મોડાસા નજીક પોલીસ વાન અને દારૂ ભરેલી કાર વચ્ચે ટક્કર, મહિલા PI ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-03-19 21:12:32

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે આ હકીકત કોઈનાથી અજાણી નથી. રાજ્યના દરેક ગામ અને શહેરમાં છુપી રીતે દારૂનું વેચાણ થાય જ છે. પોલીસ કેટલીક વખત બાતમીના આધારે કાર્યવાહી કરી ફરજ બજાવ્યાનું આશ્વાસન લે છે. આવી જ એક ઘટના અરવલ્લી જિલ્લાના મોડાસામાં સામે આવી છે. 


મહિલા PIએ ઝડપી કાર


આજે રવિવારે સવારે મોડાસા સ્ટેટ હાઈવે પર  શામળાજી તરફથી દારૂ ભરેલી કાર આવતી હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના મહિલા પોલીસ ઈન્સપેક્ટર એન.એચ. કુંભાર અને તેમની ટીમે દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. પોલીસને જોઈને આરોપીએ સ્થળેથી નાસી છૂટવાની કોશિશ કરી હતી. જો કે વિજિલન્સ પોલીસે પણ ગુનેગારોને પકડવા ફિલ્મી ઢબે બુટલેગરોનો પીછો કર્યો હતો. 


મહિલા PI અને પોલીસકર્મી ઘાયલ


પોલીસે જ્યારે તે કારનો પીછો કર્યો ત્યારે બુટલેગરની કાર અને પોલીસની ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં મહિલા પોલીસ ઈન્સપેક્ટર અને અન્ય પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. અત્યારે બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને લઈ જઈ તેમના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.