કોરોનાના નવા JN.1 વેરિયેન્ટથી દુનિયાભરમાં ભયનો માહોલ, સિંગાપુરમાં 56 હજાર કેસ, શું નવી લહેર આવશે?


  • Published By :
  • Published Date : 2023-12-18 15:49:24

કોવિડ-19ના એક વેરિયેન્ટએ દુનિયાભરની સરકારોની ચિંતા વધારી દીધી છે, કોરોના JN.1 સ્ટ્રેન પહેલાના વેરિયેન્ટથી પણ અનેક ગણો સંક્રામક છે. તાજેતરમાં જ કેરળમાં પણ JN.1 વેરિયેન્ટનો એક સામે આવ્યો છે. એક 78 વર્ષની વૃધ્ધાનો RT-PCR પોઝિટિવ સેમ્પલમાં આ વેરિયેન્ટ મળ્યો છે. આ મહિલાને ઈન્ફ્લ્યુએન્ઝા જેવી બિમારીના હળવા લક્ષણો હતા, જો  કે હવે તે સ્વસ્થ થઈ ગઈ છે. JN.1 વેરિયેન્ટ દુનિયાભરમાં કોવિડના લક્ષણોને વધારી રહ્યો છે. 


સિંગાપુરમાં 56 હજાર કેસ


સિંગાપુરમાં તો એક સપ્તાહમાં જ 56 હજારથી વધુ નવા કેસ નોંધાયા હળકંપ મચી ગયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કહ્યું કે તે વિકસિત થઈ રહ્યો છે અને સતત આકાર બદલી રહ્યો છે. WHOએ JN.1ને BA.2.86નો સબ વેરિયેન્ટ બતાવ્યો છે. તેના સ્પાઈક પ્રોટીનમાં માત્ર એક જ વધારાનો મ્યૂટેન છે. WHOએ કોવિડની સાથે-સાથે ઈન્ફ્લ્યુએન્ઝા અને અન્ય વાયરસની સાથે-સાથે બેક્ટેરિયાના ફેલાવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. 


કોવિડ- સબ વેરિયેન્ટ JN.1ના લક્ષણો શું છે?


હેલ્થ એક્સપર્ટસના જણાવ્યા પ્રમાણે  JN.1ના લક્ષણો પણ કોવિડ વેરિયેન્ટ્સ જેવા જ છે. આ વેરિયેન્ટ પણ ઉપરના શ્વસન તંત્રમાં મુશ્કેલી સર્જે છે. દર્દીઓને હળવો તાવ, ઉધરસ, બંધ નાક, ગળામાં ખરાશ, વહેતુ નાક, માથાનો દુખાવો અને પેટમાં ગડબડ થઈ શકે છે. જો કે  JN.1 અત્યંત સંક્રામક છે, એટલા માટે તે કોવિડનો મુખ્ય સ્ટ્રેન બની ગયો છે.


કોરોનાની નવી લહેરનો ખતરો કેટલો?


અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ(CDC)ના જણાવ્યા મુજબ જે વેક્સિન વાયરસના સ્પાઈક પ્રોટીનને ટારગેટ કરે છે, તે  JN.1 અને BA.2.86ની સામે પણ અસરકારક સાબિત થવી જોઈએ.


દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં ચેસ્ટ મેડિસિનમાં સિનિયર કન્સલ્ટન્ટ. ડો. ઉજ્જવલ પ્રકાશના જણાવ્યા પ્રમાણે ગભરાવાની જરૂર નથી,  જો કે સાવધાની જરૂરી છે.


 ડો. પ્રકાશે કહ્યું કે હજું પણ એવું કહેવું કે કોવિડની નવી લહેર આવી રહી છે  તે કહેવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે તે કોઈ પણ અન્ય વાયરલ ઈન્ફેક્સનની જેમ પસાર થઈ શકે છે. 


જો કે તેમણે લોકોને માસ્ક સહિત અન્ય સાવધાનીઓ રાખવાની સલાહ આપી હતી. જો શરીરમાં લક્ષણ જોવા મળે તો ટેસ્ટ ચોક્કસ કરાવવો જોઈએ.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે