મહિલા અનામત બિલ રાજ્યસભામાં સર્વસંમતિથી પાસ, સમર્થનમાં પડ્યા 215 વોટ, PM મોદીએ કર્યું ટ્વિટ


  • Published By :
  • Published Date : 2023-09-21 23:13:44

સંસદના વિશેષ સત્ર દરમિયાન ગુરુવારે (21 સપ્ટેમ્બર) રાજ્યસભામાં મહિલા અનામત બિલ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું છે. ગુરુવારે રાજ્યસભામાં થયેલા મતદાનમાં નારી શક્તિ વંદન કાયદો પસાર કરવામાં આવ્યો હતો. આ બિલની તરફેણમાં 215 વોટ પડ્યા હતા. તમામ પક્ષોએ આ બિલને સમર્થન આપ્યું છે. બિલના વિરુદ્ધમાં કોઈ વોટ પડ્યો ન હતો. લાંબી ચર્ચા બાદ બુધવારે લોકસભામાં આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. 


ઉપરાષ્ટ્રપતિએ આપ્યા અભિનંદન


આ બિલ પર પ્રસ્તાવિત તમામ સુધારા રાજ્યસભામાં પણ ધરાશાઈ થયા હતા. લોકસભામાં આ બિલની તરફેણમાં 454 અને વિરોધમાં 2 વોટ પડ્યા હતા. આ બિલમાં મહિલાઓને લોકસભા અને વિધાનસભાઓમાં 33 ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે. બિલ પાસ થવા પર ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે બધાને અભિનંદન આપ્યા અને એમ પણ કહ્યું કે આ એક સંયોગ છે કે હિન્દુ તિથી મુજબ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ જન્મદિવસ છે. હું તેમને અભિનંદન આપું છું.


PM મોદીએ આભાર વ્યક્ત કર્યો હતો


રાજ્યસભામાં બિલ પર મતદાન થાય તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ બિલ દેશના લોકોમાં નવો વિશ્વાસ પેદા કરશે. તમામ સભ્યો અને રાજકીય પક્ષોએ મહિલા સશક્તિકરણ અને નારી શક્તિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. એવું નથી કે, બિલ પાસ થવાથી જ નારી શક્તિને વિશેષ સન્માન મળી રહ્યું છે. પરંતુ આ બિલ પ્રત્યે દેશના તમામ રાજકીય પક્ષોની સકારાત્મક વિચારસરણી આપણા દેશની નારી શક્તિને નવી ઉર્જા પ્રદાન કરનાર છે. હું તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરું છું.


PM મોદીએ ટ્વિટ કર્યું


રાજ્યસભામાં મહિલા અનામત બિલ પાસ થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું. PMએ લખ્યું, આપણા દેશની લોકતાંત્રિક યાત્રાની નિર્ણાયક ક્ષણ! 140 કરોડ ભારતીયોને અભિનંદન. હું તે તમામ રાજ્યસભા સાંસદોનો આભાર માનું છું જેમણે નારી શક્તિ વંદન એક્ટ માટે મતદાન કર્યું. આવો સર્વસંમત સમર્થન ખરેખર હ્રદયસ્પર્શી છે. સંસદમાં નારી શક્તિ વંદન અધિનિયમ પસાર થવાથી, અમે ભારતની મહિલાઓ માટે મજબૂત પ્રતિનિધિત્વ અને સશક્તિકરણનો યુગ શરૂ કરીએ છીએ. આ માત્ર કાયદો નથી; તે અસંખ્ય મહિલાઓને શ્રદ્ધાંજલિ છે જેમણે આપણા દેશનું નિર્માણ કર્યું છે. ભારત તેમની સ્થિતિસ્થાપકતા અને યોગદાનથી સમૃદ્ધ બન્યું છે. PMએ આગળ લખ્યું, આજે આપણે ઉજવણી કરીએ છીએ, ત્યારે આપણને આપણા દેશની તમામ મહિલાઓની શક્તિ, હિંમત અને અદમ્ય ભાવનાની યાદ અપાય છે. આ ઐતિહાસિક પગલું એ સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતા છે કે તેમનો અવાજ વધુ અસરકારક રીતે સાંભળવામાં આવે.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.