વાવમાં કોંગ્રેસનું 'ગુલાબ' ખિલશે કે ભાજપનું 'કમળ'? બંને પક્ષે ઉમેદવારો કર્યા જાહેર


  • Published By :
  • Published Date : 2024-10-25 17:01:18

ગેનીબેન ઠાકોર અનેક વખત ચર્ચામાં રહે છે.. પરંતુ છેલ્લા થોડા દિવસોથી વાવ બેઠકની ચર્ચા થઈ રહી છે કારણ કે આ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે.. ગેનીબેન ઠાકોર વાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય હતા પરંતુ તે સાંસદ બની ચૂક્યા છે જેને કારણે તે બેઠક ખાલી પડી હતી અને ત્યાં હવે પેટા ચૂંટણી યોજાવાની છે.. કોંગ્રેસ તેમજ ભાજપ તરફથી કોણ ઉમેદવાર હશે તેના પર સૌ કોઈની નજર હતી ત્યારે આજે બંને પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે... કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને ટિકીટ આપી છે જ્યારે ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકીટ આપી છે... 

કયા ઉમેદવારની થશે જીત?

આજે વાવ બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવાનો અંતિમ દિવસ હતો.. પાર્ટી કોને ટિકીટ આપે છે તેની પર સૌ કોઈની નજર હતી.. બંને પાર્ટી દ્વારા સસ્પેન્સ જાણે રાખવામાં આવ્યું હોય તેવું લાગ્યું.. ભાજપમાં અમીરામ આશલ સિવાય ભાજપમાંથી અન્ય 4 દાવેદારોનાં નામ આગળ ચાલી રહ્યાં હતાં.... પૂર્વ સાંસદ પરબત પટેલના પુત્ર શૈલેષ પટેલ, 2022ની ચૂંટણીમાં ગેનીબેન સામે હારનો સામનો કરનારા સ્વરૂપજી ઠાકોર, વાવના રાજવી પરિવારના ગજેન્દ્રસિંહ ચૌહાણ અને અલ્પેશ ઠાકોરના નજીકના ગણાતા મુકેશ ઠાકોરનું નામ ચર્ચાઇ રહ્યાં હતા પણ ટિકિટ સ્વરુપજીને મળી છે... તો કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપુતને ટિકીટ આપવામાં આવી છે.. ત્યારે જોવાનું રહ્યું કે કયા ઉમેદવારની જીત થાય છે? 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."