ફરી ઉઠશે INDIA Vs BHARATનો મુદ્દો? G-20માં પીએમ મોદીના ટેબલ પર INDIAની જગ્યાએ લખાયું BHARAT, શું રાજનીતિ ગરમાશે?


  • Published By :
  • Published Date : 2023-09-09 12:42:06

એક તરફ દેશને કયા નામથી બોલાવવામાં આવે તેને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. BHARAT અને INDIAને લઈ ઘમાસાણ ચાલી રહ્યું છે. જી-20ને લઈ રાષ્ટ્રપતિ ભવન ખાતેથી આપવામાં આવેલા આમંત્રણ પત્ર પર પ્રેસિડન્ટ ઓફ ભારત લખવામાં આવતા આ મુદ્દો ગરમાયો હતો. દેશનું નામ બદલવામાં આવશે તેવી વાતોએ જોર પકડ્યું છે. રાજનીતિ ગરમાઈ રહ્યું છે.   


પીએમ મોદીની સીટ આગળ લખવામાં આવ્યું છે ભારત 

પરંતુ આ મામલે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે દેશનું નામ નહીં બદલવામાં આવે, આવી ચર્ચાઓ કરવાનો કોઈ મતલબ નથી પરંતુ આજે ફરીથી આ મુદ્દો ઉઠ્યો છે કારણ કે જી-20 સમિટથી એક તસવીર સામે આવી છે જેને લઈ નામને લઈ ચર્ચા ઉઠી છે. જે તસવીર સામે આવી છે તેમાં પીએમ જે જગ્યા પર બેઠા છે તેની આગળ ભારત લખવામાં આવ્યું છે. પીએમ મોદીની સીટ આગળ એક પ્લેટ મૂકવામાં આવી છે જેમાં ભારત લખવામાં આવ્યું છે.   


રાહુલ ગાંધીએ ઉઠાવ્યો હતો નામનો મુદ્દો 

મહત્વનું છે કે હાલ દેશમાં ભારત અને ઈન્ડિયાને લઈ ચર્ચાઓ થઈ રહી છે. વિપક્ષનો એવા દાવો છે કે ઈન્ડિયા અયાન્સને કારણે સરકાર ડરી ગઈ છે. એટલે દેશનું નામ બદલવાનો પ્રયાસ કરી રહી છે. ગઈકાલે રાહુલ ગાંધીએ પણ આ મામલે પોતાના સંબોધનમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો. આમંત્રણ પત્રિકા જેમાં પ્રેસિડન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું છે તે સામે આવતા અલગ અલગ નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી. 


ભારત લખાતા જયરામ રમેશે આપી હતી પ્રતિક્રિયા 

કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ મુદ્દે આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે તો શું આ સમાચાર સત્ય છે રાષ્ટ્રપતિ ભવને 9 સપ્ટેમ્બરના રોજ જી20 ડિનર માટે સામાન્ય રીતે 'President of India' ની જગ્યાએ  'President of Bharat'ના નામ પર આમંત્રણ મોકલ્યું છે. હવે બંધારણમાં અનુચ્છેદ 1 માં વાંચવામાં આવશે, જે India હતું. રાજ્યોનો એક સંઘ હશે. પરંતું હવે આ રાજ્યોના સંઘ પર પણ હુમલો થઈ રહ્યો છે. તે સિવાય અરવિંદ કેજરીવાલે પણ પ્રતિક્રિયા આપી હતી. ત્યારે જોવું રહ્યું કે આ મામલે આગળ શું રાજનીતિ ગરમાય છે.  



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.