ભાજપની પીચ પર કેજરીવાલ બેટીંગ કરી શકશે?Ayodhya પહોંચ્યા પણ વિચારધારાની લાઈનમાં ક્યાં ઉભી છે AAP?


  • Published By :
  • Published Date : 2024-02-13 12:41:13

ભગવાનના રામને લઈ અનેક વખત રાજનીતિ થતી હોય છે તે આપણે જાણીએ છીએ. આપણી સામે એવા અનેક કિસ્સાઓ જેમાં રાજકીય પક્ષ રામના નામ પર તરી ગયા છે! પરંતુ અનેક રાજકીય પક્ષ એવા છે જેની વિચારધારા પર કન્ફન્યુઝન હજી પણ છે...!ખબર નથી પડતી કે રામ મંદિરના સમર્થનમાં છે કે રામ મંદિરના વિરોધમાં! અહીંયા વાત થઈ રહી છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની. બંને મુખ્યમંત્રી પોતાના પરિવાર સાથે રામ લલ્લાના દર્શન કરવા માટે ગઈકાલે અયોધ્યા પહોંચ્યા હતા. રામ લલ્લાની મૂર્તિના તેમણે દર્શન કર્યા. 

અરવિંદ કેજરીવાલે પરિવાર સાથે કર્યા રામ લલ્લના દર્શન! 

અયોધ્યામાં બનેલુ રામ મંદિર અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. 22 જાન્યુઆરીએ રામ લલ્લાની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક મોટી હસ્તીઓ આ સમારોહમાં સંમેલિત થઈ હતી. અનેક રાજકીય નેતાઓ પણ અયોધ્યા પહોંચ્યા હતા અને અનેક નેતાઓએ અયોધ્યા જવાનું ટાળ્યું હતું. તેમાં અરવિંદ કેજરીવાલ પણ સામેલ હતા કે જેઓ અયોધ્યા ગયા ન હતા. ના જવા પાછળનું તેમણે કારણ પણ આપ્યું હતું. પરિવાર સાથે તેઓ જશે તેવી વાત તેમણે કહી હતી, ત્યારે ગઈકાલે પરિવાર સાથે અરવિંદ કેજરીવાલ અયોધ્યા પહોંચ્યા હતા અને તેમણે રામ લલ્લાના દર્શન કર્યા હતા. 

આપની જુની પોસ્ટ સોશિયલ મીડિયા પર થયો વાયરલ! 

અયોધ્યામાં રામ લલ્લાના દર્શન કર્યા બાદ અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી છે. કેજરીવાલે નિવેદન આપતા કહ્યું કે રામ લલ્લાના દર્શન અને પૂજા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. રામ ભગવાનના દર્શન કરીને અત્યંત શાંતિનો અનુભવ થયો , બહુ સારૂં લાગ્યું. અનુભૂતિનું વર્ણન શબ્દોમાં નહીં કરી શકાય. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા કરવમાં આવેલી એક ટ્વિટ વાયરલ થઈ રહી છે. એ વાયરલ ટ્વિટને મસ્જિદ સાથે જોડવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે પહેલા આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલી ટ્વિટમાં અને અત્યારે અરવિંદ કેજરીવાલ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં ઘણો અંતર છે!  



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.