામે કોંગ્રેસ પાર્ટીએ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને ટિકિટ આપી છે. 


કોંગ્રેસ અને ભાજપ વચ્ચે થયા છે શાબ્દિક પ્રહાર! 

હવે વાત કરીએ આ વાયરલ લેટરની તો તેમાં વલસાડના ઉમેદવાર ધવલ પટેલને બદલવાની વાત છે જે બતાવે છે કે ધવલ પટેલનો કાર્યકરોમાં વિરોધ હજુ યથાવત છે. વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે પ્રચાર દરમિયાન ભાજપ કોંગ્રેસ બંને એકબીજા પર શાબ્દિક પ્રહારો કર્યા છે. તેવામાં લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બદલાશે તેવી લોકચર્ચા એ જોર પકડ્યું છે. 



ઉમેદવાર બદલાશે તેને લઈ પત્રિકા વાયરલ થઈ!

આ બધા વચ્ચે ઉમેદવાર બદલવાને લઈને જે પત્રિકા વાઇરલ થઈ છે  તેનાથી વલસાડ જિલ્લામાં  રાજકારણ ગરમાયું છે. BJP અને કોંગ્રેસે એકબીજા પર શું કર્યા છે આક્ષેપો તેની વાતો કરીએ તો કોંગ્રેસ પાર્ટીની તો કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપના આંતરિક જૂથવાદને લઈને ભાજપના જ કાર્યકરોએ આ પત્રિકા વાયરલ કરી છે. ત્યારે સામે ભાજપનો કોંગ્રેસ પર આક્ષેપ છે કે, કોંગ્રેસ ડરી ગઈ છે અને બેકફુટ પર આવી ગઈ છે. જેને લઈ તેઓ આ પ્રકારનું કૃત્ય કરી પત્રિકા વાયરલ કરે છે. 


ભાજપ તરફથી આપવામાં આવ્યું સ્પષ્ટીકરણ

તો આ તરફ  ભાજપ જિલ્લા પ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું છે કે કોઈ ઉમેદવાર બદલાશે નહીં. કોંગ્રેસ માત્ર હવામાં વાતો કરે છે ને લોકોમાં ભ્રમ ફેલાવે છે. વલસાડ બેઠક પર ભાજપનો ઉમેદવાર નહિ બદલાય. ભાજપના નેતૃત્વએ જે નક્કી કર્યું છે તે જ રહેશે અને ધવલ પટેલ માટે અમે સંપૂર્ણ મહેનત કરી તેમને કેન્દ્રમાં મોકલીશું. તો બીજી તરફ કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલે આક્ષેપ કર્યા હતા કે, ધવલ પટેલ પોતાના ગામમાં જ પોલીસ પ્રોટેક્શન સાથે ફરે છે, સભાઓ યોજે છે ત્યારે ધવલ પટેલનો વળતો  જવાબ મળ્યો કે અમારા ગામમાં મારા પરિવાર અને મારા લોકોનું મને ભરપૂર સમર્થન મળી રહ્યું  છે. આમ  બંને રાજકીય પક્ષોએ એકબીજા પર આક્ષેપો કર્યા છે.




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .