એકબાજુ ખેડૂતોની લડાઈ સામે સરકાર મકક્મ, બીજી બાજુ ઈકો સેન્સીટીવ ઝોનમાં મોટી કંપનીને મળશે સોલારપાર્કની પરવાનગી?


  • Published By : Admin
  • Published Date : 2024-12-11 20:08:58

ગીર ઈકો સેન્સીટીવ ઝોનનો મુદ્દો અનેક લોકોને અસરકર્તા હોવાથી આંદોલન ચાલી રહ્યુ છે, સરકાર એ વાત પર કાયમ છે કે ઈકો ઝોન હોય ત્યાં ઉદ્યોગો કે માઈનિંગ જેવા કામોને પરવાનગી ના આપી શકાય, ટુરિઝમની પણ અતિ થાય તો એના પર પણ રોક લગાવવી એ જીવ સૃષ્ટી અને પર્યાવરણ માટે જરૂરી છે, પણ શું આમાં વચ્ચેથી મોટી કંપનીની મોટી ફાઈલ પાસ કરી શકાય કે કેમ એ ગંભીર વિષય છે

L&T NTPCના સંયુક્ત પ્રોજેક્ટ માટે વિસાવદરના ઘોડાસણમાં મળશે મંજૂરી?

એ હકિકત છે કે ઉદ્યોગ ના આવે તો જમીનોના ભાવ ના વધી શકે, પણ શું સિંહના અવર જવરના રસ્તા પર કોઈ મોટી કંપની મોટાપાયે જમીનની ખરીદી કરીને સોલાર પાર્ક બનાવી શકે? ખેડૂતને એન.એ કે બાકી પરવાનગી કોઈ નાના કામ માટે લેવાની હોય તો એને કોઈ પણ સંજોગોમાં નિયમોથી ઉપરવટ મંજૂરી ના મળે એટલો કડક જંગલનો કાયદો છે, પણ વિસાવદરના ઘોડાસણમાં આ બે કંપનીએ 18 જેટલા સર્વે નંબરની જમીન પર સોલાર પાર્ક બનાવવા માટે દરખાસ્ત મુકેલી છે, પરવાનગી આવી જશે એવુ માનીને ત્યાં કામ પણ શરૂ કરી દેવાયુ હતુ પણ જે તે સમયે જંગલ ખાતામાં આ ફાઈલ અટકી ગઈ કેમ કે વિષય આવ્યો સિંહના રહેણાંક વિસ્તાર અને ઈકો સેન્સીટીવ ઝોનનો. હવે આ ફાઈલ ફરીથી દરખાસ્ત માટે મુકવામાં આવી છે

ઈકો સેન્સીટીવ ઝોનમાં કંપની અને ખેડૂત માટે બેવડા ધોરણો રહેશે?

જંગલના કાયદામાં સેન્સીટીવ ઝોન હેઠળ આવતી જગ્યાઓની પરવાનગી માટે ત્રણ પ્રકારની વ્યવસ્થા છે. એક પ્રતિબંધીત, બીજુ કરી શકાય અને ત્રીજુ પરવાનગી લઈને સ્થિતિને જોઈને નિર્ણય કરવામાં આવે. સોલારના પ્રોજેક્ટ અને ગ્રીન એનર્જીને સરકાર પ્રમોટ કરી રહી છે, કંપનીએ પણ આ પ્રોજેક્ટ માટે ખાસો ખર્ચો કરી દીધો છે, પણ સામે 17 જેટલા સિંહના અવર-જવરનો આ રસ્તો હોવાનું કહેવાઈ રહ્યું છે. જો આ પ્રોજેક્ટને પરવાનગી મળે તો વાઈલ્ડ લાઈફ પર આની બહુ મોટી અસર પડી શકે એમ છે. પણ પ્રશ્ન ખાલી એ અસરનો નથી, જો L&T અને NTPCના આ સંયુક્ત સાહસને પરવાનગી મળે છે તો આવનાર સમયમાં બાકી કંપનીને સરકાર મનાઈ કરી શકશે? કાયદો એક માટે અલગ બીજા માટે અલગ હોઈ ના શકે, એટલે આવનાર સમયમાં વિસાવદરનો આ વિસ્તાર ઈકો સેન્સીટીવ ઝોન, જંગલનો વિસ્તાર રહે છે કે ઉદ્યોગનો વિસ્તાર એ આ એક નિર્ણય પરથી ખબર પડી જશે. 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."