કોરોનાના નવા JN.1 વેરિયેન્ટથી દુનિયાભરમાં ભયનો માહોલ, સિંગાપુરમાં 56 હજાર કેસ, શું નવી લહેર આવશે?


  • Published By :
  • Published Date : 2023-12-18 15:49:24

કોવિડ-19ના એક વેરિયેન્ટએ દુનિયાભરની સરકારોની ચિંતા વધારી દીધી છે, કોરોના JN.1 સ્ટ્રેન પહેલાના વેરિયેન્ટથી પણ અનેક ગણો સંક્રામક છે. તાજેતરમાં જ કેરળમાં પણ JN.1 વેરિયેન્ટનો એક સામે આવ્યો છે. એક 78 વર્ષની વૃધ્ધાનો RT-PCR પોઝિટિવ સેમ્પલમાં આ વેરિયેન્ટ મળ્યો છે. આ મહિલાને ઈન્ફ્લ્યુએન્ઝા જેવી બિમારીના હળવા લક્ષણો હતા, જો  કે હવે તે સ્વસ્થ થઈ ગઈ છે. JN.1 વેરિયેન્ટ દુનિયાભરમાં કોવિડના લક્ષણોને વધારી રહ્યો છે. 


સિંગાપુરમાં 56 હજાર કેસ


સિંગાપુરમાં તો એક સપ્તાહમાં જ 56 હજારથી વધુ નવા કેસ નોંધાયા હળકંપ મચી ગયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કહ્યું કે તે વિકસિત થઈ રહ્યો છે અને સતત આકાર બદલી રહ્યો છે. WHOએ JN.1ને BA.2.86નો સબ વેરિયેન્ટ બતાવ્યો છે. તેના સ્પાઈક પ્રોટીનમાં માત્ર એક જ વધારાનો મ્યૂટેન છે. WHOએ કોવિડની સાથે-સાથે ઈન્ફ્લ્યુએન્ઝા અને અન્ય વાયરસની સાથે-સાથે બેક્ટેરિયાના ફેલાવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. 


કોવિડ- સબ વેરિયેન્ટ JN.1ના લક્ષણો શું છે?


હેલ્થ એક્સપર્ટસના જણાવ્યા પ્રમાણે  JN.1ના લક્ષણો પણ કોવિડ વેરિયેન્ટ્સ જેવા જ છે. આ વેરિયેન્ટ પણ ઉપરના શ્વસન તંત્રમાં મુશ્કેલી સર્જે છે. દર્દીઓને હળવો તાવ, ઉધરસ, બંધ નાક, ગળામાં ખરાશ, વહેતુ નાક, માથાનો દુખાવો અને પેટમાં ગડબડ થઈ શકે છે. જો કે  JN.1 અત્યંત સંક્રામક છે, એટલા માટે તે કોવિડનો મુખ્ય સ્ટ્રેન બની ગયો છે.


કોરોનાની નવી લહેરનો ખતરો કેટલો?


અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ(CDC)ના જણાવ્યા મુજબ જે વેક્સિન વાયરસના સ્પાઈક પ્રોટીનને ટારગેટ કરે છે, તે  JN.1 અને BA.2.86ની સામે પણ અસરકારક સાબિત થવી જોઈએ.


દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં ચેસ્ટ મેડિસિનમાં સિનિયર કન્સલ્ટન્ટ. ડો. ઉજ્જવલ પ્રકાશના જણાવ્યા પ્રમાણે ગભરાવાની જરૂર નથી,  જો કે સાવધાની જરૂરી છે.


 ડો. પ્રકાશે કહ્યું કે હજું પણ એવું કહેવું કે કોવિડની નવી લહેર આવી રહી છે  તે કહેવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે તે કોઈ પણ અન્ય વાયરલ ઈન્ફેક્સનની જેમ પસાર થઈ શકે છે. 


જો કે તેમણે લોકોને માસ્ક સહિત અન્ય સાવધાનીઓ રાખવાની સલાહ આપી હતી. જો શરીરમાં લક્ષણ જોવા મળે તો ટેસ્ટ ચોક્કસ કરાવવો જોઈએ.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.