Gujaratમાં પડશે ઠંડી કે આવશે કમોસમી વરસાદ? જાણો હવામાનને લઈ શું કહે છે હવામાન વિભાગની આગાહી અને Ambalal Patelની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-02-03 15:34:31

રાજ્યમાં ઉનાળાની શરૂઆત ધીમે ધીમે થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. વહેલી સવારે તેમજ રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળતો હોય છે. બપોરના સમયે પંખો ચાલૂ કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તાપમાનમાં વધારો થઈ રહ્યો છે જેને લઈ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે કારણ કે વહેલી સવારે એટલો રસ્તો ધુમ્મસથી ઢંકાઈ જતો હોય તેવું લાગે છે. ત્યારે આગામી દિવસોમાં કમોસમી વરસાદ પણ આવી શકે છે તેવું અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. અનેક જગ્યાઓ પર વરસાદ વરસી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.



ક્યાં કેટલું તાપમાન નોંધાયું?  

ઠંડીનું જોર ઘટી રહ્યું છે અને ગરમીનો અહેસાસ થવાની શરૂઆત થઈ ગઈ છે તેવું લાગી રહ્યું છે. રાજ્યના તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે જેને કારણે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. બપોરના સમયે લાગતો તડકો હવે મીઠો નહીં પરંતુ તીખો લાગે છે. બપોરના સમયે પંખો ચાલું રાખતા લોકો થઈ ગયા છે. જો શુક્રવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરનું તાપમાન 14.6 ડિગ્રી પર પહોંચ્યું હતું, સુરતનું તાપમાન 19.5 પર જ્યારે વલસાડનું તાપમાન 15.4 નોંધાયું હતું. જે જગ્યા ગુજરાતની સૌથી વધારે ઠંડી માનવામાં આવતી હતી તેનું તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે. અમે વાત કરી રહ્યા છીએ નલિયાની. નલિયાનું તાપમાન સૌથી ઓછું હોય છે પરંતુ ત્યાનું તાપમાન પણ વધી રહ્યું છે. ભુજનું તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું છે. 


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આ આગાહી 

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આવનારા ત્રણ દિવસ તાપમાન આવું જ રહેશે તે પછી તાપમાન થોડું નીચું રહેશે જે બાદ ફરીથી તાપમાનમાં વધારો થશે. શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેને લઈ ખેડૂતોને રડવાનો વારો આવ્યો હતો. અનેક વખત માવઠાને કારણે પાક નિષ્ફળ ગયા છે ત્યારે આગામી દિવસોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. કાકાની આગાહી પ્રમાણે 3થી 5 ફ્રેબ્રુઆરી વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે જેની અસર ગુજરાતના વાતાવરણ પર પડશે.  અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે તેવું આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.