શિયાળાની શરૂઆત થતા નળસરોવરમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થયું


  • Published By :
  • Published Date : 2022-10-26 11:39:31

દિવાળીના સમયમાં લોકો જેમ ફરવા જાય છે તેમ પક્ષીઓ પણ સ્થાળાંતર કરતા હોય છે. શિયાળાની ઋતુ દરમિયાન વિદેશી પક્ષી નળસરોવરમાં આવી સમય કાઢતા હોય છે. નળસરોવર ખાતે આવી વિદેશી પક્ષીઓ સમય વિતાવતા હોય છે. શિયાળાની ઋતુમાં નળસરોવર ખાતે મોટી સંખ્યામાં વિવિધ પ્રકારના તેમજ વિદેશી પક્ષીઓ જોવા મળતા હોય છે. આ વર્ષે એવું માનવામાં આવી રહ્યું છે કે સમય કરતા પહેલા પક્ષીઓ નળસરોવર આવી શકે છે. 

વિદેશી પક્ષીઓનું સ્વર્ગ ગણાતા ખીજડીયા પક્ષી અભયારણ્યને પ્રવાસીઓ માટે  ખુલ્લું મુકાયું

સમય કરતા પહેલા આવી રહ્યા છે પક્ષી

અમદાવાદના નળસરોવરમાં શિયાળાના સમય દરમિયાન ફ્લેમિંગો, પિનટેઈલ વગેરે પક્ષીઓ આવતા હોય છે. ત્યારે આ વખતે આ પક્ષીઓ હમણાંથી આવી ગયા છે. સામાન્ય રીતે આ પક્ષીઓ ફેબ્રુઆરી મહિનામાં નળસરોવર ખાતે આવતા હોય છે. અને શિયાળાની ઋતુ નળસરોવરમાં વિતાવે છે. આ વર્ષે પાણીનું સ્તર પક્ષીઓ માટે અનુકુળ છે જેને કારણે પક્ષીઓને ખાવાનું શોધવામાં તકલીફ નહીં પડે. 

ગુજરાત નુ મોટા માં મોટુું સરોવર,જે ને દુનિયા પક્ષી અભયારણ્ય તરીકે ઓળખે છે  ,એ નળસરોવર માં વિદેશી યાયાવર પક્ષીઓ ઓનું આગમન? નળસરોવર વિશે વધુ ...

આ વર્ષે અંદાજીત 140 જાતના પક્ષીઓ નળસરોવર આવી શકે છે

આ વર્ષે ગુજરાતમાં સરેરાશ ઘણો સારો વરસાદ પડ્યો છે. પરંતુ નળસરોવરની જળ સપાટીમાં મોટો ફેરાફાર નથી થયો. આ વખતે પૂરતા પ્રમાણમાં પાણીનું સ્તર જોવા મળી રહ્યું છે. પાછલા અનેક વર્ષો પછી એવું બનશે કે પાણીનું સ્તર પક્ષીઓ માટે અનુકુળ હશે. આ વખતે મોટી સંખ્યામાં પક્ષીઓ જોવા મળી શકે છે. આ વખતે અંદાજીત 140 જાતના પક્ષીઓ જોવા મળી શકે છે. 

નળ સરોવર - વિકિપીડિયા

પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહ્યું છે નળસરોવર

દિવાળી સમયે પક્ષીઓનું આગમન થતા લોકો ફરવા માટે નળસરોવર પસંદ કરે છે. પક્ષીઓને જોવા મોટી સંખ્યામાં લોકો નળસરોવરની મુલાકાત લેતા હોય છે. લોકોમાં વિદેશી પક્ષીઓને જોવાની અલગ ચાહના હોય છે. એમ પણ દિવાળીના સમયે લોકો ફરવા જવા માટે જગ્યાઓની શોધ કરતા હોય છે. ત્યારે અનેક લોકો નળસરોવરની પસંદગી કરે છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.