ગુજરાતમાં યુવતીઓના લગ્નની સરેરાશ ઉંમર હવે 21 થી 26 વર્ષ : સર્વે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 14:02:39

ગુજરાતમાં યુવતીઓ સામાન્ય રીતે 21 વર્ષની વયે  લગ્ન કરતી હોય છે. જો કે હવે તે વય મર્યાદા પણ વધી છે. રાજ્યમાં મહિલાઓનાં લગ્નની સરેરાશ ઉંમરને લઈને તાજેતરમાં સરકારે એક સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેમાં કેટલાક ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. આ સર્વે મુજબ 2010 બાદ 21 વર્ષે થતા લગ્નમાં હવે વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં પહેલા જ્યાં 18 થી 21 વર્ષની ઉંમરે લગ્ન થતા હતા ત્યાં હવે સ્થિતિ બદલાઈ છે અને મહિલાઓ 21 થી 26 વર્ષે લગ્ન કરે છે. આ સુધારો ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પણ જોવા મળ્યો છે.


યુવતીઓ હવે  21 થી 26 વર્ષે લગ્ન કરે છે


ગુજરાતમાં પહેલાના સમયમાં કાયદાકીય રીતે માન્ય વય 18  વર્ષની હોવા છતાં ગ્રામીણ વિસ્તારોમાં 18 વર્ષ થતા પહેલા દીકરીના લગ્ન કરી દેવામાં આવતા હતા. તે સમયે  માતાપિતા એવું માનતા હતા કે છોકરીઓ 18 વર્ષની થાય તે પહેલા જ તેમના લગ્ન કરી દેવા જોઈએ. કારણ કે મોટી ઉંમર થતા છોકરીઓના લગ્ન કરવામાં મુશ્કેલી પડતી હોય છે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. યુવતીઓ હવે 21 વર્ષે ગ્રેજ્યુએશન પૂર્ણ થયા બાદ જ લગ્ન કરવાનું વિચારે છે.


સાક્ષરતા વધતા સમાજ જાગૃત થયો


નિષ્ણાતોના જણાવ્યા મુજબ લગ્નની ઉંમરમાં સુધારો એ રાજ્યમાં સાક્ષરતા દરમાં સુધારો બતાવે છે. રાજ્યમાં જેમ લોકો વધુ શિક્ષિત બનશે તેમ લોકો સ્થિતિ સમજશે. આથી લોકો હવે પહેલા અભ્યાસ પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે અને પછી જ લગ્ન કરવાનું પસંદ કરવા લાગ્યા છે.


અન્ય રાજ્યોમાં યુવતીઓની લગ્નની સરેરાશ ઉંમર કેટલી છે?


સરકાર દ્વારા દેશભરમાં લગ્નની ઉંમરને લઈને સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં મોટાભાગની મહિલાઓના લગ્ન 21 વર્ષની વયે થયા હોવાનું સામે આવ્યું છે. જમ્મુકશ્મિરમાં લગ્નની સૌથી વધુ સરેરાશ ઉંમર 26 વર્ષની હતી ત્યાર બાદ પંજાબ અને દિલ્હી આવે છે જ્યાં આ ઉંમરનો રેશિયો 24 વર્ષનો હોવાનું જણાય છે. પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં 21 વર્ષ કે તેથી વધુ ઉંમરે લગ્ન કરનાર મહિલાઓનું પ્રમાણ 80 ટકાથી વધુ છે. જ્યારે દક્ષિણના રાજ્યોમાં તમિલનાડુમાં 82 ટકા અને તેલંગાણામાં 80 ટકા અને કેરળમાં 72 ટકા મહિલાઓ 21 વર્ષ પછી લગ્ન કરે છે. તો પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, બિહાર અને યુપી જેવા રાજ્યમાં 3 ટકાથી વધુ મહિલાઓના લગ્ન 18 થી 20 વર્ષ પહેલા થયા છે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.