વાવમાં કોંગ્રેસનું 'ગુલાબ' ખિલશે કે ભાજપનું 'કમળ'? બંને પક્ષે ઉમેદવારો કર્યા જાહેર


  • Published By :
  • Published Date : 2024-10-25 17:01:18

ગેનીબેન ઠાકોર અનેક વખત ચર્ચામાં રહે છે.. પરંતુ છેલ્લા થોડા દિવસોથી વાવ બેઠકની ચર્ચા થઈ રહી છે કારણ કે આ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે.. ગેનીબેન ઠાકોર વાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય હતા પરંતુ તે સાંસદ બની ચૂક્યા છે જેને કારણે તે બેઠક ખાલી પડી હતી અને ત્યાં હવે પેટા ચૂંટણી યોજાવાની છે.. કોંગ્રેસ તેમજ ભાજપ તરફથી કોણ ઉમેદવાર હશે તેના પર સૌ કોઈની નજર હતી ત્યારે આજે બંને પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે... કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને ટિકીટ આપી છે જ્યારે ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકીટ આપી છે... 

કયા ઉમેદવારની થશે જીત?

આજે વાવ બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવાનો અંતિમ દિવસ હતો.. પાર્ટી કોને ટિકીટ આપે છે તેની પર સૌ કોઈની નજર હતી.. બંને પાર્ટી દ્વારા સસ્પેન્સ જાણે રાખવામાં આવ્યું હોય તેવું લાગ્યું.. ભાજપમાં અમીરામ આશલ સિવાય ભાજપમાંથી અન્ય 4 દાવેદારોનાં નામ આગળ ચાલી રહ્યાં હતાં.... પૂર્વ સાંસદ પરબત પટેલના પુત્ર શૈલેષ પટેલ, 2022ની ચૂંટણીમાં ગેનીબેન સામે હારનો સામનો કરનારા સ્વરૂપજી ઠાકોર, વાવના રાજવી પરિવારના ગજેન્દ્રસિંહ ચૌહાણ અને અલ્પેશ ઠાકોરના નજીકના ગણાતા મુકેશ ઠાકોરનું નામ ચર્ચાઇ રહ્યાં હતા પણ ટિકિટ સ્વરુપજીને મળી છે... તો કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપુતને ટિકીટ આપવામાં આવી છે.. ત્યારે જોવાનું રહ્યું કે કયા ઉમેદવારની જીત થાય છે? 



ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .