લાખો બાળકોને ભૂખ્યા રહેવાનો વારો આવશે? મધ્યાહન ભોજન માટે અનાજની ઘટ, અનેક મહિનાઓથી નથી પહોંચ્યો અનાજનો જથ્થો


  • Published By :
  • Published Date : 2023-10-13 14:46:19

વાઈબ્રન્ટ ગુજરાત મામલે સમાચાર આવ્યા છે કે રાજ્યના મધ્યાહન  ભોજન કેન્દ્રોમાં અનાજના જથ્થા પૂરા થઈ રહ્યા છે. આ મામલે ગુજરાતના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરને પણ ગુજરાત મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખે ધ્યાન દોર્યું છે કે જો અનાજ આપવામાં નહીં આવે તો પછી મધ્યાહન ભોજનના અનેક કેન્દ્રો બંધ કરવા પડશે અને જો એવું થશે તો નાના બાળકો ભૂખ્યા રહેશે. ગુજરાતના શિક્ષણ વ્યવસ્થાના વધુ એક મુદ્દા વિશે બોલવું અને લોકો સુધી માહિતી પહોંચાડવી એટલા માટે અતિ જરૂરી છે કારણ કે જો આજ નહીં તો ક્યારેય નહીંની સ્થિતિ થઈ જશે.  

રાજકોટ જિલ્લામાં આજથી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના શરુ, બાળકોને મેનુ મુજબ  અનાજની ફાળવણી જ થઇ નથી | In Rajkot district, the mid-day meal scheme has  started in schools from ...

લાખો બાળકોના મોઢાનો કોળિયો છીનવાઈ જશે... 

સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતના મધ્યાહન ભોજનનો જથ્થો પૂરો થઈ રહ્યો છે. જો હવે જથ્થો આપવામાં નહીં આવે તો પરિસ્થિતિ એવી થશે કે શાળામાં ભણતા ભૂલકાઓ ભુખ્યા રહેશે. વાત એમ છે કે ઘણા બધા જિલ્લાઓમાં ઓક્ટોબર મહિનાનો જથ્થો હજુ સુધી પહોંચ્યો નથી. અનેક જિલ્લામાં દાળ ખતમ થઈ ગઈ છે અને અમુક જિલ્લામાં હજુ જથ્થો પહોંચવાનો જ બાકી છે. આના કારણે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે જો દાળ અને અનાજ પહોંચાડવામાં નહીં આવે તો ગુજરાતના અનેક મધ્યાહન કેન્દ્રો બંધ થઈ જશે. અને જો આવું થશે તો લાખો બાળકોના મોઢાનો કોળિયો છીનવાઈ જશે. 

બાળકોને ભોજન મળે તે હતો યોજનાનો હેતુ

આપણે જાણીએ કે એવું કહેવામાં આવે છે કે મધ્યાહન ભોજન શરૂ કરવા પાછળનું કારણ એવું હતું કે નાના બાળકો શાળામાં ભણવા આવે. પહેલા છોકરાઓ ભણવા નહોતા આવતા. પરિસ્થિતિ ગરીબ હોવાના કારણે મા બાપ છોકરાઓને કામ કરવા માટે લઈ જતા હતા કે એક ટંક જમવાનું થઈ રહે. પછી સરકારે વિચાર્યું કે બાળકોને કામ કરાવીને માબાપ રોટી માટે મહેનત કરે છે તો બાળકોને શાળામાં જ જમવાનું આપી દેવામાં આવે તો કેવું રહે? એટલે છોકરાઓ ભણવા પણ આવશે અને તેમને જમવાનું પણ મળી રહેશે. અને પછી શરૂ થાય છે મધ્યાહન ભોજન. આવી વાતો કહેવામાં આવે છે. 

Mid Day Meal: છેલ્લા એક મહિનાથી મધ્યાહન ભોજનમાંથી તુવેર દાળ ગાયબ, પુરવઠા  મામલતદારે કર્યો ખુલાસો,  tuvardal-missing-from-mid-day-meal-for-the-last-one-month-supply-manager-revealed

કુપોષણમાં ગુજરાત બીજા રાજ્યોની તુલનામાં આગળ છે!

એક તો ગુજરાતમાં બીજા રાજ્યોની તુલનામાં કુપોષણ ખૂબ વધારે છે એવું સંસદમાં જ મંત્રી દ્વારા બોલવામાં આવે છે અને બાળકોને પૌષ્ટિક આહાર આપતી મધ્યાહન ભોજન યોજના જ બંધ કરી દેવામાં એવી પરિસ્થિતિ ગુજરાતમાં પેદા થશે તો તમે શિક્ષણની વ્યવસ્થા ક્યાં લઈ જઈ રહ્યા છો એ મામલે એકવાર વિચારવું પડશે. સરકાર એટલા માટે છે કારણ કે લોકોની સુખાકારી થાય. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી