શું પ્રવીણ તોગડિયા કરશે ઘર વાપસી? Mohan Bhagwat અને પ્રવીણ તોગડિયા વચ્ચે થઈ બંધ બારણે બેઠક, શેની ચર્ચા થઈ?


  • Published By :
  • Published Date : 2024-10-15 13:47:12

રવિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘચાલક મોહન ભાગવત અને અંતરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા વચ્ચે મુલાકાત થઈ હતી.. મોહન ભાગવત અને પ્રવીણ તોગડિયા વચ્ચે સંઘ મુખ્યાલયમાં બંધ બારણે બેઠક થતા અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે.. બંનેની મુલાકાત થતા રાજનીતિમાં કોઈ ફેરફાર આવી શકે છે તેવી વાતોએ જોર પકડ્યું છે.. આ મુલાકાતને લઈ પ્રવીણ તોગડિયાએ કહ્યું કે રાજનીતિને લઈ વાતો થઈ પરંતુ આ મુલાકાત રાજનૈતિક નથી... 



મોહન ભાગવતને મળવા માટે પહોંચ્યા પ્રવીણ તોગડિયા

નાગપુર ખાતે સ્થિત આરએસએસ મુખ્યાલય 6 વર્ષ પછી પ્રવીણ તોગડિયા આરએસએસ મુખ્યાલય પહોંચ્યા હતા જ્યાં તેમણે મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી.. બંનેની મુલાકાત થતા રાજનીતિમાં કોઈ ફેરફાર આવી શકે છે તેવી વાતોએ જોર પકડ્યું છે.. પરંતુ આ મુલાકાત રાજનૈતિક નથી તેવી વાત પ્રવીણ તોગડિયા દ્વારા કરવામાં આવી છે.. બાંગ્લાદેશમાં હિંદુઓ જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તે વિષય પર વાત થઈ હતી.. તે સિવાય હિંદુત્વને લઈને પણ ચર્ચાઓ થઈ છે.. 


શું કહ્યું પ્રવીણ તોગડિયાએ?

પ્રવીણ તોગડિયાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન  જણાવ્યું હતું કે અમે અનેક વિષયો પર ચર્ચા કરી ખાસ કરીને વિદેશોમાં રહેતા હિંદુઓની પરિસ્થિતિ વિષયે.. હિંદુત્વને લઈ આરએસએસની ભૂમિકા વિશે પણ તેમણે વાત કરી હતી.. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હું ઓવેસિ સાથે મુલાકાત તો કરવાનો ન હતો, હિંદુ લીડર તરીકે હું મોહન ભાગવત સાથે જ મુલાકાત કરૂં.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને જણાવજો...  




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.