મહિલા અનામત બિલ Rajyasabhaમાં થયું રજુ, PM Modiએ તમામ સાંસદોનો માન્યો આભાર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-21 12:12:44

18 સપ્ટેમ્બરથી સંસદમાં વિશેષ સત્રનો પ્રારંભ થઈ ગયો છે. મહિલા અનામત બિલ ગઈકાલે લોકસભામાં પાસ થઈ ગયું હતું ત્યારે આજે રાજ્યસભામાં તેને લઈ ચર્ચા કરવામાં આવી રહી છે. વિશેષ સત્રના ત્રીજા દિવસે મહિલા અનામત બિલ પાસ થયું તેને લઈ આજે એટલે કે સત્રના ચોથા દિવસે પીએમ મોદીએ તમામ સાંસદોનો આભાર માન્યો હતો. પોતાના ભાષણમાં તેમણે કહ્યું હતું કે ભારતની સંસદીય યાત્રામાં આ એક સુવર્ણ ક્ષણ છે. ગૃહના તમામ સભ્યો આ ક્ષણના હકદાર છે. તમામ પક્ષોના નેતાઓ પણ તેના હકદાર છે. 


ગઈકાલે લોકસભામાં પાસ થયું બિલ 

જ્યારથી સંસદમાં વિશેષ સત્રનો પ્રારંભ થયો ત્યારથી સૌ કોઈની નજર મહિલા અનામત પર હતી. વિપક્ષી સાંસદોનું પણ સમર્થન મળ્યું હતું. ગઈકાલે આ બિલને લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું જેમાં બે સાંસદો સિવાય આ બિલની તરફેણમાં 454 વોટ આપ્યા હતા. લોકસભામાં ચર્ચા બાદ બિલ પાસ થઈ ગયું ત્યારે આજે આ બિલની ચર્ચા રાજ્યસભામાં કરવામાં આવી રહી છે. 


રાજ્યસભામાં થઈ રહી છે બિલની ચર્ચા 

સત્રની શરૂઆતમાં પીએમ મોદીએ લોકસભામાં ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું કે  'ભારતની સંસદીય યાત્રામાં આ એક સુવર્ણ ક્ષણ છે. ગૃહના તમામ સભ્યોઆ ક્ષણના હકદાર છે. તમામ પક્ષોના નેતાઓ પણ તેના હકદાર છે. આજે તે રાજ્યસભામાં તેનો છેલ્લો મુકામ પૂર્ણ કરશે. આજે હું આ પવિત્ર કાર્યમાં તમારા યોગદાન અને અર્થપૂર્ણ ચર્ચા માટે આપ સૌને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.