ફરી ઉઠશે INDIA Vs BHARATનો મુદ્દો? G-20માં પીએમ મોદીના ટેબલ પર INDIAની જગ્યાએ લખાયું BHARAT, શું રાજનીતિ ગરમાશે?


  • Published By :
  • Published Date : 2023-09-09 12:42:06

એક તરફ દેશને કયા નામથી બોલાવવામાં આવે તેને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. BHARAT અને INDIAને લઈ ઘમાસાણ ચાલી રહ્યું છે. જી-20ને લઈ રાષ્ટ્રપતિ ભવન ખાતેથી આપવામાં આવેલા આમંત્રણ પત્ર પર પ્રેસિડન્ટ ઓફ ભારત લખવામાં આવતા આ મુદ્દો ગરમાયો હતો. દેશનું નામ બદલવામાં આવશે તેવી વાતોએ જોર પકડ્યું છે. રાજનીતિ ગરમાઈ રહ્યું છે.   


પીએમ મોદીની સીટ આગળ લખવામાં આવ્યું છે ભારત 

પરંતુ આ મામલે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે દેશનું નામ નહીં બદલવામાં આવે, આવી ચર્ચાઓ કરવાનો કોઈ મતલબ નથી પરંતુ આજે ફરીથી આ મુદ્દો ઉઠ્યો છે કારણ કે જી-20 સમિટથી એક તસવીર સામે આવી છે જેને લઈ નામને લઈ ચર્ચા ઉઠી છે. જે તસવીર સામે આવી છે તેમાં પીએમ જે જગ્યા પર બેઠા છે તેની આગળ ભારત લખવામાં આવ્યું છે. પીએમ મોદીની સીટ આગળ એક પ્લેટ મૂકવામાં આવી છે જેમાં ભારત લખવામાં આવ્યું છે.   


રાહુલ ગાંધીએ ઉઠાવ્યો હતો નામનો મુદ્દો 

મહત્વનું છે કે હાલ દેશમાં ભારત અને ઈન્ડિયાને લઈ ચર્ચાઓ થઈ રહી છે. વિપક્ષનો એવા દાવો છે કે ઈન્ડિયા અયાન્સને કારણે સરકાર ડરી ગઈ છે. એટલે દેશનું નામ બદલવાનો પ્રયાસ કરી રહી છે. ગઈકાલે રાહુલ ગાંધીએ પણ આ મામલે પોતાના સંબોધનમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો. આમંત્રણ પત્રિકા જેમાં પ્રેસિડન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું છે તે સામે આવતા અલગ અલગ નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી. 


ભારત લખાતા જયરામ રમેશે આપી હતી પ્રતિક્રિયા 

કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ મુદ્દે આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે તો શું આ સમાચાર સત્ય છે રાષ્ટ્રપતિ ભવને 9 સપ્ટેમ્બરના રોજ જી20 ડિનર માટે સામાન્ય રીતે 'President of India' ની જગ્યાએ  'President of Bharat'ના નામ પર આમંત્રણ મોકલ્યું છે. હવે બંધારણમાં અનુચ્છેદ 1 માં વાંચવામાં આવશે, જે India હતું. રાજ્યોનો એક સંઘ હશે. પરંતું હવે આ રાજ્યોના સંઘ પર પણ હુમલો થઈ રહ્યો છે. તે સિવાય અરવિંદ કેજરીવાલે પણ પ્રતિક્રિયા આપી હતી. ત્યારે જોવું રહ્યું કે આ મામલે આગળ શું રાજનીતિ ગરમાય છે.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.