ફરી ઉઠશે INDIA Vs BHARATનો મુદ્દો? G-20માં પીએમ મોદીના ટેબલ પર INDIAની જગ્યાએ લખાયું BHARAT, શું રાજનીતિ ગરમાશે?


  • Published By :
  • Published Date : 2023-09-09 12:42:06

એક તરફ દેશને કયા નામથી બોલાવવામાં આવે તેને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. BHARAT અને INDIAને લઈ ઘમાસાણ ચાલી રહ્યું છે. જી-20ને લઈ રાષ્ટ્રપતિ ભવન ખાતેથી આપવામાં આવેલા આમંત્રણ પત્ર પર પ્રેસિડન્ટ ઓફ ભારત લખવામાં આવતા આ મુદ્દો ગરમાયો હતો. દેશનું નામ બદલવામાં આવશે તેવી વાતોએ જોર પકડ્યું છે. રાજનીતિ ગરમાઈ રહ્યું છે.   


પીએમ મોદીની સીટ આગળ લખવામાં આવ્યું છે ભારત 

પરંતુ આ મામલે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે દેશનું નામ નહીં બદલવામાં આવે, આવી ચર્ચાઓ કરવાનો કોઈ મતલબ નથી પરંતુ આજે ફરીથી આ મુદ્દો ઉઠ્યો છે કારણ કે જી-20 સમિટથી એક તસવીર સામે આવી છે જેને લઈ નામને લઈ ચર્ચા ઉઠી છે. જે તસવીર સામે આવી છે તેમાં પીએમ જે જગ્યા પર બેઠા છે તેની આગળ ભારત લખવામાં આવ્યું છે. પીએમ મોદીની સીટ આગળ એક પ્લેટ મૂકવામાં આવી છે જેમાં ભારત લખવામાં આવ્યું છે.   


રાહુલ ગાંધીએ ઉઠાવ્યો હતો નામનો મુદ્દો 

મહત્વનું છે કે હાલ દેશમાં ભારત અને ઈન્ડિયાને લઈ ચર્ચાઓ થઈ રહી છે. વિપક્ષનો એવા દાવો છે કે ઈન્ડિયા અયાન્સને કારણે સરકાર ડરી ગઈ છે. એટલે દેશનું નામ બદલવાનો પ્રયાસ કરી રહી છે. ગઈકાલે રાહુલ ગાંધીએ પણ આ મામલે પોતાના સંબોધનમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો. આમંત્રણ પત્રિકા જેમાં પ્રેસિડન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું છે તે સામે આવતા અલગ અલગ નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી. 


ભારત લખાતા જયરામ રમેશે આપી હતી પ્રતિક્રિયા 

કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ મુદ્દે આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે તો શું આ સમાચાર સત્ય છે રાષ્ટ્રપતિ ભવને 9 સપ્ટેમ્બરના રોજ જી20 ડિનર માટે સામાન્ય રીતે 'President of India' ની જગ્યાએ  'President of Bharat'ના નામ પર આમંત્રણ મોકલ્યું છે. હવે બંધારણમાં અનુચ્છેદ 1 માં વાંચવામાં આવશે, જે India હતું. રાજ્યોનો એક સંઘ હશે. પરંતું હવે આ રાજ્યોના સંઘ પર પણ હુમલો થઈ રહ્યો છે. તે સિવાય અરવિંદ કેજરીવાલે પણ પ્રતિક્રિયા આપી હતી. ત્યારે જોવું રહ્યું કે આ મામલે આગળ શું રાજનીતિ ગરમાય છે.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .