શિયાળાની શરૂઆત થતા નળસરોવરમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થયું


  • Published By :
  • Published Date : 2022-10-26 11:39:31

દિવાળીના સમયમાં લોકો જેમ ફરવા જાય છે તેમ પક્ષીઓ પણ સ્થાળાંતર કરતા હોય છે. શિયાળાની ઋતુ દરમિયાન વિદેશી પક્ષી નળસરોવરમાં આવી સમય કાઢતા હોય છે. નળસરોવર ખાતે આવી વિદેશી પક્ષીઓ સમય વિતાવતા હોય છે. શિયાળાની ઋતુમાં નળસરોવર ખાતે મોટી સંખ્યામાં વિવિધ પ્રકારના તેમજ વિદેશી પક્ષીઓ જોવા મળતા હોય છે. આ વર્ષે એવું માનવામાં આવી રહ્યું છે કે સમય કરતા પહેલા પક્ષીઓ નળસરોવર આવી શકે છે. 

વિદેશી પક્ષીઓનું સ્વર્ગ ગણાતા ખીજડીયા પક્ષી અભયારણ્યને પ્રવાસીઓ માટે  ખુલ્લું મુકાયું

સમય કરતા પહેલા આવી રહ્યા છે પક્ષી

અમદાવાદના નળસરોવરમાં શિયાળાના સમય દરમિયાન ફ્લેમિંગો, પિનટેઈલ વગેરે પક્ષીઓ આવતા હોય છે. ત્યારે આ વખતે આ પક્ષીઓ હમણાંથી આવી ગયા છે. સામાન્ય રીતે આ પક્ષીઓ ફેબ્રુઆરી મહિનામાં નળસરોવર ખાતે આવતા હોય છે. અને શિયાળાની ઋતુ નળસરોવરમાં વિતાવે છે. આ વર્ષે પાણીનું સ્તર પક્ષીઓ માટે અનુકુળ છે જેને કારણે પક્ષીઓને ખાવાનું શોધવામાં તકલીફ નહીં પડે. 

ગુજરાત નુ મોટા માં મોટુું સરોવર,જે ને દુનિયા પક્ષી અભયારણ્ય તરીકે ઓળખે છે  ,એ નળસરોવર માં વિદેશી યાયાવર પક્ષીઓ ઓનું આગમન? નળસરોવર વિશે વધુ ...

આ વર્ષે અંદાજીત 140 જાતના પક્ષીઓ નળસરોવર આવી શકે છે

આ વર્ષે ગુજરાતમાં સરેરાશ ઘણો સારો વરસાદ પડ્યો છે. પરંતુ નળસરોવરની જળ સપાટીમાં મોટો ફેરાફાર નથી થયો. આ વખતે પૂરતા પ્રમાણમાં પાણીનું સ્તર જોવા મળી રહ્યું છે. પાછલા અનેક વર્ષો પછી એવું બનશે કે પાણીનું સ્તર પક્ષીઓ માટે અનુકુળ હશે. આ વખતે મોટી સંખ્યામાં પક્ષીઓ જોવા મળી શકે છે. આ વખતે અંદાજીત 140 જાતના પક્ષીઓ જોવા મળી શકે છે. 

નળ સરોવર - વિકિપીડિયા

પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહ્યું છે નળસરોવર

દિવાળી સમયે પક્ષીઓનું આગમન થતા લોકો ફરવા માટે નળસરોવર પસંદ કરે છે. પક્ષીઓને જોવા મોટી સંખ્યામાં લોકો નળસરોવરની મુલાકાત લેતા હોય છે. લોકોમાં વિદેશી પક્ષીઓને જોવાની અલગ ચાહના હોય છે. એમ પણ દિવાળીના સમયે લોકો ફરવા જવા માટે જગ્યાઓની શોધ કરતા હોય છે. ત્યારે અનેક લોકો નળસરોવરની પસંદગી કરે છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.