ચોમાસાના આગમન સાથે જ વધ્યા લીલા શાકભાજીના ભાવ, ટામેટાની સાથે સાથે આ શાકોના ભાવમાં આવ્યો ઉછાળો!


  • Published By :
  • Published Date : 2023-07-04 19:05:54

ચોમાસાની સિઝન આવતાની સાથે જ ટામેટાના ભાવમાં એકાએક વધારો જોવા મળી રહ્યો છે. જે ટામેટા થોડા દિવસો પહેલા 20થી 30 રુપિયે કિલોના ભાવે વેચાતા હતા તે હવે 100-150 રુપિયે કિલો વેચાઈ રહ્યા છે. ટામેટાના ભાવ વધારાથી ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. ભાવ વધારા થવાના અનેક કારણો છે, જેમ કે ટામેટાનું ઉત્પાદન ઓછા પ્રમાણમાં થયું છે. એક સમયે ટામેટાના ભાવ ન મળવાને કારણે ખેડૂતોઓ ટામેટાના પાકને ફેંકી દીધા હતા. બીજા રાજ્યોમાંથી ટામેટા મોડા આવતા ટામેટા ખરાબ થઈ જાય છે જેને કારણે તે લોકોના ઘર સુધી પહોંચી શક્તા નથી. ત્યારે ચોમાસાની સિઝનમાં ન માત્ર ટામેટાના ભાવમાં વધારો આવ્યો છે પરંતુ લીલી શાકભાજીના ભાવો પણ સતત વધી રહ્યા છે. 


હજી પણ વધી શકે છે ટામેટાના ભાવ!

મોંઘવારીનું સ્તર પ્રતિદિન વધી રહ્યું છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. કોઈ વખત પેટ્રોલના ભાવમાં વધારો થાય છે તો કોઈ વખત દૂધના ભાવમાં વધારો થાય છે. ત્યારે હવે શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ટામેટાના ભાવ એટલા વધી ગયા છે કે તેની આગળ પેટ્રોલ પણ સસ્તુ લાગે. હાલ બજારમાં ટામેટા 100-160 વચ્ચે વેચાઈ રહ્યા છે પરંતુ આવનાર દિવસોમાં ટામેટાના ભાવમાં વધારો થઈ શકે છે. 200 રુપિયે ટામેટા વેચાઈ શકે છે. ત્યારે ન માત્ર ટામેટાના ભાવમાં વધારો થઈ રહ્યો છે પરંતુ અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અઠવાડિયા દરમિયાન પડેલા વરસાદને કારણે શાકભાજીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. 


આ શાકભાજીની કિંમતમાં પણ આવ્યો ઉછાળો

શાકભાજીના ભાવની વાત કરીએ તો આદુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જો તમારે સારી ક્વોલિટીનું આદુ ખરીદવું છે તો તમારે 190-200 રુપિયા ચૂકવવા પડશે અને જો મીડિયમ ક્વોલિટીનું આદુ ખરીદવું હશે તો તમારે 150 રૂપિયા ચૂકવવા પડશે. મરચાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. પહેલા મરચા જે 55-60 રુપિયાની આસપાસ મળતા હતા તે હવે 110-120 રુપિયે મળી રહ્યા છે. ત્યારે ચોમાસાને કારણે શાકભાજીના ભાવમાં આવેલા વધારે કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. ઓછા ટામેટાથી ગૃહિણી કામ ચલાવી રહ્યા છે. ત્યારે આવનાર દિવસોમાં ભાવમાં ફરી એક વખત વધારો થઈ શકે છે તેવું હાલ દેખાઈ રહ્યું છે.       

 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.