જ્ઞાનવાપી મસ્જિદનું સત્ય સામે આવશે? ASI સર્વેની રિપોર્ટ થશે જાહેર, હિંદુ પક્ષની માગ પર કોર્ટે કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2024-01-25 14:49:02

ઉત્તર પ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી પરિસરમાં કરવામાં આવેલા ASI સર્વેની રિપોર્ટ થોડા સમયમાં જ જાહેર થઈ શકે છે. બુધવારે જિલ્લા જજે આદેશ આપ્યો છે કે ASI સર્વેની રિપોર્ટ હિંદુ અને મુસ્લિમ પક્ષને આપવામાં આવશે. ASIએ 18 ડિસેમ્બરે સીલ બંધ કવરમાં આપવામાં આવેલી રિપોર્ટ કોર્ટમાં રજુ કરવામાં આવી હતી. હિંદુ પક્ષ દ્વારા તે સમયે જ કોર્ટમાંથી સર્વે રિપોર્ટ આપવામાંની માગ કરવામાં આવી હતી. જો કે મુસ્લિમ પક્ષે આ અંગે વાંધો દર્શાવ્યો હતો. ASIએ પણ 4 સપ્તાહ સુધી રિપોર્ટને જાહેર કરવાનો આગ્રહ કર્યો હતો. 


શું કહ્યું હિંદુ પક્ષના વકીલે?


કોર્ટે ASI સર્વેનો રિપોર્ટ જાહેર કરવાનો આદેશ આપ્યો ત્યાર બાદ હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે એક વખત તેમને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના રિપોર્ટની કોપી મળી ગયા બાદ તે તેનો અભ્યાસ કરશે. તેમણે કહ્યું કે જિલ્લા અદાલતનો આદેશ મળી ગયો છે, બંને પક્ષોની અરજીને સ્વિકારી લેવામાં આવી છે. બંને પક્ષ પ્રમાણિત કોપી માટે અરજી કરી શકે છે. ત્યાર બાદ તે કોપીઓ તેમને સોંપી દેવામાં આવશે. જૈને વઘુમાં જણાવ્યું કે આદેશ સાથે કોઈ શરત રાખવામાં આવી નથી. કોર્ટના હુકમ તે સ્પષ્ટ કર્યું છે કે બંને પક્ષોને કોઈ પણ પ્રકારની શરત વગર જ ઓરીજનલ કોપીઓ માટે અરજી કરવી જોઈએ. તેમણે કહ્યું કે જો કોઈ વાંધો રજુ કરવાની જરૂર પડે તો અમે કોર્ટમાં તે નોંધાવીશું. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે