આજે મેચને વરસાદનું વિઘ્ન નડશે કે નહીં?,અંબાલાલ કાકાએ આગાહી કરી કે વિધિવત રીતે કઈ તારીખથી ચોમાસું શરૂ થશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2023-05-29 17:53:21

હાલ રાજ્યમાં જેવુ વાતાવરણ છે તે જોઈને ખબર નથી પડતી કે ઉનાળો છે કે ચોમાસું ગઈ કાલે અમદાવાદમાં ભારે કરા સાથે વરસાદ પડ્યો અને તેના કારણએ IPL ફાઇનલ રદ થઈ લોકોને ખેડૂતોના પાકને કેટલું નુકશાન થયું તેના કરતાં પણ વધારે ફાઇનલ ન જોવા મળી તેનું દુખ હતું પણ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL ફાઇનલ રમાવાની છે પણ આજે પણ મેઘરાજ વિધ્ન ઊભું કરશે કે નહીં તે અંબાલાલ કાકાએ કહી દીધું છે. 



IPL જોવા જાવતો  રેઈનકોટ પહેરી જજો 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલએ આગાહી કરી છે આજે એટલે 29 મેના દિવસે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે ગઈ કાલે ભારે વરસાદના કારણએ મેચ રદ કરવી પડી હતી તો આજે પણ વરસાદ વિઘ્ન બની શકે છે માત્ર આજે જ નહીં પણ કાલે એટલે 30મેએ પણ વરસાદ પડવાની સંભાવના છે અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, વેસ્ટર્સ ડિસ્ટર્બન્સના કારણે આ વરસાદ થઈ રહ્યો છે.




28 મેથી 4 જૂન સુધી વરસાદ રહેશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ઘણા ભાગમાં ચક્રવાતની અસર થઈ શકે છે. 28 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે. અરબ સાગરમાં મધ્ય પ્રકારનું ચક્રવાત સર્જાશે. ચક્રવાતને કારણે ગુજરાતના ઘણા વિસ્તારમાં વરસાદ થઈ શકે છે. અંબાલાલ પટેલ અનુસાર, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ફરી માવઠું થઈ શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં માવઠું થઈ શકે છે.અને પછી 4 જૂન પછી થોડો સમય વરસાદનું ચક્ર શાંત રહેશે  ત્યાર બાદ ચોમાસાની શરૂવાત થશે. 

પશ્ચિમ તરફથી જેટ સ્ટ્રીમ ભારતમાં કેવી રીતે આગળ વધે છે, તે આ નકશાની મદદથી સમજી શકાય છે. (તસવીર સૌજન્ય-ભારતીય હવામાન વિભાગ)


ચોમાસું કેમ વહેલું આવશે?

ગુજરાતમાં ચોમાસા પહેલા વાવાઝોડું ત્રાટકશે. 4થી 7 જૂનની વચ્ચે ગુજરાતમાં વાવાઝોડુ આવવાની શક્યતા છે. રોહિણી નક્ષત્રને કારણે વાતાવરણે કરવટ બદલી છે, જેને કારણે આંધી અને દરિયામાં તોફાન આવશે.  રાજ્યમાં ચોમાસાને લઈને આગાહી કરતા જણાવ્યું કે, અંદમાન નિકોબરથી આજે ચોમાસું આગળ વધી શકે છે. તેમજ અંદામાનમાં સ્થિર થયેલું ચોમાસું પહેલી જૂને કેરળમાં પ્રવેશ કરી શકે છે.

નકશામાં દર્શાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રીતે ભારતના વાતાવરણને પ્રભાવિત કરે છે. (તસવીર સૌજન્ય-ભારતીય હવામાન વિભાગ)


રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .