લાખો બાળકોને ભૂખ્યા રહેવાનો વારો આવશે? મધ્યાહન ભોજન માટે અનાજની ઘટ, અનેક મહિનાઓથી નથી પહોંચ્યો અનાજનો જથ્થો


  • Published By :
  • Published Date : 2023-10-13 14:46:19

વાઈબ્રન્ટ ગુજરાત મામલે સમાચાર આવ્યા છે કે રાજ્યના મધ્યાહન  ભોજન કેન્દ્રોમાં અનાજના જથ્થા પૂરા થઈ રહ્યા છે. આ મામલે ગુજરાતના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરને પણ ગુજરાત મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખે ધ્યાન દોર્યું છે કે જો અનાજ આપવામાં નહીં આવે તો પછી મધ્યાહન ભોજનના અનેક કેન્દ્રો બંધ કરવા પડશે અને જો એવું થશે તો નાના બાળકો ભૂખ્યા રહેશે. ગુજરાતના શિક્ષણ વ્યવસ્થાના વધુ એક મુદ્દા વિશે બોલવું અને લોકો સુધી માહિતી પહોંચાડવી એટલા માટે અતિ જરૂરી છે કારણ કે જો આજ નહીં તો ક્યારેય નહીંની સ્થિતિ થઈ જશે.  

રાજકોટ જિલ્લામાં આજથી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના શરુ, બાળકોને મેનુ મુજબ  અનાજની ફાળવણી જ થઇ નથી | In Rajkot district, the mid-day meal scheme has  started in schools from ...

લાખો બાળકોના મોઢાનો કોળિયો છીનવાઈ જશે... 

સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતના મધ્યાહન ભોજનનો જથ્થો પૂરો થઈ રહ્યો છે. જો હવે જથ્થો આપવામાં નહીં આવે તો પરિસ્થિતિ એવી થશે કે શાળામાં ભણતા ભૂલકાઓ ભુખ્યા રહેશે. વાત એમ છે કે ઘણા બધા જિલ્લાઓમાં ઓક્ટોબર મહિનાનો જથ્થો હજુ સુધી પહોંચ્યો નથી. અનેક જિલ્લામાં દાળ ખતમ થઈ ગઈ છે અને અમુક જિલ્લામાં હજુ જથ્થો પહોંચવાનો જ બાકી છે. આના કારણે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે જો દાળ અને અનાજ પહોંચાડવામાં નહીં આવે તો ગુજરાતના અનેક મધ્યાહન કેન્દ્રો બંધ થઈ જશે. અને જો આવું થશે તો લાખો બાળકોના મોઢાનો કોળિયો છીનવાઈ જશે. 

બાળકોને ભોજન મળે તે હતો યોજનાનો હેતુ

આપણે જાણીએ કે એવું કહેવામાં આવે છે કે મધ્યાહન ભોજન શરૂ કરવા પાછળનું કારણ એવું હતું કે નાના બાળકો શાળામાં ભણવા આવે. પહેલા છોકરાઓ ભણવા નહોતા આવતા. પરિસ્થિતિ ગરીબ હોવાના કારણે મા બાપ છોકરાઓને કામ કરવા માટે લઈ જતા હતા કે એક ટંક જમવાનું થઈ રહે. પછી સરકારે વિચાર્યું કે બાળકોને કામ કરાવીને માબાપ રોટી માટે મહેનત કરે છે તો બાળકોને શાળામાં જ જમવાનું આપી દેવામાં આવે તો કેવું રહે? એટલે છોકરાઓ ભણવા પણ આવશે અને તેમને જમવાનું પણ મળી રહેશે. અને પછી શરૂ થાય છે મધ્યાહન ભોજન. આવી વાતો કહેવામાં આવે છે. 

Mid Day Meal: છેલ્લા એક મહિનાથી મધ્યાહન ભોજનમાંથી તુવેર દાળ ગાયબ, પુરવઠા  મામલતદારે કર્યો ખુલાસો,  tuvardal-missing-from-mid-day-meal-for-the-last-one-month-supply-manager-revealed

કુપોષણમાં ગુજરાત બીજા રાજ્યોની તુલનામાં આગળ છે!

એક તો ગુજરાતમાં બીજા રાજ્યોની તુલનામાં કુપોષણ ખૂબ વધારે છે એવું સંસદમાં જ મંત્રી દ્વારા બોલવામાં આવે છે અને બાળકોને પૌષ્ટિક આહાર આપતી મધ્યાહન ભોજન યોજના જ બંધ કરી દેવામાં એવી પરિસ્થિતિ ગુજરાતમાં પેદા થશે તો તમે શિક્ષણની વ્યવસ્થા ક્યાં લઈ જઈ રહ્યા છો એ મામલે એકવાર વિચારવું પડશે. સરકાર એટલા માટે છે કારણ કે લોકોની સુખાકારી થાય. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.