Gujaratમાં પડશે ઠંડી કે આવશે કમોસમી વરસાદ? જાણો હવામાનને લઈ શું કહે છે હવામાન વિભાગની આગાહી અને Ambalal Patelની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-02-03 15:34:31

રાજ્યમાં ઉનાળાની શરૂઆત ધીમે ધીમે થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. વહેલી સવારે તેમજ રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળતો હોય છે. બપોરના સમયે પંખો ચાલૂ કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તાપમાનમાં વધારો થઈ રહ્યો છે જેને લઈ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે કારણ કે વહેલી સવારે એટલો રસ્તો ધુમ્મસથી ઢંકાઈ જતો હોય તેવું લાગે છે. ત્યારે આગામી દિવસોમાં કમોસમી વરસાદ પણ આવી શકે છે તેવું અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. અનેક જગ્યાઓ પર વરસાદ વરસી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.



ક્યાં કેટલું તાપમાન નોંધાયું?  

ઠંડીનું જોર ઘટી રહ્યું છે અને ગરમીનો અહેસાસ થવાની શરૂઆત થઈ ગઈ છે તેવું લાગી રહ્યું છે. રાજ્યના તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે જેને કારણે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. બપોરના સમયે લાગતો તડકો હવે મીઠો નહીં પરંતુ તીખો લાગે છે. બપોરના સમયે પંખો ચાલું રાખતા લોકો થઈ ગયા છે. જો શુક્રવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરનું તાપમાન 14.6 ડિગ્રી પર પહોંચ્યું હતું, સુરતનું તાપમાન 19.5 પર જ્યારે વલસાડનું તાપમાન 15.4 નોંધાયું હતું. જે જગ્યા ગુજરાતની સૌથી વધારે ઠંડી માનવામાં આવતી હતી તેનું તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે. અમે વાત કરી રહ્યા છીએ નલિયાની. નલિયાનું તાપમાન સૌથી ઓછું હોય છે પરંતુ ત્યાનું તાપમાન પણ વધી રહ્યું છે. ભુજનું તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું છે. 


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આ આગાહી 

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આવનારા ત્રણ દિવસ તાપમાન આવું જ રહેશે તે પછી તાપમાન થોડું નીચું રહેશે જે બાદ ફરીથી તાપમાનમાં વધારો થશે. શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેને લઈ ખેડૂતોને રડવાનો વારો આવ્યો હતો. અનેક વખત માવઠાને કારણે પાક નિષ્ફળ ગયા છે ત્યારે આગામી દિવસોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. કાકાની આગાહી પ્રમાણે 3થી 5 ફ્રેબ્રુઆરી વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે જેની અસર ગુજરાતના વાતાવરણ પર પડશે.  અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે તેવું આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે.  



ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ રશિયાની મુલાકાતે છે. જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સહીત રશિયન સિક્યોરિટી સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વાતચીત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના "ટેરિફ" રૂપી ટેરરિઝમની સામે ભારત અને રશિયા પોતાનો સહયોગ વધારવા જઈ રહ્યા છે . સાથે જ અજિત ડોભાલની આ મુલાકાતમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવવાના છે તેને લઇને તારીખો પર પણ ચર્ચા થઇ છે .

ગોંડલના અનિરુદ્ધસિંહ રીબડા જેમની સજા માફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉઘાડો લીધો છે. ગુજરાત સરકારે , ૨૦૧૮માં અનિરુદ્ધસિંહ રીબડાને કોંગ્રેસના પૂર્વ MLA પોપટભાઈ સોરઠિયાની ૧૯૮૮માં જે હત્યા કરવામાં આવી તે કેસમાં માફી આપી હતી . તો હવે આ સજા માફીને પડકારતી પિટિશન સ્વ. પોપટભાઈ સોરઠિયાના પૌત્ર ધ્વરા હાઇકોર્ટમાં કરવામાં આવી હતી . આ મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારના સત્તાધીશોની સાથે જેલના સત્તાધીશોને સવાલો પૂછ્યા છે. તો હવે પ્રશ્ન થાય છે કે , અનિરુદ્ધસિંહ રીબડા આ કેસમાં ફરીથી જેલમાં જશે?

જયારે પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું કે , ભારત કહે છે કે અમેરિકા રશિયા પાસેથી યુરેનિયમ , ખાતર અને કેમિકલની આયાત કરે છે જયારે તમે ભારતની રશિયન ક્રૂડ ઓઈલની આયાતની નિંદા કરો છો તો તમે શું કહેશો? ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પએ જવાબ આપ્યો કે , હું આ વિશે કશું જ જાણતો નથી. તો હવે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના નેતા નીક્કી હેલી હેલીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું છે કે અમેરિકાએ ભારત સાથે સબંધો બગાડવા ના જોઈએ .

થોડાક સમય પેહલા સુપ્રીમ કોર્ટે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને ફટકાર લગાવી હતી. કેમ કે , લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીઓ પહેલા ભારત જોડો યાત્રા દરમ્યાન રાહુલ ગાંધીએ ભારતની સેનાને લઇને ટિપ્પણીઓ કરી હતી , જેને કારણે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ફટકાર લગાવતા કહ્યું હતું કે , "જો તમે સાચા ભારતીય હોત તો તમે આવું ના કરત." તો હવે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટ વિશે કહ્યું છે કે , "કોણ સાચું ભારતીય છે , કોણ નથી એ ન્યાયપાલિકાના દાયરામાં નથી. જજ નક્કી ના કરી શકે." આમ પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટની ટિપ્પણીનો જવાબ આપ્યો છે.