માતરનો નવો ચહેરો ટોપી પહેરશે કે પહેરાવશે ?


  • Published By :
  • Published Date : 2022-11-12 17:11:18

ગુજરાતમાં ચુંટણીનો માહોલ જામ્યો છે અને રિસામણા મનામણાંની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. રાજકીય પક્ષો એક બાદ એક પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહ્યા છે જેમાં આમઆદમી પાર્ટીએ ઉમેદવારોની 15 મી યાદી જાહેર કરી છે જેમાં આમઆદમી પાર્ટીએ ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં સિદ્ધપુર બેઠક પરથી મહેન્દ્ર રાજપૂત, માતરમાં લાલજી પરમાર અને ઉધનામાં મહેન્દ્ર પાટિલનું નામ જાહેર કરવામાં આવ્યું છે

 

માતરમાં નેતાઓનો ખેલ

માતર વિધાનસભા બેઠક પર જેમ મજાક ચાલી રહ્યું હોય તેમ આમ આદમી પાર્ટીના ચહેરાઓ બદલાઈ રહ્યા છે પહેલા મહિપતસિહ ચૌહાણને ઉમેદવાર બનાવ્યા પછી ભાજપમાંથી રિસાઇને આપમાં આવેલા કેસરિસિહને ઉમેદવાર બન્યા પછી કેસરી સિહે યુ ટર્ન લીધો અને ભાજપમાં જોડાઈ ગયા હવે ફરી આમઆદમી પાર્ટી આજે એક નવો ચહેરો લઈને પોતાની યાદી જાહેર કરે છે જેમાં માતર વિધાનસભા બેઠક પર લાલજી પરમારનું નામ જાહેર કર્યું છે. ગુજરાત વિધાનસભા ચુંટણીમાં રસાકસીનો માહોલ જામ્યો છે જેની વચ્ચે માતર વિધાનસભા બેઠક ચર્ચામાં આવી છે અહિયાં રાજકીય સમીકરણો બદલાતા જોવા મળી રહ્યા છે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"