આજે મેચને વરસાદનું વિઘ્ન નડશે કે નહીં?,અંબાલાલ કાકાએ આગાહી કરી કે વિધિવત રીતે કઈ તારીખથી ચોમાસું શરૂ થશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2023-05-29 17:53:21

હાલ રાજ્યમાં જેવુ વાતાવરણ છે તે જોઈને ખબર નથી પડતી કે ઉનાળો છે કે ચોમાસું ગઈ કાલે અમદાવાદમાં ભારે કરા સાથે વરસાદ પડ્યો અને તેના કારણએ IPL ફાઇનલ રદ થઈ લોકોને ખેડૂતોના પાકને કેટલું નુકશાન થયું તેના કરતાં પણ વધારે ફાઇનલ ન જોવા મળી તેનું દુખ હતું પણ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL ફાઇનલ રમાવાની છે પણ આજે પણ મેઘરાજ વિધ્ન ઊભું કરશે કે નહીં તે અંબાલાલ કાકાએ કહી દીધું છે. 



IPL જોવા જાવતો  રેઈનકોટ પહેરી જજો 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલએ આગાહી કરી છે આજે એટલે 29 મેના દિવસે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે ગઈ કાલે ભારે વરસાદના કારણએ મેચ રદ કરવી પડી હતી તો આજે પણ વરસાદ વિઘ્ન બની શકે છે માત્ર આજે જ નહીં પણ કાલે એટલે 30મેએ પણ વરસાદ પડવાની સંભાવના છે અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, વેસ્ટર્સ ડિસ્ટર્બન્સના કારણે આ વરસાદ થઈ રહ્યો છે.




28 મેથી 4 જૂન સુધી વરસાદ રહેશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ઘણા ભાગમાં ચક્રવાતની અસર થઈ શકે છે. 28 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે. અરબ સાગરમાં મધ્ય પ્રકારનું ચક્રવાત સર્જાશે. ચક્રવાતને કારણે ગુજરાતના ઘણા વિસ્તારમાં વરસાદ થઈ શકે છે. અંબાલાલ પટેલ અનુસાર, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ફરી માવઠું થઈ શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં માવઠું થઈ શકે છે.અને પછી 4 જૂન પછી થોડો સમય વરસાદનું ચક્ર શાંત રહેશે  ત્યાર બાદ ચોમાસાની શરૂવાત થશે. 

પશ્ચિમ તરફથી જેટ સ્ટ્રીમ ભારતમાં કેવી રીતે આગળ વધે છે, તે આ નકશાની મદદથી સમજી શકાય છે. (તસવીર સૌજન્ય-ભારતીય હવામાન વિભાગ)


ચોમાસું કેમ વહેલું આવશે?

ગુજરાતમાં ચોમાસા પહેલા વાવાઝોડું ત્રાટકશે. 4થી 7 જૂનની વચ્ચે ગુજરાતમાં વાવાઝોડુ આવવાની શક્યતા છે. રોહિણી નક્ષત્રને કારણે વાતાવરણે કરવટ બદલી છે, જેને કારણે આંધી અને દરિયામાં તોફાન આવશે.  રાજ્યમાં ચોમાસાને લઈને આગાહી કરતા જણાવ્યું કે, અંદમાન નિકોબરથી આજે ચોમાસું આગળ વધી શકે છે. તેમજ અંદામાનમાં સ્થિર થયેલું ચોમાસું પહેલી જૂને કેરળમાં પ્રવેશ કરી શકે છે.

નકશામાં દર્શાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રીતે ભારતના વાતાવરણને પ્રભાવિત કરે છે. (તસવીર સૌજન્ય-ભારતીય હવામાન વિભાગ)


ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.