કોરોનાના નવા JN.1 વેરિયેન્ટથી દુનિયાભરમાં ભયનો માહોલ, સિંગાપુરમાં 56 હજાર કેસ, શું નવી લહેર આવશે?


  • Published By :
  • Published Date : 2023-12-18 15:49:24

કોવિડ-19ના એક વેરિયેન્ટએ દુનિયાભરની સરકારોની ચિંતા વધારી દીધી છે, કોરોના JN.1 સ્ટ્રેન પહેલાના વેરિયેન્ટથી પણ અનેક ગણો સંક્રામક છે. તાજેતરમાં જ કેરળમાં પણ JN.1 વેરિયેન્ટનો એક સામે આવ્યો છે. એક 78 વર્ષની વૃધ્ધાનો RT-PCR પોઝિટિવ સેમ્પલમાં આ વેરિયેન્ટ મળ્યો છે. આ મહિલાને ઈન્ફ્લ્યુએન્ઝા જેવી બિમારીના હળવા લક્ષણો હતા, જો  કે હવે તે સ્વસ્થ થઈ ગઈ છે. JN.1 વેરિયેન્ટ દુનિયાભરમાં કોવિડના લક્ષણોને વધારી રહ્યો છે. 


સિંગાપુરમાં 56 હજાર કેસ


સિંગાપુરમાં તો એક સપ્તાહમાં જ 56 હજારથી વધુ નવા કેસ નોંધાયા હળકંપ મચી ગયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કહ્યું કે તે વિકસિત થઈ રહ્યો છે અને સતત આકાર બદલી રહ્યો છે. WHOએ JN.1ને BA.2.86નો સબ વેરિયેન્ટ બતાવ્યો છે. તેના સ્પાઈક પ્રોટીનમાં માત્ર એક જ વધારાનો મ્યૂટેન છે. WHOએ કોવિડની સાથે-સાથે ઈન્ફ્લ્યુએન્ઝા અને અન્ય વાયરસની સાથે-સાથે બેક્ટેરિયાના ફેલાવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. 


કોવિડ- સબ વેરિયેન્ટ JN.1ના લક્ષણો શું છે?


હેલ્થ એક્સપર્ટસના જણાવ્યા પ્રમાણે  JN.1ના લક્ષણો પણ કોવિડ વેરિયેન્ટ્સ જેવા જ છે. આ વેરિયેન્ટ પણ ઉપરના શ્વસન તંત્રમાં મુશ્કેલી સર્જે છે. દર્દીઓને હળવો તાવ, ઉધરસ, બંધ નાક, ગળામાં ખરાશ, વહેતુ નાક, માથાનો દુખાવો અને પેટમાં ગડબડ થઈ શકે છે. જો કે  JN.1 અત્યંત સંક્રામક છે, એટલા માટે તે કોવિડનો મુખ્ય સ્ટ્રેન બની ગયો છે.


કોરોનાની નવી લહેરનો ખતરો કેટલો?


અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ(CDC)ના જણાવ્યા મુજબ જે વેક્સિન વાયરસના સ્પાઈક પ્રોટીનને ટારગેટ કરે છે, તે  JN.1 અને BA.2.86ની સામે પણ અસરકારક સાબિત થવી જોઈએ.


દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં ચેસ્ટ મેડિસિનમાં સિનિયર કન્સલ્ટન્ટ. ડો. ઉજ્જવલ પ્રકાશના જણાવ્યા પ્રમાણે ગભરાવાની જરૂર નથી,  જો કે સાવધાની જરૂરી છે.


 ડો. પ્રકાશે કહ્યું કે હજું પણ એવું કહેવું કે કોવિડની નવી લહેર આવી રહી છે  તે કહેવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે તે કોઈ પણ અન્ય વાયરલ ઈન્ફેક્સનની જેમ પસાર થઈ શકે છે. 


જો કે તેમણે લોકોને માસ્ક સહિત અન્ય સાવધાનીઓ રાખવાની સલાહ આપી હતી. જો શરીરમાં લક્ષણ જોવા મળે તો ટેસ્ટ ચોક્કસ કરાવવો જોઈએ.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.