એકબાજુ ખેડૂતોની લડાઈ સામે સરકાર મકક્મ, બીજી બાજુ ઈકો સેન્સીટીવ ઝોનમાં મોટી કંપનીને મળશે સોલારપાર્કની પરવાનગી?


  • Published By : Admin
  • Published Date : 2024-12-11 20:08:58

ગીર ઈકો સેન્સીટીવ ઝોનનો મુદ્દો અનેક લોકોને અસરકર્તા હોવાથી આંદોલન ચાલી રહ્યુ છે, સરકાર એ વાત પર કાયમ છે કે ઈકો ઝોન હોય ત્યાં ઉદ્યોગો કે માઈનિંગ જેવા કામોને પરવાનગી ના આપી શકાય, ટુરિઝમની પણ અતિ થાય તો એના પર પણ રોક લગાવવી એ જીવ સૃષ્ટી અને પર્યાવરણ માટે જરૂરી છે, પણ શું આમાં વચ્ચેથી મોટી કંપનીની મોટી ફાઈલ પાસ કરી શકાય કે કેમ એ ગંભીર વિષય છે

L&T NTPCના સંયુક્ત પ્રોજેક્ટ માટે વિસાવદરના ઘોડાસણમાં મળશે મંજૂરી?

એ હકિકત છે કે ઉદ્યોગ ના આવે તો જમીનોના ભાવ ના વધી શકે, પણ શું સિંહના અવર જવરના રસ્તા પર કોઈ મોટી કંપની મોટાપાયે જમીનની ખરીદી કરીને સોલાર પાર્ક બનાવી શકે? ખેડૂતને એન.એ કે બાકી પરવાનગી કોઈ નાના કામ માટે લેવાની હોય તો એને કોઈ પણ સંજોગોમાં નિયમોથી ઉપરવટ મંજૂરી ના મળે એટલો કડક જંગલનો કાયદો છે, પણ વિસાવદરના ઘોડાસણમાં આ બે કંપનીએ 18 જેટલા સર્વે નંબરની જમીન પર સોલાર પાર્ક બનાવવા માટે દરખાસ્ત મુકેલી છે, પરવાનગી આવી જશે એવુ માનીને ત્યાં કામ પણ શરૂ કરી દેવાયુ હતુ પણ જે તે સમયે જંગલ ખાતામાં આ ફાઈલ અટકી ગઈ કેમ કે વિષય આવ્યો સિંહના રહેણાંક વિસ્તાર અને ઈકો સેન્સીટીવ ઝોનનો. હવે આ ફાઈલ ફરીથી દરખાસ્ત માટે મુકવામાં આવી છે

ઈકો સેન્સીટીવ ઝોનમાં કંપની અને ખેડૂત માટે બેવડા ધોરણો રહેશે?

જંગલના કાયદામાં સેન્સીટીવ ઝોન હેઠળ આવતી જગ્યાઓની પરવાનગી માટે ત્રણ પ્રકારની વ્યવસ્થા છે. એક પ્રતિબંધીત, બીજુ કરી શકાય અને ત્રીજુ પરવાનગી લઈને સ્થિતિને જોઈને નિર્ણય કરવામાં આવે. સોલારના પ્રોજેક્ટ અને ગ્રીન એનર્જીને સરકાર પ્રમોટ કરી રહી છે, કંપનીએ પણ આ પ્રોજેક્ટ માટે ખાસો ખર્ચો કરી દીધો છે, પણ સામે 17 જેટલા સિંહના અવર-જવરનો આ રસ્તો હોવાનું કહેવાઈ રહ્યું છે. જો આ પ્રોજેક્ટને પરવાનગી મળે તો વાઈલ્ડ લાઈફ પર આની બહુ મોટી અસર પડી શકે એમ છે. પણ પ્રશ્ન ખાલી એ અસરનો નથી, જો L&T અને NTPCના આ સંયુક્ત સાહસને પરવાનગી મળે છે તો આવનાર સમયમાં બાકી કંપનીને સરકાર મનાઈ કરી શકશે? કાયદો એક માટે અલગ બીજા માટે અલગ હોઈ ના શકે, એટલે આવનાર સમયમાં વિસાવદરનો આ વિસ્તાર ઈકો સેન્સીટીવ ઝોન, જંગલનો વિસ્તાર રહે છે કે ઉદ્યોગનો વિસ્તાર એ આ એક નિર્ણય પરથી ખબર પડી જશે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.