માતરનો નવો ચહેરો ટોપી પહેરશે કે પહેરાવશે ?


  • Published By :
  • Published Date : 2022-11-12 17:11:18

ગુજરાતમાં ચુંટણીનો માહોલ જામ્યો છે અને રિસામણા મનામણાંની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. રાજકીય પક્ષો એક બાદ એક પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહ્યા છે જેમાં આમઆદમી પાર્ટીએ ઉમેદવારોની 15 મી યાદી જાહેર કરી છે જેમાં આમઆદમી પાર્ટીએ ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં સિદ્ધપુર બેઠક પરથી મહેન્દ્ર રાજપૂત, માતરમાં લાલજી પરમાર અને ઉધનામાં મહેન્દ્ર પાટિલનું નામ જાહેર કરવામાં આવ્યું છે

 

માતરમાં નેતાઓનો ખેલ

માતર વિધાનસભા બેઠક પર જેમ મજાક ચાલી રહ્યું હોય તેમ આમ આદમી પાર્ટીના ચહેરાઓ બદલાઈ રહ્યા છે પહેલા મહિપતસિહ ચૌહાણને ઉમેદવાર બનાવ્યા પછી ભાજપમાંથી રિસાઇને આપમાં આવેલા કેસરિસિહને ઉમેદવાર બન્યા પછી કેસરી સિહે યુ ટર્ન લીધો અને ભાજપમાં જોડાઈ ગયા હવે ફરી આમઆદમી પાર્ટી આજે એક નવો ચહેરો લઈને પોતાની યાદી જાહેર કરે છે જેમાં માતર વિધાનસભા બેઠક પર લાલજી પરમારનું નામ જાહેર કર્યું છે. ગુજરાત વિધાનસભા ચુંટણીમાં રસાકસીનો માહોલ જામ્યો છે જેની વચ્ચે માતર વિધાનસભા બેઠક ચર્ચામાં આવી છે અહિયાં રાજકીય સમીકરણો બદલાતા જોવા મળી રહ્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે