શું પ્રવીણ તોગડિયા કરશે ઘર વાપસી? Mohan Bhagwat અને પ્રવીણ તોગડિયા વચ્ચે થઈ બંધ બારણે બેઠક, શેની ચર્ચા થઈ?


  • Published By :
  • Published Date : 2024-10-15 13:47:12

રવિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘચાલક મોહન ભાગવત અને અંતરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા વચ્ચે મુલાકાત થઈ હતી.. મોહન ભાગવત અને પ્રવીણ તોગડિયા વચ્ચે સંઘ મુખ્યાલયમાં બંધ બારણે બેઠક થતા અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે.. બંનેની મુલાકાત થતા રાજનીતિમાં કોઈ ફેરફાર આવી શકે છે તેવી વાતોએ જોર પકડ્યું છે.. આ મુલાકાતને લઈ પ્રવીણ તોગડિયાએ કહ્યું કે રાજનીતિને લઈ વાતો થઈ પરંતુ આ મુલાકાત રાજનૈતિક નથી... 



મોહન ભાગવતને મળવા માટે પહોંચ્યા પ્રવીણ તોગડિયા

નાગપુર ખાતે સ્થિત આરએસએસ મુખ્યાલય 6 વર્ષ પછી પ્રવીણ તોગડિયા આરએસએસ મુખ્યાલય પહોંચ્યા હતા જ્યાં તેમણે મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી.. બંનેની મુલાકાત થતા રાજનીતિમાં કોઈ ફેરફાર આવી શકે છે તેવી વાતોએ જોર પકડ્યું છે.. પરંતુ આ મુલાકાત રાજનૈતિક નથી તેવી વાત પ્રવીણ તોગડિયા દ્વારા કરવામાં આવી છે.. બાંગ્લાદેશમાં હિંદુઓ જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તે વિષય પર વાત થઈ હતી.. તે સિવાય હિંદુત્વને લઈને પણ ચર્ચાઓ થઈ છે.. 


શું કહ્યું પ્રવીણ તોગડિયાએ?

પ્રવીણ તોગડિયાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન  જણાવ્યું હતું કે અમે અનેક વિષયો પર ચર્ચા કરી ખાસ કરીને વિદેશોમાં રહેતા હિંદુઓની પરિસ્થિતિ વિષયે.. હિંદુત્વને લઈ આરએસએસની ભૂમિકા વિશે પણ તેમણે વાત કરી હતી.. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હું ઓવેસિ સાથે મુલાકાત તો કરવાનો ન હતો, હિંદુ લીડર તરીકે હું મોહન ભાગવત સાથે જ મુલાકાત કરૂં.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને જણાવજો...  




પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.