માતરનો નવો ચહેરો ટોપી પહેરશે કે પહેરાવશે ?


  • Published By :
  • Published Date : 2022-11-12 17:11:18

ગુજરાતમાં ચુંટણીનો માહોલ જામ્યો છે અને રિસામણા મનામણાંની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. રાજકીય પક્ષો એક બાદ એક પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહ્યા છે જેમાં આમઆદમી પાર્ટીએ ઉમેદવારોની 15 મી યાદી જાહેર કરી છે જેમાં આમઆદમી પાર્ટીએ ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં સિદ્ધપુર બેઠક પરથી મહેન્દ્ર રાજપૂત, માતરમાં લાલજી પરમાર અને ઉધનામાં મહેન્દ્ર પાટિલનું નામ જાહેર કરવામાં આવ્યું છે

 

માતરમાં નેતાઓનો ખેલ

માતર વિધાનસભા બેઠક પર જેમ મજાક ચાલી રહ્યું હોય તેમ આમ આદમી પાર્ટીના ચહેરાઓ બદલાઈ રહ્યા છે પહેલા મહિપતસિહ ચૌહાણને ઉમેદવાર બનાવ્યા પછી ભાજપમાંથી રિસાઇને આપમાં આવેલા કેસરિસિહને ઉમેદવાર બન્યા પછી કેસરી સિહે યુ ટર્ન લીધો અને ભાજપમાં જોડાઈ ગયા હવે ફરી આમઆદમી પાર્ટી આજે એક નવો ચહેરો લઈને પોતાની યાદી જાહેર કરે છે જેમાં માતર વિધાનસભા બેઠક પર લાલજી પરમારનું નામ જાહેર કર્યું છે. ગુજરાત વિધાનસભા ચુંટણીમાં રસાકસીનો માહોલ જામ્યો છે જેની વચ્ચે માતર વિધાનસભા બેઠક ચર્ચામાં આવી છે અહિયાં રાજકીય સમીકરણો બદલાતા જોવા મળી રહ્યા છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.