ગુજરાતમાં યુવતીઓના લગ્નની સરેરાશ ઉંમર હવે 21 થી 26 વર્ષ : સર્વે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 14:02:39

ગુજરાતમાં યુવતીઓ સામાન્ય રીતે 21 વર્ષની વયે  લગ્ન કરતી હોય છે. જો કે હવે તે વય મર્યાદા પણ વધી છે. રાજ્યમાં મહિલાઓનાં લગ્નની સરેરાશ ઉંમરને લઈને તાજેતરમાં સરકારે એક સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેમાં કેટલાક ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. આ સર્વે મુજબ 2010 બાદ 21 વર્ષે થતા લગ્નમાં હવે વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં પહેલા જ્યાં 18 થી 21 વર્ષની ઉંમરે લગ્ન થતા હતા ત્યાં હવે સ્થિતિ બદલાઈ છે અને મહિલાઓ 21 થી 26 વર્ષે લગ્ન કરે છે. આ સુધારો ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પણ જોવા મળ્યો છે.


યુવતીઓ હવે  21 થી 26 વર્ષે લગ્ન કરે છે


ગુજરાતમાં પહેલાના સમયમાં કાયદાકીય રીતે માન્ય વય 18  વર્ષની હોવા છતાં ગ્રામીણ વિસ્તારોમાં 18 વર્ષ થતા પહેલા દીકરીના લગ્ન કરી દેવામાં આવતા હતા. તે સમયે  માતાપિતા એવું માનતા હતા કે છોકરીઓ 18 વર્ષની થાય તે પહેલા જ તેમના લગ્ન કરી દેવા જોઈએ. કારણ કે મોટી ઉંમર થતા છોકરીઓના લગ્ન કરવામાં મુશ્કેલી પડતી હોય છે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. યુવતીઓ હવે 21 વર્ષે ગ્રેજ્યુએશન પૂર્ણ થયા બાદ જ લગ્ન કરવાનું વિચારે છે.


સાક્ષરતા વધતા સમાજ જાગૃત થયો


નિષ્ણાતોના જણાવ્યા મુજબ લગ્નની ઉંમરમાં સુધારો એ રાજ્યમાં સાક્ષરતા દરમાં સુધારો બતાવે છે. રાજ્યમાં જેમ લોકો વધુ શિક્ષિત બનશે તેમ લોકો સ્થિતિ સમજશે. આથી લોકો હવે પહેલા અભ્યાસ પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે અને પછી જ લગ્ન કરવાનું પસંદ કરવા લાગ્યા છે.


અન્ય રાજ્યોમાં યુવતીઓની લગ્નની સરેરાશ ઉંમર કેટલી છે?


સરકાર દ્વારા દેશભરમાં લગ્નની ઉંમરને લઈને સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં મોટાભાગની મહિલાઓના લગ્ન 21 વર્ષની વયે થયા હોવાનું સામે આવ્યું છે. જમ્મુકશ્મિરમાં લગ્નની સૌથી વધુ સરેરાશ ઉંમર 26 વર્ષની હતી ત્યાર બાદ પંજાબ અને દિલ્હી આવે છે જ્યાં આ ઉંમરનો રેશિયો 24 વર્ષનો હોવાનું જણાય છે. પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં 21 વર્ષ કે તેથી વધુ ઉંમરે લગ્ન કરનાર મહિલાઓનું પ્રમાણ 80 ટકાથી વધુ છે. જ્યારે દક્ષિણના રાજ્યોમાં તમિલનાડુમાં 82 ટકા અને તેલંગાણામાં 80 ટકા અને કેરળમાં 72 ટકા મહિલાઓ 21 વર્ષ પછી લગ્ન કરે છે. તો પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, બિહાર અને યુપી જેવા રાજ્યમાં 3 ટકાથી વધુ મહિલાઓના લગ્ન 18 થી 20 વર્ષ પહેલા થયા છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.