24 કલાકની અંદર BJP ઉમેદવારોની બીજી યાદી કરી શકે છે જાહેર, આ બધા વચ્ચે Gujaratના મુખ્યમંત્રી Bhupendra Patel આજે દિલ્હી જવાના છે..!


  • Published By :
  • Published Date : 2024-03-09 13:44:32

ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. 195 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારો ઘોષિત કરવામાં આવ્યા છે. ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા છે પરંતુ બાકી રહેલી 11 બેઠકો માટે ઉમેદવારોના નામ નથી ઘોષિત કરવામાં આવ્યા. ત્યારે એવી માહિતી સામે આવી છે કે આવનાર 24 કલાકમાં અથવા તો 48 કલાકમાં ભાજપની બીજી યાદી જાહેર થઈ શકે છે તેવી સંભાવનાઓ છે. ગુજરાતની 11 બેઠકોના નામ પણ જાહેર થઈ શકે છે તેવું લાગી રહ્યું છે. આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જઈ શકે છે. ઉમેદવારોના નામને લઈ ચર્ચા થઈ શકે છે તેવી માહિતી સામે આવી છે.


11 લોકસભા સીટ માટે ભાજપે નથી કર્યા ઉમેદવાર જાહેર! 

ગુજરાતમાં 26 લોકસભા બેઠકો આવેલી છે. ગુજરાતની 26 બેઠકોમાંથી ભાજપ દ્વારા 15 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે જ્યારે 11 બેઠકો માટે ગમે ત્યારે ઉમેદવારોના નામની ઘોષણા થઈ શકે છે તેવી સંભાવનાઓ છે. જે 15 સીટો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે તેમાંથી 10 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે પાંચ નવા ચહેરાને તક આપવામાં આવી છે. એ પાંચમાંથી પણ બે તો રાજ્યસભાના સાંસદ છે. જે 11 બેઠકો માટે નામની જાહેરાત નથી કરવામાં આવી તે માટે લોકો તુક્કા લગાવી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે માત્ર અમુક સાંસદોને જ રિપીટ કરવામાં આવી શકે છે. 11માંથી પાંચ બેઠકો તો એવી છે જ્યાં મહિલા સાંસદ છે. 

ગુજરાતના મુખ્યમંત્રી આજે દિલ્હી જવાના છે!

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગમે ત્યારે ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરવામાં આવી શકે છે. ઉમેદવારોના નામને લઈ ઉત્સુકતા વધી રહી છે કારણ કે સાંસદોને પણ પ્રશ્ન હશે કે તેમને રિપીટ કરવામાં આવશે કે કોઈ નવા ચહેરાને ઉતારવામાં આવશે. એવી માહિતી સામે આવી છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જવાના છે. મુખ્યમંત્રી સાથે અનેક બીજા નેતા પણ હોઈ શકે છે તેવી માહિતી પણ સામે આવી છે. ત્યારે જોવું રહ્યું કે ભાજપ પોતાના ઉમેદવારની બીજી યાદી ક્યારે જાહેર કરવામાં આવે છે? 

A Surprise BJP Pick, Bhupendra Patel Ticks the Right Boxes Ahead of 2022  Gujarat Polls - News18


પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.