શું BJP Valsad Loksabha Seat પર બદલશે ઉમેદવાર? Valsad Loksabhaના Candidate Dhaval Patelનો Letter હવે થયો Viral!


  • Published By :
  • Published Date : 2024-03-25 16:18:58

ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે, વિચારધારા આધારિત પાર્ટી છે, શિષ્ટાચારનું જ્યાં ખુબ મહત્વ છે તેવું સામાન્ય રીતે ભાજપ માટે માનવામાં આવે છે અને પાર્ટી પોતે પોતાને કહેવડાવે પણ છે.  પણ હવે ભાજપમાં ચાલતા આંતરિક ડખા, જુથવાદની ખબરો અવારનવાર સામે આવી રહી છે. પહેલા વડોદરામાં રંજનબેન ભટ્ટ , સાબરકાંઠા પરથી ભીખાજી ઠાકોરે શનિવાર સવારે ઉમેદવારી પછી ખેંચી લીધી છે અને હવે BJPમાં ચાલતો જુથવાદનો ભમરડો ફરતો ફરતો વલસાડ લોકસભામાં પહોંચ્યો છે. વલસાડ લોકસભા સીટ માટે ભાજપે ધવલ પટેલને ટિકિટ આપી છે.   

કોંગ્રેસે અનંત પટેલને તો ભાજપે ધવલ પટેલને ટિકીટ આપી છે.. 

ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. મહત્વનું છે કે પહેલા 22 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ પરંતુ શનિવારે અચાનક બે ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી. રંજનબેન ભટ્ટ તેમજ ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી જેને કારણે એવી ચર્ચાઓ થવા લાગી કે આવનાર સમયમાં બીજા અનેક ઉમેદવારો આ પ્રકારની જાહેરાત કરી શકે છે. વાત આખી એમ છે કે ,વલસાડ બીજેપીમાં પત્રિકા વાયરલ થયા બાદ , હવે લેટર વાયરલ થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા જ BJPએ કે.સી.પટેલને કાપી ધવલ પટેલને ટિકિટ આપી છે. આ વલસાડ લોકસભા ST અનામત બેઠક છે. સામે કોંગ્રેસ પાર્ટીએ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને ટિકિટ આપી છે. 


કોંગ્રેસ અને ભાજપ વચ્ચે થયા છે શાબ્દિક પ્રહાર! 

હવે વાત કરીએ આ વાયરલ લેટરની તો તેમાં વલસાડના ઉમેદવાર ધવલ પટેલને બદલવાની વાત છે જે બતાવે છે કે ધવલ પટેલનો કાર્યકરોમાં વિરોધ હજુ યથાવત છે. વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે પ્રચાર દરમિયાન ભાજપ કોંગ્રેસ બંને એકબીજા પર શાબ્દિક પ્રહારો કર્યા છે. તેવામાં લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બદલાશે તેવી લોકચર્ચા એ જોર પકડ્યું છે. 



ઉમેદવાર બદલાશે તેને લઈ પત્રિકા વાયરલ થઈ!

આ બધા વચ્ચે ઉમેદવાર બદલવાને લઈને જે પત્રિકા વાઇરલ થઈ છે  તેનાથી વલસાડ જિલ્લામાં  રાજકારણ ગરમાયું છે. BJP અને કોંગ્રેસે એકબીજા પર શું કર્યા છે આક્ષેપો તેની વાતો કરીએ તો કોંગ્રેસ પાર્ટીની તો કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપના આંતરિક જૂથવાદને લઈને ભાજપના જ કાર્યકરોએ આ પત્રિકા વાયરલ કરી છે. ત્યારે સામે ભાજપનો કોંગ્રેસ પર આક્ષેપ છે કે, કોંગ્રેસ ડરી ગઈ છે અને બેકફુટ પર આવી ગઈ છે. જેને લઈ તેઓ આ પ્રકારનું કૃત્ય કરી પત્રિકા વાયરલ કરે છે. 


ભાજપ તરફથી આપવામાં આવ્યું સ્પષ્ટીકરણ

તો આ તરફ  ભાજપ જિલ્લા પ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું છે કે કોઈ ઉમેદવાર બદલાશે નહીં. કોંગ્રેસ માત્ર હવામાં વાતો કરે છે ને લોકોમાં ભ્રમ ફેલાવે છે. વલસાડ બેઠક પર ભાજપનો ઉમેદવાર નહિ બદલાય. ભાજપના નેતૃત્વએ જે નક્કી કર્યું છે તે જ રહેશે અને ધવલ પટેલ માટે અમે સંપૂર્ણ મહેનત કરી તેમને કેન્દ્રમાં મોકલીશું. તો બીજી તરફ કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલે આક્ષેપ કર્યા હતા કે, ધવલ પટેલ પોતાના ગામમાં જ પોલીસ પ્રોટેક્શન સાથે ફરે છે, સભાઓ યોજે છે ત્યારે ધવલ પટેલનો વળતો  જવાબ મળ્યો કે અમારા ગામમાં મારા પરિવાર અને મારા લોકોનું મને ભરપૂર સમર્થન મળી રહ્યું  છે. આમ  બંને રાજકીય પક્ષોએ એકબીજા પર આક્ષેપો કર્યા છે.




23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.

૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.