24 કલાકની અંદર BJP ઉમેદવારોની બીજી યાદી કરી શકે છે જાહેર, આ બધા વચ્ચે Gujaratના મુખ્યમંત્રી Bhupendra Patel આજે દિલ્હી જવાના છે..!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-09 13:44:32

ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. 195 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારો ઘોષિત કરવામાં આવ્યા છે. ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા છે પરંતુ બાકી રહેલી 11 બેઠકો માટે ઉમેદવારોના નામ નથી ઘોષિત કરવામાં આવ્યા. ત્યારે એવી માહિતી સામે આવી છે કે આવનાર 24 કલાકમાં અથવા તો 48 કલાકમાં ભાજપની બીજી યાદી જાહેર થઈ શકે છે તેવી સંભાવનાઓ છે. ગુજરાતની 11 બેઠકોના નામ પણ જાહેર થઈ શકે છે તેવું લાગી રહ્યું છે. આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જઈ શકે છે. ઉમેદવારોના નામને લઈ ચર્ચા થઈ શકે છે તેવી માહિતી સામે આવી છે.


11 લોકસભા સીટ માટે ભાજપે નથી કર્યા ઉમેદવાર જાહેર! 

ગુજરાતમાં 26 લોકસભા બેઠકો આવેલી છે. ગુજરાતની 26 બેઠકોમાંથી ભાજપ દ્વારા 15 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે જ્યારે 11 બેઠકો માટે ગમે ત્યારે ઉમેદવારોના નામની ઘોષણા થઈ શકે છે તેવી સંભાવનાઓ છે. જે 15 સીટો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે તેમાંથી 10 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે પાંચ નવા ચહેરાને તક આપવામાં આવી છે. એ પાંચમાંથી પણ બે તો રાજ્યસભાના સાંસદ છે. જે 11 બેઠકો માટે નામની જાહેરાત નથી કરવામાં આવી તે માટે લોકો તુક્કા લગાવી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે માત્ર અમુક સાંસદોને જ રિપીટ કરવામાં આવી શકે છે. 11માંથી પાંચ બેઠકો તો એવી છે જ્યાં મહિલા સાંસદ છે. 

ગુજરાતના મુખ્યમંત્રી આજે દિલ્હી જવાના છે!

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગમે ત્યારે ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરવામાં આવી શકે છે. ઉમેદવારોના નામને લઈ ઉત્સુકતા વધી રહી છે કારણ કે સાંસદોને પણ પ્રશ્ન હશે કે તેમને રિપીટ કરવામાં આવશે કે કોઈ નવા ચહેરાને ઉતારવામાં આવશે. એવી માહિતી સામે આવી છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જવાના છે. મુખ્યમંત્રી સાથે અનેક બીજા નેતા પણ હોઈ શકે છે તેવી માહિતી પણ સામે આવી છે. ત્યારે જોવું રહ્યું કે ભાજપ પોતાના ઉમેદવારની બીજી યાદી ક્યારે જાહેર કરવામાં આવે છે? 

A Surprise BJP Pick, Bhupendra Patel Ticks the Right Boxes Ahead of 2022  Gujarat Polls - News18


વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.