મહિલા અનામત બિલ રાજ્યસભામાં સર્વસંમતિથી પાસ, સમર્થનમાં પડ્યા 215 વોટ, PM મોદીએ કર્યું ટ્વિટ


  • Published By :
  • Published Date : 2023-09-21 23:13:44

સંસદના વિશેષ સત્ર દરમિયાન ગુરુવારે (21 સપ્ટેમ્બર) રાજ્યસભામાં મહિલા અનામત બિલ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું છે. ગુરુવારે રાજ્યસભામાં થયેલા મતદાનમાં નારી શક્તિ વંદન કાયદો પસાર કરવામાં આવ્યો હતો. આ બિલની તરફેણમાં 215 વોટ પડ્યા હતા. તમામ પક્ષોએ આ બિલને સમર્થન આપ્યું છે. બિલના વિરુદ્ધમાં કોઈ વોટ પડ્યો ન હતો. લાંબી ચર્ચા બાદ બુધવારે લોકસભામાં આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. 


ઉપરાષ્ટ્રપતિએ આપ્યા અભિનંદન


આ બિલ પર પ્રસ્તાવિત તમામ સુધારા રાજ્યસભામાં પણ ધરાશાઈ થયા હતા. લોકસભામાં આ બિલની તરફેણમાં 454 અને વિરોધમાં 2 વોટ પડ્યા હતા. આ બિલમાં મહિલાઓને લોકસભા અને વિધાનસભાઓમાં 33 ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે. બિલ પાસ થવા પર ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે બધાને અભિનંદન આપ્યા અને એમ પણ કહ્યું કે આ એક સંયોગ છે કે હિન્દુ તિથી મુજબ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ જન્મદિવસ છે. હું તેમને અભિનંદન આપું છું.


PM મોદીએ આભાર વ્યક્ત કર્યો હતો


રાજ્યસભામાં બિલ પર મતદાન થાય તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ બિલ દેશના લોકોમાં નવો વિશ્વાસ પેદા કરશે. તમામ સભ્યો અને રાજકીય પક્ષોએ મહિલા સશક્તિકરણ અને નારી શક્તિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. એવું નથી કે, બિલ પાસ થવાથી જ નારી શક્તિને વિશેષ સન્માન મળી રહ્યું છે. પરંતુ આ બિલ પ્રત્યે દેશના તમામ રાજકીય પક્ષોની સકારાત્મક વિચારસરણી આપણા દેશની નારી શક્તિને નવી ઉર્જા પ્રદાન કરનાર છે. હું તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરું છું.


PM મોદીએ ટ્વિટ કર્યું


રાજ્યસભામાં મહિલા અનામત બિલ પાસ થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું. PMએ લખ્યું, આપણા દેશની લોકતાંત્રિક યાત્રાની નિર્ણાયક ક્ષણ! 140 કરોડ ભારતીયોને અભિનંદન. હું તે તમામ રાજ્યસભા સાંસદોનો આભાર માનું છું જેમણે નારી શક્તિ વંદન એક્ટ માટે મતદાન કર્યું. આવો સર્વસંમત સમર્થન ખરેખર હ્રદયસ્પર્શી છે. સંસદમાં નારી શક્તિ વંદન અધિનિયમ પસાર થવાથી, અમે ભારતની મહિલાઓ માટે મજબૂત પ્રતિનિધિત્વ અને સશક્તિકરણનો યુગ શરૂ કરીએ છીએ. આ માત્ર કાયદો નથી; તે અસંખ્ય મહિલાઓને શ્રદ્ધાંજલિ છે જેમણે આપણા દેશનું નિર્માણ કર્યું છે. ભારત તેમની સ્થિતિસ્થાપકતા અને યોગદાનથી સમૃદ્ધ બન્યું છે. PMએ આગળ લખ્યું, આજે આપણે ઉજવણી કરીએ છીએ, ત્યારે આપણને આપણા દેશની તમામ મહિલાઓની શક્તિ, હિંમત અને અદમ્ય ભાવનાની યાદ અપાય છે. આ ઐતિહાસિક પગલું એ સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતા છે કે તેમનો અવાજ વધુ અસરકારક રીતે સાંભળવામાં આવે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .