જ્ઞાનવાપી મસ્જિદનું સત્ય સામે આવશે? ASI સર્વેની રિપોર્ટ થશે જાહેર, હિંદુ પક્ષની માગ પર કોર્ટે કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2024-01-25 14:49:02

ઉત્તર પ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી પરિસરમાં કરવામાં આવેલા ASI સર્વેની રિપોર્ટ થોડા સમયમાં જ જાહેર થઈ શકે છે. બુધવારે જિલ્લા જજે આદેશ આપ્યો છે કે ASI સર્વેની રિપોર્ટ હિંદુ અને મુસ્લિમ પક્ષને આપવામાં આવશે. ASIએ 18 ડિસેમ્બરે સીલ બંધ કવરમાં આપવામાં આવેલી રિપોર્ટ કોર્ટમાં રજુ કરવામાં આવી હતી. હિંદુ પક્ષ દ્વારા તે સમયે જ કોર્ટમાંથી સર્વે રિપોર્ટ આપવામાંની માગ કરવામાં આવી હતી. જો કે મુસ્લિમ પક્ષે આ અંગે વાંધો દર્શાવ્યો હતો. ASIએ પણ 4 સપ્તાહ સુધી રિપોર્ટને જાહેર કરવાનો આગ્રહ કર્યો હતો. 


શું કહ્યું હિંદુ પક્ષના વકીલે?


કોર્ટે ASI સર્વેનો રિપોર્ટ જાહેર કરવાનો આદેશ આપ્યો ત્યાર બાદ હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે એક વખત તેમને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના રિપોર્ટની કોપી મળી ગયા બાદ તે તેનો અભ્યાસ કરશે. તેમણે કહ્યું કે જિલ્લા અદાલતનો આદેશ મળી ગયો છે, બંને પક્ષોની અરજીને સ્વિકારી લેવામાં આવી છે. બંને પક્ષ પ્રમાણિત કોપી માટે અરજી કરી શકે છે. ત્યાર બાદ તે કોપીઓ તેમને સોંપી દેવામાં આવશે. જૈને વઘુમાં જણાવ્યું કે આદેશ સાથે કોઈ શરત રાખવામાં આવી નથી. કોર્ટના હુકમ તે સ્પષ્ટ કર્યું છે કે બંને પક્ષોને કોઈ પણ પ્રકારની શરત વગર જ ઓરીજનલ કોપીઓ માટે અરજી કરવી જોઈએ. તેમણે કહ્યું કે જો કોઈ વાંધો રજુ કરવાની જરૂર પડે તો અમે કોર્ટમાં તે નોંધાવીશું. 



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.