આગામી દિવસમાં વધશે ઠંડી કે પછી કરવો પડશે ગરમીનો અહેસાસ? જાણો હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા શું કરાઈ છે આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-20 15:16:32

શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેને કારણ કે શરૂઆતમાં ઠંડી ઓછી લાગતી હતી. પરંતુ જાન્યુઆરીની શરૂઆતમાં તાપમાનનો પારો ગગડતો ગયો અને ઠંડીની અનુભતી વધતી ગઈ. ભલે હમણાં શિયાળાની સિઝન ચાલે છે પરંતુ છેલ્લા થોડા દિવસોથી બપોરના સમયે આકરો તાપ પડે છે.  ગરમીની સિઝન ચાલતી હોય તેવી અનુભુતિ થાય છે. ત્યારે આવનાર દિવસોમાં રાજ્યનું તાપમાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  

News18 Gujarati

ક્યાં કેટલું તાપમાન નોંધાયું? 

થોડા દિવસોથી રાજ્યમાં ઠંડીની આંશિક રાહત છે. તાપમાનનો પારો ગગડી રહ્યો છે પરંતુ કાતિલ ઠંડીનો અનુભવ થાય તેવી ઠંડી હજી સુધી નથી પડી. રાજ્યના લઘુતમ તાપમાનમાં વધારો-ઘટાડો થઈ રહ્યો છે. અનેક વિસ્તારો એવા છે જ્યાં તાપમાનનો પારો 10 નીચે પહોંચ્યોછે. જો શુક્રવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ નલિયાનું તાપમાન 9.4 ડિગ્રી પર પહોંચ્યું છે, જ્યારે અમદાવાદનું તાપમાન 15.9 ડિગ્રી પર પહોંચ્યુંછે. ગાંધીનગરનું તાપમાન 13.8 ડિગ્રી. ડીસાનું તાપમાન 12.0 ડિગ્રી નોંધાયું છે. ભુજનું તાપમાન 13.1, સુરતનું તાપમાન 16.. ડિગ્રી નોંધાયું છે. અમરેલીનું તાપમાન 14.0 ડિગ્રી જ્યારે રાજકોટનું તાપમાન 11.8 ડિગ્રી નોંધાયું છે. 


બેવડી ઋતુનો થઈ શકે છે અનુભવ! 

આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં જે હાલનું તાપમાન છે તે યથાવત રહેશે. ઉપરાંત ઠંડીની સાથે સાથે આગામી દિવસોમાં ગરમીનો અનુભવ થઈ શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે ફરી બેવડી ઋતુનો અનુભવ થશે. હવામાન વિભાગ ઉપરાંત હવામાનને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. 


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આ આગાહી  

અંબાલાલ કાકાની આગાહી મુજબ 20થી 22 જાન્યુઆરી દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ સમયગાળા દરમિયાન ઠંડા પવનનો વહેવાની શક્યતા છે. અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે જેને કારણે ગુજરાતના તાપમાન પર પણ અસર પડી શકે છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે આવનાર સમયમાં તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે.   



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..