કયા મંત્રથી અને કેવી રીતે સૂર્ય ભગવાનને જળ કરવું જોઈએ અર્પણ?


  • Published By :
  • Published Date : 2022-11-26 16:36:53

ભગવાન સૂર્યને ઉર્જાનો સ્તોત્ર માનવામાં આવે છે. ભગવાન સૂર્યને ગ્રહોના રાજા માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં સૂર્યોદય થયા પછી તીથી બદલાય છે. અનેક લોકો સવારે સૂર્યની ઉપાસના કરે છે. પૂજા માટે આપણે સવારે સૂર્ય નારાયણને જળ અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઉગતા સૂરજની ઉપાસના કરવાથી જીવનમાં ઉન્નતિ આવે છે. સૂર્ય ભગવાનને જળ અર્પણ કરતી વખતે અનેક મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે. નિયમીત રીતે જળ અર્પણ કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. 

सूर्य को जल देने के इन फायदों को जानेंगे तो, हर दिन देंगे जल - benefits of  offering water to sun - Navbharat Times

ભગવાન સૂર્યનારયણને પ્રસન્ન કરવા જળમાં કંકુ, અક્ષત તેમજ પુષ્પ પધરાવું જોઈએ. જળ અર્પણ કરતી વખતે ગાયત્રી મંત્રનો અથવા તો સૂર્યના 12 નામોનો જાપ કરવો જાઈએ. સૂર્યના બાર નામ આ પ્રમાણે છે. ઓમ્ મિત્રાય નમ:, ઓમ્ રવયે નમ:, ઓમ્ સૂર્યાય નમ:, ઓમ્ ભાનવે નમ:, ઓમ્ ખગાય નમ:, ઓમ્ પુષ્ણે નમ:, ઓમ્ હિરણ્યગર્ભાય નમ:, ઓમ્ મરિચે નમ:, ઓમ્ આદિત્યાય નમ:, ઓમ્ સવિત્રે નમ:, ઓમ્ અર્કાય નમ:, ઓમ્ ભાસ્કરાય નમ: નું ઉચ્ચારણ કરવું જોઈએ. ઉપરાંત તીર્થ સ્થાને અથવા તો નદી કિનારે આપેલા અર્ધ્યને વિશેષ માનવામાં આવે છે. 

સૂર્ય (દેવ) - વિકિપીડિયા

આપણા હિંદુ ધર્મમાં કોઈ જે પણ ધાર્મિક રિવાજો હોય છે તેની પાછળ વૈજ્ઞાનિક કારણ રહેલું હોય છે. સૂર્યનારાયણ ભગવાનને જળ ચઢાવવાથી શરીરમાં વિટામીનની કમી નથી થતી. એકધારથી જળ ચઢાવવાને કારણે એકાગ્રતા પણ વધે છે. ઉપરાંત શરીરમાં રંગોનું સંતુલન પણ જળવાઈ રહે છે. આપણે જ્યારે જળ અર્પણ કરતા હોઈએ છીએ ત્યારે સૂર્ય તરફ નહીં પરંતુ જળની ધારા પર ધ્યાન આપવાનું હોય છે. જ્યારે સૂર્યની કિરણો જળમાંથી નિકળે છે ત્યારે પાણીની ધારા Spectrum જેવું કામ કરે છે. સૂર્યની કિરણને સાત રંગોમાં વહેંચી નાખે છે અને શરીરમાં રહેલા સાત ચક્રોને ઉર્જાવાન કરે છે.   




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.