ચોમાસાના આગમન સાથે જ વધ્યા લીલા શાકભાજીના ભાવ, ટામેટાની સાથે સાથે આ શાકોના ભાવમાં આવ્યો ઉછાળો!


  • Published By :
  • Published Date : 2023-07-04 19:05:54

ચોમાસાની સિઝન આવતાની સાથે જ ટામેટાના ભાવમાં એકાએક વધારો જોવા મળી રહ્યો છે. જે ટામેટા થોડા દિવસો પહેલા 20થી 30 રુપિયે કિલોના ભાવે વેચાતા હતા તે હવે 100-150 રુપિયે કિલો વેચાઈ રહ્યા છે. ટામેટાના ભાવ વધારાથી ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. ભાવ વધારા થવાના અનેક કારણો છે, જેમ કે ટામેટાનું ઉત્પાદન ઓછા પ્રમાણમાં થયું છે. એક સમયે ટામેટાના ભાવ ન મળવાને કારણે ખેડૂતોઓ ટામેટાના પાકને ફેંકી દીધા હતા. બીજા રાજ્યોમાંથી ટામેટા મોડા આવતા ટામેટા ખરાબ થઈ જાય છે જેને કારણે તે લોકોના ઘર સુધી પહોંચી શક્તા નથી. ત્યારે ચોમાસાની સિઝનમાં ન માત્ર ટામેટાના ભાવમાં વધારો આવ્યો છે પરંતુ લીલી શાકભાજીના ભાવો પણ સતત વધી રહ્યા છે. 


હજી પણ વધી શકે છે ટામેટાના ભાવ!

મોંઘવારીનું સ્તર પ્રતિદિન વધી રહ્યું છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. કોઈ વખત પેટ્રોલના ભાવમાં વધારો થાય છે તો કોઈ વખત દૂધના ભાવમાં વધારો થાય છે. ત્યારે હવે શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ટામેટાના ભાવ એટલા વધી ગયા છે કે તેની આગળ પેટ્રોલ પણ સસ્તુ લાગે. હાલ બજારમાં ટામેટા 100-160 વચ્ચે વેચાઈ રહ્યા છે પરંતુ આવનાર દિવસોમાં ટામેટાના ભાવમાં વધારો થઈ શકે છે. 200 રુપિયે ટામેટા વેચાઈ શકે છે. ત્યારે ન માત્ર ટામેટાના ભાવમાં વધારો થઈ રહ્યો છે પરંતુ અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અઠવાડિયા દરમિયાન પડેલા વરસાદને કારણે શાકભાજીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. 


આ શાકભાજીની કિંમતમાં પણ આવ્યો ઉછાળો

શાકભાજીના ભાવની વાત કરીએ તો આદુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જો તમારે સારી ક્વોલિટીનું આદુ ખરીદવું છે તો તમારે 190-200 રુપિયા ચૂકવવા પડશે અને જો મીડિયમ ક્વોલિટીનું આદુ ખરીદવું હશે તો તમારે 150 રૂપિયા ચૂકવવા પડશે. મરચાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. પહેલા મરચા જે 55-60 રુપિયાની આસપાસ મળતા હતા તે હવે 110-120 રુપિયે મળી રહ્યા છે. ત્યારે ચોમાસાને કારણે શાકભાજીના ભાવમાં આવેલા વધારે કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. ઓછા ટામેટાથી ગૃહિણી કામ ચલાવી રહ્યા છે. ત્યારે આવનાર દિવસોમાં ભાવમાં ફરી એક વખત વધારો થઈ શકે છે તેવું હાલ દેખાઈ રહ્યું છે.       

 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.