જ્ઞાનવાપી મસ્જિદનું સત્ય સામે આવશે? ASI સર્વેની રિપોર્ટ થશે જાહેર, હિંદુ પક્ષની માગ પર કોર્ટે કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2024-01-25 14:49:02

ઉત્તર પ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી પરિસરમાં કરવામાં આવેલા ASI સર્વેની રિપોર્ટ થોડા સમયમાં જ જાહેર થઈ શકે છે. બુધવારે જિલ્લા જજે આદેશ આપ્યો છે કે ASI સર્વેની રિપોર્ટ હિંદુ અને મુસ્લિમ પક્ષને આપવામાં આવશે. ASIએ 18 ડિસેમ્બરે સીલ બંધ કવરમાં આપવામાં આવેલી રિપોર્ટ કોર્ટમાં રજુ કરવામાં આવી હતી. હિંદુ પક્ષ દ્વારા તે સમયે જ કોર્ટમાંથી સર્વે રિપોર્ટ આપવામાંની માગ કરવામાં આવી હતી. જો કે મુસ્લિમ પક્ષે આ અંગે વાંધો દર્શાવ્યો હતો. ASIએ પણ 4 સપ્તાહ સુધી રિપોર્ટને જાહેર કરવાનો આગ્રહ કર્યો હતો. 


શું કહ્યું હિંદુ પક્ષના વકીલે?


કોર્ટે ASI સર્વેનો રિપોર્ટ જાહેર કરવાનો આદેશ આપ્યો ત્યાર બાદ હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે એક વખત તેમને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના રિપોર્ટની કોપી મળી ગયા બાદ તે તેનો અભ્યાસ કરશે. તેમણે કહ્યું કે જિલ્લા અદાલતનો આદેશ મળી ગયો છે, બંને પક્ષોની અરજીને સ્વિકારી લેવામાં આવી છે. બંને પક્ષ પ્રમાણિત કોપી માટે અરજી કરી શકે છે. ત્યાર બાદ તે કોપીઓ તેમને સોંપી દેવામાં આવશે. જૈને વઘુમાં જણાવ્યું કે આદેશ સાથે કોઈ શરત રાખવામાં આવી નથી. કોર્ટના હુકમ તે સ્પષ્ટ કર્યું છે કે બંને પક્ષોને કોઈ પણ પ્રકારની શરત વગર જ ઓરીજનલ કોપીઓ માટે અરજી કરવી જોઈએ. તેમણે કહ્યું કે જો કોઈ વાંધો રજુ કરવાની જરૂર પડે તો અમે કોર્ટમાં તે નોંધાવીશું. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.