ઉત્તરાયણમાં આવશે વરસાદ કે ફૂંકાશે સારો પવન? હવામાન નિષ્ણાત Ambalal Patelએ હવામાન અંગેની આગાહી કરતા કહ્યું....


  • Published By :
  • Published Date : 2024-01-12 13:12:16

રાજ્યમાં શિયાળાની શરૂઆત ધીમે ધીમે થઈ રહી હતી. કડકડતી ઠંડી કોને કહેવાય તેવો અનુભવ થઈ રહ્યો હતો પરંતુ થોડા દિવસોથી ઠંડીના પ્રમાણમાં ઘટાડો આવ્યો છે. અનેક જગ્યાઓ માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને અનેક જગ્યાઓ માટે આગાહી સાચી પણ પડી. કમોસમી વરસાદ વરસ્યો પણ ખરો ત્યારે હવે લોકોના મનમાં એક પ્રશ્ન છે કે ઉત્તરાયણ સમયે વાતાવરણ કેવું હશે. ત્યારે હવામાનને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 

મકર સંક્રાંતિ – દિન વિશેષ ✍


શું વરસાદ ઉત્તરાયણની મજા બગાડશે?

ઉત્તરાયણને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બે દિવસ બાદ તો ઉત્તરાયણનો તહેવાર છે ત્યારે વરસાદનું વિધ્ન નડશે કે નહીં નડે તેનો ડર પતંગ રસિયાઓમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ઉત્તરાયણ સમયે સારો પવન રહેશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આગાહી કરતા અંબાલાલ કાકાએ કહ્યું કે 12 અને 13 તારીખે તાપમાન ફરીથી ઊંચું જઈ શકે છે. 12, અને 13 જાન્યુઆરી તાપમાન ઊંચું આવશે. 14 તારીખથી ફરીથી તાપમાનમાં ઘટાડો આવી શકે છે. કાકાના અનુમાન મુજબ આગામી 14 અને 15 જાન્યુઆરી એટલે મકરસંક્રાતિ અને વાસી ઉતરાણમાં પવનની ગતિ સારી રહેશે.  

     અંબાલાલ પટેલની મોટી આગાહીઃ માવઠા સાથે એપ્રિલ-મેમાં શું થશે તે પણ જણાવ્યું –  News18 ગુજરાતી

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે.... 

આગાહી કરતા તેમણે કહ્યું કે 17 જાન્યુઆરી સુધી માવઠાની સંભાવના નથી. પરંતુ તે બાદ વધુ એક માવઠું આવી શકે છે. 17થી 25 જાન્યુઆરીની આસપાસ હવામાનમાં પલટો આવી શકે છે અને ફરી એક વખત રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે તેના અનુમાને. હવામાન નિષ્ણાત ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ હવામાન વિશે માહિતી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  આગામી પાંચ દિવસ વાતાવરણ ડ્રાય રહેશે. વરસાદની કોઇ સંભાવના નથી. બેથી ત્રણ દિવસ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરાશે. 


હવામાન વિભાગે શું કરી છે આગાહી? 

મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે જગતના તાતને રડવાનો વારો આવે છે. મહેનતથી ઉભા કરેલા પાકને પોતાની નજરોની સામે બગડતા જોતા શું લાગણી તેમના મનમાં અનુભવાતી હશે કદાચ તેની કલ્પના પણ આપણે નહીં કરી શકીયે. આ વખતે જે જગ્યાઓ પર કમોસમી વરસાદ આવ્યો તેને કારણે ન માત્ર ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો પરંતુ પતંગના વેપારીઓને પણ રડવાનો વારો આવ્યો છે.  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે