જ્ઞાનવાપી મસ્જિદનું સત્ય સામે આવશે? ASI સર્વેની રિપોર્ટ થશે જાહેર, હિંદુ પક્ષની માગ પર કોર્ટે કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2024-01-25 14:49:02

ઉત્તર પ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી પરિસરમાં કરવામાં આવેલા ASI સર્વેની રિપોર્ટ થોડા સમયમાં જ જાહેર થઈ શકે છે. બુધવારે જિલ્લા જજે આદેશ આપ્યો છે કે ASI સર્વેની રિપોર્ટ હિંદુ અને મુસ્લિમ પક્ષને આપવામાં આવશે. ASIએ 18 ડિસેમ્બરે સીલ બંધ કવરમાં આપવામાં આવેલી રિપોર્ટ કોર્ટમાં રજુ કરવામાં આવી હતી. હિંદુ પક્ષ દ્વારા તે સમયે જ કોર્ટમાંથી સર્વે રિપોર્ટ આપવામાંની માગ કરવામાં આવી હતી. જો કે મુસ્લિમ પક્ષે આ અંગે વાંધો દર્શાવ્યો હતો. ASIએ પણ 4 સપ્તાહ સુધી રિપોર્ટને જાહેર કરવાનો આગ્રહ કર્યો હતો. 


શું કહ્યું હિંદુ પક્ષના વકીલે?


કોર્ટે ASI સર્વેનો રિપોર્ટ જાહેર કરવાનો આદેશ આપ્યો ત્યાર બાદ હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે એક વખત તેમને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના રિપોર્ટની કોપી મળી ગયા બાદ તે તેનો અભ્યાસ કરશે. તેમણે કહ્યું કે જિલ્લા અદાલતનો આદેશ મળી ગયો છે, બંને પક્ષોની અરજીને સ્વિકારી લેવામાં આવી છે. બંને પક્ષ પ્રમાણિત કોપી માટે અરજી કરી શકે છે. ત્યાર બાદ તે કોપીઓ તેમને સોંપી દેવામાં આવશે. જૈને વઘુમાં જણાવ્યું કે આદેશ સાથે કોઈ શરત રાખવામાં આવી નથી. કોર્ટના હુકમ તે સ્પષ્ટ કર્યું છે કે બંને પક્ષોને કોઈ પણ પ્રકારની શરત વગર જ ઓરીજનલ કોપીઓ માટે અરજી કરવી જોઈએ. તેમણે કહ્યું કે જો કોઈ વાંધો રજુ કરવાની જરૂર પડે તો અમે કોર્ટમાં તે નોંધાવીશું. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.