એકબાજુ ખેડૂતોની લડાઈ સામે સરકાર મકક્મ, બીજી બાજુ ઈકો સેન્સીટીવ ઝોનમાં મોટી કંપનીને મળશે સોલારપાર્કની પરવાનગી?


  • Published By : Admin
  • Published Date : 2024-12-11 20:08:58

ગીર ઈકો સેન્સીટીવ ઝોનનો મુદ્દો અનેક લોકોને અસરકર્તા હોવાથી આંદોલન ચાલી રહ્યુ છે, સરકાર એ વાત પર કાયમ છે કે ઈકો ઝોન હોય ત્યાં ઉદ્યોગો કે માઈનિંગ જેવા કામોને પરવાનગી ના આપી શકાય, ટુરિઝમની પણ અતિ થાય તો એના પર પણ રોક લગાવવી એ જીવ સૃષ્ટી અને પર્યાવરણ માટે જરૂરી છે, પણ શું આમાં વચ્ચેથી મોટી કંપનીની મોટી ફાઈલ પાસ કરી શકાય કે કેમ એ ગંભીર વિષય છે

L&T NTPCના સંયુક્ત પ્રોજેક્ટ માટે વિસાવદરના ઘોડાસણમાં મળશે મંજૂરી?

એ હકિકત છે કે ઉદ્યોગ ના આવે તો જમીનોના ભાવ ના વધી શકે, પણ શું સિંહના અવર જવરના રસ્તા પર કોઈ મોટી કંપની મોટાપાયે જમીનની ખરીદી કરીને સોલાર પાર્ક બનાવી શકે? ખેડૂતને એન.એ કે બાકી પરવાનગી કોઈ નાના કામ માટે લેવાની હોય તો એને કોઈ પણ સંજોગોમાં નિયમોથી ઉપરવટ મંજૂરી ના મળે એટલો કડક જંગલનો કાયદો છે, પણ વિસાવદરના ઘોડાસણમાં આ બે કંપનીએ 18 જેટલા સર્વે નંબરની જમીન પર સોલાર પાર્ક બનાવવા માટે દરખાસ્ત મુકેલી છે, પરવાનગી આવી જશે એવુ માનીને ત્યાં કામ પણ શરૂ કરી દેવાયુ હતુ પણ જે તે સમયે જંગલ ખાતામાં આ ફાઈલ અટકી ગઈ કેમ કે વિષય આવ્યો સિંહના રહેણાંક વિસ્તાર અને ઈકો સેન્સીટીવ ઝોનનો. હવે આ ફાઈલ ફરીથી દરખાસ્ત માટે મુકવામાં આવી છે

ઈકો સેન્સીટીવ ઝોનમાં કંપની અને ખેડૂત માટે બેવડા ધોરણો રહેશે?

જંગલના કાયદામાં સેન્સીટીવ ઝોન હેઠળ આવતી જગ્યાઓની પરવાનગી માટે ત્રણ પ્રકારની વ્યવસ્થા છે. એક પ્રતિબંધીત, બીજુ કરી શકાય અને ત્રીજુ પરવાનગી લઈને સ્થિતિને જોઈને નિર્ણય કરવામાં આવે. સોલારના પ્રોજેક્ટ અને ગ્રીન એનર્જીને સરકાર પ્રમોટ કરી રહી છે, કંપનીએ પણ આ પ્રોજેક્ટ માટે ખાસો ખર્ચો કરી દીધો છે, પણ સામે 17 જેટલા સિંહના અવર-જવરનો આ રસ્તો હોવાનું કહેવાઈ રહ્યું છે. જો આ પ્રોજેક્ટને પરવાનગી મળે તો વાઈલ્ડ લાઈફ પર આની બહુ મોટી અસર પડી શકે એમ છે. પણ પ્રશ્ન ખાલી એ અસરનો નથી, જો L&T અને NTPCના આ સંયુક્ત સાહસને પરવાનગી મળે છે તો આવનાર સમયમાં બાકી કંપનીને સરકાર મનાઈ કરી શકશે? કાયદો એક માટે અલગ બીજા માટે અલગ હોઈ ના શકે, એટલે આવનાર સમયમાં વિસાવદરનો આ વિસ્તાર ઈકો સેન્સીટીવ ઝોન, જંગલનો વિસ્તાર રહે છે કે ઉદ્યોગનો વિસ્તાર એ આ એક નિર્ણય પરથી ખબર પડી જશે. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.