મહિલા અનામત બિલ Rajyasabhaમાં થયું રજુ, PM Modiએ તમામ સાંસદોનો માન્યો આભાર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-21 12:12:44

18 સપ્ટેમ્બરથી સંસદમાં વિશેષ સત્રનો પ્રારંભ થઈ ગયો છે. મહિલા અનામત બિલ ગઈકાલે લોકસભામાં પાસ થઈ ગયું હતું ત્યારે આજે રાજ્યસભામાં તેને લઈ ચર્ચા કરવામાં આવી રહી છે. વિશેષ સત્રના ત્રીજા દિવસે મહિલા અનામત બિલ પાસ થયું તેને લઈ આજે એટલે કે સત્રના ચોથા દિવસે પીએમ મોદીએ તમામ સાંસદોનો આભાર માન્યો હતો. પોતાના ભાષણમાં તેમણે કહ્યું હતું કે ભારતની સંસદીય યાત્રામાં આ એક સુવર્ણ ક્ષણ છે. ગૃહના તમામ સભ્યો આ ક્ષણના હકદાર છે. તમામ પક્ષોના નેતાઓ પણ તેના હકદાર છે. 


ગઈકાલે લોકસભામાં પાસ થયું બિલ 

જ્યારથી સંસદમાં વિશેષ સત્રનો પ્રારંભ થયો ત્યારથી સૌ કોઈની નજર મહિલા અનામત પર હતી. વિપક્ષી સાંસદોનું પણ સમર્થન મળ્યું હતું. ગઈકાલે આ બિલને લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું જેમાં બે સાંસદો સિવાય આ બિલની તરફેણમાં 454 વોટ આપ્યા હતા. લોકસભામાં ચર્ચા બાદ બિલ પાસ થઈ ગયું ત્યારે આજે આ બિલની ચર્ચા રાજ્યસભામાં કરવામાં આવી રહી છે. 


રાજ્યસભામાં થઈ રહી છે બિલની ચર્ચા 

સત્રની શરૂઆતમાં પીએમ મોદીએ લોકસભામાં ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું કે  'ભારતની સંસદીય યાત્રામાં આ એક સુવર્ણ ક્ષણ છે. ગૃહના તમામ સભ્યોઆ ક્ષણના હકદાર છે. તમામ પક્ષોના નેતાઓ પણ તેના હકદાર છે. આજે તે રાજ્યસભામાં તેનો છેલ્લો મુકામ પૂર્ણ કરશે. આજે હું આ પવિત્ર કાર્યમાં તમારા યોગદાન અને અર્થપૂર્ણ ચર્ચા માટે આપ સૌને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .