શું BJP Valsad Loksabha Seat પર બદલશે ઉમેદવાર? Valsad Loksabhaના Candidate Dhaval Patelનો Letter હવે થયો Viral!


  • Published By :
  • Published Date : 2024-03-25 16:18:58

ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે, વિચારધારા આધારિત પાર્ટી છે, શિષ્ટાચારનું જ્યાં ખુબ મહત્વ છે તેવું સામાન્ય રીતે ભાજપ માટે માનવામાં આવે છે અને પાર્ટી પોતે પોતાને કહેવડાવે પણ છે.  પણ હવે ભાજપમાં ચાલતા આંતરિક ડખા, જુથવાદની ખબરો અવારનવાર સામે આવી રહી છે. પહેલા વડોદરામાં રંજનબેન ભટ્ટ , સાબરકાંઠા પરથી ભીખાજી ઠાકોરે શનિવાર સવારે ઉમેદવારી પછી ખેંચી લીધી છે અને હવે BJPમાં ચાલતો જુથવાદનો ભમરડો ફરતો ફરતો વલસાડ લોકસભામાં પહોંચ્યો છે. વલસાડ લોકસભા સીટ માટે ભાજપે ધવલ પટેલને ટિકિટ આપી છે.   

કોંગ્રેસે અનંત પટેલને તો ભાજપે ધવલ પટેલને ટિકીટ આપી છે.. 

ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. મહત્વનું છે કે પહેલા 22 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ પરંતુ શનિવારે અચાનક બે ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી. રંજનબેન ભટ્ટ તેમજ ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી જેને કારણે એવી ચર્ચાઓ થવા લાગી કે આવનાર સમયમાં બીજા અનેક ઉમેદવારો આ પ્રકારની જાહેરાત કરી શકે છે. વાત આખી એમ છે કે ,વલસાડ બીજેપીમાં પત્રિકા વાયરલ થયા બાદ , હવે લેટર વાયરલ થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા જ BJPએ કે.સી.પટેલને કાપી ધવલ પટેલને ટિકિટ આપી છે. આ વલસાડ લોકસભા ST અનામત બેઠક છે. સામે કોંગ્રેસ પાર્ટીએ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને ટિકિટ આપી છે. 


કોંગ્રેસ અને ભાજપ વચ્ચે થયા છે શાબ્દિક પ્રહાર! 

હવે વાત કરીએ આ વાયરલ લેટરની તો તેમાં વલસાડના ઉમેદવાર ધવલ પટેલને બદલવાની વાત છે જે બતાવે છે કે ધવલ પટેલનો કાર્યકરોમાં વિરોધ હજુ યથાવત છે. વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે પ્રચાર દરમિયાન ભાજપ કોંગ્રેસ બંને એકબીજા પર શાબ્દિક પ્રહારો કર્યા છે. તેવામાં લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બદલાશે તેવી લોકચર્ચા એ જોર પકડ્યું છે. 



ઉમેદવાર બદલાશે તેને લઈ પત્રિકા વાયરલ થઈ!

આ બધા વચ્ચે ઉમેદવાર બદલવાને લઈને જે પત્રિકા વાઇરલ થઈ છે  તેનાથી વલસાડ જિલ્લામાં  રાજકારણ ગરમાયું છે. BJP અને કોંગ્રેસે એકબીજા પર શું કર્યા છે આક્ષેપો તેની વાતો કરીએ તો કોંગ્રેસ પાર્ટીની તો કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપના આંતરિક જૂથવાદને લઈને ભાજપના જ કાર્યકરોએ આ પત્રિકા વાયરલ કરી છે. ત્યારે સામે ભાજપનો કોંગ્રેસ પર આક્ષેપ છે કે, કોંગ્રેસ ડરી ગઈ છે અને બેકફુટ પર આવી ગઈ છે. જેને લઈ તેઓ આ પ્રકારનું કૃત્ય કરી પત્રિકા વાયરલ કરે છે. 


ભાજપ તરફથી આપવામાં આવ્યું સ્પષ્ટીકરણ

તો આ તરફ  ભાજપ જિલ્લા પ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું છે કે કોઈ ઉમેદવાર બદલાશે નહીં. કોંગ્રેસ માત્ર હવામાં વાતો કરે છે ને લોકોમાં ભ્રમ ફેલાવે છે. વલસાડ બેઠક પર ભાજપનો ઉમેદવાર નહિ બદલાય. ભાજપના નેતૃત્વએ જે નક્કી કર્યું છે તે જ રહેશે અને ધવલ પટેલ માટે અમે સંપૂર્ણ મહેનત કરી તેમને કેન્દ્રમાં મોકલીશું. તો બીજી તરફ કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલે આક્ષેપ કર્યા હતા કે, ધવલ પટેલ પોતાના ગામમાં જ પોલીસ પ્રોટેક્શન સાથે ફરે છે, સભાઓ યોજે છે ત્યારે ધવલ પટેલનો વળતો  જવાબ મળ્યો કે અમારા ગામમાં મારા પરિવાર અને મારા લોકોનું મને ભરપૂર સમર્થન મળી રહ્યું  છે. આમ  બંને રાજકીય પક્ષોએ એકબીજા પર આક્ષેપો કર્યા છે.




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.