આજે મેચને વરસાદનું વિઘ્ન નડશે કે નહીં?,અંબાલાલ કાકાએ આગાહી કરી કે વિધિવત રીતે કઈ તારીખથી ચોમાસું શરૂ થશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2023-05-29 17:53:21

હાલ રાજ્યમાં જેવુ વાતાવરણ છે તે જોઈને ખબર નથી પડતી કે ઉનાળો છે કે ચોમાસું ગઈ કાલે અમદાવાદમાં ભારે કરા સાથે વરસાદ પડ્યો અને તેના કારણએ IPL ફાઇનલ રદ થઈ લોકોને ખેડૂતોના પાકને કેટલું નુકશાન થયું તેના કરતાં પણ વધારે ફાઇનલ ન જોવા મળી તેનું દુખ હતું પણ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL ફાઇનલ રમાવાની છે પણ આજે પણ મેઘરાજ વિધ્ન ઊભું કરશે કે નહીં તે અંબાલાલ કાકાએ કહી દીધું છે. 



IPL જોવા જાવતો  રેઈનકોટ પહેરી જજો 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલએ આગાહી કરી છે આજે એટલે 29 મેના દિવસે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે ગઈ કાલે ભારે વરસાદના કારણએ મેચ રદ કરવી પડી હતી તો આજે પણ વરસાદ વિઘ્ન બની શકે છે માત્ર આજે જ નહીં પણ કાલે એટલે 30મેએ પણ વરસાદ પડવાની સંભાવના છે અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, વેસ્ટર્સ ડિસ્ટર્બન્સના કારણે આ વરસાદ થઈ રહ્યો છે.




28 મેથી 4 જૂન સુધી વરસાદ રહેશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ઘણા ભાગમાં ચક્રવાતની અસર થઈ શકે છે. 28 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે. અરબ સાગરમાં મધ્ય પ્રકારનું ચક્રવાત સર્જાશે. ચક્રવાતને કારણે ગુજરાતના ઘણા વિસ્તારમાં વરસાદ થઈ શકે છે. અંબાલાલ પટેલ અનુસાર, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ફરી માવઠું થઈ શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં માવઠું થઈ શકે છે.અને પછી 4 જૂન પછી થોડો સમય વરસાદનું ચક્ર શાંત રહેશે  ત્યાર બાદ ચોમાસાની શરૂવાત થશે. 

પશ્ચિમ તરફથી જેટ સ્ટ્રીમ ભારતમાં કેવી રીતે આગળ વધે છે, તે આ નકશાની મદદથી સમજી શકાય છે. (તસવીર સૌજન્ય-ભારતીય હવામાન વિભાગ)


ચોમાસું કેમ વહેલું આવશે?

ગુજરાતમાં ચોમાસા પહેલા વાવાઝોડું ત્રાટકશે. 4થી 7 જૂનની વચ્ચે ગુજરાતમાં વાવાઝોડુ આવવાની શક્યતા છે. રોહિણી નક્ષત્રને કારણે વાતાવરણે કરવટ બદલી છે, જેને કારણે આંધી અને દરિયામાં તોફાન આવશે.  રાજ્યમાં ચોમાસાને લઈને આગાહી કરતા જણાવ્યું કે, અંદમાન નિકોબરથી આજે ચોમાસું આગળ વધી શકે છે. તેમજ અંદામાનમાં સ્થિર થયેલું ચોમાસું પહેલી જૂને કેરળમાં પ્રવેશ કરી શકે છે.

નકશામાં દર્શાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રીતે ભારતના વાતાવરણને પ્રભાવિત કરે છે. (તસવીર સૌજન્ય-ભારતીય હવામાન વિભાગ)


લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે પણ કોંગ્રેસને હજુ ઘણી બધી બેઠક માટે યોગ્ય ઉમેદવાર નથી મળી રહ્યા આ બધાની વચ્ચે જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા સામે વિમલ ચુડાસમાના પત્નીને ઉતારવની વાત થઈ રહી છે.

જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ વિરૂદ્ધ મહાનગરપાલિકાના સિટી ઈજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સીટિ ઈજનેરને ધાક ધમકી આપવામાં આવી ઉપરાંત ખંડણીની માગ પણ કરવામાં આવી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

ભાજપમાં કકડાટ જોવા મળી રહ્યો છે ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ માટે ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ છેડાઈ ગયો છે. વિવાદ વધતા પરષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.

ભરૂચથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં આદિવાસી ભાષામાં કટાક્ષ કરવામાં આવ્યો છે. સાંસદ મનસુખ વસાવાને લઈ વાત કરવામાં આવી છે ગીતમાં... આ બેઠક પર ભાજપે મનસુખ વસાવાને જ્યારે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરી ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા છે.