વાવમાં કોંગ્રેસનું 'ગુલાબ' ખિલશે કે ભાજપનું 'કમળ'? બંને પક્ષે ઉમેદવારો કર્યા જાહેર


  • Published By :
  • Published Date : 2024-10-25 17:01:18

ગેનીબેન ઠાકોર અનેક વખત ચર્ચામાં રહે છે.. પરંતુ છેલ્લા થોડા દિવસોથી વાવ બેઠકની ચર્ચા થઈ રહી છે કારણ કે આ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે.. ગેનીબેન ઠાકોર વાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય હતા પરંતુ તે સાંસદ બની ચૂક્યા છે જેને કારણે તે બેઠક ખાલી પડી હતી અને ત્યાં હવે પેટા ચૂંટણી યોજાવાની છે.. કોંગ્રેસ તેમજ ભાજપ તરફથી કોણ ઉમેદવાર હશે તેના પર સૌ કોઈની નજર હતી ત્યારે આજે બંને પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે... કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને ટિકીટ આપી છે જ્યારે ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકીટ આપી છે... 

કયા ઉમેદવારની થશે જીત?

આજે વાવ બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવાનો અંતિમ દિવસ હતો.. પાર્ટી કોને ટિકીટ આપે છે તેની પર સૌ કોઈની નજર હતી.. બંને પાર્ટી દ્વારા સસ્પેન્સ જાણે રાખવામાં આવ્યું હોય તેવું લાગ્યું.. ભાજપમાં અમીરામ આશલ સિવાય ભાજપમાંથી અન્ય 4 દાવેદારોનાં નામ આગળ ચાલી રહ્યાં હતાં.... પૂર્વ સાંસદ પરબત પટેલના પુત્ર શૈલેષ પટેલ, 2022ની ચૂંટણીમાં ગેનીબેન સામે હારનો સામનો કરનારા સ્વરૂપજી ઠાકોર, વાવના રાજવી પરિવારના ગજેન્દ્રસિંહ ચૌહાણ અને અલ્પેશ ઠાકોરના નજીકના ગણાતા મુકેશ ઠાકોરનું નામ ચર્ચાઇ રહ્યાં હતા પણ ટિકિટ સ્વરુપજીને મળી છે... તો કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપુતને ટિકીટ આપવામાં આવી છે.. ત્યારે જોવાનું રહ્યું કે કયા ઉમેદવારની જીત થાય છે? 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.