મોડાસા નજીક પોલીસ વાન અને દારૂ ભરેલી કાર વચ્ચે ટક્કર, મહિલા PI ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-03-19 21:12:32

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે આ હકીકત કોઈનાથી અજાણી નથી. રાજ્યના દરેક ગામ અને શહેરમાં છુપી રીતે દારૂનું વેચાણ થાય જ છે. પોલીસ કેટલીક વખત બાતમીના આધારે કાર્યવાહી કરી ફરજ બજાવ્યાનું આશ્વાસન લે છે. આવી જ એક ઘટના અરવલ્લી જિલ્લાના મોડાસામાં સામે આવી છે. 


મહિલા PIએ ઝડપી કાર


આજે રવિવારે સવારે મોડાસા સ્ટેટ હાઈવે પર  શામળાજી તરફથી દારૂ ભરેલી કાર આવતી હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના મહિલા પોલીસ ઈન્સપેક્ટર એન.એચ. કુંભાર અને તેમની ટીમે દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. પોલીસને જોઈને આરોપીએ સ્થળેથી નાસી છૂટવાની કોશિશ કરી હતી. જો કે વિજિલન્સ પોલીસે પણ ગુનેગારોને પકડવા ફિલ્મી ઢબે બુટલેગરોનો પીછો કર્યો હતો. 


મહિલા PI અને પોલીસકર્મી ઘાયલ


પોલીસે જ્યારે તે કારનો પીછો કર્યો ત્યારે બુટલેગરની કાર અને પોલીસની ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં મહિલા પોલીસ ઈન્સપેક્ટર અને અન્ય પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. અત્યારે બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને લઈ જઈ તેમના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે