Junagadhમાં Rajesh Chudasma સામે Vimal Chudasamaના પત્નીને કોંગ્રેસ મેદાને ઉતારશે? સાંસદનો વિરોધ કેમ?


  • Published By :
  • Published Date : 2024-03-28 19:08:36

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે પણ કોંગ્રેસને હજુ ઘણી બધી બેઠક માટે યોગ્ય ઉમેદવાર નથી મળી રહ્યા તેવું લાગી રહ્યું છેે. આ બધાની વચ્ચે જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા સામે વિમલ ચુડાસમાના પત્ની જલ્પાબેન ચુડાસમાને ચૂંટણી મેદાનમાં ઉતારવાની વાત થઈ રહી છે. 


જલ્પાબેન ચુડાસમાને ટિકીટ આપવા માટે કરાઈ માગ! 

સોશિયલ મીડિયા પર એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્ની જલ્પા ચુડાસમાને ટિકીટ આપવાની માંગ થઈ રહી છે. જલ્પા ચુડાસમા ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા છે. વાયરલ ફોટોમાં સ્પષ્ટ લખ્યું છે જૂનાગઢ લોકસભા ચૂંટણી અંતર્ગત કોંગ્રેસ પક્ષ માટે પ્રબળ ઉમેદવાર તરીકે માત્ર એક જ વિકલ્પ છે જલ્પાબેન વિમલભાઈ ચુડાસમા. કારણ કે છેલ્લા 10 વર્ષથી ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપી વિકાસલક્ષી વિવિધ કાર્યો કરી સમગ્ર જિલ્લામાં સારુ એવું વર્ચસ્વ ઉભુ કરેલ છે. 

 Rajesh Chudasama

ભાજપ દ્વારા આપવામાં આવી છે રાજેશ ચુડાસમાને ટિકીટ!  

જુનાગઢ બેઠક પર ભાજપે કોળી સમુદાયમાંથી રાજેશ ચુડાસમાને ટિકીટ આપ્યા બાદ હવે કોંગ્રેસમાંથી જલ્પા ચુડાસમાને ટિકીટ આપવાની માંગ થઈ રહી છે. જો ત્યાં જલ્પા બેનને ટિકીટ આપવામાં આવે છે તો ત્યાં ચુડાસમા vs ચુડાસમાની જંગ થશે. હાલ રાજકોટ, સુરેન્દ્રનગર અને જુનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસ મુરતીયાઓ પર મંથન ચાલી રહ્યું છે. જ્યારે ભાજપે વિમલ ચુડાસમાને ફરી પસંદ કર્યા છે. એમની વાત કરીએ તો રાજેશ નારણભાઈ ચુડાસમા ગુજરાતની કોળી જ્ઞાતિમાંથી આવે છે. હાલ તેઓ જૂનાગઢ-ગીર સોમનાથથી સંસદસભ્ય છે. પહેલા ઉત્તર ગુજરાત વિધાનસભાના સભ્ય પણ હતા 2012માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જૂનાગઢ જિલ્લાના માંગરોળમાંથી ચૂંટાયા હતા.રાજેશ ચુડાસમા વર્ષ 2014માં સૌથી નાની વયના સાંસદ બન્યા હતા. 


રાજેશ ચૂડાસમાના વિરોધમાં સોશિયલ મીડિયા પર મેસેજ થઈ રહ્યા છે વાયરલ! 

જો આ બેઠકના જાતિગત સમીકરણો સમજીએ તો આ વિસ્તારમાં કોળી જ્ઞાતિના મતદારો સૌથી વધારે છે. આ સાથે લઘુમતી, દલિત, આહીર, પાટીદાર અને બક્ષીપંચમાંથી કોળી જ્ઞાતિ સિવાયની અન્ય બક્ષીપંચ જ્ઞાતિઓના મતદારો પણ ખૂબ મોટી સંખ્યામાં છે. પાછલી બે ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા કોળી સમાજના ઉમેદવારોને મેદાને ઉતારીને લોકસભા બેઠક કબજે કરવા માટે રણનીતિ બનાવી હતી. જેમાં ભાજપ સફળ રહી પણ આ વખતે સૂર બદલાયા છે કારણકે રાજેશ ચુડાસમાના વિરોધમાં મેસેજો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે લોહાણ સમાજ વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ બેઠક જીતવી ભાજપ માટે પણ સહેલી નથી બનવાની.



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.