આગામી દિવસમાં વધશે ઠંડી કે પછી કરવો પડશે ગરમીનો અહેસાસ? જાણો હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા શું કરાઈ છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-01-20 15:16:32

શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેને કારણ કે શરૂઆતમાં ઠંડી ઓછી લાગતી હતી. પરંતુ જાન્યુઆરીની શરૂઆતમાં તાપમાનનો પારો ગગડતો ગયો અને ઠંડીની અનુભતી વધતી ગઈ. ભલે હમણાં શિયાળાની સિઝન ચાલે છે પરંતુ છેલ્લા થોડા દિવસોથી બપોરના સમયે આકરો તાપ પડે છે.  ગરમીની સિઝન ચાલતી હોય તેવી અનુભુતિ થાય છે. ત્યારે આવનાર દિવસોમાં રાજ્યનું તાપમાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  

News18 Gujarati

ક્યાં કેટલું તાપમાન નોંધાયું? 

થોડા દિવસોથી રાજ્યમાં ઠંડીની આંશિક રાહત છે. તાપમાનનો પારો ગગડી રહ્યો છે પરંતુ કાતિલ ઠંડીનો અનુભવ થાય તેવી ઠંડી હજી સુધી નથી પડી. રાજ્યના લઘુતમ તાપમાનમાં વધારો-ઘટાડો થઈ રહ્યો છે. અનેક વિસ્તારો એવા છે જ્યાં તાપમાનનો પારો 10 નીચે પહોંચ્યોછે. જો શુક્રવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ નલિયાનું તાપમાન 9.4 ડિગ્રી પર પહોંચ્યું છે, જ્યારે અમદાવાદનું તાપમાન 15.9 ડિગ્રી પર પહોંચ્યુંછે. ગાંધીનગરનું તાપમાન 13.8 ડિગ્રી. ડીસાનું તાપમાન 12.0 ડિગ્રી નોંધાયું છે. ભુજનું તાપમાન 13.1, સુરતનું તાપમાન 16.. ડિગ્રી નોંધાયું છે. અમરેલીનું તાપમાન 14.0 ડિગ્રી જ્યારે રાજકોટનું તાપમાન 11.8 ડિગ્રી નોંધાયું છે. 


બેવડી ઋતુનો થઈ શકે છે અનુભવ! 

આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં જે હાલનું તાપમાન છે તે યથાવત રહેશે. ઉપરાંત ઠંડીની સાથે સાથે આગામી દિવસોમાં ગરમીનો અનુભવ થઈ શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે ફરી બેવડી ઋતુનો અનુભવ થશે. હવામાન વિભાગ ઉપરાંત હવામાનને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. 


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આ આગાહી  

અંબાલાલ કાકાની આગાહી મુજબ 20થી 22 જાન્યુઆરી દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ સમયગાળા દરમિયાન ઠંડા પવનનો વહેવાની શક્યતા છે. અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે જેને કારણે ગુજરાતના તાપમાન પર પણ અસર પડી શકે છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે આવનાર સમયમાં તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.