શું Suresh Gopi છોડી દેશે મંત્રી પદ? જાણો કેમ નથી રહેવા માંગતા મંત્રી તરીકે સુરેશ ગોપી?


  • Published By :
  • Published Date : 2024-06-10 15:40:02

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વારના પીએમ પદે શપથ લઈ લીધા છે . ત્યારે આ શપથ વિધિમાં તેમની સાથે કેરળના ભારતીય જનતા પાર્ટીના પ્રથમ સાંસદ સુરેશ ગોપીએ પણ મંત્રી પદે શપથ લીધા હતા.  ૨૪ કલાક જેટલો સમય પણ નથી વિત્યો અને તેમણે આ મંત્રી પદનો ત્યાગ કરવાની જાહેરાત કરી છે તેવી માહિતી સામે આવી છે... મહત્વનું છે કે રાજીનામું આપવાની વાત સામે આવતા સુરેશ ગોપીએ ટ્વિટ કરી છે જેમાં તેમણે આ વાતને ખોટી ગણાવી છે.. 

ગઈકાલે મંત્રી તરીકે લીધા શપથ અને આજે... 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત 72 સાંસદોએ શપથ લીધા છે. તેમાંથી 30 સાંસદ કેબિનેટ મિનિસ્ટર બન્યા . પાંચ સાંસદે સ્વતંત્ર પ્રભારના રાજ્યમંત્રીના શપથ લીધા. આ સાથે જ 36 સાંસદ રાજ્યકક્ષાના મંત્રી બન્યા. આ બધામાં કેરળ રાજ્યના થ્રિસુર લોકસભાના સાંસદ સુરેશ ગોપીએ પણ રાજ્યકક્ષાના મંત્રી પદના શપથ લીધા હતા. પણ હવે તેમણે આ મંત્રી પદ છોડવાનું મન બનાવી લીધું છે. તેમણે આ મંત્રી પદ છોડતી વખતે કહ્યું છે કે , હું માત્ર મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ તરીકે કામ કરવા માંગુ છું . મેં કોઈને આ મંત્રી પદ માટે વિનંતી કરી જ નથી. અને થ્રિસુરના મતદારોને પણ કોઈ વાંધો નહીં આવે. રાજીનામાની વાત સામે આવતા સુરેશ ગોપીએ આ મામલે સ્પષ્ટતા કરી છે કે આ વાત ખોટી છે. તે રાજીનામું નથી આપી રહ્યા.. 




દક્ષિણના રાજ્યમાં ભાજપનો માઈલસ્ટોન

તેઓ જાણે છે કે હું સાંસદ તરીકે સારું કામ કરી શકીશ . સૌ પ્રથમ મારે મારી ફિલ્મો કોઈ પણ ભોગે પુરી કરવાની છે . એટલે હવે સુરેશ ગોપીની મંત્રી પદ છોડવાની સંભાવનાઓ વધી ગઈ છે.  વાત કરીએ સુરેશ ગોપીની તો તેઓ થ્રિસ્સુર લોકસભા પરથી ૭૪૦૦૦ ના માર્જીનથી જીતી ચુક્યા છે. દક્ષિણના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી માટે આ ખુબ મોટો milestone છે. કેમ કે ૧૭ મી લોકસભામાં BJP પાસે કેરળના મંત્રીઓ હતા તે બધા જ રાજ્યસભામાંથી આવતા હતા . 



રાજ્યસભાના સાંસદ તરીકે લીધા હતા શપથ

સુરેશ ગોપી 65 વર્ષના છે. તેઓ મલયાલમ ફિલ્મ industryના લોકપ્રિય અભિનેતા છે. તેઓ અત્યાર સુધીમાં 250 ફિલ્મો કરી ચુક્યા છે. એપ્રિલ 2016માં તેમણે રાજ્ય સભાના સદસ્ય તરીકે શપથ લીધા હતા . આ માટે તેમને રાષ્ટ્રપતિ દ્વારા કેટેગરી ઓફ એમીનેન્ટ personalititiesમાં નોમિનેટ કરવામાં આવ્યા હતા . આ પછી ઓક્ટોબર 2016માં સુરેશ ગોપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. તેઓ કેરાલાના મૂળ કોલમ જિલ્લાના છે . આ ઉપરાંત કેરળમાં ભાજપના સ્ટાર કેમપેઈનર છે . સુરેશ ગોપીએ ૨૦૧૯ લોકસભાની ચૂંટણીઓ આ થ્રિસુર પરથી લડ્યા હતા . પરંતુ તે વખતે તેઓ ત્રીજા નંબરે રહ્યા હતા અને આ બેઠક કોંગ્રેસના  TP પાર્થાપન જીત્યા હતા . ગોપી આ સાથે ભારતીય જનતા પાર્ટીનો વોટશેર વધારવામાં પણ ખુબ મહત્વનો ભાગ ભજવ્યો હતો .  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.