મહિલા અનામત બિલ રાજ્યસભામાં સર્વસંમતિથી પાસ, સમર્થનમાં પડ્યા 215 વોટ, PM મોદીએ કર્યું ટ્વિટ


  • Published By :
  • Published Date : 2023-09-21 23:13:44

સંસદના વિશેષ સત્ર દરમિયાન ગુરુવારે (21 સપ્ટેમ્બર) રાજ્યસભામાં મહિલા અનામત બિલ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું છે. ગુરુવારે રાજ્યસભામાં થયેલા મતદાનમાં નારી શક્તિ વંદન કાયદો પસાર કરવામાં આવ્યો હતો. આ બિલની તરફેણમાં 215 વોટ પડ્યા હતા. તમામ પક્ષોએ આ બિલને સમર્થન આપ્યું છે. બિલના વિરુદ્ધમાં કોઈ વોટ પડ્યો ન હતો. લાંબી ચર્ચા બાદ બુધવારે લોકસભામાં આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. 


ઉપરાષ્ટ્રપતિએ આપ્યા અભિનંદન


આ બિલ પર પ્રસ્તાવિત તમામ સુધારા રાજ્યસભામાં પણ ધરાશાઈ થયા હતા. લોકસભામાં આ બિલની તરફેણમાં 454 અને વિરોધમાં 2 વોટ પડ્યા હતા. આ બિલમાં મહિલાઓને લોકસભા અને વિધાનસભાઓમાં 33 ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે. બિલ પાસ થવા પર ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે બધાને અભિનંદન આપ્યા અને એમ પણ કહ્યું કે આ એક સંયોગ છે કે હિન્દુ તિથી મુજબ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ જન્મદિવસ છે. હું તેમને અભિનંદન આપું છું.


PM મોદીએ આભાર વ્યક્ત કર્યો હતો


રાજ્યસભામાં બિલ પર મતદાન થાય તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ બિલ દેશના લોકોમાં નવો વિશ્વાસ પેદા કરશે. તમામ સભ્યો અને રાજકીય પક્ષોએ મહિલા સશક્તિકરણ અને નારી શક્તિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. એવું નથી કે, બિલ પાસ થવાથી જ નારી શક્તિને વિશેષ સન્માન મળી રહ્યું છે. પરંતુ આ બિલ પ્રત્યે દેશના તમામ રાજકીય પક્ષોની સકારાત્મક વિચારસરણી આપણા દેશની નારી શક્તિને નવી ઉર્જા પ્રદાન કરનાર છે. હું તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરું છું.


PM મોદીએ ટ્વિટ કર્યું


રાજ્યસભામાં મહિલા અનામત બિલ પાસ થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું. PMએ લખ્યું, આપણા દેશની લોકતાંત્રિક યાત્રાની નિર્ણાયક ક્ષણ! 140 કરોડ ભારતીયોને અભિનંદન. હું તે તમામ રાજ્યસભા સાંસદોનો આભાર માનું છું જેમણે નારી શક્તિ વંદન એક્ટ માટે મતદાન કર્યું. આવો સર્વસંમત સમર્થન ખરેખર હ્રદયસ્પર્શી છે. સંસદમાં નારી શક્તિ વંદન અધિનિયમ પસાર થવાથી, અમે ભારતની મહિલાઓ માટે મજબૂત પ્રતિનિધિત્વ અને સશક્તિકરણનો યુગ શરૂ કરીએ છીએ. આ માત્ર કાયદો નથી; તે અસંખ્ય મહિલાઓને શ્રદ્ધાંજલિ છે જેમણે આપણા દેશનું નિર્માણ કર્યું છે. ભારત તેમની સ્થિતિસ્થાપકતા અને યોગદાનથી સમૃદ્ધ બન્યું છે. PMએ આગળ લખ્યું, આજે આપણે ઉજવણી કરીએ છીએ, ત્યારે આપણને આપણા દેશની તમામ મહિલાઓની શક્તિ, હિંમત અને અદમ્ય ભાવનાની યાદ અપાય છે. આ ઐતિહાસિક પગલું એ સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતા છે કે તેમનો અવાજ વધુ અસરકારક રીતે સાંભળવામાં આવે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.