આગામી દિવસમાં વધશે ઠંડી કે પછી કરવો પડશે ગરમીનો અહેસાસ? જાણો હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા શું કરાઈ છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-01-20 15:16:32

શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેને કારણ કે શરૂઆતમાં ઠંડી ઓછી લાગતી હતી. પરંતુ જાન્યુઆરીની શરૂઆતમાં તાપમાનનો પારો ગગડતો ગયો અને ઠંડીની અનુભતી વધતી ગઈ. ભલે હમણાં શિયાળાની સિઝન ચાલે છે પરંતુ છેલ્લા થોડા દિવસોથી બપોરના સમયે આકરો તાપ પડે છે.  ગરમીની સિઝન ચાલતી હોય તેવી અનુભુતિ થાય છે. ત્યારે આવનાર દિવસોમાં રાજ્યનું તાપમાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  

News18 Gujarati

ક્યાં કેટલું તાપમાન નોંધાયું? 

થોડા દિવસોથી રાજ્યમાં ઠંડીની આંશિક રાહત છે. તાપમાનનો પારો ગગડી રહ્યો છે પરંતુ કાતિલ ઠંડીનો અનુભવ થાય તેવી ઠંડી હજી સુધી નથી પડી. રાજ્યના લઘુતમ તાપમાનમાં વધારો-ઘટાડો થઈ રહ્યો છે. અનેક વિસ્તારો એવા છે જ્યાં તાપમાનનો પારો 10 નીચે પહોંચ્યોછે. જો શુક્રવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ નલિયાનું તાપમાન 9.4 ડિગ્રી પર પહોંચ્યું છે, જ્યારે અમદાવાદનું તાપમાન 15.9 ડિગ્રી પર પહોંચ્યુંછે. ગાંધીનગરનું તાપમાન 13.8 ડિગ્રી. ડીસાનું તાપમાન 12.0 ડિગ્રી નોંધાયું છે. ભુજનું તાપમાન 13.1, સુરતનું તાપમાન 16.. ડિગ્રી નોંધાયું છે. અમરેલીનું તાપમાન 14.0 ડિગ્રી જ્યારે રાજકોટનું તાપમાન 11.8 ડિગ્રી નોંધાયું છે. 


બેવડી ઋતુનો થઈ શકે છે અનુભવ! 

આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં જે હાલનું તાપમાન છે તે યથાવત રહેશે. ઉપરાંત ઠંડીની સાથે સાથે આગામી દિવસોમાં ગરમીનો અનુભવ થઈ શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે ફરી બેવડી ઋતુનો અનુભવ થશે. હવામાન વિભાગ ઉપરાંત હવામાનને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. 


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આ આગાહી  

અંબાલાલ કાકાની આગાહી મુજબ 20થી 22 જાન્યુઆરી દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ સમયગાળા દરમિયાન ઠંડા પવનનો વહેવાની શક્યતા છે. અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે જેને કારણે ગુજરાતના તાપમાન પર પણ અસર પડી શકે છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે આવનાર સમયમાં તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે.   



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે