ઉત્તરાયણમાં આવશે વરસાદ કે ફૂંકાશે સારો પવન? હવામાન નિષ્ણાત Ambalal Patelએ હવામાન અંગેની આગાહી કરતા કહ્યું....


  • Published By :
  • Published Date : 2024-01-12 13:12:16

રાજ્યમાં શિયાળાની શરૂઆત ધીમે ધીમે થઈ રહી હતી. કડકડતી ઠંડી કોને કહેવાય તેવો અનુભવ થઈ રહ્યો હતો પરંતુ થોડા દિવસોથી ઠંડીના પ્રમાણમાં ઘટાડો આવ્યો છે. અનેક જગ્યાઓ માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને અનેક જગ્યાઓ માટે આગાહી સાચી પણ પડી. કમોસમી વરસાદ વરસ્યો પણ ખરો ત્યારે હવે લોકોના મનમાં એક પ્રશ્ન છે કે ઉત્તરાયણ સમયે વાતાવરણ કેવું હશે. ત્યારે હવામાનને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 

મકર સંક્રાંતિ – દિન વિશેષ ✍


શું વરસાદ ઉત્તરાયણની મજા બગાડશે?

ઉત્તરાયણને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બે દિવસ બાદ તો ઉત્તરાયણનો તહેવાર છે ત્યારે વરસાદનું વિધ્ન નડશે કે નહીં નડે તેનો ડર પતંગ રસિયાઓમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ઉત્તરાયણ સમયે સારો પવન રહેશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આગાહી કરતા અંબાલાલ કાકાએ કહ્યું કે 12 અને 13 તારીખે તાપમાન ફરીથી ઊંચું જઈ શકે છે. 12, અને 13 જાન્યુઆરી તાપમાન ઊંચું આવશે. 14 તારીખથી ફરીથી તાપમાનમાં ઘટાડો આવી શકે છે. કાકાના અનુમાન મુજબ આગામી 14 અને 15 જાન્યુઆરી એટલે મકરસંક્રાતિ અને વાસી ઉતરાણમાં પવનની ગતિ સારી રહેશે.  

     અંબાલાલ પટેલની મોટી આગાહીઃ માવઠા સાથે એપ્રિલ-મેમાં શું થશે તે પણ જણાવ્યું –  News18 ગુજરાતી

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે.... 

આગાહી કરતા તેમણે કહ્યું કે 17 જાન્યુઆરી સુધી માવઠાની સંભાવના નથી. પરંતુ તે બાદ વધુ એક માવઠું આવી શકે છે. 17થી 25 જાન્યુઆરીની આસપાસ હવામાનમાં પલટો આવી શકે છે અને ફરી એક વખત રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે તેના અનુમાને. હવામાન નિષ્ણાત ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ હવામાન વિશે માહિતી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  આગામી પાંચ દિવસ વાતાવરણ ડ્રાય રહેશે. વરસાદની કોઇ સંભાવના નથી. બેથી ત્રણ દિવસ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરાશે. 


હવામાન વિભાગે શું કરી છે આગાહી? 

મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે જગતના તાતને રડવાનો વારો આવે છે. મહેનતથી ઉભા કરેલા પાકને પોતાની નજરોની સામે બગડતા જોતા શું લાગણી તેમના મનમાં અનુભવાતી હશે કદાચ તેની કલ્પના પણ આપણે નહીં કરી શકીયે. આ વખતે જે જગ્યાઓ પર કમોસમી વરસાદ આવ્યો તેને કારણે ન માત્ર ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો પરંતુ પતંગના વેપારીઓને પણ રડવાનો વારો આવ્યો છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.