શું Suresh Gopi છોડી દેશે મંત્રી પદ? જાણો કેમ નથી રહેવા માંગતા મંત્રી તરીકે સુરેશ ગોપી?


  • Published By :
  • Published Date : 2024-06-10 15:40:02

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વારના પીએમ પદે શપથ લઈ લીધા છે . ત્યારે આ શપથ વિધિમાં તેમની સાથે કેરળના ભારતીય જનતા પાર્ટીના પ્રથમ સાંસદ સુરેશ ગોપીએ પણ મંત્રી પદે શપથ લીધા હતા.  ૨૪ કલાક જેટલો સમય પણ નથી વિત્યો અને તેમણે આ મંત્રી પદનો ત્યાગ કરવાની જાહેરાત કરી છે તેવી માહિતી સામે આવી છે... મહત્વનું છે કે રાજીનામું આપવાની વાત સામે આવતા સુરેશ ગોપીએ ટ્વિટ કરી છે જેમાં તેમણે આ વાતને ખોટી ગણાવી છે.. 

ગઈકાલે મંત્રી તરીકે લીધા શપથ અને આજે... 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત 72 સાંસદોએ શપથ લીધા છે. તેમાંથી 30 સાંસદ કેબિનેટ મિનિસ્ટર બન્યા . પાંચ સાંસદે સ્વતંત્ર પ્રભારના રાજ્યમંત્રીના શપથ લીધા. આ સાથે જ 36 સાંસદ રાજ્યકક્ષાના મંત્રી બન્યા. આ બધામાં કેરળ રાજ્યના થ્રિસુર લોકસભાના સાંસદ સુરેશ ગોપીએ પણ રાજ્યકક્ષાના મંત્રી પદના શપથ લીધા હતા. પણ હવે તેમણે આ મંત્રી પદ છોડવાનું મન બનાવી લીધું છે. તેમણે આ મંત્રી પદ છોડતી વખતે કહ્યું છે કે , હું માત્ર મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ તરીકે કામ કરવા માંગુ છું . મેં કોઈને આ મંત્રી પદ માટે વિનંતી કરી જ નથી. અને થ્રિસુરના મતદારોને પણ કોઈ વાંધો નહીં આવે. રાજીનામાની વાત સામે આવતા સુરેશ ગોપીએ આ મામલે સ્પષ્ટતા કરી છે કે આ વાત ખોટી છે. તે રાજીનામું નથી આપી રહ્યા.. 




દક્ષિણના રાજ્યમાં ભાજપનો માઈલસ્ટોન

તેઓ જાણે છે કે હું સાંસદ તરીકે સારું કામ કરી શકીશ . સૌ પ્રથમ મારે મારી ફિલ્મો કોઈ પણ ભોગે પુરી કરવાની છે . એટલે હવે સુરેશ ગોપીની મંત્રી પદ છોડવાની સંભાવનાઓ વધી ગઈ છે.  વાત કરીએ સુરેશ ગોપીની તો તેઓ થ્રિસ્સુર લોકસભા પરથી ૭૪૦૦૦ ના માર્જીનથી જીતી ચુક્યા છે. દક્ષિણના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી માટે આ ખુબ મોટો milestone છે. કેમ કે ૧૭ મી લોકસભામાં BJP પાસે કેરળના મંત્રીઓ હતા તે બધા જ રાજ્યસભામાંથી આવતા હતા . 



રાજ્યસભાના સાંસદ તરીકે લીધા હતા શપથ

સુરેશ ગોપી 65 વર્ષના છે. તેઓ મલયાલમ ફિલ્મ industryના લોકપ્રિય અભિનેતા છે. તેઓ અત્યાર સુધીમાં 250 ફિલ્મો કરી ચુક્યા છે. એપ્રિલ 2016માં તેમણે રાજ્ય સભાના સદસ્ય તરીકે શપથ લીધા હતા . આ માટે તેમને રાષ્ટ્રપતિ દ્વારા કેટેગરી ઓફ એમીનેન્ટ personalititiesમાં નોમિનેટ કરવામાં આવ્યા હતા . આ પછી ઓક્ટોબર 2016માં સુરેશ ગોપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. તેઓ કેરાલાના મૂળ કોલમ જિલ્લાના છે . આ ઉપરાંત કેરળમાં ભાજપના સ્ટાર કેમપેઈનર છે . સુરેશ ગોપીએ ૨૦૧૯ લોકસભાની ચૂંટણીઓ આ થ્રિસુર પરથી લડ્યા હતા . પરંતુ તે વખતે તેઓ ત્રીજા નંબરે રહ્યા હતા અને આ બેઠક કોંગ્રેસના  TP પાર્થાપન જીત્યા હતા . ગોપી આ સાથે ભારતીય જનતા પાર્ટીનો વોટશેર વધારવામાં પણ ખુબ મહત્વનો ભાગ ભજવ્યો હતો .  




યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .

થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .