ચોમાસાના આગમન સાથે જ વધ્યા લીલા શાકભાજીના ભાવ, ટામેટાની સાથે સાથે આ શાકોના ભાવમાં આવ્યો ઉછાળો!


  • Published By :
  • Published Date : 2023-07-04 19:05:54

ચોમાસાની સિઝન આવતાની સાથે જ ટામેટાના ભાવમાં એકાએક વધારો જોવા મળી રહ્યો છે. જે ટામેટા થોડા દિવસો પહેલા 20થી 30 રુપિયે કિલોના ભાવે વેચાતા હતા તે હવે 100-150 રુપિયે કિલો વેચાઈ રહ્યા છે. ટામેટાના ભાવ વધારાથી ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. ભાવ વધારા થવાના અનેક કારણો છે, જેમ કે ટામેટાનું ઉત્પાદન ઓછા પ્રમાણમાં થયું છે. એક સમયે ટામેટાના ભાવ ન મળવાને કારણે ખેડૂતોઓ ટામેટાના પાકને ફેંકી દીધા હતા. બીજા રાજ્યોમાંથી ટામેટા મોડા આવતા ટામેટા ખરાબ થઈ જાય છે જેને કારણે તે લોકોના ઘર સુધી પહોંચી શક્તા નથી. ત્યારે ચોમાસાની સિઝનમાં ન માત્ર ટામેટાના ભાવમાં વધારો આવ્યો છે પરંતુ લીલી શાકભાજીના ભાવો પણ સતત વધી રહ્યા છે. 


હજી પણ વધી શકે છે ટામેટાના ભાવ!

મોંઘવારીનું સ્તર પ્રતિદિન વધી રહ્યું છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. કોઈ વખત પેટ્રોલના ભાવમાં વધારો થાય છે તો કોઈ વખત દૂધના ભાવમાં વધારો થાય છે. ત્યારે હવે શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ટામેટાના ભાવ એટલા વધી ગયા છે કે તેની આગળ પેટ્રોલ પણ સસ્તુ લાગે. હાલ બજારમાં ટામેટા 100-160 વચ્ચે વેચાઈ રહ્યા છે પરંતુ આવનાર દિવસોમાં ટામેટાના ભાવમાં વધારો થઈ શકે છે. 200 રુપિયે ટામેટા વેચાઈ શકે છે. ત્યારે ન માત્ર ટામેટાના ભાવમાં વધારો થઈ રહ્યો છે પરંતુ અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અઠવાડિયા દરમિયાન પડેલા વરસાદને કારણે શાકભાજીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. 


આ શાકભાજીની કિંમતમાં પણ આવ્યો ઉછાળો

શાકભાજીના ભાવની વાત કરીએ તો આદુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જો તમારે સારી ક્વોલિટીનું આદુ ખરીદવું છે તો તમારે 190-200 રુપિયા ચૂકવવા પડશે અને જો મીડિયમ ક્વોલિટીનું આદુ ખરીદવું હશે તો તમારે 150 રૂપિયા ચૂકવવા પડશે. મરચાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. પહેલા મરચા જે 55-60 રુપિયાની આસપાસ મળતા હતા તે હવે 110-120 રુપિયે મળી રહ્યા છે. ત્યારે ચોમાસાને કારણે શાકભાજીના ભાવમાં આવેલા વધારે કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. ઓછા ટામેટાથી ગૃહિણી કામ ચલાવી રહ્યા છે. ત્યારે આવનાર દિવસોમાં ભાવમાં ફરી એક વખત વધારો થઈ શકે છે તેવું હાલ દેખાઈ રહ્યું છે.       

 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.