મહિલા અનામત બિલ Rajyasabhaમાં થયું રજુ, PM Modiએ તમામ સાંસદોનો માન્યો આભાર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-21 12:12:44

18 સપ્ટેમ્બરથી સંસદમાં વિશેષ સત્રનો પ્રારંભ થઈ ગયો છે. મહિલા અનામત બિલ ગઈકાલે લોકસભામાં પાસ થઈ ગયું હતું ત્યારે આજે રાજ્યસભામાં તેને લઈ ચર્ચા કરવામાં આવી રહી છે. વિશેષ સત્રના ત્રીજા દિવસે મહિલા અનામત બિલ પાસ થયું તેને લઈ આજે એટલે કે સત્રના ચોથા દિવસે પીએમ મોદીએ તમામ સાંસદોનો આભાર માન્યો હતો. પોતાના ભાષણમાં તેમણે કહ્યું હતું કે ભારતની સંસદીય યાત્રામાં આ એક સુવર્ણ ક્ષણ છે. ગૃહના તમામ સભ્યો આ ક્ષણના હકદાર છે. તમામ પક્ષોના નેતાઓ પણ તેના હકદાર છે. 


ગઈકાલે લોકસભામાં પાસ થયું બિલ 

જ્યારથી સંસદમાં વિશેષ સત્રનો પ્રારંભ થયો ત્યારથી સૌ કોઈની નજર મહિલા અનામત પર હતી. વિપક્ષી સાંસદોનું પણ સમર્થન મળ્યું હતું. ગઈકાલે આ બિલને લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું જેમાં બે સાંસદો સિવાય આ બિલની તરફેણમાં 454 વોટ આપ્યા હતા. લોકસભામાં ચર્ચા બાદ બિલ પાસ થઈ ગયું ત્યારે આજે આ બિલની ચર્ચા રાજ્યસભામાં કરવામાં આવી રહી છે. 


રાજ્યસભામાં થઈ રહી છે બિલની ચર્ચા 

સત્રની શરૂઆતમાં પીએમ મોદીએ લોકસભામાં ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું કે  'ભારતની સંસદીય યાત્રામાં આ એક સુવર્ણ ક્ષણ છે. ગૃહના તમામ સભ્યોઆ ક્ષણના હકદાર છે. તમામ પક્ષોના નેતાઓ પણ તેના હકદાર છે. આજે તે રાજ્યસભામાં તેનો છેલ્લો મુકામ પૂર્ણ કરશે. આજે હું આ પવિત્ર કાર્યમાં તમારા યોગદાન અને અર્થપૂર્ણ ચર્ચા માટે આપ સૌને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.