મહિલા અનામત બિલ Rajyasabhaમાં થયું રજુ, PM Modiએ તમામ સાંસદોનો માન્યો આભાર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-21 12:12:44

18 સપ્ટેમ્બરથી સંસદમાં વિશેષ સત્રનો પ્રારંભ થઈ ગયો છે. મહિલા અનામત બિલ ગઈકાલે લોકસભામાં પાસ થઈ ગયું હતું ત્યારે આજે રાજ્યસભામાં તેને લઈ ચર્ચા કરવામાં આવી રહી છે. વિશેષ સત્રના ત્રીજા દિવસે મહિલા અનામત બિલ પાસ થયું તેને લઈ આજે એટલે કે સત્રના ચોથા દિવસે પીએમ મોદીએ તમામ સાંસદોનો આભાર માન્યો હતો. પોતાના ભાષણમાં તેમણે કહ્યું હતું કે ભારતની સંસદીય યાત્રામાં આ એક સુવર્ણ ક્ષણ છે. ગૃહના તમામ સભ્યો આ ક્ષણના હકદાર છે. તમામ પક્ષોના નેતાઓ પણ તેના હકદાર છે. 


ગઈકાલે લોકસભામાં પાસ થયું બિલ 

જ્યારથી સંસદમાં વિશેષ સત્રનો પ્રારંભ થયો ત્યારથી સૌ કોઈની નજર મહિલા અનામત પર હતી. વિપક્ષી સાંસદોનું પણ સમર્થન મળ્યું હતું. ગઈકાલે આ બિલને લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું જેમાં બે સાંસદો સિવાય આ બિલની તરફેણમાં 454 વોટ આપ્યા હતા. લોકસભામાં ચર્ચા બાદ બિલ પાસ થઈ ગયું ત્યારે આજે આ બિલની ચર્ચા રાજ્યસભામાં કરવામાં આવી રહી છે. 


રાજ્યસભામાં થઈ રહી છે બિલની ચર્ચા 

સત્રની શરૂઆતમાં પીએમ મોદીએ લોકસભામાં ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું કે  'ભારતની સંસદીય યાત્રામાં આ એક સુવર્ણ ક્ષણ છે. ગૃહના તમામ સભ્યોઆ ક્ષણના હકદાર છે. તમામ પક્ષોના નેતાઓ પણ તેના હકદાર છે. આજે તે રાજ્યસભામાં તેનો છેલ્લો મુકામ પૂર્ણ કરશે. આજે હું આ પવિત્ર કાર્યમાં તમારા યોગદાન અને અર્થપૂર્ણ ચર્ચા માટે આપ સૌને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.