શું પ્રવીણ તોગડિયા કરશે ઘર વાપસી? Mohan Bhagwat અને પ્રવીણ તોગડિયા વચ્ચે થઈ બંધ બારણે બેઠક, શેની ચર્ચા થઈ?


  • Published By :
  • Published Date : 2024-10-15 13:47:12

રવિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘચાલક મોહન ભાગવત અને અંતરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા વચ્ચે મુલાકાત થઈ હતી.. મોહન ભાગવત અને પ્રવીણ તોગડિયા વચ્ચે સંઘ મુખ્યાલયમાં બંધ બારણે બેઠક થતા અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે.. બંનેની મુલાકાત થતા રાજનીતિમાં કોઈ ફેરફાર આવી શકે છે તેવી વાતોએ જોર પકડ્યું છે.. આ મુલાકાતને લઈ પ્રવીણ તોગડિયાએ કહ્યું કે રાજનીતિને લઈ વાતો થઈ પરંતુ આ મુલાકાત રાજનૈતિક નથી... 



મોહન ભાગવતને મળવા માટે પહોંચ્યા પ્રવીણ તોગડિયા

નાગપુર ખાતે સ્થિત આરએસએસ મુખ્યાલય 6 વર્ષ પછી પ્રવીણ તોગડિયા આરએસએસ મુખ્યાલય પહોંચ્યા હતા જ્યાં તેમણે મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી.. બંનેની મુલાકાત થતા રાજનીતિમાં કોઈ ફેરફાર આવી શકે છે તેવી વાતોએ જોર પકડ્યું છે.. પરંતુ આ મુલાકાત રાજનૈતિક નથી તેવી વાત પ્રવીણ તોગડિયા દ્વારા કરવામાં આવી છે.. બાંગ્લાદેશમાં હિંદુઓ જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તે વિષય પર વાત થઈ હતી.. તે સિવાય હિંદુત્વને લઈને પણ ચર્ચાઓ થઈ છે.. 


શું કહ્યું પ્રવીણ તોગડિયાએ?

પ્રવીણ તોગડિયાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન  જણાવ્યું હતું કે અમે અનેક વિષયો પર ચર્ચા કરી ખાસ કરીને વિદેશોમાં રહેતા હિંદુઓની પરિસ્થિતિ વિષયે.. હિંદુત્વને લઈ આરએસએસની ભૂમિકા વિશે પણ તેમણે વાત કરી હતી.. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હું ઓવેસિ સાથે મુલાકાત તો કરવાનો ન હતો, હિંદુ લીડર તરીકે હું મોહન ભાગવત સાથે જ મુલાકાત કરૂં.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને જણાવજો...  




યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .

થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .