કયા મંત્રથી અને કેવી રીતે સૂર્ય ભગવાનને જળ કરવું જોઈએ અર્પણ?


  • Published By :
  • Published Date : 2022-11-26 16:36:53

ભગવાન સૂર્યને ઉર્જાનો સ્તોત્ર માનવામાં આવે છે. ભગવાન સૂર્યને ગ્રહોના રાજા માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં સૂર્યોદય થયા પછી તીથી બદલાય છે. અનેક લોકો સવારે સૂર્યની ઉપાસના કરે છે. પૂજા માટે આપણે સવારે સૂર્ય નારાયણને જળ અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઉગતા સૂરજની ઉપાસના કરવાથી જીવનમાં ઉન્નતિ આવે છે. સૂર્ય ભગવાનને જળ અર્પણ કરતી વખતે અનેક મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે. નિયમીત રીતે જળ અર્પણ કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. 

सूर्य को जल देने के इन फायदों को जानेंगे तो, हर दिन देंगे जल - benefits of  offering water to sun - Navbharat Times

ભગવાન સૂર્યનારયણને પ્રસન્ન કરવા જળમાં કંકુ, અક્ષત તેમજ પુષ્પ પધરાવું જોઈએ. જળ અર્પણ કરતી વખતે ગાયત્રી મંત્રનો અથવા તો સૂર્યના 12 નામોનો જાપ કરવો જાઈએ. સૂર્યના બાર નામ આ પ્રમાણે છે. ઓમ્ મિત્રાય નમ:, ઓમ્ રવયે નમ:, ઓમ્ સૂર્યાય નમ:, ઓમ્ ભાનવે નમ:, ઓમ્ ખગાય નમ:, ઓમ્ પુષ્ણે નમ:, ઓમ્ હિરણ્યગર્ભાય નમ:, ઓમ્ મરિચે નમ:, ઓમ્ આદિત્યાય નમ:, ઓમ્ સવિત્રે નમ:, ઓમ્ અર્કાય નમ:, ઓમ્ ભાસ્કરાય નમ: નું ઉચ્ચારણ કરવું જોઈએ. ઉપરાંત તીર્થ સ્થાને અથવા તો નદી કિનારે આપેલા અર્ધ્યને વિશેષ માનવામાં આવે છે. 

સૂર્ય (દેવ) - વિકિપીડિયા

આપણા હિંદુ ધર્મમાં કોઈ જે પણ ધાર્મિક રિવાજો હોય છે તેની પાછળ વૈજ્ઞાનિક કારણ રહેલું હોય છે. સૂર્યનારાયણ ભગવાનને જળ ચઢાવવાથી શરીરમાં વિટામીનની કમી નથી થતી. એકધારથી જળ ચઢાવવાને કારણે એકાગ્રતા પણ વધે છે. ઉપરાંત શરીરમાં રંગોનું સંતુલન પણ જળવાઈ રહે છે. આપણે જ્યારે જળ અર્પણ કરતા હોઈએ છીએ ત્યારે સૂર્ય તરફ નહીં પરંતુ જળની ધારા પર ધ્યાન આપવાનું હોય છે. જ્યારે સૂર્યની કિરણો જળમાંથી નિકળે છે ત્યારે પાણીની ધારા Spectrum જેવું કામ કરે છે. સૂર્યની કિરણને સાત રંગોમાં વહેંચી નાખે છે અને શરીરમાં રહેલા સાત ચક્રોને ઉર્જાવાન કરે છે.   




ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .