24 કલાકની અંદર BJP ઉમેદવારોની બીજી યાદી કરી શકે છે જાહેર, આ બધા વચ્ચે Gujaratના મુખ્યમંત્રી Bhupendra Patel આજે દિલ્હી જવાના છે..!


  • Published By :
  • Published Date : 2024-03-09 13:44:32

ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. 195 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારો ઘોષિત કરવામાં આવ્યા છે. ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા છે પરંતુ બાકી રહેલી 11 બેઠકો માટે ઉમેદવારોના નામ નથી ઘોષિત કરવામાં આવ્યા. ત્યારે એવી માહિતી સામે આવી છે કે આવનાર 24 કલાકમાં અથવા તો 48 કલાકમાં ભાજપની બીજી યાદી જાહેર થઈ શકે છે તેવી સંભાવનાઓ છે. ગુજરાતની 11 બેઠકોના નામ પણ જાહેર થઈ શકે છે તેવું લાગી રહ્યું છે. આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જઈ શકે છે. ઉમેદવારોના નામને લઈ ચર્ચા થઈ શકે છે તેવી માહિતી સામે આવી છે.


11 લોકસભા સીટ માટે ભાજપે નથી કર્યા ઉમેદવાર જાહેર! 

ગુજરાતમાં 26 લોકસભા બેઠકો આવેલી છે. ગુજરાતની 26 બેઠકોમાંથી ભાજપ દ્વારા 15 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે જ્યારે 11 બેઠકો માટે ગમે ત્યારે ઉમેદવારોના નામની ઘોષણા થઈ શકે છે તેવી સંભાવનાઓ છે. જે 15 સીટો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે તેમાંથી 10 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે પાંચ નવા ચહેરાને તક આપવામાં આવી છે. એ પાંચમાંથી પણ બે તો રાજ્યસભાના સાંસદ છે. જે 11 બેઠકો માટે નામની જાહેરાત નથી કરવામાં આવી તે માટે લોકો તુક્કા લગાવી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે માત્ર અમુક સાંસદોને જ રિપીટ કરવામાં આવી શકે છે. 11માંથી પાંચ બેઠકો તો એવી છે જ્યાં મહિલા સાંસદ છે. 

ગુજરાતના મુખ્યમંત્રી આજે દિલ્હી જવાના છે!

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગમે ત્યારે ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરવામાં આવી શકે છે. ઉમેદવારોના નામને લઈ ઉત્સુકતા વધી રહી છે કારણ કે સાંસદોને પણ પ્રશ્ન હશે કે તેમને રિપીટ કરવામાં આવશે કે કોઈ નવા ચહેરાને ઉતારવામાં આવશે. એવી માહિતી સામે આવી છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જવાના છે. મુખ્યમંત્રી સાથે અનેક બીજા નેતા પણ હોઈ શકે છે તેવી માહિતી પણ સામે આવી છે. ત્યારે જોવું રહ્યું કે ભાજપ પોતાના ઉમેદવારની બીજી યાદી ક્યારે જાહેર કરવામાં આવે છે? 

A Surprise BJP Pick, Bhupendra Patel Ticks the Right Boxes Ahead of 2022  Gujarat Polls - News18


રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.