ઉત્તરાયણમાં આવશે વરસાદ કે ફૂંકાશે સારો પવન? હવામાન નિષ્ણાત Ambalal Patelએ હવામાન અંગેની આગાહી કરતા કહ્યું....


  • Published By :
  • Published Date : 2024-01-12 13:12:16

રાજ્યમાં શિયાળાની શરૂઆત ધીમે ધીમે થઈ રહી હતી. કડકડતી ઠંડી કોને કહેવાય તેવો અનુભવ થઈ રહ્યો હતો પરંતુ થોડા દિવસોથી ઠંડીના પ્રમાણમાં ઘટાડો આવ્યો છે. અનેક જગ્યાઓ માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને અનેક જગ્યાઓ માટે આગાહી સાચી પણ પડી. કમોસમી વરસાદ વરસ્યો પણ ખરો ત્યારે હવે લોકોના મનમાં એક પ્રશ્ન છે કે ઉત્તરાયણ સમયે વાતાવરણ કેવું હશે. ત્યારે હવામાનને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 

મકર સંક્રાંતિ – દિન વિશેષ ✍


શું વરસાદ ઉત્તરાયણની મજા બગાડશે?

ઉત્તરાયણને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બે દિવસ બાદ તો ઉત્તરાયણનો તહેવાર છે ત્યારે વરસાદનું વિધ્ન નડશે કે નહીં નડે તેનો ડર પતંગ રસિયાઓમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ઉત્તરાયણ સમયે સારો પવન રહેશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આગાહી કરતા અંબાલાલ કાકાએ કહ્યું કે 12 અને 13 તારીખે તાપમાન ફરીથી ઊંચું જઈ શકે છે. 12, અને 13 જાન્યુઆરી તાપમાન ઊંચું આવશે. 14 તારીખથી ફરીથી તાપમાનમાં ઘટાડો આવી શકે છે. કાકાના અનુમાન મુજબ આગામી 14 અને 15 જાન્યુઆરી એટલે મકરસંક્રાતિ અને વાસી ઉતરાણમાં પવનની ગતિ સારી રહેશે.  

     અંબાલાલ પટેલની મોટી આગાહીઃ માવઠા સાથે એપ્રિલ-મેમાં શું થશે તે પણ જણાવ્યું –  News18 ગુજરાતી

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે.... 

આગાહી કરતા તેમણે કહ્યું કે 17 જાન્યુઆરી સુધી માવઠાની સંભાવના નથી. પરંતુ તે બાદ વધુ એક માવઠું આવી શકે છે. 17થી 25 જાન્યુઆરીની આસપાસ હવામાનમાં પલટો આવી શકે છે અને ફરી એક વખત રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે તેના અનુમાને. હવામાન નિષ્ણાત ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ હવામાન વિશે માહિતી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  આગામી પાંચ દિવસ વાતાવરણ ડ્રાય રહેશે. વરસાદની કોઇ સંભાવના નથી. બેથી ત્રણ દિવસ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરાશે. 


હવામાન વિભાગે શું કરી છે આગાહી? 

મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે જગતના તાતને રડવાનો વારો આવે છે. મહેનતથી ઉભા કરેલા પાકને પોતાની નજરોની સામે બગડતા જોતા શું લાગણી તેમના મનમાં અનુભવાતી હશે કદાચ તેની કલ્પના પણ આપણે નહીં કરી શકીયે. આ વખતે જે જગ્યાઓ પર કમોસમી વરસાદ આવ્યો તેને કારણે ન માત્ર ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો પરંતુ પતંગના વેપારીઓને પણ રડવાનો વારો આવ્યો છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.