શું Suresh Gopi છોડી દેશે મંત્રી પદ? જાણો કેમ નથી રહેવા માંગતા મંત્રી તરીકે સુરેશ ગોપી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-10 15:40:02

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વારના પીએમ પદે શપથ લઈ લીધા છે . ત્યારે આ શપથ વિધિમાં તેમની સાથે કેરળના ભારતીય જનતા પાર્ટીના પ્રથમ સાંસદ સુરેશ ગોપીએ પણ મંત્રી પદે શપથ લીધા હતા.  ૨૪ કલાક જેટલો સમય પણ નથી વિત્યો અને તેમણે આ મંત્રી પદનો ત્યાગ કરવાની જાહેરાત કરી છે તેવી માહિતી સામે આવી છે... મહત્વનું છે કે રાજીનામું આપવાની વાત સામે આવતા સુરેશ ગોપીએ ટ્વિટ કરી છે જેમાં તેમણે આ વાતને ખોટી ગણાવી છે.. 

ગઈકાલે મંત્રી તરીકે લીધા શપથ અને આજે... 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત 72 સાંસદોએ શપથ લીધા છે. તેમાંથી 30 સાંસદ કેબિનેટ મિનિસ્ટર બન્યા . પાંચ સાંસદે સ્વતંત્ર પ્રભારના રાજ્યમંત્રીના શપથ લીધા. આ સાથે જ 36 સાંસદ રાજ્યકક્ષાના મંત્રી બન્યા. આ બધામાં કેરળ રાજ્યના થ્રિસુર લોકસભાના સાંસદ સુરેશ ગોપીએ પણ રાજ્યકક્ષાના મંત્રી પદના શપથ લીધા હતા. પણ હવે તેમણે આ મંત્રી પદ છોડવાનું મન બનાવી લીધું છે. તેમણે આ મંત્રી પદ છોડતી વખતે કહ્યું છે કે , હું માત્ર મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ તરીકે કામ કરવા માંગુ છું . મેં કોઈને આ મંત્રી પદ માટે વિનંતી કરી જ નથી. અને થ્રિસુરના મતદારોને પણ કોઈ વાંધો નહીં આવે. રાજીનામાની વાત સામે આવતા સુરેશ ગોપીએ આ મામલે સ્પષ્ટતા કરી છે કે આ વાત ખોટી છે. તે રાજીનામું નથી આપી રહ્યા.. 




દક્ષિણના રાજ્યમાં ભાજપનો માઈલસ્ટોન

તેઓ જાણે છે કે હું સાંસદ તરીકે સારું કામ કરી શકીશ . સૌ પ્રથમ મારે મારી ફિલ્મો કોઈ પણ ભોગે પુરી કરવાની છે . એટલે હવે સુરેશ ગોપીની મંત્રી પદ છોડવાની સંભાવનાઓ વધી ગઈ છે.  વાત કરીએ સુરેશ ગોપીની તો તેઓ થ્રિસ્સુર લોકસભા પરથી ૭૪૦૦૦ ના માર્જીનથી જીતી ચુક્યા છે. દક્ષિણના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી માટે આ ખુબ મોટો milestone છે. કેમ કે ૧૭ મી લોકસભામાં BJP પાસે કેરળના મંત્રીઓ હતા તે બધા જ રાજ્યસભામાંથી આવતા હતા . 



રાજ્યસભાના સાંસદ તરીકે લીધા હતા શપથ

સુરેશ ગોપી 65 વર્ષના છે. તેઓ મલયાલમ ફિલ્મ industryના લોકપ્રિય અભિનેતા છે. તેઓ અત્યાર સુધીમાં 250 ફિલ્મો કરી ચુક્યા છે. એપ્રિલ 2016માં તેમણે રાજ્ય સભાના સદસ્ય તરીકે શપથ લીધા હતા . આ માટે તેમને રાષ્ટ્રપતિ દ્વારા કેટેગરી ઓફ એમીનેન્ટ personalititiesમાં નોમિનેટ કરવામાં આવ્યા હતા . આ પછી ઓક્ટોબર 2016માં સુરેશ ગોપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. તેઓ કેરાલાના મૂળ કોલમ જિલ્લાના છે . આ ઉપરાંત કેરળમાં ભાજપના સ્ટાર કેમપેઈનર છે . સુરેશ ગોપીએ ૨૦૧૯ લોકસભાની ચૂંટણીઓ આ થ્રિસુર પરથી લડ્યા હતા . પરંતુ તે વખતે તેઓ ત્રીજા નંબરે રહ્યા હતા અને આ બેઠક કોંગ્રેસના  TP પાર્થાપન જીત્યા હતા . ગોપી આ સાથે ભારતીય જનતા પાર્ટીનો વોટશેર વધારવામાં પણ ખુબ મહત્વનો ભાગ ભજવ્યો હતો .  




આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....