24 કલાકની અંદર BJP ઉમેદવારોની બીજી યાદી કરી શકે છે જાહેર, આ બધા વચ્ચે Gujaratના મુખ્યમંત્રી Bhupendra Patel આજે દિલ્હી જવાના છે..!


  • Published By :
  • Published Date : 2024-03-09 13:44:32

ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. 195 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારો ઘોષિત કરવામાં આવ્યા છે. ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા છે પરંતુ બાકી રહેલી 11 બેઠકો માટે ઉમેદવારોના નામ નથી ઘોષિત કરવામાં આવ્યા. ત્યારે એવી માહિતી સામે આવી છે કે આવનાર 24 કલાકમાં અથવા તો 48 કલાકમાં ભાજપની બીજી યાદી જાહેર થઈ શકે છે તેવી સંભાવનાઓ છે. ગુજરાતની 11 બેઠકોના નામ પણ જાહેર થઈ શકે છે તેવું લાગી રહ્યું છે. આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જઈ શકે છે. ઉમેદવારોના નામને લઈ ચર્ચા થઈ શકે છે તેવી માહિતી સામે આવી છે.


11 લોકસભા સીટ માટે ભાજપે નથી કર્યા ઉમેદવાર જાહેર! 

ગુજરાતમાં 26 લોકસભા બેઠકો આવેલી છે. ગુજરાતની 26 બેઠકોમાંથી ભાજપ દ્વારા 15 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે જ્યારે 11 બેઠકો માટે ગમે ત્યારે ઉમેદવારોના નામની ઘોષણા થઈ શકે છે તેવી સંભાવનાઓ છે. જે 15 સીટો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે તેમાંથી 10 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે પાંચ નવા ચહેરાને તક આપવામાં આવી છે. એ પાંચમાંથી પણ બે તો રાજ્યસભાના સાંસદ છે. જે 11 બેઠકો માટે નામની જાહેરાત નથી કરવામાં આવી તે માટે લોકો તુક્કા લગાવી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે માત્ર અમુક સાંસદોને જ રિપીટ કરવામાં આવી શકે છે. 11માંથી પાંચ બેઠકો તો એવી છે જ્યાં મહિલા સાંસદ છે. 

ગુજરાતના મુખ્યમંત્રી આજે દિલ્હી જવાના છે!

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગમે ત્યારે ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરવામાં આવી શકે છે. ઉમેદવારોના નામને લઈ ઉત્સુકતા વધી રહી છે કારણ કે સાંસદોને પણ પ્રશ્ન હશે કે તેમને રિપીટ કરવામાં આવશે કે કોઈ નવા ચહેરાને ઉતારવામાં આવશે. એવી માહિતી સામે આવી છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જવાના છે. મુખ્યમંત્રી સાથે અનેક બીજા નેતા પણ હોઈ શકે છે તેવી માહિતી પણ સામે આવી છે. ત્યારે જોવું રહ્યું કે ભાજપ પોતાના ઉમેદવારની બીજી યાદી ક્યારે જાહેર કરવામાં આવે છે? 

A Surprise BJP Pick, Bhupendra Patel Ticks the Right Boxes Ahead of 2022  Gujarat Polls - News18


ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.