ગરબાની મજા બગાડશે મેઘરાજા ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 11:10:30

 

ગરબાની મજા બગાડશે મેઘરાજ ?

આજથી નવરાત્રી શરૂ થઈ ગઈ છે. નવરાત્રીને લઈને  ખેલૈયાઓમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે નવલા નોરતાના પહેલાજ દિવસે કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે બપોર બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઝાપટા પડ્યા છે. નવરાત્રીના પહેલા જ દિવસે વરસાદ  વરસતા ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી રહી છે, તો આયોજકોમાં પણ ચિંતાનો માહોલ છવાયો છે.

 

પહેલાજ નોરતે વરસાદ

નવરાત્રીના પહેલાજ દિવસે અમદાવાદ, વડોદરા, સુરત, અમરેલીના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદની વાત કરીએ તો પહેલા જ નોરતે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. અમદાવાદના હાટકેશ્વર, ખોખરા, મણિનગર, અમરાઈવાડીમાં વરસાદ  ખાબક્યો છે. સાથે સુરત શહેર અને બારડોલીમાં હળવા ઝાપટા પડ્યા છે. વડોદરાના ઓ.પી. રોડ, અલકાપુરી, રેસકોર્સ, ઇલોરા પાર્ક, સુભાનપુરામાં વરસાદ  પડ્યો. આજે પ્રથમ નોરતામાં અમરેલીના ખાંભા શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ  વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.

 

સામાન્ય વરસાદની આગાહી:- હવામાન વિભાગ

હાલ હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રીમાં સામાન્ય વરસાદ રહશે નવરાત્રીના દિવસો દરમ્યાન જ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ  દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બનશે.

 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે