વાઘોડિયા બેઠક પરથી લડશે Madhu Shrivastav? Shaktisinh Gohil જોડે થઈ બેઠક, જાણો શું વાત થઈ?


  • Published By :
  • Published Date : 2024-04-10 16:06:36

એક તરફ લોકસભા ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે તો બીજી તરફ પેટા ચૂંટણીને લઈ ઉમેદવાર કોણ હશે તેની ચર્ચાઓ થઈ રહી છે.. ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે તો મતદાન થવાનું છે જ પરંતુ પાંચ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. પાંચ ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. પેટા ચૂંટણી માટે ભાજપે પહેલેથી જ ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે તો કોંગ્રેસ પણ આ ઉમેદવારને લઈ મનોમંથન કરી રહી છે તેવું લાગી રહ્યું છે.   

વાઘોડિયા બેઠક પર કોંગ્રેસ આપશે મધુ શ્રીવાસ્તવને ટિકીટ?

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની રાજનીતિ જબરદસ્ત ગરમાઈ રહી છે. ચૂંટણી હવે નજીક છે તો ક્યાંક ભાજપમાં ડખો છે તો ક્યાંક ઉમેદવારો સામે લોકોની નારાજગી. અને રાજકોટ લોકસભા બેઠકની તો વાત જ જુદી છે અને આ બધા વચ્ચે વડોદરામાં પણ કંઈક નવા જૂનીના એધાણ દેખાઈ રહ્યા છે કારણકે ગઈકાલે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને મળ્યા હતા. આ બેઠક એટલા માટે મહત્વની માનવામાં આવે છે કે વડોદરાની વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવને ટિકીટ મળી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. 


શક્તિસિંહ ગોહિલ અને મધુ શ્રીવાસ્તવ વચ્ચે થઈ હતી બેઠક 

વાઘોડિયા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. વાઘોડિયાના ધારાસભ્યએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પાંચ બેઠકો પર પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. જે ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે તેમને ઉમેદવાર તરીકે ભાજપે ઉતાર્યા છે. આ બધા વચ્ચે એવી ચર્ચાઓ સામે આવી રહી છે કે વડોદરાની વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવ માટે લૉબિંગ શરૂ કરાઈ ગયું છે. આ ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે ગઈકાલે શક્તિસિંહ ગોહિલ અને મધુ શ્રીવાસ્તવ વચ્ચે બેઠક થઈ હતી.  


 મધુ શ્રીવાસ્તવે કહ્યું કે... 

પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ગઈકાલે વડોદરામાં આયોજિત કોંગ્રેસ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા, જ્યાં પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તેમને મળવા પહોંચ્યા હતા. જેથી મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા વિભાનસભા બેઠક પર કોંગ્રેસમાંથી લડશે એવી અટકળો શરૂ થઈ ગઈ છે. જેની સામે મધુ શ્રીવાસ્તવે કહ્યું કે ભાજપથી છેડો ફાડ્યાને એક વર્ષ થઇ ગયું છે. મેં કોગ્રેસમાંથી ચૂંટણી લડવાની માગણી કરેલી છે. કોંગ્રેસ ટિકીટ આપશે તો લડવાનો જ છું અને ના આપે તોપણ લડવાનો છું, એમાં કોઈ નવાઈ નથી. ખુલ્લું મેદાન છે અને આ મધુ શ્રીવાસ્તવ છે. લડવાનો, લડવાનો અને લડવાનો જ છું. 


શું કહ્યું શક્તિસિંહ ગોહિલે?

શું મધુ શ્રીવાસ્તવને કોંગ્રેસ વાઘોડિયા બેઠક પર ચૂંટણી લડાવશે? એવા સવાલના જવાબમાં પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે અગાઉ પણ અમિત ચાવડાની હાજરીમાં તેમણે અમારો ખેસ પહેર્યો હતો અને અમારા સ્ટેજ પર પણ આવ્યા હતા. દરેકને વાત કરવાનો અધિકાર છે. ભાજપની જેમ કોંગ્રેસમાં અહંકાર નથી. ત્યારે જોવું રહ્યું કે વાઘોડિયા બેઠક પરથી કોંગ્રેસ કોને ઉમેદવાર તરીકે જાહેર કરે છે? 



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?