આગામી દિવસમાં વધશે ઠંડી કે પછી કરવો પડશે ગરમીનો અહેસાસ? જાણો હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા શું કરાઈ છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-01-20 15:16:32

શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેને કારણ કે શરૂઆતમાં ઠંડી ઓછી લાગતી હતી. પરંતુ જાન્યુઆરીની શરૂઆતમાં તાપમાનનો પારો ગગડતો ગયો અને ઠંડીની અનુભતી વધતી ગઈ. ભલે હમણાં શિયાળાની સિઝન ચાલે છે પરંતુ છેલ્લા થોડા દિવસોથી બપોરના સમયે આકરો તાપ પડે છે.  ગરમીની સિઝન ચાલતી હોય તેવી અનુભુતિ થાય છે. ત્યારે આવનાર દિવસોમાં રાજ્યનું તાપમાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  

News18 Gujarati

ક્યાં કેટલું તાપમાન નોંધાયું? 

થોડા દિવસોથી રાજ્યમાં ઠંડીની આંશિક રાહત છે. તાપમાનનો પારો ગગડી રહ્યો છે પરંતુ કાતિલ ઠંડીનો અનુભવ થાય તેવી ઠંડી હજી સુધી નથી પડી. રાજ્યના લઘુતમ તાપમાનમાં વધારો-ઘટાડો થઈ રહ્યો છે. અનેક વિસ્તારો એવા છે જ્યાં તાપમાનનો પારો 10 નીચે પહોંચ્યોછે. જો શુક્રવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ નલિયાનું તાપમાન 9.4 ડિગ્રી પર પહોંચ્યું છે, જ્યારે અમદાવાદનું તાપમાન 15.9 ડિગ્રી પર પહોંચ્યુંછે. ગાંધીનગરનું તાપમાન 13.8 ડિગ્રી. ડીસાનું તાપમાન 12.0 ડિગ્રી નોંધાયું છે. ભુજનું તાપમાન 13.1, સુરતનું તાપમાન 16.. ડિગ્રી નોંધાયું છે. અમરેલીનું તાપમાન 14.0 ડિગ્રી જ્યારે રાજકોટનું તાપમાન 11.8 ડિગ્રી નોંધાયું છે. 


બેવડી ઋતુનો થઈ શકે છે અનુભવ! 

આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં જે હાલનું તાપમાન છે તે યથાવત રહેશે. ઉપરાંત ઠંડીની સાથે સાથે આગામી દિવસોમાં ગરમીનો અનુભવ થઈ શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે ફરી બેવડી ઋતુનો અનુભવ થશે. હવામાન વિભાગ ઉપરાંત હવામાનને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. 


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આ આગાહી  

અંબાલાલ કાકાની આગાહી મુજબ 20થી 22 જાન્યુઆરી દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ સમયગાળા દરમિયાન ઠંડા પવનનો વહેવાની શક્યતા છે. અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે જેને કારણે ગુજરાતના તાપમાન પર પણ અસર પડી શકે છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે આવનાર સમયમાં તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.