શું Suresh Gopi છોડી દેશે મંત્રી પદ? જાણો કેમ નથી રહેવા માંગતા મંત્રી તરીકે સુરેશ ગોપી?


  • Published By :
  • Published Date : 2024-06-10 15:40:02

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વારના પીએમ પદે શપથ લઈ લીધા છે . ત્યારે આ શપથ વિધિમાં તેમની સાથે કેરળના ભારતીય જનતા પાર્ટીના પ્રથમ સાંસદ સુરેશ ગોપીએ પણ મંત્રી પદે શપથ લીધા હતા.  ૨૪ કલાક જેટલો સમય પણ નથી વિત્યો અને તેમણે આ મંત્રી પદનો ત્યાગ કરવાની જાહેરાત કરી છે તેવી માહિતી સામે આવી છે... મહત્વનું છે કે રાજીનામું આપવાની વાત સામે આવતા સુરેશ ગોપીએ ટ્વિટ કરી છે જેમાં તેમણે આ વાતને ખોટી ગણાવી છે.. 

ગઈકાલે મંત્રી તરીકે લીધા શપથ અને આજે... 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત 72 સાંસદોએ શપથ લીધા છે. તેમાંથી 30 સાંસદ કેબિનેટ મિનિસ્ટર બન્યા . પાંચ સાંસદે સ્વતંત્ર પ્રભારના રાજ્યમંત્રીના શપથ લીધા. આ સાથે જ 36 સાંસદ રાજ્યકક્ષાના મંત્રી બન્યા. આ બધામાં કેરળ રાજ્યના થ્રિસુર લોકસભાના સાંસદ સુરેશ ગોપીએ પણ રાજ્યકક્ષાના મંત્રી પદના શપથ લીધા હતા. પણ હવે તેમણે આ મંત્રી પદ છોડવાનું મન બનાવી લીધું છે. તેમણે આ મંત્રી પદ છોડતી વખતે કહ્યું છે કે , હું માત્ર મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ તરીકે કામ કરવા માંગુ છું . મેં કોઈને આ મંત્રી પદ માટે વિનંતી કરી જ નથી. અને થ્રિસુરના મતદારોને પણ કોઈ વાંધો નહીં આવે. રાજીનામાની વાત સામે આવતા સુરેશ ગોપીએ આ મામલે સ્પષ્ટતા કરી છે કે આ વાત ખોટી છે. તે રાજીનામું નથી આપી રહ્યા.. 




દક્ષિણના રાજ્યમાં ભાજપનો માઈલસ્ટોન

તેઓ જાણે છે કે હું સાંસદ તરીકે સારું કામ કરી શકીશ . સૌ પ્રથમ મારે મારી ફિલ્મો કોઈ પણ ભોગે પુરી કરવાની છે . એટલે હવે સુરેશ ગોપીની મંત્રી પદ છોડવાની સંભાવનાઓ વધી ગઈ છે.  વાત કરીએ સુરેશ ગોપીની તો તેઓ થ્રિસ્સુર લોકસભા પરથી ૭૪૦૦૦ ના માર્જીનથી જીતી ચુક્યા છે. દક્ષિણના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી માટે આ ખુબ મોટો milestone છે. કેમ કે ૧૭ મી લોકસભામાં BJP પાસે કેરળના મંત્રીઓ હતા તે બધા જ રાજ્યસભામાંથી આવતા હતા . 



રાજ્યસભાના સાંસદ તરીકે લીધા હતા શપથ

સુરેશ ગોપી 65 વર્ષના છે. તેઓ મલયાલમ ફિલ્મ industryના લોકપ્રિય અભિનેતા છે. તેઓ અત્યાર સુધીમાં 250 ફિલ્મો કરી ચુક્યા છે. એપ્રિલ 2016માં તેમણે રાજ્ય સભાના સદસ્ય તરીકે શપથ લીધા હતા . આ માટે તેમને રાષ્ટ્રપતિ દ્વારા કેટેગરી ઓફ એમીનેન્ટ personalititiesમાં નોમિનેટ કરવામાં આવ્યા હતા . આ પછી ઓક્ટોબર 2016માં સુરેશ ગોપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. તેઓ કેરાલાના મૂળ કોલમ જિલ્લાના છે . આ ઉપરાંત કેરળમાં ભાજપના સ્ટાર કેમપેઈનર છે . સુરેશ ગોપીએ ૨૦૧૯ લોકસભાની ચૂંટણીઓ આ થ્રિસુર પરથી લડ્યા હતા . પરંતુ તે વખતે તેઓ ત્રીજા નંબરે રહ્યા હતા અને આ બેઠક કોંગ્રેસના  TP પાર્થાપન જીત્યા હતા . ગોપી આ સાથે ભારતીય જનતા પાર્ટીનો વોટશેર વધારવામાં પણ ખુબ મહત્વનો ભાગ ભજવ્યો હતો .  




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.