ગુજરાતમાં યુવતીઓના લગ્નની સરેરાશ ઉંમર હવે 21 થી 26 વર્ષ : સર્વે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 14:02:39

ગુજરાતમાં યુવતીઓ સામાન્ય રીતે 21 વર્ષની વયે  લગ્ન કરતી હોય છે. જો કે હવે તે વય મર્યાદા પણ વધી છે. રાજ્યમાં મહિલાઓનાં લગ્નની સરેરાશ ઉંમરને લઈને તાજેતરમાં સરકારે એક સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેમાં કેટલાક ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. આ સર્વે મુજબ 2010 બાદ 21 વર્ષે થતા લગ્નમાં હવે વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં પહેલા જ્યાં 18 થી 21 વર્ષની ઉંમરે લગ્ન થતા હતા ત્યાં હવે સ્થિતિ બદલાઈ છે અને મહિલાઓ 21 થી 26 વર્ષે લગ્ન કરે છે. આ સુધારો ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પણ જોવા મળ્યો છે.


યુવતીઓ હવે  21 થી 26 વર્ષે લગ્ન કરે છે


ગુજરાતમાં પહેલાના સમયમાં કાયદાકીય રીતે માન્ય વય 18  વર્ષની હોવા છતાં ગ્રામીણ વિસ્તારોમાં 18 વર્ષ થતા પહેલા દીકરીના લગ્ન કરી દેવામાં આવતા હતા. તે સમયે  માતાપિતા એવું માનતા હતા કે છોકરીઓ 18 વર્ષની થાય તે પહેલા જ તેમના લગ્ન કરી દેવા જોઈએ. કારણ કે મોટી ઉંમર થતા છોકરીઓના લગ્ન કરવામાં મુશ્કેલી પડતી હોય છે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. યુવતીઓ હવે 21 વર્ષે ગ્રેજ્યુએશન પૂર્ણ થયા બાદ જ લગ્ન કરવાનું વિચારે છે.


સાક્ષરતા વધતા સમાજ જાગૃત થયો


નિષ્ણાતોના જણાવ્યા મુજબ લગ્નની ઉંમરમાં સુધારો એ રાજ્યમાં સાક્ષરતા દરમાં સુધારો બતાવે છે. રાજ્યમાં જેમ લોકો વધુ શિક્ષિત બનશે તેમ લોકો સ્થિતિ સમજશે. આથી લોકો હવે પહેલા અભ્યાસ પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે અને પછી જ લગ્ન કરવાનું પસંદ કરવા લાગ્યા છે.


અન્ય રાજ્યોમાં યુવતીઓની લગ્નની સરેરાશ ઉંમર કેટલી છે?


સરકાર દ્વારા દેશભરમાં લગ્નની ઉંમરને લઈને સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં મોટાભાગની મહિલાઓના લગ્ન 21 વર્ષની વયે થયા હોવાનું સામે આવ્યું છે. જમ્મુકશ્મિરમાં લગ્નની સૌથી વધુ સરેરાશ ઉંમર 26 વર્ષની હતી ત્યાર બાદ પંજાબ અને દિલ્હી આવે છે જ્યાં આ ઉંમરનો રેશિયો 24 વર્ષનો હોવાનું જણાય છે. પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં 21 વર્ષ કે તેથી વધુ ઉંમરે લગ્ન કરનાર મહિલાઓનું પ્રમાણ 80 ટકાથી વધુ છે. જ્યારે દક્ષિણના રાજ્યોમાં તમિલનાડુમાં 82 ટકા અને તેલંગાણામાં 80 ટકા અને કેરળમાં 72 ટકા મહિલાઓ 21 વર્ષ પછી લગ્ન કરે છે. તો પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, બિહાર અને યુપી જેવા રાજ્યમાં 3 ટકાથી વધુ મહિલાઓના લગ્ન 18 થી 20 વર્ષ પહેલા થયા છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.