કયા મંત્રથી અને કેવી રીતે સૂર્ય ભગવાનને જળ કરવું જોઈએ અર્પણ?


  • Published By :
  • Published Date : 2022-11-26 16:36:53

ભગવાન સૂર્યને ઉર્જાનો સ્તોત્ર માનવામાં આવે છે. ભગવાન સૂર્યને ગ્રહોના રાજા માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં સૂર્યોદય થયા પછી તીથી બદલાય છે. અનેક લોકો સવારે સૂર્યની ઉપાસના કરે છે. પૂજા માટે આપણે સવારે સૂર્ય નારાયણને જળ અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઉગતા સૂરજની ઉપાસના કરવાથી જીવનમાં ઉન્નતિ આવે છે. સૂર્ય ભગવાનને જળ અર્પણ કરતી વખતે અનેક મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે. નિયમીત રીતે જળ અર્પણ કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. 

सूर्य को जल देने के इन फायदों को जानेंगे तो, हर दिन देंगे जल - benefits of  offering water to sun - Navbharat Times

ભગવાન સૂર્યનારયણને પ્રસન્ન કરવા જળમાં કંકુ, અક્ષત તેમજ પુષ્પ પધરાવું જોઈએ. જળ અર્પણ કરતી વખતે ગાયત્રી મંત્રનો અથવા તો સૂર્યના 12 નામોનો જાપ કરવો જાઈએ. સૂર્યના બાર નામ આ પ્રમાણે છે. ઓમ્ મિત્રાય નમ:, ઓમ્ રવયે નમ:, ઓમ્ સૂર્યાય નમ:, ઓમ્ ભાનવે નમ:, ઓમ્ ખગાય નમ:, ઓમ્ પુષ્ણે નમ:, ઓમ્ હિરણ્યગર્ભાય નમ:, ઓમ્ મરિચે નમ:, ઓમ્ આદિત્યાય નમ:, ઓમ્ સવિત્રે નમ:, ઓમ્ અર્કાય નમ:, ઓમ્ ભાસ્કરાય નમ: નું ઉચ્ચારણ કરવું જોઈએ. ઉપરાંત તીર્થ સ્થાને અથવા તો નદી કિનારે આપેલા અર્ધ્યને વિશેષ માનવામાં આવે છે. 

સૂર્ય (દેવ) - વિકિપીડિયા

આપણા હિંદુ ધર્મમાં કોઈ જે પણ ધાર્મિક રિવાજો હોય છે તેની પાછળ વૈજ્ઞાનિક કારણ રહેલું હોય છે. સૂર્યનારાયણ ભગવાનને જળ ચઢાવવાથી શરીરમાં વિટામીનની કમી નથી થતી. એકધારથી જળ ચઢાવવાને કારણે એકાગ્રતા પણ વધે છે. ઉપરાંત શરીરમાં રંગોનું સંતુલન પણ જળવાઈ રહે છે. આપણે જ્યારે જળ અર્પણ કરતા હોઈએ છીએ ત્યારે સૂર્ય તરફ નહીં પરંતુ જળની ધારા પર ધ્યાન આપવાનું હોય છે. જ્યારે સૂર્યની કિરણો જળમાંથી નિકળે છે ત્યારે પાણીની ધારા Spectrum જેવું કામ કરે છે. સૂર્યની કિરણને સાત રંગોમાં વહેંચી નાખે છે અને શરીરમાં રહેલા સાત ચક્રોને ઉર્જાવાન કરે છે.   




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.