ઉત્તરાયણમાં આવશે વરસાદ કે ફૂંકાશે સારો પવન? હવામાન નિષ્ણાત Ambalal Patelએ હવામાન અંગેની આગાહી કરતા કહ્યું....


  • Published By :
  • Published Date : 2024-01-12 13:12:16

રાજ્યમાં શિયાળાની શરૂઆત ધીમે ધીમે થઈ રહી હતી. કડકડતી ઠંડી કોને કહેવાય તેવો અનુભવ થઈ રહ્યો હતો પરંતુ થોડા દિવસોથી ઠંડીના પ્રમાણમાં ઘટાડો આવ્યો છે. અનેક જગ્યાઓ માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને અનેક જગ્યાઓ માટે આગાહી સાચી પણ પડી. કમોસમી વરસાદ વરસ્યો પણ ખરો ત્યારે હવે લોકોના મનમાં એક પ્રશ્ન છે કે ઉત્તરાયણ સમયે વાતાવરણ કેવું હશે. ત્યારે હવામાનને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 

મકર સંક્રાંતિ – દિન વિશેષ ✍


શું વરસાદ ઉત્તરાયણની મજા બગાડશે?

ઉત્તરાયણને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બે દિવસ બાદ તો ઉત્તરાયણનો તહેવાર છે ત્યારે વરસાદનું વિધ્ન નડશે કે નહીં નડે તેનો ડર પતંગ રસિયાઓમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ઉત્તરાયણ સમયે સારો પવન રહેશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આગાહી કરતા અંબાલાલ કાકાએ કહ્યું કે 12 અને 13 તારીખે તાપમાન ફરીથી ઊંચું જઈ શકે છે. 12, અને 13 જાન્યુઆરી તાપમાન ઊંચું આવશે. 14 તારીખથી ફરીથી તાપમાનમાં ઘટાડો આવી શકે છે. કાકાના અનુમાન મુજબ આગામી 14 અને 15 જાન્યુઆરી એટલે મકરસંક્રાતિ અને વાસી ઉતરાણમાં પવનની ગતિ સારી રહેશે.  

     અંબાલાલ પટેલની મોટી આગાહીઃ માવઠા સાથે એપ્રિલ-મેમાં શું થશે તે પણ જણાવ્યું –  News18 ગુજરાતી

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે.... 

આગાહી કરતા તેમણે કહ્યું કે 17 જાન્યુઆરી સુધી માવઠાની સંભાવના નથી. પરંતુ તે બાદ વધુ એક માવઠું આવી શકે છે. 17થી 25 જાન્યુઆરીની આસપાસ હવામાનમાં પલટો આવી શકે છે અને ફરી એક વખત રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે તેના અનુમાને. હવામાન નિષ્ણાત ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ હવામાન વિશે માહિતી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  આગામી પાંચ દિવસ વાતાવરણ ડ્રાય રહેશે. વરસાદની કોઇ સંભાવના નથી. બેથી ત્રણ દિવસ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરાશે. 


હવામાન વિભાગે શું કરી છે આગાહી? 

મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે જગતના તાતને રડવાનો વારો આવે છે. મહેનતથી ઉભા કરેલા પાકને પોતાની નજરોની સામે બગડતા જોતા શું લાગણી તેમના મનમાં અનુભવાતી હશે કદાચ તેની કલ્પના પણ આપણે નહીં કરી શકીયે. આ વખતે જે જગ્યાઓ પર કમોસમી વરસાદ આવ્યો તેને કારણે ન માત્ર ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો પરંતુ પતંગના વેપારીઓને પણ રડવાનો વારો આવ્યો છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.