આજે મેચને વરસાદનું વિઘ્ન નડશે કે નહીં?,અંબાલાલ કાકાએ આગાહી કરી કે વિધિવત રીતે કઈ તારીખથી ચોમાસું શરૂ થશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2023-05-29 17:53:21

હાલ રાજ્યમાં જેવુ વાતાવરણ છે તે જોઈને ખબર નથી પડતી કે ઉનાળો છે કે ચોમાસું ગઈ કાલે અમદાવાદમાં ભારે કરા સાથે વરસાદ પડ્યો અને તેના કારણએ IPL ફાઇનલ રદ થઈ લોકોને ખેડૂતોના પાકને કેટલું નુકશાન થયું તેના કરતાં પણ વધારે ફાઇનલ ન જોવા મળી તેનું દુખ હતું પણ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL ફાઇનલ રમાવાની છે પણ આજે પણ મેઘરાજ વિધ્ન ઊભું કરશે કે નહીં તે અંબાલાલ કાકાએ કહી દીધું છે. 



IPL જોવા જાવતો  રેઈનકોટ પહેરી જજો 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલએ આગાહી કરી છે આજે એટલે 29 મેના દિવસે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે ગઈ કાલે ભારે વરસાદના કારણએ મેચ રદ કરવી પડી હતી તો આજે પણ વરસાદ વિઘ્ન બની શકે છે માત્ર આજે જ નહીં પણ કાલે એટલે 30મેએ પણ વરસાદ પડવાની સંભાવના છે અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, વેસ્ટર્સ ડિસ્ટર્બન્સના કારણે આ વરસાદ થઈ રહ્યો છે.




28 મેથી 4 જૂન સુધી વરસાદ રહેશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ઘણા ભાગમાં ચક્રવાતની અસર થઈ શકે છે. 28 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે. અરબ સાગરમાં મધ્ય પ્રકારનું ચક્રવાત સર્જાશે. ચક્રવાતને કારણે ગુજરાતના ઘણા વિસ્તારમાં વરસાદ થઈ શકે છે. અંબાલાલ પટેલ અનુસાર, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ફરી માવઠું થઈ શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં માવઠું થઈ શકે છે.અને પછી 4 જૂન પછી થોડો સમય વરસાદનું ચક્ર શાંત રહેશે  ત્યાર બાદ ચોમાસાની શરૂવાત થશે. 

પશ્ચિમ તરફથી જેટ સ્ટ્રીમ ભારતમાં કેવી રીતે આગળ વધે છે, તે આ નકશાની મદદથી સમજી શકાય છે. (તસવીર સૌજન્ય-ભારતીય હવામાન વિભાગ)


ચોમાસું કેમ વહેલું આવશે?

ગુજરાતમાં ચોમાસા પહેલા વાવાઝોડું ત્રાટકશે. 4થી 7 જૂનની વચ્ચે ગુજરાતમાં વાવાઝોડુ આવવાની શક્યતા છે. રોહિણી નક્ષત્રને કારણે વાતાવરણે કરવટ બદલી છે, જેને કારણે આંધી અને દરિયામાં તોફાન આવશે.  રાજ્યમાં ચોમાસાને લઈને આગાહી કરતા જણાવ્યું કે, અંદમાન નિકોબરથી આજે ચોમાસું આગળ વધી શકે છે. તેમજ અંદામાનમાં સ્થિર થયેલું ચોમાસું પહેલી જૂને કેરળમાં પ્રવેશ કરી શકે છે.

નકશામાં દર્શાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રીતે ભારતના વાતાવરણને પ્રભાવિત કરે છે. (તસવીર સૌજન્ય-ભારતીય હવામાન વિભાગ)


પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.