એકબાજુ ખેડૂતોની લડાઈ સામે સરકાર મકક્મ, બીજી બાજુ ઈકો સેન્સીટીવ ઝોનમાં મોટી કંપનીને મળશે સોલારપાર્કની પરવાનગી?


  • Published By : Admin
  • Published Date : 2024-12-11 20:08:58

ગીર ઈકો સેન્સીટીવ ઝોનનો મુદ્દો અનેક લોકોને અસરકર્તા હોવાથી આંદોલન ચાલી રહ્યુ છે, સરકાર એ વાત પર કાયમ છે કે ઈકો ઝોન હોય ત્યાં ઉદ્યોગો કે માઈનિંગ જેવા કામોને પરવાનગી ના આપી શકાય, ટુરિઝમની પણ અતિ થાય તો એના પર પણ રોક લગાવવી એ જીવ સૃષ્ટી અને પર્યાવરણ માટે જરૂરી છે, પણ શું આમાં વચ્ચેથી મોટી કંપનીની મોટી ફાઈલ પાસ કરી શકાય કે કેમ એ ગંભીર વિષય છે

L&T NTPCના સંયુક્ત પ્રોજેક્ટ માટે વિસાવદરના ઘોડાસણમાં મળશે મંજૂરી?

એ હકિકત છે કે ઉદ્યોગ ના આવે તો જમીનોના ભાવ ના વધી શકે, પણ શું સિંહના અવર જવરના રસ્તા પર કોઈ મોટી કંપની મોટાપાયે જમીનની ખરીદી કરીને સોલાર પાર્ક બનાવી શકે? ખેડૂતને એન.એ કે બાકી પરવાનગી કોઈ નાના કામ માટે લેવાની હોય તો એને કોઈ પણ સંજોગોમાં નિયમોથી ઉપરવટ મંજૂરી ના મળે એટલો કડક જંગલનો કાયદો છે, પણ વિસાવદરના ઘોડાસણમાં આ બે કંપનીએ 18 જેટલા સર્વે નંબરની જમીન પર સોલાર પાર્ક બનાવવા માટે દરખાસ્ત મુકેલી છે, પરવાનગી આવી જશે એવુ માનીને ત્યાં કામ પણ શરૂ કરી દેવાયુ હતુ પણ જે તે સમયે જંગલ ખાતામાં આ ફાઈલ અટકી ગઈ કેમ કે વિષય આવ્યો સિંહના રહેણાંક વિસ્તાર અને ઈકો સેન્સીટીવ ઝોનનો. હવે આ ફાઈલ ફરીથી દરખાસ્ત માટે મુકવામાં આવી છે

ઈકો સેન્સીટીવ ઝોનમાં કંપની અને ખેડૂત માટે બેવડા ધોરણો રહેશે?

જંગલના કાયદામાં સેન્સીટીવ ઝોન હેઠળ આવતી જગ્યાઓની પરવાનગી માટે ત્રણ પ્રકારની વ્યવસ્થા છે. એક પ્રતિબંધીત, બીજુ કરી શકાય અને ત્રીજુ પરવાનગી લઈને સ્થિતિને જોઈને નિર્ણય કરવામાં આવે. સોલારના પ્રોજેક્ટ અને ગ્રીન એનર્જીને સરકાર પ્રમોટ કરી રહી છે, કંપનીએ પણ આ પ્રોજેક્ટ માટે ખાસો ખર્ચો કરી દીધો છે, પણ સામે 17 જેટલા સિંહના અવર-જવરનો આ રસ્તો હોવાનું કહેવાઈ રહ્યું છે. જો આ પ્રોજેક્ટને પરવાનગી મળે તો વાઈલ્ડ લાઈફ પર આની બહુ મોટી અસર પડી શકે એમ છે. પણ પ્રશ્ન ખાલી એ અસરનો નથી, જો L&T અને NTPCના આ સંયુક્ત સાહસને પરવાનગી મળે છે તો આવનાર સમયમાં બાકી કંપનીને સરકાર મનાઈ કરી શકશે? કાયદો એક માટે અલગ બીજા માટે અલગ હોઈ ના શકે, એટલે આવનાર સમયમાં વિસાવદરનો આ વિસ્તાર ઈકો સેન્સીટીવ ઝોન, જંગલનો વિસ્તાર રહે છે કે ઉદ્યોગનો વિસ્તાર એ આ એક નિર્ણય પરથી ખબર પડી જશે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી