માતરનો નવો ચહેરો ટોપી પહેરશે કે પહેરાવશે ?


  • Published By :
  • Published Date : 2022-11-12 17:11:18

ગુજરાતમાં ચુંટણીનો માહોલ જામ્યો છે અને રિસામણા મનામણાંની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. રાજકીય પક્ષો એક બાદ એક પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહ્યા છે જેમાં આમઆદમી પાર્ટીએ ઉમેદવારોની 15 મી યાદી જાહેર કરી છે જેમાં આમઆદમી પાર્ટીએ ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં સિદ્ધપુર બેઠક પરથી મહેન્દ્ર રાજપૂત, માતરમાં લાલજી પરમાર અને ઉધનામાં મહેન્દ્ર પાટિલનું નામ જાહેર કરવામાં આવ્યું છે

 

માતરમાં નેતાઓનો ખેલ

માતર વિધાનસભા બેઠક પર જેમ મજાક ચાલી રહ્યું હોય તેમ આમ આદમી પાર્ટીના ચહેરાઓ બદલાઈ રહ્યા છે પહેલા મહિપતસિહ ચૌહાણને ઉમેદવાર બનાવ્યા પછી ભાજપમાંથી રિસાઇને આપમાં આવેલા કેસરિસિહને ઉમેદવાર બન્યા પછી કેસરી સિહે યુ ટર્ન લીધો અને ભાજપમાં જોડાઈ ગયા હવે ફરી આમઆદમી પાર્ટી આજે એક નવો ચહેરો લઈને પોતાની યાદી જાહેર કરે છે જેમાં માતર વિધાનસભા બેઠક પર લાલજી પરમારનું નામ જાહેર કર્યું છે. ગુજરાત વિધાનસભા ચુંટણીમાં રસાકસીનો માહોલ જામ્યો છે જેની વચ્ચે માતર વિધાનસભા બેઠક ચર્ચામાં આવી છે અહિયાં રાજકીય સમીકરણો બદલાતા જોવા મળી રહ્યા છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.