Junagadhમાં Rajesh Chudasma સામે Vimal Chudasamaના પત્નીને કોંગ્રેસ મેદાને ઉતારશે? સાંસદનો વિરોધ કેમ?


  • Published By :
  • Published Date : 2024-03-28 19:08:36

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે પણ કોંગ્રેસને હજુ ઘણી બધી બેઠક માટે યોગ્ય ઉમેદવાર નથી મળી રહ્યા તેવું લાગી રહ્યું છેે. આ બધાની વચ્ચે જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા સામે વિમલ ચુડાસમાના પત્ની જલ્પાબેન ચુડાસમાને ચૂંટણી મેદાનમાં ઉતારવાની વાત થઈ રહી છે. 


જલ્પાબેન ચુડાસમાને ટિકીટ આપવા માટે કરાઈ માગ! 

સોશિયલ મીડિયા પર એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્ની જલ્પા ચુડાસમાને ટિકીટ આપવાની માંગ થઈ રહી છે. જલ્પા ચુડાસમા ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા છે. વાયરલ ફોટોમાં સ્પષ્ટ લખ્યું છે જૂનાગઢ લોકસભા ચૂંટણી અંતર્ગત કોંગ્રેસ પક્ષ માટે પ્રબળ ઉમેદવાર તરીકે માત્ર એક જ વિકલ્પ છે જલ્પાબેન વિમલભાઈ ચુડાસમા. કારણ કે છેલ્લા 10 વર્ષથી ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપી વિકાસલક્ષી વિવિધ કાર્યો કરી સમગ્ર જિલ્લામાં સારુ એવું વર્ચસ્વ ઉભુ કરેલ છે. 

 Rajesh Chudasama

ભાજપ દ્વારા આપવામાં આવી છે રાજેશ ચુડાસમાને ટિકીટ!  

જુનાગઢ બેઠક પર ભાજપે કોળી સમુદાયમાંથી રાજેશ ચુડાસમાને ટિકીટ આપ્યા બાદ હવે કોંગ્રેસમાંથી જલ્પા ચુડાસમાને ટિકીટ આપવાની માંગ થઈ રહી છે. જો ત્યાં જલ્પા બેનને ટિકીટ આપવામાં આવે છે તો ત્યાં ચુડાસમા vs ચુડાસમાની જંગ થશે. હાલ રાજકોટ, સુરેન્દ્રનગર અને જુનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસ મુરતીયાઓ પર મંથન ચાલી રહ્યું છે. જ્યારે ભાજપે વિમલ ચુડાસમાને ફરી પસંદ કર્યા છે. એમની વાત કરીએ તો રાજેશ નારણભાઈ ચુડાસમા ગુજરાતની કોળી જ્ઞાતિમાંથી આવે છે. હાલ તેઓ જૂનાગઢ-ગીર સોમનાથથી સંસદસભ્ય છે. પહેલા ઉત્તર ગુજરાત વિધાનસભાના સભ્ય પણ હતા 2012માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જૂનાગઢ જિલ્લાના માંગરોળમાંથી ચૂંટાયા હતા.રાજેશ ચુડાસમા વર્ષ 2014માં સૌથી નાની વયના સાંસદ બન્યા હતા. 


રાજેશ ચૂડાસમાના વિરોધમાં સોશિયલ મીડિયા પર મેસેજ થઈ રહ્યા છે વાયરલ! 

જો આ બેઠકના જાતિગત સમીકરણો સમજીએ તો આ વિસ્તારમાં કોળી જ્ઞાતિના મતદારો સૌથી વધારે છે. આ સાથે લઘુમતી, દલિત, આહીર, પાટીદાર અને બક્ષીપંચમાંથી કોળી જ્ઞાતિ સિવાયની અન્ય બક્ષીપંચ જ્ઞાતિઓના મતદારો પણ ખૂબ મોટી સંખ્યામાં છે. પાછલી બે ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા કોળી સમાજના ઉમેદવારોને મેદાને ઉતારીને લોકસભા બેઠક કબજે કરવા માટે રણનીતિ બનાવી હતી. જેમાં ભાજપ સફળ રહી પણ આ વખતે સૂર બદલાયા છે કારણકે રાજેશ ચુડાસમાના વિરોધમાં મેસેજો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે લોહાણ સમાજ વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ બેઠક જીતવી ભાજપ માટે પણ સહેલી નથી બનવાની.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.